
લૉકડાઉનના 45 દિવસમાં ઘરે ફરી રહેલા 73 મજૂરોના અત્યાર સુધી માર્ગમાં જ મોત થઇ ગયાં. સરેરાશ ત્રણ દિવસમાં બે મજૂર ઘેર પહોંચતા પહેલાં જ મોતને ભેટ્યા. અકસ્માત ઉપરાંત કેટલાક મજૂરો ચાલતા-ચાલતા જ મૃત્યુ પામ્યા.
ઔરંગાબાદની ઘટના ઉપરાંત 8 મે સુધી 51 મજૂરોના જીવ ગયા
ઔરંગાબાદની ઘટના બાદ આવા મજૂરોમાં સૌથી વધુ મધ્યપ્રદેશના છે. 25 માર્ચે લૉકડાઉન બાદ મોટી સંખ્યામાં મજૂરો પગપાળા ચાલી વતન પરત ફરવા લાગ્યા હતા. સેવ લાઇફ ફાઉન્ડેશન અને અન્ય રિપોર્ટ્સ મુજબ આ દરમિયાનમાં જરૂરી સેવામાં લાગેલાં વાહનોએ કાબૂ ગુમાવતા અકસ્માતો થયા. ઔરંગાબાદની ઘટના ઉપરાંત 8 મે સુધી 51 મજૂરોના જીવ ગયા હતા.
મુખ્ય અકસ્માત, જેમાં ઘરે જઇ રહેલા મજૂરોનાં મોત થયાં
- 8 મે: ઔરંગાબાદમાં મધ્યપ્રદેશના 16 મજૂરનાં માલગાડી નીચે કપાતાં મોત
- 5 મે: મથુરામાં રોડ સાઇડે ઊભેલા મ.પ્ર.ના 7 મજૂરના માર્ગ અકસ્માતમાં મોત
- 5 મે: બિહારમાં ઝારખંડના બે મજૂરના ટ્રક અકસ્માતમાં મોત
- 28 માર્ચ: તેલંગાણાથી કર્ણાટક જઇ રહેલા 8 મજૂરોને વાહને ટક્કર મારી.
- 28 માર્ચ: મહારાષ્ટ્રના વિરારમાં 4 મજૂરને વાહને કચડ્યાં
- 27 માર્ચ: ગુજરાતમાં ઘરે પરત થઇ રહેલા 4 મજૂરના માર્ગ અકસ્માતમાં મોત
- 29 માર્ચ: હરિયાણાથી ઉત્તરપ્રદેશ જઇ રહેલા 5 મજૂરને ટ્રકે કચડ્યા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Lbzphk
No comments:
Post a Comment