Ad

Friday, May 8, 2020

ભાવનગર કોરોના બોમ્બ થતુ બચ્યું, મુંબઈથી આવેલા 28 જમાતીઓમાંથી 7ને કોરોના પોઝિટિવ આવતા ચિંતા

ભાવનગરમાં આજે એક ખળભળાટ મચાવનારી ઘટનામાં મુંબઇથી ભાવનગર ખાનગી ટ્રાવેલ્સની બસમાં સમૂહમાં આવેલા તબલીગી જમાતના સભ્યોના ભાવનગર તંત્ર દ્વારા કોરોનાના સેમ્પલ લઇ ટેસ્ટ કરાતા એક સાથે સાત શખ્સોને કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગઇ છે. આ સાતેયને આઇસોલેશન વોર્ડમાં અને અન્ય તમામને સમરસ હોસ્ટલમાં કોરોન્ટાઇન કરાયા છે. ભાવનગરમાં આવતા પહેલા વરતેજ ખાતેથી શંકાસ્પદના સેમ્પલ લઇ લેવાયા હતા જેમાં ખાનગી બસમાં ડ્રાઇવર મળીને કુલ 28 વ્યક્તિ હતા અને તેમાં 25 મુસાફરો હતા. ઓ 25 પૈકી 7ના રિપોર્ટ રાત્રે કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યાં હતા.
રાત્રે સાતને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરાયા
આ અંગે વધુ માહિતી આપતા ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતુ કે મુંબઇથી તબલીગી જમાતની બસ આવે છે તેની ખબર પડતા જ આરોગ્ય વિભાગની સુરક્ષા કીટ ધારણ કરેલી ટીમે આ બસના લોકો જે મુંબઇ તબલીગ જમાતના હોય શંકાસ્પદ ગણીને સેમ્પલ લીધા હતા. બાદમાં રાત્રે સાતને કોરોના પોઝિટિવ આવતા આ સાતને સર ટી. હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યારે અન્યને સમરસ હોસ્ટલમાં રખાયા છે. મુંબઈથી ભાવનગર આવેલા જે તબિલિગી જમાતના સભ્યો કોરોના પોઝિટિવ જાહેર થયા છે જેઓ ભાવનગરના નવાપરા વિસ્તારના હતા.
ભાવનગર પરત ફર્યા બાદ તબિયત લથડી હતી
ભાવનગરમાં આજથી બરાબર 45 દિવસ પૂર્વે સૌ પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયેલો તે પણ દિલ્હીમાં આયોજિત મરકઝ સાથે હતો. ઇન્ડિયા ટ્રાવેલ્સના હાજી અબ્દુલ કરીમભાઇ શેખ મરકઝ(મુસ્લિમ સમાજના ધાર્મિક કાર્યક્રમ)માં ગયેલા અને ભાવનગર પરત ફર્યા બાદ તેમની તબિયત લથડી હતી અને હોસ્પિટલમાં 25 માર્ચે તેમનું મોત થયું ત્યાર બાદ તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

આ છે 7 પોઝિટિવના નામ
મુંબઇથી તબલીગી જમાતના ભાવનગર આવેલા પૈકી જેઓને કોરોના પોઝિટિવ જાહેર થયો છે.

અફઝલ મહમદ સોલંકી (ઉ.વ.19)

નૌશાદ ઇરફાન મકવાણા (ઉં.વ.18)

સમીર અબેદીન સોરઠીયા (ઉં.વ.20)

મહેતર શોયેબ ઇકબાલ (ઉં.વ.21)

અરબાઝ સલીમ સરવૈયા (ઉં.વ.20)

રીયાઝ ગફારભાઇ સૈયદ (ઉં.વ.24)

ઇરફાન ગફાર કુરેશી (ઉં.વ.35)

તબલીગી જમાતની આવન-જાવનથી ચિંતા
દિલ્હીની તબલીગી જમાત દ્વારા કોરોના આખા દેશમાં ફેલયો હોવાનુ બહાર આવ્યુ છે. આ સંજોગોમાં ભાવનગર શહેર અને જિલ્લામાં તબલીગી જમાતના લોકોની આવન-જાવનથી ચિંતા ઉભી થઇ છે. ભાનગરમાં જ રહેતા લોકો પરત આવે પણ તમામનું મેડિકલ ચેકઅપ થવુ જોઇએ અને નિયમ મુજબ ક્વોરન્ટાઇન થવા જોઇએ. આ અગાઉ પણ ભાવનગરમાં કોરોનાની મહામારીના સમયગાળામાં તબલિગી જમાતની અવર-જવર રહેતા આ વિષય ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો.

હવે સ્કેનીંગ-મેડિકલ ચેકઅપ સઘન કરાશે
આજે બપોરથી સતત આ બનાવની ગંભીરતા સમજી અમે સક્રિય હતા. સ્થાનિક અધિકારોઓ અને મુખ્યમંત્રી કાર્યાલયના માર્ગદર્શન બાદ ભાવનગરમાં વધુ કોઇ લોકો સંક્રમિત ન થાય તે માટે સતત ચિંતિત હતા. ભાવનગરમાં બહારથી આવતા લોકોનું સ્કેનીંગ અને મેડિકલ ચેકઅપ વધુ સક્રિય બનાવવાનોપણ નિર્ણય લેવાયો છે. > વિભાવરીબેન દવે, રાજ્ય શિક્ષણ મંત્રી

તંત્રની સજાગતાને કારણે ભાવનગર બચ્યું
મુંબઇથી આવેલા અને દિલ્હીની નિઝામુદ્દીન મસ્જીદ સાથે સંકળાયેલા ભાવનગર નવાપરાના 25 લોકોને મેડિકલ ચેકઅપ બાદ તેમના ઘરે જવા દેવાયા હોત તો તે લોકો દ્વારા અનેક લોકોને સંક્રમીત કરાયા હોત. તંત્ર દ્વારા રખાયેલી સજાગતાને કારણે ભાવનગર કહેરથી બચી ગયુ છે. ભાવનગરનો પ્રથમ પોઝીટીવ કેસ પણ આ મસ્જીદ સાથે સંકળાયેલા લોકોમાંના જ એક હતા.

ગુજરાત ટ્રાવેલ્સની બસ મુંબઇ કેમ ગઇ?
લોકડાઉન પહેલા મુંબઇથી સિહોર આવેલા 18 જેટલા લોકો સિહોરમાં લોકડાઉન દરમિયાન અટવાયા હતા. જેમણે ભાવનગર જિલ્લા ક્લેક્ટરની પરમિશન લઇને ગુજરાત ટ્રાવેલ્સની GJ-04-AW-8900 બસ તેઓને લઇને ભાવનગરથી મુંબઇ ગઇ હતી. અને મુંબઇમાં ફસાયેલા 25 જેટલા ભાવનગરના તબલીગો મુંબઇમાં ફસાયા હતા તેમને ભાવનગર લાવવાના હતા તેઓએ મુંબઇથી ભાવનગર આવવા માટેની પરમીશનલીધી હોય તેમને ગુજરાત ટ્રાવેલ્સની બસમાં ભાવનગર પરત લવાયા હતા. મારી બસના નંબર પ્લેટ લગાડવાનો સમય ન હોય નંબર પ્લેટ લગાડી ન હતી. પરંતુ ડ્રાઇવર સીટની પાસે સ્ટીયરીંગ પાસે નંબર પ્લેટને છુટ્ટી મુકવામાં આવી હતી. -ઇમરાનભાઇ, ગુજરાત ટ્રાવેલ્સ ભાવનગર

બપોરે 3 થી રાત્રે 11 સુધી

  • ભાવનગરની અધેલાઇ ચેકપોસ્ટ પર ગુજરાત ટ્રાવેલ્સની બસ મુંબઇના તબલીગ જમાતના 25 લોકોને લઇને આવી હતી. બસની નંબર પ્લેટ લગાડેલી ન હતી. આ બસને પુછપરછ કરતા મુંબઇમાં જમાતના કાર્યક્રમમાં ગયેલા લોકો ફસાયેલા હોવાથી મંજુરી લઇને ભાવનગર લાવવામાં આવ્યા હતા.
  • આ અંગેની જાણ ભાવનગર તંત્રને કરાતા બસને વરતેજ લઇ જવામાં આવી હતી. જ્યાં પીપીઇ કીટ પહેરી મેડીકલ સ્ટાફે પહોંચી તમામના સેમ્પલ લીધા હતા.
  • સેમ્પલ લીધા બાદ આ લોકોને તેમના ઘરે મોટા ભાગના નવાપરાના હતા ત્યા જવા દેવાના હતા. પણ ત્યાના સ્થાનિક લોકોના જેમાં મુસ્લીમ લોકો પણ હતા તેનો વિરોધ હતો.
  • ત્યારબાદ આ લોકોના રીપોર્ટ ન આવે ત્યાં સુધી બસને પોલીસ બંદોબસ્ત નીચે જવાહર મેદાન ખાતે રાખવામાં આવેલ.
  • આ બનાવની જાણ થતા બપોરથી જ કલેક્ટર કચેરી ખાતે મંત્ર વિભાવરીબેન દવેની હાજરીમાં એક ઉચ્ચ્સીરીથ બેઠક મળી હતી.
  • બનાવની ગંભીરતા જાણી મંત્રી વિભાવરીબેને મુખ્યમંત્રી અને સચીવ અશ્વીનીકુમારને સમગ્ર ઘટનાથી વાકેફ કરેલ.
  • જમાતના આવેલા તબલીગીઓ ભાવનગરના જ હોવાથી તેમને ભાવનગર સમરસમાં અન્ય દર્દીઓથી જુદા ક્વોરન્ટાઇન કરવાનો નીર્ણય લીધો હતો.
  • શિશુવિહારની મસ્જીદમાં ગુરૂવારે ક્વોરન્ટાઇન કરાયેલ પુનાના 17 જમાતીઓને પણ સમરસમાં ખસેડાયા હતા.
  • રાત્રે 11 વાગે મુંબઇથી આવેલા નવાપરામાં રહેતા તબલીગીઓમાંથી 7નો રીપોર્ટ પોઝીટીવ આવતા તમામને સર.ટી.ના આઇશોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા અને બાકીનાને સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયા હતા.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મુંબઇથી આવેલા જમાતી.


from Divya Bhaskar https://ift.tt/3bgN3KL

No comments:

Post a Comment