Ad

Saturday, May 9, 2020

નવી પોલિસી અમલમાં મૂકતા ટેસ્ટ કર્યા વિના 200થી વધુને રજા અપાઈ

રાજ્ય સરકારે કોરોનાના પોઝિટિવ દર્દીઓ માટે ડિસ્ચાર્જની નવી પોલિસી અમલમાં મૂકી છે. જે અનુસાર દાખલ થયાના 10 દિવસમાં કોઈપણ દર્દીને લક્ષણ ન હોય તો કોઈપણ પ્રકારના ટેસ્ટ કર્યા વિના તેમને ડિસ્ચાર્જ આપવામાં આવી શકશે. આ પોલિસી અમલમાં મૂક્યાના પ્રથમ દિવસે જ સમરસ હોસ્ટેલમાંથી 200થી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ડિસ્ચાર્જ આપતા પહેલા 2 વખત દર્દીના રિપોર્ટ નેગેટિવ આવે તો જ ઘરે જવાની રજા આપવામાં આવતી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સમરસ હોસ્ટેલમાંથી 200થી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા.


from Divya Bhaskar https://ift.tt/3bnw5KF

કમિશનર નેહરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ, મુકેશકુમાર જ ચાર્જમાં રહેશે કે નેહરા પાછા આવશે તે સસ્પેન્સ 

મ્યુનિ. કમિશનર વિજય નેહરાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને અમદાવાદીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેમણે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા પછી કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે અને થોડા દિવસોમાં જ તેઓ ફરજ પર પાછા ફરશે તેમ જણાવ્યું હતું.

નેહરાસેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા
ઉલ્લેખનીય છે કે, ફિલ્ડ ડ્યુટી દરમિયાન વિજય નેહરા કોરોના પોઝિટિવ બે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. જેથી ગાઈડલાઈન મુજબ તેઓ જાતે સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. આ પછી કમિશનર તરીકે રાજ્ય સરકારે મુકેશ કુમારને ચાર્જ સોંપ્યો હતો. જ્યારે ફોરેસ્ટ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાને સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી હતી.
હવે નેહરાને14 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવાની જરૂરિયાત નથી
દરમિયાનમાં તેમનો શનિવારે કોરોનાનો ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવતાં રાજ્ય સરકારને આ અંગે જાણ કરી હતી. જો કે, હવે તેમને ફરજ પર પરત ફરવાનોઓર્ડર રાજ્ય સરકાર ક્યારે કરે છે તે જોવાનું રહ્યું. નવી ગાઈડલાઈન્સ પ્રમાણે તેમનો રિપોર્ટ નેગેિટવ આવતાં હવે તેમણે 14 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવાની જરૂરિયાત નથી. જો કે, હજુ સુધી સરકારે તેમને ડ્યુટી પર પરત ફરવાનો નવો ઓર્ડર જારી કર્યો નથી. કમિશનરનો ચાર્જ મુકેશ કુમાર પાસે છે. આ ચાર્જ દૂર કરી નવો
ઓર્ડર રાજ્ય સરકાર કરે તે પછી જ વિજય નેહરા ડ્યુટી પર પાછા ફરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વિજય નેહરા.


from Divya Bhaskar https://ift.tt/2xTlLg4

સચિનને કલેક્ટરે કહ્યું- મારાં બાળકો હવે રમવાની જિદ નથી કરતાં, IPSએ કહ્યું- વસ્તુની સમાજમાં વહેંચણી પણ પરિવાર શીખે

આજે દુનિયાભરમાં વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલી માતાઓ ઘર-પરિવાર છોડીને નિ:સ્વાર્થ ભાવે કોવિડ-19 સામે લડી રહી છે. તેમાંની ઘણી માતાને તો ઘરે જવાની તક પણ નથી મળી. આજે જ્યારે સમગ્ર દેશ આ યોદ્ધાઓની પડખે ઊભો છે અને તેમના યોગદાનની પ્રશંસા કરી રહ્યો છે ત્યારે આપણે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. ભારત રત્ન સચિન તેંડુલકરે મધર્સ ડે નિમિત્તે યુદ્ધ સ્તરે કોરોનાનો મુકાબલો કરી રહેલી આવી માતાઓ સાથે વાત કરી. તેમાં કલેક્ટર, એસપી, ડૉક્ટર, નર્સથી લઈ સમાજ સેવી સહિતના લોકોનો સમાવેશ થાય છે. વાંચો તેમની વાતચીત...
સવાલ: મારો પ્રથમ પ્રશ્ન વાયનાડ કલેક્ટર આદિલા અબ્દુલ્લાને છે. તમે તમારા પરિવાર અને વ્યસ્ત દિનચર્યામાં સંતુલન કેવી રીતે જાળવી રાખો છો?
સચિન:
મારે ત્રણ નાના બાળકો છે અને ત્રણેય સાડા સાત વર્ષથી નાના છે. મારું સૌથી નાનું બાળક દોઢ વર્ષનું છે. મારે તેને છાતીએ પણ વળગાડવું પડે છે. તો એ રીતે જોઈએ તો હું બે મોરચે યુદ્ધ લડી રહ્યું છું. એક તરફ તો એ સુનિશ્ચિત કરવાનું છે કે સામાન્ય લોકોમાં ચેપ ફેલાય નહીં અને એ પણ જરૂરી છે કે મારા કારણે મારા બાળકોમાં ચેપ ફેલાય નહીં. શરૂઆતના સપ્તાહમાં એડજસ્ટ કરવામાં તકલીફ પડી હતી. મારા બાળકોને મારે તેમના પિતા પાસે મૂકવા પડતા હતા તો ક્યારેક મારી માતાની મદદ લેવી પડતી હતી. શરૂઆતમાં હું મારા બાળકને બપોરે એક જ વાર સ્તનપાન કરાવી શકતી હતી પણ જેમ જેમ સિસ્ટમ બનતી ગઈ તો પરિસ્થિતિ નિયંત્રણમાં આવતી ગઈ. મારા ફોનથી બાળકોને નફરત થવા માંડી છે. ત્યાં સુધી કે તેમને કોરોનાથી પણ નફરત થઈ ગઈ છે પરંતુ હવે છેલ્લા એક સપ્તાહથી હું બપોરે 3 કલાકનો બ્રેક લઈ શકું છું અને બાળકો સાથે સમય વિતાવું છું. ફરી રાત્રે ઓફિસથી આવી બાળકો સાથે સમય વિતાવું છું. મારા બાળકોમાં જે પરિવર્તન હું જોઈ રહી છું તે એ છે કે તેઓ હવે ક્રેયાન્સ કે રમત-ગમત કે મૉલમાં જવાની માંગણી નથી કરતા. તેઓ માત્ર એટલું ઇચ્છે છે કે જેમ બને તેમ જલ્દી કોરોનાનો અંત આવે જેથી તેમની માતા પહેલાની જેમ તેમની સાથે સમય વિતાવી શકે. પહેલા તેમને એવું લાગતું હતું કે તેમની માતા કોઈ સુપરમેન કે બેટમેનની જેમ કોરોના સામે લડી રહી છે પરંતુ હવે તેઓ ઇચ્છે છે કે આ સ્પાઈડરમેન કે બેટમેનની કથા જ ખતમ થઈ જાય.
સવાલ: સચિન- મારો બીજો સવાલ કોચિનના ડેપ્યુટી પોલીસ કમિશનર જી. પુંગઝલીને છે. બાળકોને કોઈ પોલીસ અધિકારી બનવાની વાત કરે તો બહુ ગમે છે. એક પોલીસ અધિકારી માતા હોવાને લીધે સંકટના સમયમાં તમે બાળકોને શું સંદેશો આપશો?
સચિન:
જી પુંગઝલી- પ્રથમ સંદેશો દરેક બાળકને, તેની માતાને અને તેમના પરિવારને એ હશે કે ચીજવસ્તુની વહેંચણી કરતા શીખો જેથી જવાબદાર નાગરિક બની શકાય. બીજો સંદેશો એ હશે કે તેઓ ભૂલ કરવાથી ડરે નહીં અને દરેક પરિસ્થિતિમાં કંઈ નવું શીખવાનું પ્રયત્ન કરો. જેથી જીવન સફળતા અને નિષ્ફળતા બંનેથી મળીને બને છે તેનો ખ્યાલ આવે. આ સમયે બાળકોએ એ શીખવું પણ જરૂરી છે કે તેઓ પોતાની નિષ્ફળતા સ્વીકારે અને નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું તે શીખે. આપણે સૌએ યાદ રાખવું પડશે કે માત્ર એક જવાબદાર માતા જ એક જવાબદાર બાળકનું નિર્માણ કરી શકે છે. કારણ કે મોટાભાગની સ્થિતિમાં બાળકોની લાગણી પોતાની માતા સાથે વધુ હોય છે. આથી માતાની જવાબદારી વધી જાય છે. તે પોતાના બાળકોને શીખવે કે સમાજમાં પોતાનું યોગદાન કેવી રીતે આપી શકાય.
સવાલ: સચિન- મારો ત્રીજો સવાલ યુકેમાં રહેતી અને કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલી અમૃતા જયકૃષ્ણનને છે. કોવિડ-19માંથી પસાર થવું મુશ્કેલભર્યું છે. તમે માત્ર તેમાંથી બહાર આવ્યા એટલું જ નહીં પણ પછી કોરોના દર્દીની સેવામાં લાગી ગયા. આ દરમિયાન તમે શું અનુભવ કર્યો?
સચિન:
અમૃતા જયકૃષ્ણન- ખરેખર કહું તો હું કોઈ હીરો નથી. અસલમાં મારા પતિ એક ડોક્ટર છે અને તેઓ યુકેમાં ચેપ ફેલાયો ત્યારથી દર્દીની સેવામાં વ્યસ્ત છે. તો એક કોવિડ યોદ્ધાની પત્ની હોવાના નાતે હું અને મારા પતિ બંનેને એ વાતનો ખ્યાલ છે કે આ લડાઈમાં કેટલું જોખમ હોઈ શકે છે. અમે જાનતા હતા કે તમે ગમે તેટલી સાવધાની રાખો પણ તમને ચેપ લાગી શકે છે. જેવી આશંકા હતી તેવું જ થયું. અમે બંને બીમાર પડ્યા. પણ ખુશીની વાત એ હતી કે અમારા હળવા લક્ષણ હતા. યુકેની પરિસ્થિતિ એવી હતી કે ફ્રન્ટ લાઈન વર્કર હોવાને કારણે મારા પતિનું ટેસ્ટિંગ થયું પણ યુકેના એક સામાન્ય નાગરિક હોવાને કારણે મારું ટેસ્ટિંગ થયું નહીં અને જરૂરિયાત મુજબ ટેસ્ટ નહીં કરવો એ યુકેની જ નહીં સમગ્ર વિશ્વના તમામ દેશોની આજે સૌથી મોટી સમસ્યા છે. આવી પરિસ્થિતિમાં અમારી પાસે 14 દિવસ એકાંતમાં જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. મને ડર વાઈરસના લક્ષણથી એટલો નહોતો લાગતો પણ જે અજ્ઞાત પરિસ્થિતિ તરફ અમે આગળ વધી રહ્યાં હતા તેનો વધુ ડર લાગતો હતો. એથી આજે સમાજમાં સૌથી મોટી સમસ્યા એવા લોકોથી છે કે જેઓ એસિમ્ટેમૈટિક એટલે કે ચેપી તો છે પણ તેમનામાં ચેપના કોઈ લક્ષણ દેખાતા નથી. એટલે કે તેઓ અજાણતા જ ચેપ વધારી રહ્યાં છે. હું એક કોર્પોરેટ પ્રોફેશનલ છું આથી મને મારા નેટવર્ક દ્વારા વોલિન્ટિયર આધારિત અભિયાનની ખબર પડી અને હું તેની સાથે જોડાઈ ગઈ. તેમાં માઈક્રોબાયોલોજિસ્ટ, વિજ્ઞાની અને અન્ય કોર્પોરેટ પ્રોફેશનલ્સ જોડાયેલા છે. એક વિલક્ષણ ટીમ તૈયાર થઈ કે જેમાં મેડિકલ અને બિન-મેડિકલ બ્રેકગ્રાઉન્ડના લોકો મળીને આ વાઈરસ સામે કમરકસી રહ્યાં હતા.
યુકેમાં આજે અનેક એવી લેબ છે કે જ્યાં સાધનો અને ટેક્નિશિયન બંને છે પણ ત્યાં કોવિડ-19નું ટેસ્ટિંગ થતું નથી. આથી અમે આવી લેબનો સંપર્ક કરવાનું શરૂ કર્યું જેથી જરૂરી નાણાંકીય સહાય આપી કોવિડ-19ના ટેસ્ટિંગ માટે તેને તૈયાર કરી શકાય અને કમ સે કમ ફ્રન્ટ લાઈન પર કામ કરનારા લોકોનું તો ટેસ્ટિંગ થઈ શકે. તેમાં અમને ઘણી સફળતા મળી છે. અનેક લેબ અમારી સાથે જોડાઈ છે અને સારી વાત એ છે કે આ કાર્યક્રમ માટે ઘણા બધા લોકોએ સ્વેચ્છાએ 24 કલાક, 7 દિવસ સતત જોડાયા છે. આપણે ભૂલવું જોઈએ નહીં કે નાના યુદ્ધથી જ એક મોટું યુદ્ધ બને છે અને નાનું-નાનું યોગદાન કરનારા લોકો ભેગા થાય તો યુદ્ધ જીતી શકાય છે. મને આનંદ છે કે હું આ કોરોના યુદ્ધમાં એક નાનો હિસ્સો બની શકી છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સચિન તેંડુલકર.


from Divya Bhaskar https://ift.tt/2YMMPsb

હિઝબુલના નેટવર્કનો પર્દાફાશ: NIAએ પંજાબ અને હરિયાણા પોલીસની મદદથી ત્રણની ધરપકડ કરી

NIAએ પંજાબ અને હરિયાણા પોલીસની મદદતી હિઝબુલ મુજાહિદ્દીનના ટેરર ફન્ડીંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ત્રણ લોકોની ધરપકડ કરવામા આવી છે. અમુક આરોપીઓને પહેલા જ પકડી લેવાયા છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે પાકિસ્તાનથી સેંધા નમકની આડમાં તેઓ ભારતમાં ડ્રગ્સ મોકલતા હતા. તેના વેચાણથી મળતા પૈસા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સુધી પહોંચતા હતા. NIAએ 25 એપ્રિલના કાશ્મીરના રહેવાસી હિલાલ એહમદની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ બાદ આ રેકેટની જાણકારી મળી હતી.

પાકિસ્તાનથી ડ્રગ્સ આવતા હતા
ન્યૂઝ એજન્સી પ્રમાણે પાકિસ્તાનથી સેંધા નમક ભારતમાં નિકાસ કરવામાં આવે છે. તેમાં ડ્રગ્સ છૂપાવીને મોકલવામાં આવતા હતા. NIAને ગુપ્ત સૂત્રોથી તેની જાણકારી મળી હતી. એજન્સીએ પંજાબ અને હરિયાણા પોલીસની મદદ લીધી. રંજીતસિંહ ઉર્ફ રાણા અને ચીતાની ધરપકડ કરવામાં આવી. તેના પિતા હરભજન અને ભાઇ ગગનદીપની પણ ધરપકડ કરવામાં આવી.

રંજીત હિલાલનો સાથી છે
નૌગામ કાશ્મીરનો રહેવાસી હિલાલ એહમદ વાગે હિઝબુલ માટે પૈસા એકત્ર કરતો હતો. 25 એપ્રિલના તેની ધરપકડ કરવામા આવી હતી. તેની પાસેથી 29 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ તપાસ આગળ વધી. અમૃતસરના બિક્રમસિંહ ઉર્ફ વિકીની ધરપકડ કરવામાં આવી. આરોપ છે કે વિકી જ હિલાલ સુધી પૈસા પહોંચાડતો હતો. તેના ભાઇ મનિંદરને 5 મેના પકડવામાં આવ્યો હતો.

નાર્કો-ટેરર ફન્ડીંગ
સૂત્રો પ્રમાણે ટેરર ફન્ડીંગ અને ડ્રગ્સનો આ ખેલ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. ગત વર્ષે અટારી બોર્ડર પર 532 કિલોગ્રામ હેરોઇન કબજે કરવામા આવી હતી. મુખ્ય આરોપી ઇકબાલસિંહ શેરા અને રંજીત ફરાર થઇ ગયા હતા. NIA આ કેસની તપાસ કરી રહી છે. પાંચમાથી ચાર જથ્થા ભારત પહોંચી ગયા હતા. જ્યારે છેલ્લો જથ્થો પકડાઇ ગયો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2YN8LU8

Friday, May 8, 2020

Vande Bharat Mission: India’s evacuation operation picks up pace via air and sea

Vande Bharat Mission: India’s evacuation operation picks up pace via air and sea




from News - Videos - The Times of India https://ift.tt/2AcU2rq

Operation Samudra Setu: INS Jalashwa sets sail from Male with 698 stranded Indian nationals

Operation Samudra Setu: INS Jalashwa sets sail from Male with 698 stranded Indian nationals




from News - Videos - The Times of India https://ift.tt/2YYq7h9

બે મહિના અમદાવાદ રોકાઈને ગોંડલ પહોંચેલા દંપતીનો રિપોર્ટ પોઝિટિવ

ગોંડલમાં વધુ બે કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. અમદાવાદથી આવેલા દંપતીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. દંપતી બે મહિના અમદાવાદ રોકાઈને ગોંડલ આવ્યા હતા. ગોંડલની અક્ષરધામ સોસાયટીમા રહેતા 65 વર્ષીય પતિ અને 63 વર્ષી પત્નીનું ચેકઅપ કરાવવામા આવ્યું હતું. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નોંધનીય છેકે, આ પહેલા ત્રણ એસઆરપી જવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ તાલુકામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 5 પર પહોંચી છે.
(અહેવાલઃ દેવાંગ ભોજાણી, ગોંડલ)



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Two more positive case found in gondal


from Divya Bhaskar https://ift.tt/35UTD8Z

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 243 લોકોના મોત; ચીનમાં માત્ર 15 એક્ટિવ કેસ

વિશ્વભરમાં 40.13 લાખ કેસ, 2.76 લાખ લોકોના મોત: ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 243 લોકોના મોત; ચીનમાં માત્ર 15 એક્ટિવ કેસ

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 40 લાખ 12 હજાર 837 કેસ નોંધાયા છે. 2 લાખ 76 હજાર 216 લોકોએ જીવ ગુમાવ્યા છે. 13 લાખ 85 હજાર 141 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. હોંગકોંગમાં શુક્રવારે તમામ જીમ, બ્યુટી પાર્લર્સ, ઝૂ અને બાર ખુલ્યા છે. જોકે અહીં આવનાર લોકોએ ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરવાનું રહેશે. ચીનમાં હાલ માત્ર 15 જ એક્ટિવ કેસ છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 13 લાખ 21 હજાર 785 કેસ નોંધાયા છે. જેમા 78 હજાર 615 લોકોના મોત થયા છે.

વ્હાઈટ હાઉસના કહ્યા મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસ અને ગ્લોબલ ઈકોનોમી અંગે જર્મની અને સાઉદી અરેબિયા સહિતના વિશ્વના નેતાઓ સાથે વાતચીત કરી છે.

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 243 લોકોના મોત થયા છે. આ સાથે અહીં કુલ મૃત્યુઆંક 26 હજાર 200 થયો છે. અહીં 17 માર્ચના રોજ લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. ધીમે ધીમે હવે તેમા છૂટ અપાઈ રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
હોંગકોંગમાં શુક્રવારે તમામ જીમ, બ્યુટી પાર્લર્સ, ઝૂ અને બાર ખુલ્યા છે. જોકે અહીં આવનાર લોકોએ ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરવાનું રહેશે.


from Divya Bhaskar https://ift.tt/2WDXvH9

રાજ્યમાં વાઈરસ બેકાબૂ, 24 કલાકમાં 24 લોકોનાં મોત, કુલ પોઝિટિવ દર્દી, 7410 જ્યારે મૃત્યુઆંક 449

ભાવનગરમાં મોડી રાત્રે નોંધાયેલા નવા સાત કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 7410 થઇ ગઇ છે. જ્યારે મૃત્યુઆંક 449એ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1872 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાકની કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, 390 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 દર્દીના મૃત્યુ થયા છે. તો 163 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. નવા નોંધાયેલા 390 કેસોમાં અમદાવાદમાં 269 જ્યારે સુરત અને વડોદરામાં 25-25 કેસ તો અરવલ્લીમાં 20 કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યની 6.80 કરોડની વસ્તીમાં હાલ દર દસ લાખે 109 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ છે. આ દર સમગ્ર દેશમાં દસ લાખે માત્ર 43 લોકો કોરોના પોઝિટિવ હોવાનો છે. આમ જોઇએ તો સમગ્ર દેશમાં દસ લાખે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસ કરતાં ગુજરાતની સરેરાશ બમણાંથી પણ વધુ છે.ગુજરાતમાં પહેલી મેથી સાતમી મે સુધીમાં નવા નોંધાયેલાં પોઝિટિવ કેસની સંખ્યા રોજના સાત ટકાના ઉછાળા સાથે વધી છે.

રાજ્યની સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં 20મી જૂન સુધી વેકેશન
રાજયમાં કોરોના કેસ વધી રહ્યા છે,તેમાં પણ અમદાવાદમાં સ્થિતિ વધારે નાજુંક હોવાથી તે ચેપ અન્ય શહેરોમાં પણ ફેલાઇ રહ્યો છે. આથી કોરોનાના મહામારી વચ્ચે કોલેજોનું તા. 16મી મેના રોજ પુરું થનારું વેકેશન ખોલવામાં આવે તો વધુ કેસનો ફેલાવો થાય તેમ છે. વળી,સમગ્ર દેશમાં લોકડાઉન તા. 17મી મે સુધી છે. આવા સંજોગોમાં રાજય સરકારે તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તે સંલગ્ન કોલેજોમાં ઉનાળું વેકેશન તા. 20મી જૂન સુધી રાખવાનો નિર્ણય લીધો છે.

તબીબો-મેડિકલ સ્ટાફનો પગાર વધશે
ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે રાજ્યમાં જે પણ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ હાલ કામ કરી રહ્યો છે અને કોરોનાના દર્દીઓની સેવામાં રોકાયો છે તેમને વધારાનું વળતર ચૂકવવામાં આવશે. તબીબોને 25,000, નર્સિંગ અને અન્ય પેરામેડિક સ્ટાફને 15,000 જ્યારે અન્ય ટેકનિશિયન કે વોર્ડના કર્મચારીઓને 10,000 પ્રતિમાસ વળતર અપાશે.

કુલ 7403 દર્દી, 449ના મોત અને 1872 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 5260 343 1001
વડોદરા 465 31 198
સુરત 824 38 389
રાજકોટ 64 01 26
ભાવનગર 84 06 23
આણંદ 77 06 43
ભરૂચ 27 02 25
ગાંધીનગર 97 05 20
પાટણ 24 01 15
નર્મદા 12 00 12
પંચમહાલ 57 03 06
બનાસકાંઠા 74 02 25
છોટાઉદેપુર 14 00 13
કચ્છ 07 01 05
મહેસાણા 42 01 08
બોટાદ 51 01 11
પોરબંદર 03 00 03
દાહોદ 19 00 02
ખેડા 27 01 03
ગીર-સોમનાથ 04 00 03
જામનગર 16 01 00
મોરબી 01 00 01
સાબરકાંઠા 17 02 03
મહીસાગર 43 01 07
અરવલ્લી 67 02 14
તાપી 02 00 01
વલસાડ 06 01 04
નવસારી 08 00 05
ડાંગ 02 00 01
દેવભૂમિ દ્વારકા

04

00 00
સુરેન્દ્રનગર 01 00 01
જૂનાગઢ 02 00 00
અન્ય રાજ્ય 01 00 00
કુલ 7403 449 1872


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE 24 died in 24 hours in state


from Divya Bhaskar https://ift.tt/2LakaW4

8 કલાકમાં અમદાવાદ-સુરતથી 1800 લોકો આવ્યા, દિવાળી સુધી સૌરાષ્ટ્રની બહાર ન નીકળવાનો નિર્ણય

ગુજરાતમાં કોરોનાના દર્દી વધી રહ્યાછે, લોકડાઉન3 ક્યારે પૂરું થશે, ત્યારબાદ અન્ય કોઇ લોકડાઉન આવશે કે કેમ સહિતના પ્રશ્નો લોકોના માનસમાં ઘૂમરા મારી રહ્યાછે. લોકડાઉનને કારણે તમામ ધંધા રોજગાર બંધ છે અને તે પણ ક્યારે ચાલુ થશે તેની આગાહી કોઇ કરી શકે તેમ નથી. લોકડાઉન 3 જાહેર થયું તે સાથે જ લોકો પોતાના વતન જવા જાણે અધિરા બની ગયા હતા. પરપ્રાંતીય શ્રમિકો માટે રાજ્ય સરકારે ટ્રેનની વ્યવસ્થાઓ શરૂ કરી છે, તેવી જ રીતે સુરત, અમદાવાદ અને બરોડામાં કામ કરતાં સૌરાષ્ટ્રવાસીઓ પણ પોતાના વતન જવા અધિરા બન્યા છે, જે તે જિલ્લાના કલેક્ટર દ્વારા યોગ્ય કારણવાળી વ્યક્તિને અન્ય જિલ્લામાં જવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કેટલા લોકો આવી રહ્યાછે, મંજૂરી પાસ સાથે લોકો આવે છે કે પોલીસને ચકમો આપી ઘૂસી જાય છે, બહારથી આવતી વ્યક્તિની મેડિકલ તપાસણી થાય છે કે નહીં સહિતની બાબતો ચકાસવા ગુરૂવારે મધરાત્રે 3 વાગ્યે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે રાજકોટ અમદાવાદ હાઇવે કુવાડવા રોડ પર 4 કલાક સુધી હાઇવે પર થતી અવરજવર અને તંત્રની કામગીરી ચકાસી હતી, મહત્તમ લોકો મંજૂરી સાથે આવતા હતા, તો કેટલાક વગર મંજૂરીએ પોતાની મંઝિલે પહોંચવા નીકળી પડ્યા હતા લોકો અને સરકારીતંત્ર વચ્ચે કેવો સંવાદ થતો હતો તે અત્રે પ્રસ્તુત છે.

સાત હનુમાન પાસે અટકાવીને પૂછ્યું ક્યાં જવું છે?
ગ્રીનલેન્ડ ચોકડીથી રાત્રીના 2.55 વાગ્યાથી ભાસ્કરની ટીમે કુવાડવા તરફ જવાનું શરૂ કર્યું હતું. ગ્રીનલેન્ડ ચોકડીએ ટ્રાફિક બ્રિગેડના માત્ર બે જવાન જાગતા હતા અને પસાર થતાં વાહનોને અટકાવતા હતા, અમે કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર નજીક પહોંચ્યા ત્યારે રસ્તા પર બેરિકેટ જોવા મળી હતી, તે ક્રોસ કરી ત્યારે ઊભેલા પોલીસ જવાનોને અમે અમારા ઓળખકાર્ડ આપતા તેમણે જવા માટે ઇશારો કર્યો હતો પરંતુ ક્યાં જવું છે તેવો પ્રશ્ન પણ પૂછ્યો હતો, ત્યાંથી અમે આગળ વધ્યા ત્યારે ત્રિમંદિર પાસેના ડાયવર્ઝને કેટલાક ટ્રક મોરબી રોડ તરફ વળીને રાજકોટ આવતા દેખાયા હતા, ત્યાંથી કુવાડવા ચોકડી સુધી સામેની તરફથી વાહનો આવતા નજરે પડતા હતા પરંતુ રાજકોટ તરફથી બહાર નહીવત લોકો જતા હતા. કુવાડવા ચોકડીથી પરત સાત હનુમાન ચેકપોસ્ટે અમે આવ્યા અને ત્યાં પોલીસ તથા આરોગ્યની ટીમની કામગીરીની માહિતી મેળવી હતી.

મંજૂરી વગર બરોડાથી જામનગર જવા આવ્યો અને ફસાયો
કુવાડવા તરફથી એક બાઇક આવતા પોલીસે તેને અટકાવ્યું હતું, યુવકે પોતાની ઓળખ વડોદરા રહેતા ઇમરાન ખલીફા તરીકે આપી હતી અને જામનગર રહેતા તેના માતા પડી ગયા હોય તેમની પાસે જઇ રહ્યાની વાત કરી હતી, જોકે પાસ નહીં હોવાથી પોલીસે તેને અટકાવ્યો હતો. પાસ નહીં હોવાને કારણે આગળ નહીં જવા દે તેવું પોલીસે કહેતા ઇમરાન નાસીપાસ થઇ ગયો હતો અને નજીકમાં રહેલી ખુરશી પર બેસી ગયો હતો. પોલીસે તેને ઓનલાઇન અરજી કરી પાસ મેળવવાની સલાહ આપી હતી, વહેલી સવાર સુધી યુવક ગુમસુમ બેઠો રહ્યો હતો.

હીરાના કારખાનાં બંધ છે, દિવાળી સુધી તો પરત નહીં જ જાય
ખાનગી ટ્રાવેલ્સની બસ આવતા જ તેને અટકાવવામાં આવી હતી અને તેમાંથી 36 મુસાફરોને બસમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા, તમામનું તબીબી પરીક્ષણ કરાવવા માટે કતારમાં ઊભા રખાયા હતા. જામકંડોરણાના રોઘલ ગામના વતની કિશોરભાઇ રામોલિયાએ કહ્યું હતું કે, પોતે વર્ષોથી સુરત સ્થાયી થયા છે અને રત્નકલાકાર તરીકે કામ કરે છે, લોકડાઉનમાં ધંધા બંધ છે, પોતે જ્યાં નોકરી કરેછે તે નાનું કારખાનું હોવાથી પગાર થતા નથી, જમવાનું ખૂટ્યું હતું, હવે વતન જઇ રહ્યા છે અને દિવાળી પૂરી થાય પછી સુરત જવાનું વિચારશે.

એક વ્યક્તિનું રૂ.1200 ભાડું નક્કી કર્યું, બાદમાં બસ બાંધી
ગોંડલના અાંબરડીના હિતેષ સાવલિયાએ કહ્યું હતું કે, સુરતમાં પોતે ઇલેક્ટ્રિકનું કામ કરે છે, સ્થિતિ રાબેતા મુજબ થતાં વાર લાગશે, ત્યાં સુધી તો વતન આંબરડી રહીને ખેતીકામ કરશે. સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના લોકોએ સાથે મળીને વતન જવા પાસની અરજી કરી હતી, જેમ જેમ અરજી મળી તેમ તમામ લોકો ભેગા થયા અને બસ ભાડે કરી હતી. એક વ્યક્તિના રૂ.1200 ભાડું નક્કી થયું હતું. વિશાલ પાનસુરિયાએ પણ પરત જતા દિવાળી તો આવી જ જશે તેવો નિસાસો નાખ્યો હતો.

મંજૂરી પૂરી થઇ ગઇ’તી, પોલીસે શહેરમાં પ્રવેશવા દીધા નહીં
સુરતથી કારમાં ચાર વ્યક્તિ આવી પહોંચતા પોલીસે કાર અટકાવી હતી. પોલીસને સુરત રહેતા ભૃગુ જોષી નામના યુવકે મંજૂરી પાસ બતાવ્યો હતો અને માધવપુર ઘેડ જઇ રહ્યાનું કહ્યું હતું. પોલીસે પાસ ચેક કરતાં એ વ્યક્તિએ તા.7 સુધીમાં માધવપુર ઘેડ પહોંચી જવાનું હતું, પરંતુ તા.8ના સવારે 5 વાગ્યે જોષી પરિવાર કુવાડવા ચેકપોસ્ટે હતો. પોલીસે તેમને મંજુરી પુરી થઇ ગયાનું કહી આગળ જતાં અટકાવ્યા હતા. જોષી પરિવારે અનેક રજુઆત કરી હતી પરંતુ પોલીસ પણ નિયમને પાળવા મજબૂર હતી.

80 ટકા લોકોએ મેડિકલ, ખેતીના પાસ મેળવ્યા હતા
મંજૂરી પાસ સાથે આવેલા લોકોને પણ ચેકપોસ્ટે અટકાવવામાં આવતા હતા અને તમામ લોકોના મંજૂરી પાસની તપાસણી થતી હતી, શહેરમાં આવવા ઇચ્છુક લોકોએ મંજૂરી માટે મેડિકલ ઇમરજન્સીનું બહાનું બતાવ્યું હતું તો ગામડે જતા લોકોએ ખેતીનું બહાનું આગળ ધરી પાસ મેળવ્યો હતો, જે વ્યક્તિની બીમારીનું કારણ બતાવ્યુું હોય તે વ્યક્તિ જ્યારે વાહનથી નીચે ઉતરે ત્યારે તેના નખમાં પણ રોગ હોય તેવું લાગતું નહોતું, આમ મંજૂરીપત્ર માટે ખોટા બહાના બતાવાતા હોવાનું સ્પષ્ટ લાગતું હતું.

નંબર પ્લેટ વગરની જીપ સાથે MPથી રાજકોટ સુધી બે શખ્સ પહોંચી ગયા
ક્રૂઝર જીપ ચેકપોસ્ટ નજીક પહોંચી, તેમાં આગળના ભાગે નંબર પ્લેટ દેખાતી નહોતી, પોલીસે તેને અટકાવી બાજુ પર ઊભી રાખી હતી, જીપના ડ્રાઇવર સલીમ ડાવર પાસે પાસ માગતા જ તેણે પાસ નહીં હોવાનું કહેતા પોલીસે જીપ ડિટેન કરવાની ચીમકી આપી હતી. સલીમ ડાવર શાપર નજીક વાડીમાં રહેતા એમપીના 9 શ્રમિકોને લેવા માટે જીપ લઇને એમ.પી.થી નીકળ્યો હતો, રસ્તામાં કોઇએ તેને અટકાવ્યો નહોતો, જોકે રાજકોટ પોલીસની જાગૃતતાથી તે ફસાઇ ગયો હતો. પોલીસે તેને શહેરમાં પ્રવેશવા દીધો નહોતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુરતથી આવેલી એક બસમાંથી તમામ મુસાફરોને નીચે ઊતારીને મેડિકલ તપાસ કરવામાં આવી હતી. બે બાળકો પણ બસમાં હોવાની જાણ થતાં આરોગ્ય વિભાગે 15 દિવસના બાળકની પણ તપાસ કરી હતી.


from Divya Bhaskar https://ift.tt/2yFqXo3

ભાવનગર કોરોના બોમ્બ થતુ બચ્યું, મુંબઈથી આવેલા 28 જમાતીઓમાંથી 7ને કોરોના પોઝિટિવ આવતા ચિંતા

ભાવનગરમાં આજે એક ખળભળાટ મચાવનારી ઘટનામાં મુંબઇથી ભાવનગર ખાનગી ટ્રાવેલ્સની બસમાં સમૂહમાં આવેલા તબલીગી જમાતના સભ્યોના ભાવનગર તંત્ર દ્વારા કોરોનાના સેમ્પલ લઇ ટેસ્ટ કરાતા એક સાથે સાત શખ્સોને કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગઇ છે. આ સાતેયને આઇસોલેશન વોર્ડમાં અને અન્ય તમામને સમરસ હોસ્ટલમાં કોરોન્ટાઇન કરાયા છે. ભાવનગરમાં આવતા પહેલા વરતેજ ખાતેથી શંકાસ્પદના સેમ્પલ લઇ લેવાયા હતા જેમાં ખાનગી બસમાં ડ્રાઇવર મળીને કુલ 28 વ્યક્તિ હતા અને તેમાં 25 મુસાફરો હતા. ઓ 25 પૈકી 7ના રિપોર્ટ રાત્રે કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યાં હતા.
રાત્રે સાતને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરાયા
આ અંગે વધુ માહિતી આપતા ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતુ કે મુંબઇથી તબલીગી જમાતની બસ આવે છે તેની ખબર પડતા જ આરોગ્ય વિભાગની સુરક્ષા કીટ ધારણ કરેલી ટીમે આ બસના લોકો જે મુંબઇ તબલીગ જમાતના હોય શંકાસ્પદ ગણીને સેમ્પલ લીધા હતા. બાદમાં રાત્રે સાતને કોરોના પોઝિટિવ આવતા આ સાતને સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યારે અન્યને સમરસ હોસ્ટલમાં રખાયા છે. મુંબઈથી ભાવનગર આવેલા જે તબિલિગી જમાતના સભ્યો કોરોના પોઝિટિવ જાહેર થયા છે જેઓ ભાવનગરના નવાપરા વિસ્તારના હતા.
ભાવનગર પરત ફર્યા બાદ તબિયત લથડી હતી
ભાવનગરમાં આજથી બરાબર 45 દિવસ પૂર્વે સૌ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયેલો તે પણ દિલ્હીમાં આયોજિત મરકઝ સાથે હતો. ઇન્ડિયા ટ્રાવેલ્સના હાજી અબ્દુલ કરીમભાઇ શેખ મરકઝ(મુસ્લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમ)માં ગયેલા અને ભાવનગર પરત ફર્યા બાદ તેમની તબિયત લથડી હતી અને હોસ્પિટલમાં 25 માર્ચે તેમનું મોત થયું ત્યાર બાદ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

આ છે 7 પોઝિટિવના નામ
મુંબઇથી તબલીગી જમાતના ભાવનગર આવેલા પૈકી જેઓને કોરોના પોઝિટિવ જાહેર થયો છે.

અફઝલ મહમદ સોલંકી (ઉ.વ.19)

નૌશાદ ઇરફાન મકવાણા (ઉં.વ.18)

સમીર અબેદીન સોરઠીયા (ઉં.વ.20)

મહેતર શોયેબ ઇકબાલ (ઉં.વ.21)

અરબાઝ સલીમ સરવૈયા (ઉં.વ.20)

રીયાઝ ગફારભાઇ સૈયદ (ઉં.વ.24)

ઇરફાન ગફાર કુરેશી (ઉં.વ.35)

તબલીગી જમાતની આવન-જાવનથી ચિંતા
દિલ્હીની તબલીગી જમાત દ્વારા કોરોના આખા દેશમાં ફેલયો હોવાનુ બહાર આવ્યુ છે. આ સંજોગોમાં ભાવનગર શહેર અને જિલ્લામાં તબલીગી જમાતના લોકોની આવન-જાવનથી ચિંતા ઉભી થઇ છે. ભાનગરમાં જ રહેતા લોકો પરત આવે પણ તમામનું મેડિકલ ચેકઅપ થવુ જોઇએ અને નિયમ મુજબ ક્વોરન્ટાઇન થવા જોઇએ. આ અગાઉ પણ ભાવનગરમાં કોરોનાની મહામારીના સમયગાળામાં તબલિગી જમાતની અવર-જવર રહેતા આ વિષય ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો.

હવે સ્કેનીંગ-મેડિકલ ચેકઅપ સઘન કરાશે
આજે બપોરથી સતત આ બનાવની ગંભીરતા સમજી અમે સક્રિય હતા. સ્થાનિક અધિકારોઓ અને મુખ્યમંત્રી કાર્યાલયના માર્ગદર્શન બાદ ભાવનગરમાં વધુ કોઇ લોકો સંક્રમિત ન થાય તે માટે સતત ચિંતિત હતા. ભાવનગરમાં બહારથી આવતા લોકોનું સ્કેનીંગ અને મેડિકલ ચેકઅપ વધુ સક્રિય બનાવવાનોપણ નિર્ણય લેવાયો છે. > વિભાવરીબેન દવે, રાજ્ય શિક્ષણ મંત્રી

તંત્રની સજાગતાને કારણે ભાવનગર બચ્યું
મુંબઇથી આવેલા અને દિલ્હીની નિઝામુદ્દીન મસ્જીદ સાથે સંકળાયેલા ભાવનગર નવાપરાના 25 લોકોને મેડિકલ ચેકઅપ બાદ તેમના ઘરે જવા દેવાયા હોત તો તે લોકો દ્વારા અનેક લોકોને સંક્રમીત કરાયા હોત. તંત્ર દ્વારા રખાયેલી સજાગતાને કારણે ભાવનગર કહેરથી બચી ગયુ છે. ભાવનગરનો પ્રથમ પોઝીટીવ કેસ પણ આ મસ્જીદ સાથે સંકળાયેલા લોકોમાંના જ એક હતા.

ગુજરાત ટ્રાવેલ્સની બસ મુંબઇ કેમ ગઇ?
લોકડાઉન પહેલા મુંબઇથી સિહોર આવેલા 18 જેટલા લોકો સિહોરમાં લોકડાઉન દરમિયાન અટવાયા હતા. જેમણે ભાવનગર જિલ્લા ક્લેક્ટરની પરમિશન લઇને ગુજરાત ટ્રાવેલ્સની GJ-04-AW-8900 બસ તેઓને લઇને ભાવનગરથી મુંબઇ ગઇ હતી. અને મુંબઇમાં ફસાયેલા 25 જેટલા ભાવનગરના તબલીગો મુંબઇમાં ફસાયા હતા તેમને ભાવનગર લાવવાના હતા તેઓએ મુંબઇથી ભાવનગર આવવા માટેની પરમીશનલીધી હોય તેમને ગુજરાત ટ્રાવેલ્સની બસમાં ભાવનગર પરત લવાયા હતા. મારી બસના નંબર પ્લેટ લગાડવાનો સમય ન હોય નંબર પ્લેટ લગાડી ન હતી. પરંતુ ડ્રાઇવર સીટની પાસે સ્ટીયરીંગ પાસે નંબર પ્લેટને છુટ્ટી મુકવામાં આવી હતી. -ઇમરાનભાઇ, ગુજરાત ટ્રાવેલ્સ ભાવનગર

બપોરે 3 થી રાત્રે 11 સુધી

  • ભાવનગરની અધેલાઇ ચેકપોસ્ટ પર ગુજરાત ટ્રાવેલ્સની બસ મુંબઇના તબલીગ જમાતના 25 લોકોને લઇને આવી હતી. બસની નંબર પ્લેટ લગાડેલી ન હતી. આ બસને પુછપરછ કરતા મુંબઇમાં જમાતના કાર્યક્રમમાં ગયેલા લોકો ફસાયેલા હોવાથી મંજુરી લઇને ભાવનગર લાવવામાં આવ્યા હતા.
  • આ અંગેની જાણ ભાવનગર તંત્રને કરાતા બસને વરતેજ લઇ જવામાં આવી હતી. જ્યાં પીપીઇ કીટ પહેરી મેડીકલ સ્ટાફે પહોંચી તમામના સેમ્પલ લીધા હતા.
  • સેમ્પલ લીધા બાદ આ લોકોને તેમના ઘરે મોટા ભાગના નવાપરાના હતા ત્યા જવા દેવાના હતા. પણ ત્યાના સ્થાનિક લોકોના જેમાં મુસ્લીમ લોકો પણ હતા તેનો વિરોધ હતો.
  • ત્યારબાદ આ લોકોના રીપોર્ટ ન આવે ત્યાં સુધી બસને પોલીસ બંદોબસ્ત નીચે જવાહર મેદાન ખાતે રાખવામાં આવેલ.
  • આ બનાવની જાણ થતા બપોરથી જ કલેક્ટર કચેરી ખાતે મંત્ર વિભાવરીબેન દવેની હાજરીમાં એક ઉચ્ચ્સીરીથ બેઠક મળી હતી.
  • બનાવની ગંભીરતા જાણી મંત્રી વિભાવરીબેને મુખ્યમંત્રી અને સચીવ અશ્વીનીકુમારને સમગ્ર ઘટનાથી વાકેફ કરેલ.
  • જમાતના આવેલા તબલીગીઓ ભાવનગરના જ હોવાથી તેમને ભાવનગર સમરસમાં અન્ય દર્દીઓથી જુદા ક્વોરન્ટાઇન કરવાનો નીર્ણય લીધો હતો.
  • શિશુવિહારની મસ્જીદમાં ગુરૂવારે ક્વોરન્ટાઇન કરાયેલ પુનાના 17 જમાતીઓને પણ સમરસમાં ખસેડાયા હતા.
  • રાત્રે 11 વાગે મુંબઇથી આવેલા નવાપરામાં રહેતા તબલીગીઓમાંથી 7નો રીપોર્ટ પોઝીટીવ આવતા તમામને સર.ટી.ના આઇશોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા અને બાકીનાને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયા હતા.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મુંબઇથી આવેલા જમાતી.


from Divya Bhaskar https://ift.tt/3bgN3KL

Donald Trump utterly failed to prepare for coronaviurs pandemic: Joe Biden

Donald Trump utterly failed to prepare for coronaviurs pandemic: Joe Biden

from India Today | Top Stories https://ift.tt/2zljXg3

Coronavirus: With 30 fresh cases, tally crosses 100 in Tripura

Coronavirus: With 30 fresh cases, tally crosses 100 in Tripura

from India Today | Top Stories https://ift.tt/35IDfYZ

Raghuram clears the air on how to fund stimulus



from Times of India https://ift.tt/3baKcmI

Migrant workers, families being fleeced as many spend life savings to head home

Migrant workers, families being fleeced as many spend life savings to head home

from India Today | Top Stories https://ift.tt/35HQEjU

ખેતીની જમીન બચાવવી જરૂરી, શહેરોમાં 50 માળની ઇમારતો, રેલવે સ્ટેશન અને એરપોર્ટ હવે વર્ટિકલ બનાવો : હાફિઝ કોન્ટ્રાક્ટર

દુબઇની ગગનચુંબી ઇમારત 23 મરીના, સાઇબર સિટી ગુડગાંવ સહિત વિશ્વની પ્રખ્યાત બિલ્ડિંગ્સની ડિઝાઇન તૈયાર કરનારા આર્કિટેક્ટ અને પદ્મભૂષણથી સન્માનિત હાફિઝ કોન્ટ્રાક્ટરનું માનવું છે કે કોરોના સંક્રમણ કાળ પછી હવે સમય આવી ગયો છે કે આપણે ખાદ્યાન્ન માટે જમીન બચાવીએ, વર્ટિકલ રેલવે સ્ટેશન અને એરપોર્ટ બનાવવા અંગે વિચારીએ. તેનાથી જમીનની બરબાદી નહીં થાય, ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણ સુધરશે. તેમની સાથે વાતચીતનાં સંપાદિત અંશ....
સવાલ: કોરોના બાદ હવે દેશ-વિદેશમાં શું નવા ફેરફાર જોવા મળશે?
હાફિઝ કોન્ટ્રાક્ટર:
કોરોના વાઇરસ સ્થાયી રીતે રહેશે, એવું નથી. ઘણા વખતે આપણે ભવિષ્ય અંગે વધુ વિચારી લઇએ છીએ. કોરોના દરમિયાન અને તેના ખતમ થયા પછી ચાર-પાંચ મહિના સુધી મુશ્કેલી રહી શકે છે. જ્યાં સુધી રસી નથી, ત્યાં સુધી તેનો ડર રહેશે.
સવાલ: ઘરોની બહાર અને અંદર હવે કેવી ડિઝાઇન જરૂરી રહેશે?
હાફિઝ કોન્ટ્રાક્ટર:
અત્યારે શહેરોમાં ઘર એક-બીજા સાથે ગીચ હોય છે. થોડા માળની ઇમારતો હોય છે. નવી-નવી સોસાયટી પણ 12-13 માળની હોય છે અને શહેર વિસ્તરતા જાય છે. હવે નક્કી કરવાનું છે કે એક હદ પછી શહેરનો વિસ્તાર ન થાય. આપણે કાયદામાં સુધારો કરવો પડશે, જેનાથી તે વધુ ને વધુ માળની ઇમારતો બનાવવાની મંજૂરી આપે. તેનાથી જે ક્ષેત્રમાં એક હજાર લોકો રહે છે, ત્યાં બે ગણા લોકો રહેવા લાગશે. અન્ય જમીન પર ગ્રીનરી વગેરે કરો. હવે ગ્રાઉન્ડ અને 50 માળની ઇમારત બનાવવાની જરૂર છે. પહેલાં મોટાં ઘરો જ બનતાં હવે નાના ઘરો જરૂર બનવા લાગ્યાં છે. યુરોપ-અમેરિકાની જેમ ભારતમાં શહેર વસાવવા જોઇએ નહીં. ફૂડ સિક્યોરિટી માટે જમીન જરૂરી છે. તેને આપણે વધારી શકીશું નહીં.
સવાલ: રેલવે સ્ટેશન, એરપોર્ટના સ્વરૂપમાં કેવા પ્રકારનું પરિવર્તન આવશે?
હાફિઝ કોન્ટ્રાક્ટર:
અત્યારે એરપોર્ટ માટે 5-10 હજાર એકર જમીન લેવાની શું જરૂર? એવિએશન ઇન્ડસ્ટ્રીએ વર્ટિકલ એરપોર્ટ અંગે પણ વિચારવું જોઇએ. એર સ્ટ્રીપ પણ વર્ટિકલ હોવી જોઇએ. તેનાથી વધુ જમીનની જરૂર નહીં પડે. આપણે કંઇક અલગ રીતે વિચારવું જોઇએ. રેલવે સ્ટેશન પર જ મોટાં-મોટાં બિલ્ડિંગો બનાવવાની વાત થઇ રહી છે, તેનો ખર્ચ બહુ વધારે આવે છે. બિલ્ડિંગ સ્ટેશનને બદલે રેલવની ખાલી જમીન પર દૂર બનવાં જોઇએ, જેનાથી ખર્ચ ઓછો થશે. અત્યારે યાત્રી બહુ દૂર ગાડી પાર્ક કરે છે, કુલીને લઇ બ્રિજ પાર કરી ગાડી સુધી પહોંચે છે. (ગાડી જો વચ્ચેના પ્લેટફોર્મ પર આવે છે તો) મારું માનવું છે કે તેના બદલે રેલવેલાઇન પર જ આખી છત બને અને યાત્રી પોતાની કારની સાથે પ્લેટફોર્મ નંબર સુધી પહોંચે અને ગાડી પાર્ક કરે. પછી એક્સેલેટરની મદદથી કોચ સુધી પહોંચે. અમે દેશનાં 19 પ્લેટફોર્મની ફ્રીમાં ડિઝાઇન બનાવવાની રેલવેને ઓફર કરી છે.
સવાલ: તમે કહ્યું કે અમેરિકા,યુરોપની જેમ ભારતમાં શહેર ન વસાવવા જોઇએ? તો શું ઉપાય હોઇ શકે?
હાફિઝ કોન્ટ્રાક્ટર:
નવાં શહેર વસાવવાનું પ્લાનિંગ કરતી વખતે આપણે લાંબી-પહોળી જમીન નક્કી કરી લઇએ છીએ. તેમાં મોટા ભાગનો હિસ્સો ખેતીની જમીનનો હોય છે. પછી લાંબા -પહોળા રોડ બનાવીશું. પછી બિલ્ડર ચાર કે પાંચ માળનું શહેર વસાવશે. આવી રીતે આખી જમીન જતી રહે છે. હજારો વર્ષોથી આવી રીતે જ શહેર બની રહ્યાં છે. તેના બદલે 100-100 એકરની લંબાઇ-પહોળાઇમાં 50-55 માળના ટાવર બને. જરૂર પડે 100-100 એકરની જમીન ફરી લઇ શકાય છે. બાકીની જમીનનો ઉપયોગ ખેતી કરવા કે જંગલના રૂપમાં જ રાખો. તેની સાથે જ 100-100 એકરના બે ટુકડામાં શહેર વસાવાય. તેની વચ્ચે અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક ટ્રેન, ટ્રોમ કે પછી કન્વેર બેલ્ટ ચલાવવા જોઇએ. શહેરમાં ઇલેક્ટ્રિક કાર- ટુવ્હીલર ચલાવવાનો નિયમ બનાવવામાં આવે. બહુમાળી ઇમારતોમાં જવા લિફ્ટનો ઉપયોગ થશે તેનાથી કાર્બન ડાયોક્સાઇટનું ઉત્સર્જન પણ અટકશે સાથે જ ગ્લોબલ વોર્મિંગની અસર નહીં થાય અને જળસ્તરની સમસ્યા ખતમ થશે.
ભારતીય રીતથી શહેર નહીં બને તો પસ્તાવું પડશે
સ્માર્ટ લિવિંગ ત્યારે જ આવશે જ્યારે પહેલાં સિટી બને. સ્માર્ટ સિટીનો મતલબ જ્યાં પર્યાવરણ, વન, ખેતી, જળસ્તર, ગ્લોબલ વોર્મિંગ વગેરેની ચિંતા કરવામાં આવે. આર્કિટેક્ટને કહેવામાં આવે કે શહેરમાં એટલી જોબ હોવી જોઇએ. જે વિદેશી કંપની ડિઝાઇન તૈયાર કરે છે, તેમને દેશ અંગે સારી માહિતી હોવી જોઇએ. તેઓ 200 મીટર પહોળા મેન રોડ બનાવે છે. તેમાં જમીન બરબાદ થાય છે. ભારતીય રીતે શહેર નહીં બને તો પસ્તાવું પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આર્કિટેક્ટ અને પદ્મભૂષણ હાફિઝ કોન્ટ્રાક્ટર.


from Divya Bhaskar https://ift.tt/35JONel

ગુજરાતના 50000 ઔદ્યોગિક એકમો નાણાંભીડના કારણે બંધ થઇ જશે!

કોરોના વાયરસમાં જેટલા મૃત્યુ થયા નથી તેનાથી અનેક ગણા બેરોજગારીથી આગામી સમયમાં ભૂખમરાના કારણે થશે તેવું ઉદ્યોગકારોનું કહેવું છે. ગુજરાતમાં સરેરાશ 4.5 લાખથી વધુ નાના-મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. તમામ એકમો કોરોના મહામારીના કારણે નાણાંકીય કટોકટીનો સામનો કરી રહ્યાં છે. મહામારીમાં ગુજરાતમાં સરેરાશ 10 ટકા એટલે કે 50000 જેટલા ઔદ્યોગિક એકમો બંધ થઇ જશે તેવી સ્થિતી સર્જાઇ છે. ઉદ્યોગોને મોટો બોજો એ પડ્યો કે બે માસ કામદારોને સાચવ્યા પરંતુ ઉદ્યોગને આંશિક મંજૂરી મળી ત્યારે સરકાર દ્વારા પરપ્રાંતિય કામદારોને વતન મંજૂરીથી નાસ્યા આ ઉપરાંત મોટા ભાગના યુનિટોને ઉત્પાદન ખર્ચ સરેરાશ 22 ટકા વધ્યો જેનો માર નાના યુનિટો સહન કરી શકે તેમ નથી. આગામી સમયમાં મોટા ભાગના સેક્ટરમાં બેરોજગારીનું પ્રમાણ વધી જશે. બોર્ડર લાઇન (ઓક્સીઝન પર ચાલતી) ઇન્ડસ્ટ્રીઝને એક વર્ષ સુધી રિકવર થવું મુશ્કેલ છે. ત્રણ માસ સુધી કામ ચાલુ થાય તેવા સંકેતો નહિંવત્ છે. ગુજરાતના ઉદ્યોગોને અંદાજે 50000 હજાર કરોડથી વધુનું નુકસાન થશે, સૌથી વધુ અસર મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પડી છે. અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં રોજગારી ઘટવાની શરૂઆત થઇ ચૂકી છે.
દેશભરમાં સરેરાશ 60 દિવસના લોકડાઉનમાં ઔદ્યોગિક એકમોને આંશિક છુટ છેલ્લા 15 દિવસથી મળી છે પરંતું કામદારો ન મળવા, આકરા નિયમો, ટ્રાન્સપોર્ટેશન ઠપ હોવાથી કાચા માલની ઉણપ જેવા અનેક પરિબળોના કારણે 15-20 ટકા એકમો ચાલુ થયા છે જેમાં પણ ઉત્પાદન કામગીરી 15-20 ટકા જ થઇ રહી છે. અર્થતંત્રને બેઠુ કરવા માટે સરકારે અલગ-અલગ રીતે સરેરાશ પાંચ લાખ કરોડથી વધુના રાહત પેકેજની જાહેરાત કરી છે પરંતુ તેનાથી એમએસએમઇ સેક્ટરને કોઇ જ લાભ નથી. પાયાના સેક્ટર એવા ટેક્સટાઇલ-ગારમેન્ટ, રિઅલ એસ્ટેટ, આયાત-નિકાસ, એફએમસીજી, એમએસએમઈ, કેમિકલ્સ, ટૂરિઝમ, હોટલ તથા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, તથા એગ્રી સેક્ટર માટે ગુજરાત સરકાર દ્વારા રાહતો નહિં પૂરી પાડવામાં આવે તો ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબનું બિરૂદ ગુમાવી દેશે. દેશના ગ્રોથ એન્જિન અને ઇન્ડસ્ટ્રીયલ હબ ગણાતા ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી મરવાના વાંકે ચાલી રહેલા
એકમો સામે મોટી આફત કોરોના મહામારી આવી પડતા 10 ટકાથી વધુ એસએમઇ એકમો પડી ભાંગશે. રાજ્યની જીડીપીમાં 44 ટકાથી વધુ હિસ્સો ધરાવતા સ્મોલ મિડિયમ એન્ટરપ્રાઇસિસ (એસએમઇ) ધરાવે છે.
5 લાખથી વધુ પરપ્રાંતિય કામદારોએ વતનની વાટ પડકી
કોરોના મહામારીમાં ફસાયેલા પરપ્રાંતિય કામદારોને સરકારની છૂટ મળતાની સાથે જ વતનની વાટ પકડી છે. ગુજરાતમાં પરપ્રાંતિય જેમકે ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાનના કામદારો કામ કરે છે જેમાંથી સરેરાશ 5 લાખથી વધુ કામદારોએ વતનની વાટ પકડી છે. લોકડાઉન જાહેર થયું ત્યારે અનેક કામદારો પગપાળા જતા રહ્યાં હતા જે નાણાભીડથી હવે પરત આવવા ઇચ્છે છે. લોકડાઉન બાદ બે માસ સુધી ઔદ્યોગિક એકમોને કામદારોની અછતનો સામનો કરવો પડશે.
ઔદ્યોગિક એકમો દ્વારા સરકાર પાસે મુખ્ય રાહતોની માગ

  • નાણાંભીડ દૂર કરવા વર્કિંગ કેપિટલમાં 20%નો વધારો, વ્યાજમાં 3-4 ટકા સબસિડી મળે
  • GSTની થતી આવકમાંથી 25 ટકા ઉદ્યોગોને એક વર્ષ વગર વ્યાજે વાપરવા આપે
  • એપ્રિલથી જુલાઇ તમામ બેન્કો લોનનું વ્યાજ માફ કરે,મૂળ મૂડીના હપ્તા પાછળ થી વસુલવા માગ
  • ઉદ્યોગો બંધ થતા અટકાવવા GIDC બે વર્ષ સુધી તમામ પ્રકારના દંડ અને વ્યાજ માફ કરે

ઔદ્યોગિક એકમોને 22 ટકા ઉત્પાદન ખર્ચ વધ્યો
ઔદ્યોગિક એકમોને આંશિક રાહત આપવામાં આવી છે પરંતુ કામદાર લાવવા-મુકવાનો ખર્ચ, એક શિફ્ટમાં કામ ચાલુ છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધ્યો છે, નાણાંકિય કટોકટી અને ઉત્પાદન ખર્ચ વધતા એકમો ચાલે છે તે પણ બંધ કરવાનું વિચારી રહ્યાં છે. ઉદ્યોગોને રાહતના બદલે ખર્ચ 20-22 ટકા વધતા મુશ્કેલી વધી છે.- અજીત શાહ, સેક્રેટરી-એફઆઇએ.

નાણાભીડથી 50 ટકા એકમો પગાર ચૂકવવામાં પાછા પડ્યા
માર્ચ મહિનાથી અમલી બનેલા લોકડાઉનમાં માર્ચ મહિનાનો પગાર કર્મચારીઓને મળ્યો પરંતુ એપ્રિલમાં નાણાંભીડના કારણે મોટા ભાગની કંપનીઓએ પગાર ચૂકવવામાં હાથ અધ્ધર કરી દીધા છે. જ્યારે અમુક કંપનીઓએ અડધો તથા 10 ટકા કંપનીએ સંપૂર્ણ પગાર આપ્યો છે.- ભાવેશ ઉપાધ્યાય, ફાઉન્ડર-એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયન

દોઢ લાખ કરોડથી વધુનું ગુજરાતને નુકસાન
2018-19ના રાજ્યનું કુલ ઘરેલુ આવક આશરે 15 લાખ કરોડ હતી. 13 ટકા ના વૃદ્ધિ પ્રમાણે ગણીએ તો અંદાજિત આવક રૂ.17 લાખ કરોડ હતી. ગણતરી કરીએ તો ગુજરાત દર મહિને લગભગ 1.41 લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન કરે છે. મેં અંત સુધી માં નુકશાન લગભગ 1.50 લાખ કરોડ થી વધુ હશે.- હિમાની બક્ષી,આસીસ્ટન્ટ પ્રોફેસર-અમદાવાદ યુનિ.

રિઅલ એસ્ટેટમાં છ માસ સુધી નવી ડિમાન્ડ નહિં આવે
સરકાર વ્યાજદર સતત ઘટાડી રહી હોય પરંતુ બેરોજગારીનો ભય, સેલેરી કટ, આર્થિક સંક્રમણથી નવી ડિમાન્ડ છ માસ સુધી આવે તેમ નથી. હાલની મંદી કામચલાઉ છે. ડેવલપર્સને લોન ભારણ, સાઇડ ખર્ચાથી પ્રોજેક્ટ કોસ્ટ સરેરાશ 3-5 ટકા ઉંચી આવશે. લાંબાગાળે 50-70 લાખના બજેટની ડિમાન્ડ વધશે.- નિતિષ અગ્રવાલ, નેક્સરાઇઝ ગ્રુપ.

હાઇલાઇટ્સ

  • 5 લાખ નાના-મોટા એમએસએમઇ યુનિટો ગુજરાતમાં કાર્યરત
  • 75 લાખથી વધુ લેબર કામદારોની સંખ્યા માત્ર ગુજરાતમાં
  • 40% ગુજરાતના કુલ લેબર કામદારમાં પરપ્રાંતિયનો
  • 30% થી વધુ પરપ્રાંતિય લેબર કામદારોએ વતનની વાટ પકડી
  • 10% જ લોકડાઉન વચ્ચે યુનિટો ચાલુ, જેમાં પણ કામગીરી ધીમી
  • 1.50 લાખ કરોડની નુકસાની કોરોના ઇફેક્ટથી ગુજરાતને પડશે
  • 44% ગુજરાતના જીડીપી ગ્રોથમાં ઓદ્યોગિક એકમો દ્વારા યોગદાન


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2YThC6C

એક વાર વતન પહોંચી ગયા બાદ  ફરી ક્યારેય ગુજરાત પરત નહીં આવીએ: પરપ્રાંતીયો

લોકડાઉનના કારણે ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીયો વતને પહોંચી રહ્યા છે. ગોતામાં લવાયેલા પરપ્રાંતીયોએ જણાવ્યું હતું કે, એક વાર વતન પહોંચી ગયા બાદ ફરી ક્યારેય ગુજરાત નહિ આવીએ. ગોતા વિસ્તારમાં ગુરુવારે રાત્રે એક વાગ્યાથી બીજા દિવસે બપોરે 3 વાગ્યા સુધી પરપ્રાંતીયો રોડ પર બેસીને પોતાના વતન જવા માટે રઝળતા જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં અંદાજે 2200થી વધુ શ્રમજીવીઓ પોતાના પરિવાર અને સામાન સાથે બેસેલા જોવા મળ્યા હતા. જેમને મામલતદાર તરફથી મંજૂરી મળી હતી તેમને બસ મારફતે રેલવે સ્ટેશન લઈ જવાયા હતા. પરપ્રાંતીયઓ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, ‘બહુ ખરાબ હાલતમાં અમને ગુજરાત છોડીને જવું પડી રહ્યું છે.
20 કલાકથી અનાજનો દાળો ચાખ્યો નથી, ભગવાન વતન પહોંચાડે તો સારું: સગર્ભા
યુપીના રહેવાસી સગર્ભા મહિલા અર્ચનાબેન અને નિતુબેને કહ્યું હતું કે, ‘છેલ્લા 20 કલાકથી અનાજ મોંઢામાં નથી નાખ્યું. અમારે બસ વતન જવું છે. અહીંયા રહીશું તો ભૂખને કારણ મરી જઈશું. હું 7 મહિનાથી ગર્ભવતી છું. આજે મારો પરિવાર રસ્તા પર આવી ગયો છે. 3 દિવસથી અમે નાહ્યા પણ નથી. કલેક્ટર કચેરીએ 40 ડિર્ગી ગરમીમાં ફોર્મ ભરવા પણ ગયા હતા, બસ હવે ભગવાન અમને અમારા ઘરે પહોંચાડી દે તો સારું.’
‘અમે ભૂખમરાથી મરી જઈશું’
મૂળ યુપીના વતની સંજય શર્માના જણાવ્યા અનુસાર ‘અહીંયા રહીશું તો ભૂખ મરાના લીધે મરી જઈશું એના કરતા વધારે સારું એ જ છે કે અમે અમારા વતન ચાલ્યા જઈએ.’ આ શબ્દો ચાંદલોડિયા વિસ્તારમાં મજૂરી કામ કરતા એક કામદારના છે. જે મહિને 25 હજાર કમાય છે અને પોતાના પરિવારના સભ્યોનું ગુજરાન ચલાવે છે. છેલ્લા દોઢેક મહિનાથી લોકડાઉન ચાલતું હોવાથી ધંધા રોજગાર બંધ છે, તેવામાં સરકાર તરફથી કોઈ સહાય નથી મળી રહી. કેટલાક મજૂરો વતન પહોંચી ગયા છે જ્યારે હજુ ઘણા અહીં ફસાયેલા છે.
6 ટ્રેનમાં કુલ 7200 પરપ્રાંતીયો ઉત્તરપ્રદેશ માટે રવાના થયા
શહેર અને જિલ્લામાં વસતા શ્રમજીવીઓને પોતાના વતન મોકલવા શુક્રવારે સાબરમતી રેલવે સ્ટેશન ઉપરથી 6 ટ્રેન યુપી માટે રવાના થઈ હતી. એક ટ્રેનમાં 1200 શ્રમિકોનો સમાવેશ કરાયો હતો. જિલ્લા અધિક કલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, ‘સામાજિક અંતરને ધ્યાનમાં રાખી ટ્રેનમાં બેઠક વ્યવસ્થા કરાઈ હતી. 6 ટ્રેનમાં 7200 શ્રમિકોને યુપી મોકલવામાં આવ્યા હતા. આ સમયે તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આ‌વ્યું હતું. પાલનપુર ખાતે શ્રમજીવીઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં તેઓની સંખ્યાને ધ્યાને રાખીને વધુ ટ્રનો દોડાવાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શુક્રવારે સાબરમતી રેલવે સ્ટેશન ઉપરથી 6 ટ્રેન યુપી માટે રવાના થઈ હતી.


from Divya Bhaskar https://ift.tt/2WG3HhO

કોરોના પોઝિટિવ સગીરાને ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટની મંજૂરી

14 વર્ષની કિશોરી સાથે તેના બનેવીએ વારંવાર દુષ્કર્મ આચરતા તે ગર્ભવતી બની હતી. દરમિયાન રિપોર્ટ કઢાવતા તેને કોરોના પોઝિટિવ આવતા સગીરાએ હાઈકોર્ટમાં છ માસનો ગર્ભ પડાવવા અરજી કરી હતી. હાઈકોર્ટે તબીબોની ટીમ દ્વારા સાવચેતીના પગલાં લઈને ગર્ભપાતની મંજૂરી આપી હતી.
પતિ એકલતાનો લાભ લઇને નાઝનીન સાથે દુષ્કર્મ આચરતો
માતાપિતા ન હોવાથી બહેનના ઘરે રહેતી સગીરા સાથે તેના બનેવીએ અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું
પૂર્વ વિસ્તારમા રહેતી નાઝનીન (નામ બદલ્યું છે) તેની મોટી બહેન વહિદા (નામ બદલ્યું છે)ના ઘરે રહેતી હતી. વહિદા કોઈ કામે ઘરની બહાર હોય ત્યારે તેનો પતિ એકલતાનો લાભ લઇને નાઝનીન સાથે દુષ્કર્મ આચરતો હતો, જેના કારણે નાઝનીનને 24 સપ્તાહનો ગર્ભ રહ્યો છે. આ અંગે વહિદાએ તેના પતિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
પીડિતાનો કોરોના પોઝિટિવ આવ્યો
બીજી તરફ તેની નાની બહેન નાઝનીનનો ગર્ભપાત કરાવવા હાઇકોર્ટમા અરજી કરી છે. પીડિતા તરફથી એડવોકેટ હાર્દિક દવેએ રજૂઆત કરતા હાઇકોર્ટે તબીબો પાસે મેડિકલ તપાસ કરાવતા વધુ એક ઝ।ટકો લાગ્યો હતો. પીડિતાનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. ગાયનેક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. એ.યુ. મહેતાની દેખરેખ હેઠળ પીડિતાની બહેન પાસેથી જોખમ હોવાથી ગર્ભપાત માટે મંજૂરી લેવામા આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/35LJKtP

ફેસબુક અને ગૂગલની ઓફિસો જુલાઇમાં ખૂલશે, કર્મચારીઓ વર્ષના અંત સુધી વર્ક ફ્રોમ હોમ કરી શકશે

કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થતંત્ર ખોરવાયું છે. ઘણી મોટી કંપનીઓએ તેમની ઓફિસો બંધ કરીને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવી પડી. અમેરિકાની દિગ્ગજ ટેક કંપનીઓ ફેસબુક અને ગૂગલે પણ મહામારીના શરૂના દિવસોમાં જ તેમના મોટા ભાગના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા કહ્યું. હવે લૉકડાઉનમાં છૂટ અપાઇ રહી છે તો કંપનીઓની ઓફિસો ખૂલવાનું પણ શરૂ થઇ ગયું છે. ગૂગલ અને ફેસબુક પણ જુલાઇમાં પોતાની ઓફિસો ખોલી રહી છે. જોકે, બંને કંપનીઓએ એમ પણ કહ્યું છે કે તેમના જે કર્મચારીઓ હાલ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે તેમને ચાલુ વર્ષના અંત સુધી આ સુવિધા મળતી રહેશે.
જે કર્મચારીઓને ઓફિસે આવવાની જરૂર છે તેઓ જુલાઇથી આવી શકશે
ગૂગલે અગાઉ એમ કહ્યું હતું કે તેની વર્ક ફ્રોમ હોમ પોલિસી 1 જૂન સુધી લાગુ રહેશે પણ હવે તેણે આ પોલિસી વધુ 7 મહિના માટે લંબાવી છે જ્યારે ફેસબુકે કહ્યું છે કે તેની ઓફિસો 6 જુલાઇએ ખૂલી જશે પણ કર્મચારીઓ ડિસેમ્બરના અંત સુધી વર્ક ફ્રોમ હોમ કરતા રહેશે. ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ કહ્યું કે જે કર્મચારીઓને ઓફિસે આવવાની જરૂર છે તેઓ જુલાઇથી આવી શકશે. તે માટે ગૂગલે દુનિયાભરમાં આવેલી તેની ઓફિસોમાં સુરક્ષા માપદંડ વધાર્યા છે, જેથી કર્મચારીઓને સંક્રમણથી બચાવી શકાય.
કર્મચારીઓ ઘરેથી વર્ષના અંત સુધી કામ કરી શકશે
પિચાઇએ એમ પણ કહ્યું કે ઘરેથી કામ કરતા મોટા ભાગના કર્મચારીઓ ચાલુ વર્ષના અંત સુધી તેમ કરી શકશે. ફેસબુકનું વલણ પણ ગૂગલ જેવું જ છે. ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે જે કર્મચારીઓ ઘરેથી કામ કરવાનું ચાલુ રાખી શકે તેમ છે તેઓ વર્ષના અંત સુધી આ સુવિધા મેળવી શકશે. સ્થિતિ સતત બદલાઇ રહી છે. ફેસબુક હાલ એ નક્કી કરી રહી છે કે કયા કર્મચારીઓને ઓફિસે આવવાનું કહેવામાં આવે?
ફેસબુકે 75 હજાર રૂપિયા બોનસ પણ આપ્યું હતું
ફેસબુકે ઘરેથી કામ કરતા કર્મચારીઓને ઘરે વર્ક સ્ટેશન તૈયાર કરવા અને બાળકોની સારસંભાળ માટે 1 હજાર ડોલર (અંદાજે 75 હજાર રૂ.) બોનસ પણ આપ્યું હતું. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભારત સહિત દુનિયાભરની ઘણી કંપનીઓ પોતાના વર્ક કલ્ચર અંગે ગંભીરતાથી વિચારી રહી છે. ટીસીએસ, ઇન્ફોસિસ અને એચસીએલ જેવી ભારતીય કંપનીઓએ પણ કહ્યું છે કે કોરોનાનું સંકટ દૂર થયા પછી પણ તેઓ વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Facebook and Google offices to open in July, employees able to work from home by year-end


from Divya Bhaskar https://ift.tt/2zoGFno

મારી પત્ની દીકરાને લઈને પ્રેમી સાથે ભાગી ગઈ છે, હું આત્મહત્યા કરી લઉં છું: પતિ

લૉકડાઉન દરમ્યાન પત્ની લગ્નેતર સંબંધ ધરાવનાર સાથે ભાગી જતા પતિએ માનસિક સંતુલન ગુમાવી દીધુ છે. તેણે 104 હેલ્પલાઇનમાં ફોન કરીને આત્મહત્યા કરી રહ્યો હોવાની વાત જણાવી હતી. હેલ્પલાઇનના કાઉન્સિલરે તેની મુલાકાત લઇને તેને આત્મહત્યા કરતા અટકાવ્યા હતા.
104 હેલ્પલાઇનમાં એક ઉચ્ચ શિક્ષિત પુરૂષે રડતા-રડતા ફોન કરીને પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, તેની પત્ની અન્ય કોઇ સાથે ભાગી ગઇ છે તેની સાથે દીકરો પણ લઇ ગઇ છે.
મારે મરી જવું છે. હું આત્મહત્યા કરી રહ્યો છુ. કાઉન્સિલર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, તેની પત્ની 4 મહિના પહેલા દુબઇ ગઇ હતી. ત્યાંથી પરત આવતા પત્નીનું વર્તન બદલાઇ ગયુ હતું. તેણે પતિ સાથે બોલવાનું બંધ કરી દીધું હતું અને શંકાસ્પદ વર્તન કરતી હતી. થોડા દિવસ પછી અચાનક પત્ની ઘર છોડીને ભાગી ગઇ હતી. જેનાથી પતિને ઊંડો આઘાત લાગ્યો હતો. તેણે ફોન કર્યા હતા પરતું પત્નીએ ફોન નહીં ઉપાડતા પતિએ માનસિક સંતુલન ગુમાવ્યું હતું.
તેની વૃધ્ધ માતાએ લોકડાઉન ખૂલે પછી પાછી લાવવા સમજાવ્યો હતો પરતું તે બાલ્કનીમા જઇને ચીસો પાડતો હતો. તેના એકનાએક પુત્રને સાથે લઇ ગઇ હોવાથી પુત્રની કસ્ટડી મેળવવા બેબાકળઓ બન્યો હતો. તેણે કહ્યુ કે મારે છૂટાછેડા નથી આપવા પત્નીને પાછી લાવી આપો.
પોલીસની ટીમે ઘરે પહોંચી જીવ બચાવ્યો
યુવકે 104 નંબર પર ફોન કરીને આત્મહત્યા કરવાની વાત કરતાં 104ના કર્મચારીએ યુવકનો ફોન 100 નંબર પર ટ્રાન્સફર કર્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમને યુવકની આત્મહત્યાની જાણ થતાં કંટ્રોલ રૂમના કર્મચારીએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન કરી યુવકનું એડ્રેસ લખાવ્યું હતું. જેના પગલે પોલીસની એક ટીમ તેના ઘરે પહોંચી અને આપઘાત કરતા બચાવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2zs5j6D

લૉકડાઉનના 45 દિવસમાં પરત ફરી રહેલા 73 શ્રમિકોનાં રસ્તામાં જ મોત

લૉકડાઉનના 45 દિવસમાં ઘરે ફરી રહેલા 73 મજૂરોના અત્યાર સુધી માર્ગમાં જ મોત થઇ ગયાં. સરેરાશ ત્રણ દિવસમાં બે મજૂર ઘેર પહોંચતા પહેલાં જ મોતને ભેટ્યા. અકસ્માત ઉપરાંત કેટલાક મજૂરો ચાલતા-ચાલતા જ મૃત્યુ પામ્યા.
ઔરંગાબાદની ઘટના ઉપરાંત 8 મે સુધી 51 મજૂરોના જીવ ગયા
ઔરંગાબાદની ઘટના બાદ આવા મજૂરોમાં સૌથી વધુ મધ્યપ્રદેશના છે. 25 માર્ચે લૉકડાઉન બાદ મોટી સંખ્યામાં મજૂરો પગપાળા ચાલી વતન પરત ફરવા લાગ્યા હતા. સેવ લાઇફ ફાઉન્ડેશન અને અન્ય રિપોર્ટ્સ મુજબ આ દરમિયાનમાં જરૂરી સેવામાં લાગેલાં વાહનોએ કાબૂ ગુમાવતા અકસ્માતો થયા. ઔરંગાબાદની ઘટના ઉપરાંત 8 મે સુધી 51 મજૂરોના જીવ ગયા હતા.

મુખ્ય અકસ્માત, જેમાં ઘરે જઇ રહેલા મજૂરોનાં મોત થયાં

  • 8 મે: ઔરંગાબાદમાં મધ્યપ્રદેશના 16 મજૂરનાં માલગાડી નીચે કપાતાં મોત
  • 5 મે: મથુરામાં રોડ સાઇડે ઊભેલા મ.પ્ર.ના 7 મજૂરના માર્ગ અકસ્માતમાં મોત
  • 5 મે: બિહારમાં ઝારખંડના બે મજૂરના ટ્રક અકસ્માતમાં મોત
  • 28 માર્ચ: તેલંગાણાથી કર્ણાટક જઇ રહેલા 8 મજૂરોને વાહને ટક્કર મારી.
  • 28 માર્ચ: મહારાષ્ટ્રના વિરારમાં 4 મજૂરને વાહને કચડ્યાં
  • 27 માર્ચ: ગુજરાતમાં ઘરે પરત થઇ રહેલા 4 મજૂરના માર્ગ અકસ્માતમાં મોત
  • 29 માર્ચ: હરિયાણાથી ઉત્તરપ્રદેશ જઇ રહેલા 5 મજૂરને ટ્રકે કચડ્યા.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ જઈ રહેલા શ્રમિકો માલગાડીની અડફેટે મોતને ભેટ્યા.


from Divya Bhaskar https://ift.tt/2Lbzphk

દવાખાનાં નહીં ખોલનારા 280 ડૉક્ટરોને નોટિસ અપાતા રોષ, અમે બળવો કરીશું તો તકલીફ થશે : ડૉક્ટર્સ

પ્રાઇવેટ ડોક્ટરોને ક્લિનિક અને નર્સિંગ હોમ ખોલવા બાબતે સરકારી અધિકારીઓએ પાઠવેલી નોટિસ અને તેમાં વપરાયેલી ભાષાના તબીબી આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ નોટિસને સખત શબ્દોમાં વખોડી છે. ડોક્ટરોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે, તમે ધમકાવશો અને બળવા પર ઊતરીશું તો તકલીફ થશે.
અમદાવાદ મેડિકલ એસો.નાં પ્રેસિડન્ટ ડો. મોના દેસાઈએ જણાવ્યું છે કે, કોર્પોરેશને જે રીતે ડોક્ટરોને નોટિસ આપી છે અને તેમાં જે ધમકી અને ડરાવવા માટે શબ્દપ્રયોગ થયો છે તે કોઈ પણ રીતે ચલાવી શકાય તેમ નથી. અમને અમારી ફરજ ખબર છે અને નિભાવીએ છીએ. લૉકડાઉનના સમયમાં અમે ક્લિનિક ચાલુ રાખવા તૈયાર છીએ, પણ દર્દીને ક્લિનિક સુધી પોલીસ આવવા જ દેતી નથી. કોર્પોરેશને ડોક્ટરોને નોટિસો આપવાને બદલેે દર્દીને હોસ્પિટલ જવાની છૂટછાટ આપવાની સાથે આસાનીથી હોસ્પિટલ સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
લૉકડાઉનમાં એક એવો કિસ્સો બતાવો કે શહેરમાં કોઇ દર્દી ડોક્ટરની સારવાર વિના મરી ગયું હોય. ઊલટાનું અમે દવાખાના ખોલીને બેસીએ છીએ, દર્દીને આવવું હોય છે, પણ પોલીસ આવવા દેતી નથી. ખાલી એડમિનિસ્ટ્રેશનથી કશું નહિ થાય. પોલીસ, એડમિનિસ્ટ્રેશન અને ડોક્ટરે પરસ્પર કામ કરવાનું હોય.
જ્યારે ઇન્ડિયન મેડિકલ એસો.ના માનદમંત્રી ડો. કમલેશ સૈનીએ જણાવ્યું કે, આ મહામારીને પહોંચી વળવા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત અને લોકલ બ્રાન્ચ સરકાર અને સ્થાનિક પ્રશાસન સાથે સંકલન કરી સેવાઓ આપી રહી છે. તાજેતરમાં કેટલાક સરકારી અધિકારીઓ દ્વારા દવાખાનાં નહિ ખોલો તો લાઇસન્સ રદ કરવાની નોટિસ અને ધમકીનો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આવા અધિકારીઓની જોહુમકમીથી વાતાવરણ ડહોળાય છે અને તેનાથી ગુજરાતને નુકસાન થાય છે. સરકારી અધિકારીઓનાં તઘલખી નિર્ણયો અને આયોજને રાજ્યમાં મુશ્કેલી વધારી છે.
લોકશાહીમાં આ અધિકારીઓનું તાનાશાહી વર્તન સ્વીકાર્ય નથી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દરેક કપરી પરિસ્થિતિમાં પોતાની સેવા આપી છે. હાલ પણ દર્દીઓની સેવા સારી રીતે ચાલે છે. કોઈ ફરિયાદ નથી આવી. અમે દર્દી અને સમાજને સમર્પિત રહીશું. જોકે લોકશાહીમાં દરેક પ્રશ્નનો ઉકેલ સંવાદની ભૂમિકાથી આવી શકે છે.
‘અમે અમારી જવાબદારી જાણીએ છીએ’
ડો. મોના દેસાઈએ જણાવ્યું કે, તમામ ડોક્ટરોએ એમબીબીએસ, એમડી અને એમએસ સુધીનો અભ્યાસ કરેલો છે અને અમે અમારી જવાબદારી સારી રીતે જાણીએ છીએ. બધા પોતાની વોલેન્ટરી સર્વિસ આપી રહ્યાં છે. કોઈ કોઈની પર ઉપકાર કરતું નથી, પણ તમે ધમકાવો અને ડોક્ટરો બળવા પર ઊતરશે તો તકલીફ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/35UHmkV

ટોક્યોમાં ભારતીય એથ્લિટ પાસેથી મેડલની આશા નથી: મિલ્ખા

એથ્લેટિક્સમાં ઓલિમ્પિક મેડલ જીતવું સરળ નથી. તે માટે ખેલાડી અને કોચમાં ધીરજ, મહેનત અને શિસ્ત હોવી જરૂરી છે. આ રમતમાં મેડલ જીતાડવા માટે ભારતની વિવિધ એજન્સીઓએ સાથે મળી ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. મને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય એથ્લિટ પાસેથી મેડલની આશા નથી. ફ્લાઈંગ શીખ નામથી જાણીતા દેશના દિગ્ગજ એથ્લિટ મિલ્ખા સિંહે આ વાત જણાવી હતી. તેમણે એથ્લેટિક્સમાં મેડલની આશા મુદ્દે કહ્યું કે,‘આ એટલી સરળ વાત નથી. એથ્લેટિક્સ ઓલિમ્પિકમાં નંબર-1 રમત છે. બાકીની રમત તેના કરતા પાછળ છે ભલે તે શૂટિંગ હોય કે બોક્સિંગ. આ ક્રિકેટ નથી જેમાં 5-7 દેશ રમતા હોય. જેમાં આજે ભારત જીત્યું તો કાલે હાર મળી હોય. ઓલિમ્પિક ગેમ્સમાં 200થી 220 દેશોના એથ્લિટ ભાગ લેતા હોય છે. એવામાં એથ્લેટિક્સમાં ઓલિમ્પિક મેડલ મળશે નહીં. આઝાદી બાદથી અમુક જ એથ્લીટ એવા છે જે ફાઈનલ સુધી પહોંચી શકે છે, જેમકે તેઓ પોતે, પીટી ઉષા, શ્રીરામ, ગુરુબચન સિંહ રંધાવા, અંજુ બોબી જ્યોર્જ. જોકે હવે આપણે મેડલ નથી જીતી શકતા. પરંતુ ફાઈનલમાં પહોંચવું પણ સરળ નથી હોતું.
કેન્યા, જમૈકાના એથ્લિટ ફિનિશ લાઈન પહેલા બાજી પલટતા હોય છે: 90 વર્ષીય મિલ્ખાએ કહ્યું કે,‘મને નથી લાગતું કે ટોક્યો ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં એક પણ મેડલ મળશે. દુતી ચંદ અને હિમા દાસ ઘણી સારી ખેલાડી છે. પરંતુ તેમને વધુ સારી ટ્રેનિંગની જરૂર છે. તેમને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ કંઈ કરી શકે છે. હાલ ભારત પાસે એથ્લેટિક્સ સ્ટાન્ડર્ડ વિશે માહિતી નથી. અમેરિકા, કૈન્યા, જમૈકા, ઓસ્ટ્રેલિયાની યુવતીઓ તોફાન છે. તેઓ ફિનિશ લાઈન અગાઉ બાજી પલટતી હોય છે.’
ખેલાડીએ વર્લ્ડ રેકોર્ડને ધ્યાનમાં રાખી પ્રેક્ટિસ કરવી પડશે
‘મિલ્ખાએ કહ્યું,‘હું કોચને જવાબદાર નથી ઠેરવતો કારણ કે તેઓ હંમેશા મારી વિરુદ્ધ રહેતા. મારું માનવું છે કે, પુલેલા ગોપીચંદે વર્લ્ડ લેવલના શટલર તૈયાર કર્યા છે. પીટી ઉષાને કોચ પીતાંબરમે તૈયાર કરી. કુશ્તી, બોક્સિંગ, શૂટિંગના કોચ ઓલિમ્પિક મેડલિસ્ટ ખેલાડી તૈયાર કરી શકે છે તો એથ્લેટિક્સના કોચ કેમ નહીં. જરૂર છે તો દ્રઢ ઈચ્છા શક્તિ અને આકરી મહેનતની અમારા કોચ અને ખેલાડીઓને જરૂર કરતા વધુ ગંભીર થવાની જરૂર છે. દરેક એથ્લિટે પોત-પોતાની ઈવેન્ટના વર્લ્ડ રેકોર્ડને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરવી પડશે.’
મળીને કામ કરવાની જરૂર

  • મેડલ માટે 5 એજન્સીઓએ મળીને કામ કરવું પડશે. જેમાં એથ્લીટ, કોચ, ભારતીય એથ્લેટિક્સ ફેડરેશન, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન સામેલ છે. રમત મંત્રાલયે આ તમામ સાથે મિટિંગ કરવી જોઈએ, જેમાં તમામ ફેડરેશનના અધ્યક્ષ અને સેક્રેટરી સામેલ હોય.
  • તેમને પ્રશ્ન કરવા જોઈએ કે જ્યારે સરકાર પૈસા, સ્ટેડિયમ, રમત સાધનો, કોચ ઉપલબ્ધ કરાવે છે તો મેડલ કેમ નથી મળતા.
  • આપણે સ્કૂલ ગેમ્સની નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ થકી એથ્લિટ શોધવા પડશે અને તેમને તૈયાર કરવા પડશે કારણ કે દરેક એજ ગ્રૂપમાંથી ટેલેન્ટ સામે આવે છે. સિલેક્ટેડ એથ્લિટને એકેડમીમાં મોકલવા પડશે.
  • દરેક સ્ટેટમાં એથ્લેટિક્સ એકેડમી શરૂ કરવી પડશે. એકેડમીમાં મોટી સેલેરી (2 થી 3 લાખ) પર કોચની નિયુક્તિ કરાર પર આધારિત હોય.
  • કોચને જણાવવાનું રહેશે કે 2 વર્ષમાં એશિયન, 4 વર્ષમાં ઓલિમ્પિક મેડલિસ્ટ ખેલાડીઓ જોઈશે. તમે જણાવો કે તમને કેવી સુવિધાઓ જોઈએ છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મિલ્ખા સિંહ.


from Divya Bhaskar https://ift.tt/2Wi9nzv

હોંગકોંગનું માર્કેટ ખુલતાં સુરતથી એક અઠવાડીયામાં જ રૂ.1000 કરોડના હીરા કાર્ગો ફ્લાઇટમાં મોકલાયા

સુરત હીરા બુર્સમાંથી બેંક ગેરેન્ટી વગર ડાયમંડ એક્સપોર્ટ કરવા માટે મળેલી પરવાનગી સુરતના હીરા ઉદ્યોગકારો માટે લોકડાઉનના સમયમાં રાહતરૂપ બની છે. આ જાન્યુઆરીમાં જ બેંક ગેરેન્ટી વગર સુરત હીરા બુર્સમાંથી ડાયમંડના પાર્સલ એક્સપોર્ટ કરવા માટે પરવાનગી મળી હતી.જેના કારણે લોકડાઉનના સમયમાં અત્યાર સુધી 4 વખતમાં અંદાજે રૂ.1000 કરોડની કિંમતના 85 પાર્સલ હોંગકોંગ એક્સપોર્ટ થઈ શક્યા છે. જે આવનારા 20 દિવસમાં આંકડો રૂ.3000 કરોડને પાર થઈ જશે.
અગાઉ 30 થી 40 લાખના જ હીરાના પાર્સલ એક્સપોર્ટ થઈ શકતાં
સુરત ડાયમંડ મેન્યુફેક્ચરીંગ હબ ગણાય છે, વિશ્વમાં વેચાણ થતાં 10 માંથી 8 હીરા સુરતમાં તૈયાર થાય છે પરંતુ સુરતમાં બનતાં હીરાનું મોટાભાગનું એક્સપોર્ટ સુરતની જગ્યાએ મુંબઈથી થતું હતું. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(જીજેઈપીસી)ની રજૂઆતોને પગલે ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં જ સુરત હીરા બુર્સમાંથી બેંક ગેરેન્ટી વગર જ હીરાના પાર્સલને એક્સપોર્ટ કરવાની પરવાનગી મળી છે. અગાઉ 3 થી 4 કરોડ રૂપિયાની બેંક ગેરેન્ટી સામે સુરતમાંથી મહિને 3 થી 4 મિલિયન ડોલર એટલે કે 30 થી 40 લાખના જ હીરાના પાર્સલ એક્સપોર્ટ થઈ શકતાં હતા. જાન્યુઆરીમાં મળેલી પરવાનગી લોક-ડાઉનના સમયમાં સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગકારો માટે મોટી રાહત સર્જી છે. હાલ જ્યારે મુંબઈથી હીરાનું એક્સપોર્ટ થઈ શક્તું નથી. ત્યારે મુંબઈથી હીરાના પાર્સલ સુરત હીરા બુર્સ આવે છે અને કસ્ટમ ક્લિયરન્સ બાદ તેને કાર્ગો ફ્લાઈટમાં હોંગકોંગ એક્સપોર્ટ કરવામાં આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2xPPUgc

Did coronavirus outbreak begin in September, not December as China says?

Did coronavirus outbreak begin in September, not December as China says?

from India Today | Top Stories https://ift.tt/2WeCeon

Lockdown 3.0: Samsung resumes phone manufacturing in Noida

Lockdown 3.0: Samsung resumes phone manufacturing in Noida




from News - Videos - The Times of India https://ift.tt/2yIToBo

Thursday, May 7, 2020

Top 10: How seriously we take industrial safety?



from Times of India https://ift.tt/3fu5r69?

લૉકડાઉનનું પાલન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરાવતા પોલીસ કર્મચારી

હવે અમદાવાદમાં લૉકડાઉનનું પાલન કરાવતી વખતે પોલીસ પણ સોશિયલ ડિસ્ટન્સિંગને અનુસરતી થઈ છે. ઉલ્લેખનીય છે કે પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પોલીસ કર્મચારીઓની પણ નોંધપાત્ર સંખ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Police personnel following the lockdown with social distance


from Divya Bhaskar https://ift.tt/35Fun6p

14 Chhattisgarh-bound migrant labourers crushed to death in Aurangabad

Aurangabad: 14 migrants, on way to home in Chhattisgarh, crushed to death by goods train

from India Today | Top Stories https://ift.tt/2SMpmUb

Japan's household spending plunges at fastest pace in five years

Japan's household spending plunges at fastest pace in five years

from India Today | Top Stories https://ift.tt/2WzfZZa

The government is failing us: Laid-off Americans struggle in coronavirus crisis

The government is failing us: Laid-off Americans struggle in coronavirus crisis

from India Today | Top Stories https://ift.tt/2yrM5OF

Coronavirus lockdown: Liquor body proposes 'Safe Shield' to ensure safety at stores

Coronavirus lockdown: Liquor body proposes 'Safe Shield' to ensure safety at stores

from India Today | Top Stories https://ift.tt/2WAqyuZ