
આજે દુનિયાભરમાં વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલી માતાઓ ઘર-પરિવાર છોડીને નિ:સ્વાર્થ ભાવે કોવિડ-19 સામે લડી રહી છે. તેમાંની ઘણી માતાને તો ઘરે જવાની તક પણ નથી મળી. આજે જ્યારે સમગ્ર દેશ આ યોદ્ધાઓની પડખે ઊભો છે અને તેમના યોગદાનની પ્રશંસા કરી રહ્યો છે ત્યારે આપણે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. ભારત રત્ન સચિન તેંડુલકરે મધર્સ ડે નિમિત્તે યુદ્ધ સ્તરે કોરોનાનો મુકાબલો કરી રહેલી આવી માતાઓ સાથે વાત કરી. તેમાં કલેક્ટર, એસપી, ડૉક્ટર, નર્સથી લઈ સમાજ સેવી સહિતના લોકોનો સમાવેશ થાય છે. વાંચો તેમની વાતચીત...
સવાલ: મારો પ્રથમ પ્રશ્ન વાયનાડ કલેક્ટર આદિલા અબ્દુલ્લાને છે. તમે તમારા પરિવાર અને વ્યસ્ત દિનચર્યામાં સંતુલન કેવી રીતે જાળવી રાખો છો?
સચિન: મારે ત્રણ નાના બાળકો છે અને ત્રણેય સાડા સાત વર્ષથી નાના છે. મારું સૌથી નાનું બાળક દોઢ વર્ષનું છે. મારે તેને છાતીએ પણ વળગાડવું પડે છે. તો એ રીતે જોઈએ તો હું બે મોરચે યુદ્ધ લડી રહ્યું છું. એક તરફ તો એ સુનિશ્ચિત કરવાનું છે કે સામાન્ય લોકોમાં ચેપ ફેલાય નહીં અને એ પણ જરૂરી છે કે મારા કારણે મારા બાળકોમાં ચેપ ફેલાય નહીં. શરૂઆતના સપ્તાહમાં એડજસ્ટ કરવામાં તકલીફ પડી હતી. મારા બાળકોને મારે તેમના પિતા પાસે મૂકવા પડતા હતા તો ક્યારેક મારી માતાની મદદ લેવી પડતી હતી. શરૂઆતમાં હું મારા બાળકને બપોરે એક જ વાર સ્તનપાન કરાવી શકતી હતી પણ જેમ જેમ સિસ્ટમ બનતી ગઈ તો પરિસ્થિતિ નિયંત્રણમાં આવતી ગઈ. મારા ફોનથી બાળકોને નફરત થવા માંડી છે. ત્યાં સુધી કે તેમને કોરોનાથી પણ નફરત થઈ ગઈ છે પરંતુ હવે છેલ્લા એક સપ્તાહથી હું બપોરે 3 કલાકનો બ્રેક લઈ શકું છું અને બાળકો સાથે સમય વિતાવું છું. ફરી રાત્રે ઓફિસથી આવી બાળકો સાથે સમય વિતાવું છું. મારા બાળકોમાં જે પરિવર્તન હું જોઈ રહી છું તે એ છે કે તેઓ હવે ક્રેયાન્સ કે રમત-ગમત કે મૉલમાં જવાની માંગણી નથી કરતા. તેઓ માત્ર એટલું ઇચ્છે છે કે જેમ બને તેમ જલ્દી કોરોનાનો અંત આવે જેથી તેમની માતા પહેલાની જેમ તેમની સાથે સમય વિતાવી શકે. પહેલા તેમને એવું લાગતું હતું કે તેમની માતા કોઈ સુપરમેન કે બેટમેનની જેમ કોરોના સામે લડી રહી છે પરંતુ હવે તેઓ ઇચ્છે છે કે આ સ્પાઈડરમેન કે બેટમેનની કથા જ ખતમ થઈ જાય.
સવાલ: સચિન- મારો બીજો સવાલ કોચિનના ડેપ્યુટી પોલીસ કમિશનર જી. પુંગઝલીને છે. બાળકોને કોઈ પોલીસ અધિકારી બનવાની વાત કરે તો બહુ ગમે છે. એક પોલીસ અધિકારી માતા હોવાને લીધે સંકટના સમયમાં તમે બાળકોને શું સંદેશો આપશો?
સચિન: જી પુંગઝલી- પ્રથમ સંદેશો દરેક બાળકને, તેની માતાને અને તેમના પરિવારને એ હશે કે ચીજવસ્તુની વહેંચણી કરતા શીખો જેથી જવાબદાર નાગરિક બની શકાય. બીજો સંદેશો એ હશે કે તેઓ ભૂલ કરવાથી ડરે નહીં અને દરેક પરિસ્થિતિમાં કંઈ નવું શીખવાનું પ્રયત્ન કરો. જેથી જીવન સફળતા અને નિષ્ફળતા બંનેથી મળીને બને છે તેનો ખ્યાલ આવે. આ સમયે બાળકોએ એ શીખવું પણ જરૂરી છે કે તેઓ પોતાની નિષ્ફળતા સ્વીકારે અને નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું તે શીખે. આપણે સૌએ યાદ રાખવું પડશે કે માત્ર એક જવાબદાર માતા જ એક જવાબદાર બાળકનું નિર્માણ કરી શકે છે. કારણ કે મોટાભાગની સ્થિતિમાં બાળકોની લાગણી પોતાની માતા સાથે વધુ હોય છે. આથી માતાની જવાબદારી વધી જાય છે. તે પોતાના બાળકોને શીખવે કે સમાજમાં પોતાનું યોગદાન કેવી રીતે આપી શકાય.
સવાલ: સચિન- મારો ત્રીજો સવાલ યુકેમાં રહેતી અને કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલી અમૃતા જયકૃષ્ણનને છે. કોવિડ-19માંથી પસાર થવું મુશ્કેલભર્યું છે. તમે માત્ર તેમાંથી બહાર આવ્યા એટલું જ નહીં પણ પછી કોરોના દર્દીની સેવામાં લાગી ગયા. આ દરમિયાન તમે શું અનુભવ કર્યો?
સચિન: અમૃતા જયકૃષ્ણન- ખરેખર કહું તો હું કોઈ હીરો નથી. અસલમાં મારા પતિ એક ડોક્ટર છે અને તેઓ યુકેમાં ચેપ ફેલાયો ત્યારથી દર્દીની સેવામાં વ્યસ્ત છે. તો એક કોવિડ યોદ્ધાની પત્ની હોવાના નાતે હું અને મારા પતિ બંનેને એ વાતનો ખ્યાલ છે કે આ લડાઈમાં કેટલું જોખમ હોઈ શકે છે. અમે જાનતા હતા કે તમે ગમે તેટલી સાવધાની રાખો પણ તમને ચેપ લાગી શકે છે. જેવી આશંકા હતી તેવું જ થયું. અમે બંને બીમાર પડ્યા. પણ ખુશીની વાત એ હતી કે અમારા હળવા લક્ષણ હતા. યુકેની પરિસ્થિતિ એવી હતી કે ફ્રન્ટ લાઈન વર્કર હોવાને કારણે મારા પતિનું ટેસ્ટિંગ થયું પણ યુકેના એક સામાન્ય નાગરિક હોવાને કારણે મારું ટેસ્ટિંગ થયું નહીં અને જરૂરિયાત મુજબ ટેસ્ટ નહીં કરવો એ યુકેની જ નહીં સમગ્ર વિશ્વના તમામ દેશોની આજે સૌથી મોટી સમસ્યા છે. આવી પરિસ્થિતિમાં અમારી પાસે 14 દિવસ એકાંતમાં જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. મને ડર વાઈરસના લક્ષણથી એટલો નહોતો લાગતો પણ જે અજ્ઞાત પરિસ્થિતિ તરફ અમે આગળ વધી રહ્યાં હતા તેનો વધુ ડર લાગતો હતો. એથી આજે સમાજમાં સૌથી મોટી સમસ્યા એવા લોકોથી છે કે જેઓ એસિમ્ટેમૈટિક એટલે કે ચેપી તો છે પણ તેમનામાં ચેપના કોઈ લક્ષણ દેખાતા નથી. એટલે કે તેઓ અજાણતા જ ચેપ વધારી રહ્યાં છે. હું એક કોર્પોરેટ પ્રોફેશનલ છું આથી મને મારા નેટવર્ક દ્વારા વોલિન્ટિયર આધારિત અભિયાનની ખબર પડી અને હું તેની સાથે જોડાઈ ગઈ. તેમાં માઈક્રોબાયોલોજિસ્ટ, વિજ્ઞાની અને અન્ય કોર્પોરેટ પ્રોફેશનલ્સ જોડાયેલા છે. એક વિલક્ષણ ટીમ તૈયાર થઈ કે જેમાં મેડિકલ અને બિન-મેડિકલ બ્રેકગ્રાઉન્ડના લોકો મળીને આ વાઈરસ સામે કમરકસી રહ્યાં હતા.
યુકેમાં આજે અનેક એવી લેબ છે કે જ્યાં સાધનો અને ટેક્નિશિયન બંને છે પણ ત્યાં કોવિડ-19નું ટેસ્ટિંગ થતું નથી. આથી અમે આવી લેબનો સંપર્ક કરવાનું શરૂ કર્યું જેથી જરૂરી નાણાંકીય સહાય આપી કોવિડ-19ના ટેસ્ટિંગ માટે તેને તૈયાર કરી શકાય અને કમ સે કમ ફ્રન્ટ લાઈન પર કામ કરનારા લોકોનું તો ટેસ્ટિંગ થઈ શકે. તેમાં અમને ઘણી સફળતા મળી છે. અનેક લેબ અમારી સાથે જોડાઈ છે અને સારી વાત એ છે કે આ કાર્યક્રમ માટે ઘણા બધા લોકોએ સ્વેચ્છાએ 24 કલાક, 7 દિવસ સતત જોડાયા છે. આપણે ભૂલવું જોઈએ નહીં કે નાના યુદ્ધથી જ એક મોટું યુદ્ધ બને છે અને નાનું-નાનું યોગદાન કરનારા લોકો ભેગા થાય તો યુદ્ધ જીતી શકાય છે. મને આનંદ છે કે હું આ કોરોના યુદ્ધમાં એક નાનો હિસ્સો બની શકી છું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YMMPsb
No comments:
Post a Comment