Ad

Showing posts with label Divya Bhaskar. Show all posts
Showing posts with label Divya Bhaskar. Show all posts

Monday, August 17, 2020

દિલ્હીમાં 13 લાખ, મુંબઈમાં 6.5 લાખની સરખામણીએ અમદાવાદમાં 2.16 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરાયા

અમદાવાદ શહેરમાં 17 માર્ચે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ પછી 15 ઓગસ્ટ સુધીમાં મ્યુનિ. હેલ્થ વિભાગે કુલ 216592 ટેસ્ટ કર્યા છે. જે શહેરની કુલ વસતીના 3.43 ટકા જ થાય છે. દિલ્હીમાં અત્યાર સુધી 13 લાખ અને મુંબઈમાં 6.51 લાખ ટેસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હીની વસતી અંદાજે 3.02 કરોડ છે અને કુલ ટેસ્ટ 13 લાખની આસપાસ થયા છે. વસતીની ટકાવારી પ્રમાણે જોઈએ તો ટેસ્ટનું પ્રમાણ 4.31 ટકા છે. આમ અમદાવાદની સરખામણીએ દિલ્હીમાં વધુ ટેસ્ટ થાય છે.
મુંબઈની વસતી અંદાજે 2.04 કરોડ છે. અહીં લગભગ 6.50 લાખ ટેસ્ટ થયા છે. વસતીની ટકાવારી પ્રમાણે આ રેશિયો 3.19 ટકા આવે છે. આમ મુંબઈની સરખામણીએ અમદાવાદમાં વધુ ટેસ્ટ થયા છે.

શહેરમાં માર્ચ મહિનામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 6.86 ટકા હતો જે એપ્રિલમાં 11.54 અને મેમાં 19.77 થયો હતો. જ્યારે જૂનથી 15 ઓગસ્ટ સુધીમાં આ રેટ લગભગ સરખો અંદાજે 22 ટકા સુધી પહોંચ્યો છે. જો કે બીજી તરફ સારી બાબત એ છે કે, અમદાવાદમાં રિકવરી રેટ માર્ચ મહિનામાં 10 ટકા હતો તે વધીને 15 ઓગસ્ટ સુધીમાં 83 ટકા સુધી પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુદર 10.34 ટકાથી ઘટીને 5.98 ટકા સુધી પહોંચ્યો છે. પાંચ મહિનામાં સૌથી વધુ કેસ મે મહિનામાં 8,952 અને જૂનમાં 8,122 કેસ નોંધાયા હતા. જ્યારે જુલાઈમાં આ સંખ્યા ઘટીને 5,009 થઈ હતી અને ઓગસ્ટના 15 દિવસમાં 2116 કેસ નોંધાયા છે. સૌથી વધુ મૃત્યુ મે મહિનામાં 686, જૂનમાં 572 થયા હતા. જ્યારે જુલાઈમાં તે ઘટીને 151 અને ઓગસ્ટના 15 દિવસમાં 58 દર્દીના મૃત્યુ થયા છે.

બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા પણ એપ્રિલ-મે મહિનાની તુલનામાં 19 ઓગસ્ટમાં ઘટી છે. જો કે, જુલાઈ મહિનાના છેલ્લા સપ્તાહ કરતાં ઓગસ્ટમાં વધી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં સરેરાશ 3 હજાર જેટલા એક્ટિવ કેસ છે.

મેમાં સૌથી વધુ 60520 ટેસ્ટ કરાયા
શહેરમાં માર્ચમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. જો કે, સમગ્ર માર્ચ દરમિયાન 423 સેમ્પલ લઈ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એપ્રિલમાં આ પ્રમાણ વધીને 26 હજાર જ્યારે મે મહિનામાં સૌથી વધુ 60 હજાર ટેસ્ટે પહોંચી ગયું હતું.

મહિનો કેસ મૃત્યુ મૃત્યુદર રિકવરી રેટ કુલ સેમ્પલ પોઝિટિવ
માર્ચ 29 3 10.34% 10% 423 6.86%
એપ્રિલ 2982 144 4.88% 13% 26098 11.54%
મે 8952 686 6.96% 59% 60520 19.77%
જૂન 8122 572 7.00% 78% 91177 22.03%
જુલાઈ 5009 151 6.50% 80% 23927 22.01%
ઓગસ્ટ 2116 58 5.98% 83% 14447 21.15%

આટલા ટેસ્ટ કરાયા

  • દિલ્હી- 1302120
  • મુંબઈ- 651593
  • અમદાવાદ- 216592

નવા 13 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં, 7ને મુક્ત કરાયા

  • હરિધામ એપાર્ટમેન્ટ, મણિનગર
  • સમ્રાટનગર સે.1, ઘર ન. 85, 86,87 90, 91,92, ઘોડાસર
  • 3 લાઈન 24 ઘર, 5મી લાઈન 28 ઘર, ઈન્દિરાનગર, વટવા
  • સર્વોપરી ફ્લોરા-2, ડી-બ્લોક, નરોડા
  • ઈડન ફોક્સ, પી બ્લોક, 4થી 6 માળ, ગોદરેજ ગાર્ડન સિટી
  • સેરેનિટી સ્પેસ, 4થી 6 માળ, ચાંદલોડિયા
  • અખંડઆનંદ સોસાયટી-2, ઘર નં.16થી 44, ઘાટલોડિયા
  • ચંદ્રભાગા સોસાયટી, ઘર નંબર 9થી 13, નવા વાડજ
  • જગદીશપાર્ક-2, સી-1 લેન, વિરાટનગર
  • સમન્વય રેસિડેન્સી, ડી બ્લોક 6ઠ્ઠો માળ, બોપલ
  • સનસિટી સેક્ટર-4, ક્યૂ બ્લોક, ગ્રાઉન્ડ ફ્લોર, બોપલ
  • સેટેલાઈટ પાર્ક, Lબ્લોક ચોથો માળ, 41થી 44, જોધપુર


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona tests were performed on 2.16 lakh people in Ahmedabad as compared to 13 lakh in Delhi and 6.5 lakh in Mumbai.


from Divya Bhaskar https://ift.tt/312Xj7z

ડેમોક્રેટ સામે ટક્કર લેવા ટ્રમ્પ ડિજિટલ પ્રચાર પાછળ ચાર દિવસમાં 75 કરોડનો ખર્ચ કરશે

કોરોના સંકટના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારની પદ્ધતિ બદલાઈ ગઈ છે. રેલીઓ, ફંડ એકઠું કરવા સભાઓ અને ચૂંટણી મુદ્દા પર ચર્ચા જેવા કાર્યક્રમ લગભગ રદ્દ થઈ ચૂક્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેને અત્યાર સુધી એક પણ રેલી કરી નથી. અગાઉ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઓગસ્ટના મધ્ય સુધી પાર્ટીઓનાં કાર્યકર્તા વોટરોનાં દરવાજે ટકોરા મારી દેવાતા હતા. આ વર્ષે આમ થયું નથી. ચૂંટણીમાં બંને પાર્ટીઓનું નેશનલ કન્વેન્શન મહત્ત્વનું હોય છે. અહીં પાર્ટીઓ ઉમેદવારોનું નામાંકન સ્વીકારે છે.

ચાલુ વર્ષે ડેમોક્રેટિક પાર્ટીનું નેશનલ કન્વેન્શન એપ્રિલમાં યોજાવાનું હતું, જેને લંબાવીને જુલાઈ અને પછી 17 ઓગસ્ટ કરવું પડ્યું છે. ટ્રમ્પને પણ ફ્લોરિડામાં કન્વેન્શન રદ્દ કરવું પડ્યું છે. તે ચારલોટના કન્વેન્શનમાં પણ સામેલ નહીં થાય. આટલું જ નહીં ટ્રમ્પ વોશિંગટન ડીસીના એન્ડ્ર્યુ મેલન ઓડિટોરિયમમાં નોમિનેશન સ્વીકારશે, પરંતુ ભાષણ વ્હાઈટ હાઉસમાંથી આપશે. ચારલોટ કન્વેન્શનમાં 400 પાર્ટી ડેલિગેટ્સ ભાગ લેશે.

આ વખત પ્રત્યક્ષ રેલીઓ, ઘરે-ઘરે પહોંચીને પ્રચાર જેવી ગતિવિધિઓનું સ્થાન ડિજિટલ માધ્યમે લીધું છે. પાર્ટિઓ વેબસાઈટ, યુટ્યુબ વગેરે પર જાહેરાત આપીને પ્રચાર કરી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના નેશનલ કન્વેન્શનને મોટી ટક્કર આપવા માટે વિશાળ ડિજિટલ અભિયાન ચલાવવાની યોજના બનાવી છે. આ કન્વેન્શન ચાર દિવસ સુધી ચાલશે. ટ્રમ્પના પ્રવક્તા ટિમ મુર્તોએ કહ્યું કે, તેમની પાર્ટી આ ચાર દિવસોમાં ડિજિટલ પ્રચાર પાછળ રૂ.75 કરોડનો ખર્ચ કરશે. યુટ્યુબ પર સતત 96 કલાક પ્રચાર કરાશે. આ ઉપરાંત અનેક મોટી વેબસાઈટ અને ન્યૂઝ આઉટલેટ્સ પર કેમ્પેઈન ચલાવાશે. જેની સામે બાઈડેન ટીવી અને રેડિટો દ્વારા પ્રચાર કરી રહ્યા છે.

એડ ટ્રેકિંગ ફર્મ એડવર્ટાઈઝિંગ એનાલિટિક્સ અનુસાર, બાઈડેને 8 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી પ્રચાર પાછળ રૂ.111 કરોડ અને ટ્રમ્પે 53 કરોડ ખર્ચ્યા છે. બંને પાર્ટીઓ આ વખતે ચૂંટણી પ્રચાર કાર્યકર્તાઓની અછતનો પણ સામનો કરી રહી છે. અનેક કાર્યકર્તાઓએ વોટિંગના દિવસે કામ કરવાનો પણ ઈનકાર કરી દીધો છે. એકલા મેરીલેન્ડ રાજ્યમાં જ 14 હજાર કાર્યકર્તાઓની ઘટ છે.

ભારતીયતા : મંત્ર- અરદાસની સાથે ડેમોક્રેટનું કન્વેન્શન શરૂ
ડેમોક્રેટિક પાર્ટીનું ચાર દિવસનું નેશનલ કન્વેન્શન સોમવારથી શરૂ થઈ ગયું છે. તેના માટે દેશભરમાં અલગ-અલગ સ્થળે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. પ્રથમ દિવસે ટેક્સાસમાં ઓનલાઈન સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ. જેમાં વેદો અને મહાભારતના શ્લોક વાંચવામાં આવ્યા. શીખ ધર્મની અરદાસ પણ કરાઈ. ટેક્સાસમાં ચિન્મય મિશનના એક અનુયાયીએ મંત્રોચ્ચાર કર્યો. વિસ્કોન્સિન ગુરુદ્વારના શીખ સમુદાયના એક નેતાએ અરદાસ ગાઈ હતી. આ સંમેલનમાં બાઈડેનને ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ અને ભારતીય મૂળની સેનેટર કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના કાયદેસરના ઉમેદવાર ચૂંટવામાં આવશે. આ અગાઉ ‘બાઈડેન ફોર પ્રેસિડન્ટ’ અભિયાન માટે રવિવારે પણ સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ હતી. જેમાં બાઈડેન અને હેરિસ માટે મહાભારતની પંક્તિઓ વાંચતા કહેવાયું હતું - ‘યતો કૃષ્ણ તતો ધર્મ, યતો ધર્મ તતો જય’. ટ્રમ્પ અને બાઈડેન વચ્ચે પ્રથમ ચર્ચા 29 સપ્ટેમ્બરના રોજ યોજાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3130Jr2

કેજરીવાલે કહ્યું- ટેસ્ટ ભૂલી જાઓ, પહેલાં 6 હજાર દર્દી આવતા હતા, હવે હજારથી પણ ઓછા, યુપી સહિત જ્યાં તક મળશે ત્યાં ચૂંટણી લડીશું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજકાલ ચર્ચામાં છે. આ વખતે તેઓ એલજીના નિવાસસ્થાને ધરણાં કે કેન્દ્ર સરકાર સાથેની ટક્કરના કારણે નહીં, કોરોના સામે લડવાના દિલ્હી મોડલને લઈને ચર્ચામાં છે. મોદીએ પોતાના સંબોધનમાં દિલ્હી મોડલનાં વખાણ કર્યાં હતાં. કોરોના ટેસ્ટિંગની બદલાયેલી પદ્ધતિ સામે સવાલ ઊઠી રહ્યા છે. બિહારની ચૂંટણી માથે છે અને આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં પણ ચૂંટણી છે. કોરોનાની લડાઇના દિલ્હી મોડલના પ્રચારથી આશાન્વિત આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય સ્તરે પક્ષના વિસ્તરણની શક્યતા જુએ છે. જોકે, બિહારની ચૂંટણી માટે તેઓ સમયનો અભાવ હોવાનું કહે છે પણ યુપીના ચૂંટણીજંગમાં ઝુકાવવાની પૂરી તૈયારી છે. આ અંગે કેજરીવાલ સાથેની વાતચીતના મુખ્ય અંશ..

સવાલ: દિલ્હીમાં કોરોનાના દર્દી ઘટી રહ્યા છે. શું અહીં પિક આવી ચૂક્યું છે કે હજુયે ઉપર-નીચે થશે?
કેજરીવાલ: કોરોના અંગે કશું પણ કહી ના શકાય. અમે કોઈ કામમાં કચાશ રાખવા નથી માંગતા. જ્યાં સુધી સંપૂર્ણ કામ ના થઈ જાય ત્યાં સુધી તૈયારી પણ ઓછી કરવાનો નિર્ણય ના લઈ શકાય. કોરોનાના મામલામાં દેશ કરતાં દિલ્હીમાં સ્થિતિ સારી છે. આશા છે કે, ભવિષ્યમાં પણ આવી સ્થિતિ રહે.

સવાલ: આરટીપીસીઆર ટેસ્ટ જ માપદંડ મનાય છે, પરંતુ હવે મોટી સંખ્યામાં રેપિડ એન્ટિજન ટેસ્ટ જ થઈ રહ્યા છે. જ્યારે તેમાં ભૂલની શક્યતા ઘણી વધુ ગણાવાઈ રહી છે. હકીકત શું છે?
કેજરીવાલ: અમે નિષ્ણાત નથી. અમે એ નથી જાણતા કે આ ટેસ્ટ સારો છે કે પેલો ટેસ્ટ વધુ સારો છે. આઈસીએમઆરની જે ગાઈડલાઈન છે તે જ પ્રમાણે ટેસ્ટ અને પોઝિટિવનો રેશિયો દર્શાવાઈ રહ્યો છે. તમે ટેસ્ટ ભૂલી જાઓ, તમે દિલ્હીની ઓ‌વરઑલ સ્થિતિ જુઓ. મૃત્યુ પણ ઘટી રહ્યાં છે. એક સમયે એક જ દિવસમાં છ હજાર દર્દી આવતા આજે હજારથી પણ ઓછા છે. રિકવરી રેટ 90%થી વધુ છે. ટૂંકમાં દિલ્હીમાં કોરોનાની તીવ્રતા ઘટી રહી છે.

સવાલ: તમે રાજ્યોને સતત સલાહ આપો છો કે તેમણે દિલ્હી મોડલ અપનાવવું જોઈએ.
કેજરીવાલ: મેં એવું નથી કહ્યું કે, દિલ્હી મોડલ અપનાવવું જોઈએ. મેં એવું કહ્યું હતું કે, દિલ્હી મોડલની જ બધે ચર્ચા છે. કોવિડ એક એવી ચીજ છે, જેમાંથી બધાએ કંઈક શીખવું જોઈએ. હોમ આઈસોલેશનનું દિલ્હી મોડલ ઉદાહરણીય છે, પરંતુ કન્ટેઈન્મેન્ટ ઝોન ક્યાં બનશે, એ તો દરેક રાજ્યોએ ખુદ તૈયાર કરવાનું છે. મુંબઈના ધારાવી મોડલમાંથી અમે શીખ્યા છીએ.

સવાલ: હવે લૉકડાઉન કેટલું કારગત નીવડશે?
કેજરીવાલ: લૉકડાઉનથી કોરોના અટકતો નથી, ફક્ત મોડું થાય છે. જો આપણી પાસે એક હજાર બેડ બો. અને બે હજાર દર્દી આવવાનું અનુમાન હોય, તો લૉકડાઉનથી બેડ વધારવાની તૈયારી કરવાનો સમય મળે છે.

સવાલ: કોરોના કાળમાં કેન્દ્ર સાથે તમારો તાલમેલ સારો હતો. શું આ જ દિલ્હી મોડલ છે?
કેજરીવાલ: દિલ્હી મોડલનો આધાર જ એ છે કે કોરોના સામે કોઈ સરકાર કે કોઈ વ્યક્તિ એકલપંડે ના લડી શકે. જેટલી લડાઈ છે, મતભેદ છે, તે બાજુમાં રાખો. અમારી પાસે ઓક્સિજન સિલિન્ડર ઓછાં હતાં, વેન્ટિલેટર પણ ન હતાં. અમે કેન્દ્ર પાસે માંગ્યા, તેમણે આપ્યા.

સવાલ: શું ભવિષ્યમાં પણ કેન્દ્ર સાથે દિલ્હી સરકારની આવી જ જુગબંધી જોવા મળશે?
કેજરીવાલ: દિલ્હીના વિકાસ માટે કોઈ પાસે જઈને મારે હાથ જોડવા પડશે, તો હું એવું કરીશ. કોરોના મહામારીમાં જરૂર પડી ત્યારે અમે કેન્દ્રના નિર્ણયો સામે તેમને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો.

શિક્ષણ સારું હોય, અમે અમારું શિક્ષણ બોર્ડ લાવીશું
કેજરીવાલે કહ્યું કે, અમારું સપનું છે કે શિક્ષણ ઉત્તમ હોવું જોઈએ. સીબીએસઈનું હાલનું મોડલ લોર્ડ મેકોલેના મોડલ પર આધારિત છે. અમે તે બદલવા માંગીએ છીએ. અમે અમારું બોર્ડ લઈને આવીશું. નવી શિક્ષણ નીતિનો મનીષ સિસોદિયા અને તેમની ટીમે અભ્યાસ કર્યો છે. તેમાં ઘણું સારું છે અને કેટલીક ખામીઓ પણ છે. જોકે, તેનો હેતુ અને નિયત સારી છે, પરંતુ તેનો અમલ કેવી રીતે થશે, તેની કોઈ જ રૂપરેખા નથી દેખાતી.

સવાલ: આ વર્ષે બિહારમાં, આવતા વર્ષે યુપીમાં ચૂંટણી છે. શું આમ આદમી પાર્ટી બિહાર, યુપીમાં ચૂંટણી લડશે?
કેજરીવાલ: દિલ્હીમાં કામની આખા દેશમાં ઘણી ચર્ચા છે. અમને જ્યાં તક મળશે ત્યાં કર્તવ્ય પૂર્ણ કરીશું. બિહારમાં અમારી પાસે ઓછો સમય બચ્યો છે. ત્યાં કેટલું કરી શકીશું એ કેવી રીતે કરી શકીશું તે કહેવું મુશ્કેલ છે પણ તૈયારી સાથે આગળ વધતા જઇશું. યુપી સહિત જ્યાં શક્ય હશે ત્યાં ચૂંટણી લડવા પ્રયાસ કરીશું. અમે સંગઠનનું પણ વિસ્તરણ કરી રહ્યા છીએ.

સવાલ: શું રાષ્ટ્રીય સ્તરે અસરદાર વિપક્ષનો અભાવ છે?
કેજરીવાલ: હા, તમારી વાત સાથે સહમત છું પણ હાલ શાસક પક્ષમાં પણ ઘણી ખામીઓ છે. દેશ કોરોના મહામારીથી પીડિત છે, ચીન સરહદે દસ્તક દઇ રહ્યું છે ત્યારે દેશના 2 રાષ્ટ્રીય પક્ષ રાજસ્થાનમાં સરકાર પાડવા અને બચાવવામાં વ્યસ્ત રહ્યા.

સવાલ: ગોવા, કર્ણાટક, મધ્યપ્રદેશમાં પછડાટ બાદ છેવટે રાજસ્થાનમાં કોંગ્રેસ સફળ રહી?
કેજરીવાલ: કોંગ્રેસ ખતમ થઇ ગઇ. જનતાએ જેમને મત આપ્યા તેઓ બજારમાં છે. આને હાર કે જીત, શું કહીશું?

સવાલ: દિલ્હીમાં જીતાડનારા મતદારો તમને સાંસદ નથી ચૂંટતા?
કેજરીવાલ: લોકસભા ચૂંટણીથી સમજાયું કે લોકો અમને દિલ્હીનો પક્ષ માને છે. અમે તેમને સમજાવી ન શક્યા કે તેઓ રાષ્ટ્રીય સ્તરે અમને શા માટે મત આપે?

સવાલ: દિલ્હી પરત ફરેલા શ્રમિકો માટે શું કરી રહ્યા છો?
કેજરીવાલ: દિલ્હીમાં રોજગારીની તકો ખૂલવા લાગી છે. અમે જોબ પોર્ટલ બનાવ્યું, ડીઝલના ભાવ ઘટાડ્યા. તમામ પ્રવૃત્તિઓ ધીમે-ધીમે ખોલી રહ્યા છીએ. વ્યાપાર-ઉદ્યોગ સંગઠનો સાથે વાત કરી. તેમની પાસેથી સારાં સૂચનો મળ્યાં છે.

સવાલ: નવાં વિકાસકાર્યો ક્યાં સુધીમાં શરૂ થઇ જશે?
કેજરીવાલ: રેવન્યૂ થોડી વધી છે. ધીમે-ધીમે વિકાસકાર્યો શરૂ કરી શકીશું. સંપૂર્ણપણે શરૂ કરવામાં સમય લાગશે. દિલ્હી પણ દેશનો જ હિસ્સો છે. કોરોનાની રસી ન આવી જાય ત્યાં સુધીમાં સ્થિતિ સુધરતાં સમય લાગશે. લોકો ધીમે-ધીમે કામ પર પાછા ફરશે.

સવાલ: કેન્દ્રીય વેરામાં દિલ્હીની હિસ્સેદારી ક્યારે વધશે?
કેજરીવાલ: કેન્દ્ર સાથે સતત વાત ચાલી રહી છે. દરેક પ્લેટફોર્મ પર આ વાત ઉઠાવી પણ હજુ સુધી કોઇ નક્કર જવાબ નથી મળ્યો. તે માટે પૂર્ણ રાજ્ય હોવું જરૂરી નથી, કેન્દ્ર ઇચ્છશે તો હિસ્સેદારી વધી જશે.

સવાલ: અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે દેશભરમાંથી લોકો યોગદાન આપી રહ્યા છે. તમે પણ આપશો?
કેજરીવાલ: પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે બધાએ યોગદાન આપવું જોઇએ અને જે પણ અપાય છે તેની જાહેર ચર્ચા નથી કરાતી. જો હું કહી દઉં કે શું યોગદાન આપીશ તો પછી તે ભક્તિ ન રહેતાં રાજકારણ થઇ જાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ.


from Divya Bhaskar https://ift.tt/3iPhLih

​​​​​​​સુપ્રીમકોર્ટ નક્કી કરશે કે જજો સામે જાહેરમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકાય કે નહીં?

વકીલ પ્રશાંત ભૂષણ સામેના કોર્ટના અનાદરનાં 11 વર્ષ જૂના કેસમાં સુપ્રીમકોર્ટે સોમવારે 2 મોટા સવાલ નક્કી કર્યા. આ અંગે સુનાવણી કરી રહેલી કોર્ટ નક્કી કરશે કે જજો સામે સાર્વજનિક ધોરણે ભ્રષ્ટાચારનો આરોપ લગાવી શકાય કે નહીં? જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બેન્ચ એ પણ નક્કી કરશે કે આ મુદ્દો સુનાવણી માટે લાર્જર બેન્ચને મોકલવો કે નહીં? વધુ સુનાવણી 24 ઓગસ્ટે થશે.

પ્રશાંત ભૂષણ વતી સિનિયર એડવોકેટ રાજીવ ધવને સુપ્રીમકોર્ટ સમક્ષ કહ્યું કે જજો સામે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવો એ કોર્ટનો અનાદર નથી. કોર્ટે આરોપોના સંદર્ભમાં પરિસ્થિતિઓ પર વિચાર કરવો જોઇએ. સુનાવણી દરમિયાન જસ્ટિસ મિશ્રાએ રિટાયર્ડ જસ્ટિસ જે. એસ. વર્માનો એક ચુકાદો ટાંકતાં કહ્યું, ‘સુપ્રીમકોર્ટનો આ ચુકાદો કહે છે કે જજો સામે ભ્રષ્ટાચારનો આરોપ સીધો પહેલી વારમાં જાહેર ન કરી શકાય. તે પહેલાં કોર્ટના વહીવટી વિભાગમાં આંતરિક તપાસ માટે મૂકવા જરૂરી છે.’

આ તબક્કે સિનિયર એડવોકેટ શાંતિ ભૂષણે કહ્યું કે કોર્ટે નિયમિતપણે સુનાવણી શરૂ થયા બાદ જ આ મામલો સાંભળવો જોઇએ. જવાબમાં જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે તેઓ મામલો ખતમ કરવા ઇચ્છતા હતા પણ આમાં બે મહત્ત્વના સવાલ ઊભા થયા છે, જે નક્કી કરવા ખૂબ જરૂરી છે. આ સવાલ કોઇ વ્યક્તિ વિશેષના સંદર્ભમાં નથી. નોંધનીય છે કે 2009માં પ્રશાંત ભૂષણે ‘તહલકા’ મેગેઝિનને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે કોર્ટના 16 ચીફ જસ્ટિસમાંથી અડધાને ભ્રષ્ટ કહ્યા હતા. આ મામલે સુપ્રીમકોર્ટે સુઓ મોટો નોંધ લઇને અનાદરની કાર્યવાહી હાથ ધરી હતી. મેગેઝિનના તત્કાલીન એડિટર તરુણ તેજપાલ પણ આરોપી છે.

સુપ્રીમકોર્ટ આ 2 સવાલ અંગે વિચાર કરશે

  • જો કોઇ જજ સામે ભ્રષ્ટાચાર સંબંધી ફરિયાદ હોય તો શું જજોના ભ્રષ્ટાચાર અંગે સાર્વજનિક નિવેદન આપી શકાય? આવા નિવેદન ક્યારે આપી શકાય અને ક્યારે નહીં?
  • હાલ કાર્યરત જજો અને નિવૃત્ત જજોના સંબંધમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવા અંગે શું પ્રક્રિયા હોવી જોઇએ?


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Will the Supreme Court decide whether judges can be publicly charged with corruption?


from Divya Bhaskar https://ift.tt/313DbCb

ભારતે ખાનગી ક્ષેત્રમાં તૈયાર કરી એન્ટિ ટેન્ક મિસાઈલ, 12 મહિનામાં પરીક્ષણ થશે, રેન્જ અઢી કિલોમીટર

સંરક્ષણ ઉત્પાદન મામલે ભારતના ખાનગી ક્ષેત્રમાંથી મોટા સમાચાર મળ્યા છે. ખાનગી ક્ષેત્રએ પ્રથમ મિસાઈલ તૈયાર કરી લીધી છે. ત્રીજી પેઢીની આ એન્ટિ ટેન્ક મિસાઈલ પરીક્ષણ માટે તૈયાર છે. 12 મહિનાની અંદર તેનું પરીક્ષણ કરવાની આશા છે. ખાનગી ક્ષેત્રમાં મિસાઈલ તૈયાર કરાયાના સમાચાર પણ એવા સમયે આવ્યા છે જ્યારે સંરક્ષણ મંત્રાલયે દેશમાં હથિયાર અને સંરક્ષણ ઉપકરણોના મોટા પાયે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અઠવાડિયા પૂર્વે જ 101 સંરક્ષણ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.

આ સંકલ્પને સાકાર કરવા સોમવારે ભારતીય સેનાના ટોચના અધિકારીઓ, સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને ખાનગી ક્ષેત્રના દિગ્ગજો વચ્ચે ચર્ચા-વિચારણા થઈ હતી. તેના ઉદ્ઘાટન સત્રમાં જ ખાનગી ક્ષેત્રની મિસાઇલ તૈયાર થયાનો ખુલાસો કરાયો હતો. સેનાના વાઈસ ચીફ લેફ્ટનન્ટ જનરલ એસ.કે.સૈનીએ ઉદ્યમીઓ વચ્ચે જ જાહેરાત કરી હતી કે સેના સ્વદેશી હથિયારો સાથે જ યુદ્ધ લડીને જીતશે. પણ આપણે ધ્યાન રાખવું પડશે કે ભવિષ્યનાં યુદ્ધ કંઇક અલગ જ પ્રકારનાં હશે. આપણે હથિયાર છોડી નવી ટેક્નોલોજી પર ફોકસ કરવું પડશે.

રાજકીય માધ્યમોથી સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવાની પણ તૈયારી
ભારત સરકારે દેશમાં તૈયાર મિલિટરી પ્લેટફોર્મ્સ અને હથિયારોની નિકાસને પ્રોત્સાહન આપવાનો રોડમેપ તૈયાર કર્યો છે. સંરક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેના માટે રાજકીય ચેનલ્સની પણ મદદ લેવાશે. સંરક્ષણ સચિવ રાજકુમારે એક વેબિનારમાં જણાવ્યું કે ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગ મિત્ર દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયાસ કરશે કે તેમને કયા પ્રકારનાં પ્લેટફોર્મ્સની જરૂર છે.

પ્રહાર કરવા ટ્રાઈપોડની જરૂર નહીં પડે
આ મિસાઈલ હૈદરાબાદની વીઈએમ ટેક્નોલોજીએ તૈયાર કરી છે. ડીઆરડીઓએ પણ આવી જ એન્ટિ ટેન્ક મિસાઈલ તૈયાર કરી હતી. આ મિસાઈલ તેનાથી હળવી છે. 18 કિલોની આ મિસાઈલને સૈનિકો સરળતાથી પોતાની સાથે લઈ જઈ શકશે. તેના વજનમાં 6 કિલોનું લોન્ચ યુનિટ પણ સામેલ છે. પ્રહાર કરવા માટે ટ્રાઈપોડની જરૂર નહીં પડે. મિસાઈલ થર્મોગ્રાફિક કેમેરાથી સજ્જ છે. તેનું ઈન્ફ્રારેડ સીકર કોઈ પણ એક્સપ્લોઝિવ રિએક્ટર આર્મર એટલે કે રાસાયણિક ઊર્જાથી પ્રૂફ બખ્તરિયા વાહનને પણ નષ્ટ કરી શકે છે. તેને એન્ટિ ટેરર ઓપરેશનમાં પણ ઉપયોગમાં લઈ શકાશે. તેની રેન્જ 2.5 કિમીની છે.

સેનાએ દેશમાં હથિયાર નિર્માણના ફાયદા ગણાવ્યા

  • આયાત પર શત્રુની નજર હોય છે પણ દેશમાં હથિયાર અને વિસ્ફોટક તૈયાર થશે તો શત્રુ આપણા ભંડાર વિશે જાણી નહીં શકે.
  • વિસ્ફોટકનો સ્ટોક રાખવાની જરૂર નથી. ફક્ત ક્ષમતા પ્રાપ્ત કરવી જરૂરી. જરૂરિયાત મુજબ તાત્કાલિક ઉત્પાદન સંભવ.
  • હથિયારોના સુનિશ્ચિત સપ્લાયની ગેરન્ટી. બાહ્ય હથિયારોનો સપ્લાય બીજા દેશ પર નિર્ભર.
  • આયાત પર નિર્ભરતાથી બીજા દેશ પર રણનીતિક-કૂટનીતિક દબાણની સ્થિતિ નહીં.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3h64HEJ

હજી 5 દિવસ ભારે વરસાદની અગાહી, રાજ્યમાં 80% વરસાદ, ગુજરાતમાં અત્યાર સુધી 26 ઈંચ વરસાદ, ચોમાસાના 26 દિવસ બાકી

સુરત જિલ્લામાં ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. જિલ્લાના માંડવી તાલુકામાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જ્યારે મહુવામાં 9 ઇંચ, બારડોલીમાં 6 ઇંચ સાથે ચોર્યાસી-પલસાણામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી સુરત શહેરના પરવટપાટિયા-લિંબાયતમાં ખાડીપૂરના પાણી ઓસર્યા બાદ ફરી ખાડીપૂરનું સંકટ તોળાતા લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે. હાલમાં મીઠીખાડી સ્થિર તો સીમાડા અને ભેદવાડ ખાડીના સ્તર વધ્યા છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદના આંકડા

નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક 3થી 7 ઇંચ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા પર મેઘો મંડાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં દોઢ ઇંચ, ઊનામાં 1 ઇંચ, તાલાલા ગ્રામ્યમાં 12 ઇંચ અને તાલાલા ગિરમાં 8 ઇંચ, કોડીનારમાં 2 ઇંચ અને વેરાવળમાં 1 ઇંચ પાણી પડી ગયું હતું. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના કેશોદમાં દોઢ ઇંચ, જૂનાગઢ પોણો ઇંચ, ભેંસાણ પા ઇંચ, મેંદરડા દોઢ ઇંચ, માંગરોળ 2 ઇંચ, માણાવદર અડધો ઇંચ, માળિયા હાટીના દોઢ ઇંચ, વંથલી 1 ઇંચ અને વિસાવદરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલામાં પોણો ઇંચ અને બગસરામાં અડધો ઇંચ વરસાદ થયો હતો.

સૌથી વધારે અને સૌથી ઓછા વરસાદના જિલ્લાવાર આંકડા

ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સતલાસણામાં 2 ઇંચ, વિસનગર-કડીમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢમાં 3, ડીસામાં 2 અને દાંતીવાડા-ધાનેરામાં 1-1 ઇંચ જ્યારે સાબરકાંઠાના વડાલી અને ઇડરમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.

ક્યાં કેટલો વરસાદ

તાલુકો વરસાદ (ઇંચ)
તાલાલા (ગ્રામ્ય) 12
માંડવી (સુરત) 10
ડોલવણ 9
મહુવા (સુરત 9
વાંસદા 7
નવસારી 6
બારડોલી 6
વાલોડ 6
વઘઈ 5.5
ગણદેવી 5
પલસાણા 5
વ્યારા 4.5
આહવા 4.5
નખત્રાણા 4.5
ચીખલી 4.5
જોડિયા 4.5
કડી 4

રાજ્યના ડેમની સ્થિતિ

  • 206 ડેમમાં પાણી 60 ટકા 79 ડેમમાં 100 ટકા પાણી
  • 94 ડેમ હાઈ એલ ઉપર એટલે કે 90%થી વધુ ભરાયા.
  • 10 ડેમ એલર્ટ ઉપર એટલે કે 80થી 90% ભરાયા
  • 74 ડેમ વોર્નિંગ ઉપર એટલે કે 70થી 80% ભરાયા
  • સરદાર સરોવર ડેમ 54% ભરાયો
  • અન્ય ડેમો 70%થી ઓછા ભરાયા


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભારે વરસાદને કારણે ઘોડાપૂરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા.


from Divya Bhaskar https://ift.tt/3203rg9

સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાને કહ્યું- ઇશ્વર ગાતા હોત તો તેમનો અવાજ પણ આવો જ હોત...

પદ્મવિભૂષણથી સન્માનિત સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાને કહ્યું- પંડિત જસરાજની વિદાય શાસ્ત્રીય સંગીતની દુનિયા માટે બહુ મોટી ખોટ તો છે જ, મારું અંગત નુકસાન પણ છે. તેઓ મારા મોટા ભાઇ હતા. 1960-61ના દાયકામાં અમે બન્ને ઘણા પ્રોગ્રામ-ફેસ્ટિવલમાં સાથે પ્રસ્તુતિ આપતા હતા. ક્યારેક અમે તેમનાથી પહેલાં, ક્યારેક તેઓ અમારાથી પહેલાં. પદ્મશ્રી સન્માન પણ 1975માં અમને બન્નેને સાથે જ મળ્યું. સંગીત સુંદર બગીચા જેવું હોય છે, જેમાં જુદા-જુદા રંગના, જુદી-જુદી સુગંધના ફૂલો હોય છે. બગીચામાંથી જે ફૂલ જતું રહે છે તે પાછું નથી આવતું, હવે બીજા જસરાજ પેદા નહીં થઇ શકે.

પંડિત જસરાજ સ્વભાવે પણ બહુ સારા અને મિલનસાર હતા. તેમનો એક પરિવાર મુંબઇમાં છે અને એક અમેરિકામાં. તેઓ અડધો સમય અમેરિકામાં વીતાવતા અને અડધો સમય મુંબઇમાં રહેતા. તેમના શિષ્યોની લાંબી શૃંખલા છે. તેઓ માત્ર શીખવતા નહોતા, વ્યક્તિગત ધોરણે મદદ પણ કરતા. તેમના શિષ્યો તેમની ગાયિકીની પરંપરાને ચોક્કસપણે આગળ વધારશે. અમદાવાદ-ગુજરાત સાથે તેમનો બહુ જૂનો નાતો હતો. હૈદરાબાદમાં તેમના પૂર્વજોની સમાધિ વગેરે છે. આ શહેરો સાથે પણ તેમનો ગાઢ સંબંધ રહ્યો. તેઓ પોતાને મેવાતી ઘરાનાના કહેતા. તેમણે ગાયિકીને એક અલગ અંદાજ, અલગ ઓળખ આપ્યા.

શાસ્ત્રીય સંગીતના સુવર્ણયુગના ગાયકો પૈકી અંતિમ મહાન ગાયક પંડિત જસરાજ જ હતા. પંડિતજી ઓમકારનાથ ઠાકુર, ઉસ્તાદ ગુરુ ગુલામ અલી ખાં સાહેબ, અમીર ખાં સાહેબ, પંડિત ભીમસેન જોશી, પંડિત કુમાર ગંધર્વ, ગિરિજા દેવી, બેગમ અખ્તર વગેરેની પરંપરાના તેઓ અંતિમ ગાયક હતા. તેઓ 80મો જન્મદિન મનાવી રહ્યા હતા ત્યારે મેં ફોન કરીને કહ્યું હતું કે તમે 80 વર્ષના લાગતા તો નથી. તાજેતરમાં ટીવી પર આવી રહ્યું હતું કે તેઓ 90 વર્ષના પણ થઇ ગયા હતા પણ મને તો યંગ જસરાજનો ચહેરો જ યાદ રહેશે. પંડિતજીના અવાજમાં અસર, તાસીર, કશિશ હતા. તેઓ ગાતા ત્યારે લાગતું કે ઇશ્વર ગાતા હોત તો તેમનો અવાજ આવો જ હતો. હવે તે અવાજ થંભી ગયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાન.


from Divya Bhaskar https://ift.tt/3gcVrh6

Sunday, August 16, 2020

કોંગ્રેસના ભરતસિંહ 55 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા છે, તબિયત સ્થિર, શરીર એટલું ઊતર્યું કે ઓળખવા મુશ્કેલ

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને કોરોનાનો ચેપ લાગતા તેમને 22મી જૂને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હજુ પણ સિમ્સ હોસ્પિટલમાં જ સારવાર લઇ રહ્યા છે. હાલમાં તેમની તબિયત સુધારા પર છે. હાલનો તેમનો ફોટો જોતા તેમને ઓળખવા મુશ્કેલ પડે તેવી તેમના શરીર પર અસર થઇ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની હાલની તસવીર અને ઇનસેટમાં તેમની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2Y25kYD

ભારત-નેપાળ વચ્ચે મિત્રતા માટે વાતચીત યોજાશે, 6 મહિનાથી બંધ વૈષ્ણોદેવી મંદિરના દર્શન શરૂ; કોરોનાને વધતો અટકાવવા દવા મળી

શુભ પ્રભાત. આજે સોમવાર છે. સપ્તાહની શરૂઆત પોઝિટિવ સમાચાર સાથે કરીએ. આજે ભારત અને નેપાળ વચ્ચે શાંતિની પહેલ થશે, જેથી બન્ને દેશ વચ્ચે તણાવ ઓછો કરી શકાય. વિદેશ મંત્રાલયના અધિકારી કાઠમંડુમાં વાટાઘાટ કરશે. આ વાટાઘાટમાં નેપાળના વિદેશ સચિવ શંકર દાસ બૈરાગી અને ભારત તરફથી નેપાળમાં રાજદૂત વિનય મોહન ક્વાત્રા હશે.હવે અન્ય અગત્યના સમાચારો તરફ આગળ વધશુ.....
કોરોના સામે વૈજ્ઞાનિકોને વધુ એક સફળતા મળી
વિશ્વમાં કોરોના સામેની લડાઈમાં વૈજ્ઞાનિકોને સફળતા મળતી દેખાઈ રહી છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક એવી દવા શોધી લીધી છે કે જે સંક્રમણ બાદ શરીરમાં કોરોના વાઈરસની સંખ્યા વધતા (રેપ્લિકેટ) અટકાવશે. જોકે આ દવા અગાઉથી જ ઉપલબ્ધ છે. પણ હવે આ દવાનો ઈલાજ કોરોના માટે પણ થશે. દવાનું નામ એબ્સેલેન છે. તેનો ઉપયોગ બાયપોલર ડિસઓર્ડર તથા સાંભળવાની ક્ષમતા ઘટવા (હિયરિંગ ડિસઓર્ડર)ના ઈલાજ માટે કરવામાં આવે છે.

સુશાંતના મૃત્યુના દિવસનો એક વીડિયો મળ્યો છે
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસ બે કેન્દ્રીય તપાસ એજન્સી CBI અને ED કરી રહી છે. દરમિયાન એક ન્યૂઝ ચેનલે અભિનેતાના મૃત્યુના દિવસનો અત્યાર સુધીમાં નહીં જોવા મળેલો એક વીડિયો મળ્યો હોવાનો દાવો કર્યો છે. આ વીડિયોમાં જે એક વ્યક્તિ તથા મહિલા જોવા મળે છે તે શંકાસ્પદ હોવાની માહિતી મળી છે. આ વીડિયોમાં બ્લેક ડ્રેસમાં એક વ્યક્તિ સુશાંતની બોડી પાસે કાળા રંગની એક બેગ પકડીને દેખાય છે. તે સુશાંતનો હાઉસ મેનેજર દીપેશ સાવંત તરીકે ઓળખ થઈ છે. આ વ્યક્તિ અને મિસ્ટ્રી વુમનને લઈ સુશાંતના પરિવારે પણ પ્રશ્ન કર્યો છે.

દલાઈ લામા સામે ષડયંત્ર
11 ઓગસ્ટના રોજ દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવેલ ચીનના નાગરિક લુઓ સાંગને લઈ નવો ખુલાસો થયો છે. ચાર્લી પેંગના બનાવટી નામથી મજનૂ કા ટીલા વિસ્તારમાં રહેતો પેંગ તિબેટના લામાઓને પૈસા આપી તેમના દલાઈ લામા અંગે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરતો હતો. આવક વેરા વિભાગે સાંગને મની લોન્ડરીંગના આરોપમાં ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2018માં પણ સાંગની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેની ઉપર જાસૂસીનો આરોપ લાગ્યો હતો.

વૈષ્ણોદેવી માતાના દર્શન શરૂ
કોરોના વાઈરસને લીધે ભક્તો માટે આશરે 6 મહિના બાદ માતા વૈષ્ણોદેવી મંદિર 16 ઓગસ્ટના રોજ ખુલી ગયું છે. શરૂઆતી દિવસોમાં ફક્ત 2 હજાર લોકો દર્શન કરી શકશે. કોરોના અગાઉ તે એક દિવસમાં 50-60 હજાર શ્રદ્ધાળુઓ આવતા હતા. દર્શન માટે ઓનલાઈન નોંધણી કરાવવી પડશે.

જો બિડેન જીતશે તો ભારતને ફાયદો
નવેમ્બરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવા જઇ રહી છે. આ અગાઉ ડેમોક્રેટ પાર્ટીએ પોલિસી અંગે એક નિવેદન જારી કર્યું હતુ. જે બિડેન તેમના રાષ્ટ્રપતિ તથા કમલા ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર છે. ડેમોક્રેટ પાર્ટીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત સાથે સારા સંબંધને પ્રાથમિકતા આપવામાં આવશે. દક્ષિણ એશિયામાં સીમા પર જે આંતકવાદી ઘટનાઓ બને છે તે સહન કરવામાં આવશે નહીં.

સોમવારનું રાશિફળ
17 ઓગસ્ટ, સોમવારના રોજ તિથિ, વાર તથા નક્ષત્ર મળતા સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે. આ શુભ યોગનો સીધો ફાયદો વૃષભ, કર્ક, સિંહ, તુલા, મકર, કુંભ તથા મીન રાશિવાળા લોકોને મળશે. એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે આ 7 રાશિવાળા લોકોને જોબ તથા બિઝનેસમાં નસિબનો સાથ મળી શકે છે. અટકી પડેલા કાર્યો પૂરા થશે અને ધન લાભના યોગ છે. મેષ, મિથુન, વૃશ્ચિક, ધન તથા મકર રાશિવાળા લોકો માટે એકંદરે આજનો દિવસ સામાન્ય રહેશે. ફક્ત કન્યા રાશિવાળા લોકો માટે દિવસ મુશ્કેલીભર્યો બની શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Talks for friendship between India and Nepal will be held, darshan of Vaishnodevi temple closed for 6 months started; Corona found medication to stop the growth


from Divya Bhaskar https://ift.tt/2Y5tyB8

બંને હાથ નથી, પગની આંગળીથી બ્રશ પકડી પેઇન્ટિંગ બનાવી વેચી રહી છે જેથી દિવ્યાંગ બાળકો માટે આર્ટ્સ સ્કૂલ ખોલી શકે

મુશ્કેલી કોના જીવનમાં નથી આવતી, ભગવાન મારા બંને હાથ બનાવવાનું ભૂલી ગયા પરંતુ મેં પગથી જીવવાનું શીખી લીધું. 21 વર્ષીય પ્રિન્સી ગોગોઈ જ્યારે આ વાત કરે છે ત્યારે તેની આંખ અતૂટ વિશ્વાસથી ચમકવા લાગે છે. આસામના નાના શહેર સોનારીમાં જન્મેલી પ્રિન્સીના જન્મથી જ બે હાથ નથી. હાલમાં તે ગુવાહાટીની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ફ્રન્ટડેસ્ક એક્ઝિક્યુટિવની નોકરી કરી ઘરખર્ચ પૂરો કરી રહી છે.

પ્રિન્સીએ પગથી લખીને ધોરણ-12ની પરીક્ષા પાસ કરી છે. પ્રિન્સીને પેઈન્ટિંગ, સિંગિગ અને સ્પોર્ટ્સનો શોખ છે. પગની આંગળીથી બ્રશ પકડી પ્રિન્સીએ હાલમાં જ ગણેશનું પેઈન્ટિંગ કર્યું જે 30 હજાર રૂપિયામાં વેચાયું. તે દિવ્યાંગ બાળકો માટે આર્ટ્સ સ્કૂલ શરૂ કરવા માંગે છે.

પ્રિન્સી ગોગોઈ.

માનસિક બીમાર કહી સ્કૂલે પ્રવેશ આપ્યો નહોતો
પ્રિન્સીએ કહ્યું કે, તેને એક સરકારી શાળામાં ધોરણ-5માં એટલા માટે પ્રવેશ મળ્યો નહોતો કેમકે તેના બંને હાથ નહોતા. એક શિક્ષકે માતાને કહ્યું કે તેઓ માનસિક રોગી બાળકોને પ્રવેશ આપતા નથી. પરંતુ એક દરવાજો બંધ થાય છે તો ઈશ્વર બીજો ખોલી નાંખે છે. ગામની જ એક વ્યક્તિની મદદથી મારો પ્રવેશ એક ખાનગી શાળામાં થયો. ત્યાંથી મેં ધોરણ-10 પાસ કર્યું.

સફળતાનો મંત્ર: રોજ પોતાને પૂછો- હું આ કામ કેવી રીતે વધુ સારી રીતે કરી શકું...

  • એવું કોઈ કામ નથી કે જે થઈ ના શકે. જ્યારે તમે એવો વિશ્વાસ વ્યક્ત કરો કે તમે કોઈપણ કામ કરી શકો છો તો તમારું મગજ એ પૂરું કરવાની રીત શોધી કાઢે છે. આનો કોઈ રસ્તો છે. આવું વિચારવાથી રસ્તો નીકળી આવે છે.
  • પોતાના શબ્દ ભંડોળથી અસંભવ, આ કામ નહીં થઈ શકે, હું આ નહીં કરી શકું, પ્રયત્ન કરવાથી કોઈ ફાયદો નથી... જેવા વાક્યો કાઢી નાંખો.
  • પોતાની જાતને રોજ પૂછો કે ‘હું કંઈ રીતે વધુ સારી રીતે કામ કરી શકું છું? જ્યારે તમે પોતાની જાતને આ પૂછો છો ત્યારે તેનો સારો જવાબ સામે આવશે.’ કરી જુઓ.
  • પોતાના કામની ગુણવત્તા સુધારો. રોજ જેટલું કામ કરતા હો તેનાથી વધુ કરો.
  • પૂછવાની અને સાંભળવાની ટેવ પાડો. યાદ રાખો મોટા લોકો સતત સાંભળે છે, નાના લોકો સતત બોલે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આસામના સોનારીની પ્રિન્સી ગોગોઈ.


from Divya Bhaskar https://ift.tt/345USDi

ગુજરાતના બનાસકાંઠામાં કોરોનાને ભૂલી લોકોએ નદીમાં નહાવાની મજા માણી

રાજસ્થાનમાં ગયા સપ્તાહે ભારે વરસાદને કારણે જયપુર સહિતના અનેક શહેરોમાં પાણી ભરી વળ્યાં હતા. રાજસ્થાનના વરસાદને પગલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ નવું પાણી આવી રહ્યું છે. રાજસ્થાનમાં થઈ રહેલા વરસાદથી બનાસ નદીમાં પાણી આવ્યું છે અમીરગઢના ઇકબાલગઢ નજીક વિસ્વેશ્વર મહાદેવ પાસેના પટમાં નહાવા માટે અનુકૂળ પટ હોવાથી રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

કોરોના કાળ ચાલતો હોવા છતાં કોઈ પણ પ્રકારના સંક્રમણના ભય વિના લોકોએ નાહવાની મજા માણી હતી. જો કે કોરોનાને કારણે કોઈ સાવચેતી ન રખાતા જો વાઈરસ મજા માણવા ગયેલા લોકોને લાગશે તો બનાસકાંઠામાં કોરોનાના કેસ વધી જવાની પૂરી સંભાવના છે. સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે છતાં લોકો દ્વારા કોઈપણ પ્રકારની સાવધાની રાખવામાં આવતી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમીરગઢના ઇકબાલગઢ નજીક વિસ્વેશ્વર મહાદેવ પાસેના પટમાં નહાવા માટે અનુકૂળ પટ હોવાથી રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. 


from Divya Bhaskar https://ift.tt/3h2NL1T

તિરુઅનંતપુરમમાં ધો.12ના વિદ્યાર્થી કાર્તિકે પથ્થરમાંથી વાંસળી બનાવી

ધો.12ના વિદ્યાર્થી કાર્તિકે પથ્થરમાંથી નાદસ્વરમ (વાંસળી) બનાવવામાં સફળતા મેળવી છે. સામાન્ય રીતે તે વાંસમાંથી બને છે. કાર્તિક તિરુઅનંતપુરમની પી.કે.એન.શાળામાં ભણે છે. તેના પિતા મૂર્તિકાર છે.

કોરોનાને કારણે પ્રતિબંધ આવતા તે રોજ એક કલાક પોતાના પિતાના ઓનલાઈન ક્લાસમાં હાજર રહી મૂર્તિ બનાવવામાં મદદ કરતો હતો. તેણે પોતે પણ કેટલીક મૂર્તિ બનાવી છે. ત્યારપછી તેને પથ્થરમાંથી નાદસ્વરમ (વાંસળી) બનાવવાનો વિચાર આવ્યો. લગભગ એક મહિનાની મહેનતથી તે તૈયાર કરવામાં તેને સફળતા મળી. તે કહે છે કે તેમાં સૌથી મુશ્કેલ કામ યોગ્ય જગ્યાએ સાત કાણા બનાવવાનું હતું. હવે તેમાંથી વાંસની વાંસળીની જેમ મધુર સ્વર કાઢી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2Y6EBdc

મેઘ તાંડવના પગલે અલગ-અલગ જગ્યાએ આવેલા પૂરમાં 12 લોકો તણાયા, 4 મોત, 8 લાપતા

ગુજરાતમાં મેઘમહેર હવે મેઘતાંડવમાં ફેરવાતી જાય છે. રાજ્યમાં ઠેર ઠેર વ્યાપક વરસાદ થયો છે. અનેક ઠેકાણે પૂર આવ્યા છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરત શહેરની છે. સુરત શહેરની ત્રણ ખાડીમાં પાણી આવતા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 20.50 ફૂટ થતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજવા ડેમની સપાટી પણ ઘટીને 212.10 ફૂટ થઈ છે.

સુરતના બલેશ્વર ગામે કેડસમા પાણીમાં મહિલાનો જનાજો કાઢવાની ફરજ પડી હતી. આ બાજુ વલ્લભીપુરની નસીતપુરની કેરી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા હતા. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં 6 ઇંચ સુધીનો વરસાદ થવા પામ્યો છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના બીલીમોરા નજીક પોંસરી ગામે કાવેરી નદીના સંગમ પર એક હોડીમાં જઈ રહેલા 5 લોકો હોડી પલટી ખાવાથી તણાઈ ગયા હતા. તેમાંથી 3ને બચાવાયા હતા. એક મહિલાનું મોત થયું હતું. જ્યારે હજુ એક લાપત્તા છે. તેવી જ રીતે રાણાવાવ નજીક મોકરના રણમાં પાણી ભરાતા 4 યુવાનો તેમાં તણાઈ ગયા હતા. એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. એક યુવાન બચી ગયો છે જ્યારે બાકીના બેની એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે.

દ્વારકાની હડમતિયા નદીમાં ઘોડાપૂર આવતા 3 યુવાનો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે તણાઈ ગયા હતા. તાત્કાલિક એનડીઆરએફની ટીમ આવી જતા એક યુવાનને બચાવી શકાયો હતો જ્યારે 2ના મૃતદેહ મળી આવ્યા હતા. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ક્યાં કેટલો વરસાદ

કપરાડા 6.7 ઇંચ
નવસારી 5 ઇંચ
જલાલપોર 4.7 ઇંચ
ગણદેવી 6 ઇંચ
ચીખલી 6.5 ઇંચ
વાંસદા 5 ઇંચ
ખેરગામ 4.7 ઇંચ
ઊંઝા 4.5 ઇંચ
વિસાવદર 4 ઇંચ
પાટણ 3.5 ઇંચ
ઉમરપાડા 3.5 ઇંચ

​​​



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુરતમાં તાપી નદી બે કાંઠે વહેવા લાગી.


from Divya Bhaskar https://ift.tt/31X3fOT

વૈષ્ણોદેવી મંદિર ચાર મહિના પછી ખુલ્યું, ગુફા મંદિરમાં વિશેષ પૂજા સાથે શ્રીગણેશ, 200 લોકો પહોંચ્યા, દરેકનું ટેસ્ટિંગ

લગભગ 5 મહિના પછી રવિવારે માતા વૈષ્ણોદેવી તીર્થ યાત્રા માર્ગ ‘જય માતા દી’ના નારાથી ગુંજી ઉઠ્યો. યાત્રા શરૂ કરતા પહેલા શ્રાઈન બોર્ડે પવિત્ર ગુફામાં વિશેષ પૂજા રાખી હતી. પ્રથમ દિવસે જમ્મુ-કાશ્મીરના વિવિધ ભાગોમાંથી આવેલા 200 શ્રદ્ધાળુ જ દર્શન માટે પહોંચ્યા. 13 કિમીના માર્ગમાં પ્રવેશ ગેટ (બાણગંગા પાસે) દરેક શ્રદ્ધાળુનો કોવિડ-19 એન્ટીજન ટેસ્ટ કરાયો. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી જ યાત્રાની મંજુરી અપાઈ.

અખનૂરથી દર્શન માટે આવેલા વિદ્યાર્થીઓના ગ્રૂપે જણાવ્યું કે, તેઓ લાંબા સમયથી માતાના દર્શનની રાહ જોતા હતા. મંદિર ખુલવાની માહિતી મળતાં જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું અને આવી ગયા. મંદિર માર્ગમાં ઠેર-ઠેર ઓડિયો સિસ્ટમ લગાવાઈ છે, જે શ્રદ્ધાળુઓને માસ્ક પહેરવા અને લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરે છે. એ જ રીતે હાથને સેનિટાઈઝ કરવાના પણ પોઈન્ટ બનાવાયા છે.

જમ્મુથી આવેલા નવપરિણિત યુગલે કહ્યું કે, તેઓ લગ્ન પછી માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માગતા હતા, પરંતુ લૉકડાઉનના કારણે શક્ય બન્યું ન હતું. આજે અમે પવિત્ર ગુફામાં માતાના દર્શન કરવા અને આશિર્વાદ લેવા જઈ રહ્યા છીએ. શ્રદ્ધાળુઓની સુવિધા માટે બેટરી સંચાલિત વાહન, રોપ-વે અને હેલિકોપ્ટર સુવિધા ચાલુ છે. પિટ્ટુ અને પાલકીની મંજુરી અપાઈ નથી. ખરાબ હવામાનના લીધે પ્રથમ દિવસે હેલિકોપ્ટર સુવિધા શરૂ થઈ શકી ન હતી. તારાકોટ માર્ગ પર મફત લંગર અને સંજીઘાટમાં પ્રસાદ કેન્દ્ર ચાલુ છે. કટરા, અર્ધકુંવારી અને ભવનમાં ભોજનલાય ખુલ્યા છે. જોકે, બીજી તરફ યાત્રાના માર્ગમાં મેડિકલ દુકાનો સિવાય બાકી બધી જ દુકાનો બંધ છે. હોટલ એસોસિએશનના પ્રેસિડન્ટ રાકેશ વજીરે કહ્યું કે, અમે શ્રાઈન બોર્ડને શ્રદ્ધાળુની સંખ્યા વધારવા માગ કરી છે.

અટકા આરતી સહિત તમામ વિશેષ પૂજા પર પ્રતિબંધ

  • ઓનલાઈન રજિસ્ટ્રેશન પર જ પ્રવેશ મળશે. કોરોના રિપોર્ટ લઈને આવવાનું રહેશે.
  • પહોંચ્યા પછી રેપિડ ટેસ્ટ. આરોગ્ય સેતુ એપ રાખવી ફરજિયા.
  • 10 વર્ષથી નાની વય, ગર્ભવતી, 60થી વધુ વયના લોકોને યાત્રા ન કરવાની સલાહ.
  • મંદિર પરિસરમાં ભીડ રોકવા માટે અટકા આરતી, શ્રદ્ધાસુમન વિશેષ પૂજા બંધ રખાઈ છે.
  • પિટ્ટુ અને પાલકી સેવાને સ્થગિત રખાઈ છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વૈષ્ણોદેવી મંદિરના દર્શનાર્થીઓની સુરક્ષા માટે ચુસ્ત બંંદોબસ્ત.


from Divya Bhaskar https://ift.tt/2E98kLL

બોલિવૂડ અભિનેતા કપિલ ઝવેરીના વિલા પર રેવ પાર્ટી, પોલીસે દરોડા પાડી 23ની ધરપકડ કરી

ગોવા પોલીસે રેવ પાર્ટી કરનારા 23 લોકોની ધરપકડ કરી છે. સાથે જ નવ લાખ રૂપિયાનું ડ્રગ્સ પણ જપ્ત કરી લીધું છે. ધરપકડ કરાયેલા લોકોમાં ત્રણ વિદેશી મહિલાઓ પણ સામેલ હતી. આ પાર્ટી વાગાટોર બીચ વિલેજ નજીક ફ્રેન્ગિપેની નામના એક વિલામાં રાખવામાં આવી હતી. આ વિલા બોલિવૂડમાં કામ કરી ચૂકેલા કપિલ ઝવેરીનું છે. ઝવેરીની ધરપકડ કરાઈ છે.

ઝવેરીએ દિલ પરદેશી હો ગયા અને ઈશ્ક-વિશ્ક જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું. તેને અને ત્રણેય વિદેશી મહિલાઓને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવાઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કપિલ ઝવેરીની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/321bU2L

રશિયા કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો તૈયાર કરી રહ્યું છે, ભારતીય કંપનીઓ લીલી ઝંડી મળતાં જ આયાત કરવા ઈચ્છુક

દુનિયામાં સૌપ્રથમ કોરોના વેક્સિન વિકસિત કરવાનો દાવો કરનારા રશિયાએ વેક્સિનનો પ્રથમ જથ્થો તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. તેણે વેક્સિનનું નામ સ્પુટનિક-વી રાખ્યું છે જે મોસ્કો દ્વારા 1957માં લોન્ચ કરાયેલા અંતરિક્ષ ઉપગ્રહના નામે છે.

આ દરમિયાન એક રિપોર્ટમાં કહેવાયું છે કે વેક્સિન પર શોધ માટે ત્રીજા તબક્કાની ટ્રાયલ 7થી 10 દિવસમાં શરૂ થઈ શકે છે. ન્યૂઝ એજન્સી તાસના જણાવ્યાનુસાર મોસ્કોની ગામલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરાયેલી આ વેક્સિનના પરીક્ષણમાં હજારો વોલેન્ટિયર ભાગ લેશે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે સોમવારે અમે રિસર્ચ રજિસ્ટ્રેશન પછી પ્રોટોકોલ જાહેર કરીશું. ગામલેયા ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર એલેક્ઝાન્ડર જિન્સ્ટબર્ગે કહ્યું કે દેશહિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા પ્રોટોકોલ એક અઠવાડિયામાં જારી કરી દેવાશે.

ભારતીય કંપનીઓએ રશિયાથી વેક્સિનના પ્રથમ અને બીજાં તબક્કાની ટ્રાયલની વિગતો માગી
ભારતીય કંપનીઓએ રશિયાએ તૈયાર કરેલ વેક્સિન સ્પુટનિક-વીના પ્રથમ અને બીજાં તબક્કાની ક્લિનિકલ ટ્રાયલની વિગતો માગી છે. રશિયાની સરકારના મુખપત્રના રિપોર્ટ અનુસાર ભારતીય કંપનીઓએ રશિયાના ડાઈરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ(આરડીઆઈએફ) સમક્ષ આગ્રહ કર્યો છે કે તે તેમને આ મામલે માહિતી પૂરી પાડે. રશિયામાં ભારતનીય દૂતાવાસના સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં જણાવાયું છે કે કંપનીઓએ એમ પણ કહ્યું છે કે નિયામક દ્વારા લીલી ઝંડી મળ્યાં બાદ આ વેક્સિનની આયાત તથા ભારતમાં જ ઉત્પાદન કરવાની ઈચ્છુક છે.

શિવસેનાનો કટાક્ષ- આપણે પાપડ જેવા અનોખા ઉપાય કરી રહ્યાં છીએ
શિવસેનાએ વેક્સિન બનાવવા મામલે રશિયાની પ્રશંસા કરી કટાક્ષ કર્યો હતો. તેના નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં કહ્યું કે રશિયા આત્મનિર્ભરતાનો પાઠ ભણાવી રહ્યું છે, ભારત ભાભીજી પાપડ જેવા અનોખા ઉપાયો કરી રહ્યું છે. રાઉતે કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ પુટિને આ વેક્સિન કોરોના ચેપગ્રસ્ત તેમની દીકરીને અપાવી જેથી તે વેક્સિનની ક્ષમતા મામલે દેશના લોકોનો વિશ્વાસ જીતી શકે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3g6jfD0

બોપલમાં કચરાના ડુંગરને સ્થાને 22 હજાર ચોરસ મીટરમાં રૂ.3 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ ઈકોલોજી પાર્ક બનાવાશે

બોપલ-ઘુમા નગરપાલિકા અમદાવાદ કોર્પોરેશનમાં ભળ્યા પછી અહીં ડીપીએસ સ્કૂલની બાજુમાં આવેલી ડમ્પિંગ સાઈટ બંધ કરી બાયોમાઈનિંગ શરૂ કરાયું છે. ત્રણ મહિનામાં બાયોમાઈનિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અમદાવાદ મ્યુનિ. દ્વારા અહીં 3 કરોડના ખર્ચે 22 હજાર સ્કવેર મીટરમાં ઈકોલોજી પાર્ક બનાવાશે. અમદાવાદનો આ પહેલો ઈકોલોજી પાર્ક તૈયાર થશે જેનું કામ એક વર્ષમાં પૂર્ણ કરાશે.

બોપલ ડમ્પિંગ સાઈટનું બાયોમાઈનિંગ શરૂ કરાયું છે

આ પાર્કમાં હાયનેચર કન્ઝર્વેશન અને એેન્વાયરમેન્ટ પ્રોટેક્શન કરી શકે તેવા વડ, પીપળો, સીમડો, કેસુડો, ગુલમહોર, ગરમાળ, ચંપા તથા કેસિયાની તમામ જાતો ઉછેરશે. ફળ આવે અને પક્ષીઓને પણ ખોરાક મળી રહે તેવા આંબો, બદામ, ખાટી આંબલી, ગુંદા સહિતના વૃક્ષો પણ રોપાશે. હાલ ચાલી રહેલી બાયોમાઈનિંગની કામગીરી ડિસેમ્બર સુધીમાં પૂરી થશે એ પછી જમીનમાં ઉતરેલા હાનિકારક અને ઝેરી ગેસ તેમજ કચરાને દૂર કરાશે. વૃક્ષો અને છોડના મૂળિયા જમીન પકડી શકે તેમજ ભેજ સચવાઈ રહે તે માટેની પ્રોસેસ એ પછી કરાશે. બોપલ-ઘુમાની સોસાયટીઓનો કચરો હવે પીરાણા ડમ્પિંગ સાઈટ પર લઈ જવાનું શરૂ કરાયું છે.

ઉષ્ણકટિબંધમાં થતાં વૃક્ષોનું વાવેતર કરાશે
આ પાર્કની ખાસિયત એ છે કે તેમાં એવા વૃક્ષો ઉછેરવામાં આવશે જે પર્યાવરણને સાનુકૂળ હોવા ઉપરાંત પર્યાવરણનું રક્ષણ પણ કરતા હોય. આ પ્રકારના વૃક્ષોમાં વડ જેવા મોટા વૃક્ષનો સમાવેશ થાય છે. આ વૃક્ષોને ઉછેરવામાં સારો એવો સમય લાગતો હોય છે. પાર્કમાં ઉષ્ણકટિબંધમાં થતાં વૃક્ષોનું બોટનિકલ વર્ગીકરણ પ્રમાણે પ્લાન્ટેશન કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બોપલ ડમ્પિંગ સાઈટ પરથી કચરો હટાવી ત્યાં આ પ્રકારનો ઈકોલોજી પાર્ક બનશે.


from Divya Bhaskar https://ift.tt/2CB50Zm

અજય માકનની કોંગ્રેસના પ્રભારી મહાસચિવ તરીકે નિમણૂક, 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી

સચિન પાયલટ પરત ફર્યા બાદ અને સરકારે વિશ્વાસ મત જીત્યાના બે દિવસ બાદ રાજસ્થાન કોંગ્રેસમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે અજય માકનને રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી પ્રભારી મહાસચિવ બનાવ્યા. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના જણાવ્યા અનુસાર અજય માકન અનિવાશ પાંડેનું સ્થાન લેશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. વેણુગોપાલે આ આદેશ જાહેર કર્યો હતો.

કોંગ્રેસે 3 સભ્યોની કમિટી પણ બનાવી છે. કમિટીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, કે.સી.વેણુગોપાલ અને અજય માકન સામેલ છે. કમિટી રાજસ્થાનમાં હાલના રાજકીય ઘટનાક્રમના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેનું સમાધાન શોધશે.

બે દિવસ પહેલા જ બહુમતી સાબિત કરી
કોંગ્રેસનો આ નિર્ણય રાજસ્થાન વિધાનસભામાં ગેહલોત સરકારની બહુમતી સાબિત કરવાના બે દિવસ પછી લેવામાં આવ્યો છે. 14 ઓગસ્ટે મુખ્યમંત્રી અશોક ગેહલોતે વિધાનસભામાં વિશ્વાસ મત સાબિત કર્યો હતો. વિધાનસભા સત્ર દરમિયાન ગહેલોત અને પાયલટ સમર્થિત એમ બંને દળ એક સાથે આવ્યાં હતા. સચિન પાયલટને 18 ધારાસભ્યોનું સમર્થન હતું. ગેહલોત સાથે મતભેદ સામે આવ્યા બાદ ગયા મહિને પાયલટને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જણાવ્યા અનુસાર અજય માકન અનિવાશ પાંડેનું સ્થાન લેશે.


from Divya Bhaskar https://ift.tt/3gXX0R0

Saturday, August 15, 2020

97 દિવસમાં શરૂઆતના 10 હજાર મોત થયા, બાકી 40 હજાર મોત 61 દિવસમાં થયા, આ ઝડપ રહેશે તો ડિસેમ્બર સુધીમાં 1.75 લાખથી વધુ મોત થવાની શક્યતા

શનિવારે દેશમાં સંક્રમણને કારણે મૃત્યુઆંક 50 હજારને પાર ગયો છે, આ ખૂબ જ ખરાબ સમાચાર છે. સ્થિતિ એ છે કે, છેલ્લા 10 દિવસમાં જ 10 હજાર લોકોના મોત થયા છે. આ ઝડપ સતત વધી રહી છે. દેશમાં કોરોનાથી મોત મૃત્યુ 11 માર્ચે થયું હતું. ત્યારપછી, 97 દિવસમાં મોતની સંખ્યા 10 હજારે પહોંચી ગઈ.

આ પછી તો મોતની ઝડપ એટલી વધી ગઈ કે આગામી 40 દિવસની અંદર જ સંક્રમણથી થતા મોતનો આંકડો 10 હજારથી વધીને 50 હજાર થઈ ગયો હતો. ભારત સૌથી વધુ મોત થનારા દેશમાં હવે વિશ્વમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. વિશ્વમાં કોરોનાને કારણે અંદાજે 7 લાખ 63 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. આમાંથી, 6.5% લોકો ભારતના હતા. એટલે કે, કોરોનાથી દુનિયામાં પોતાનો જીવ ગુમાવનારા દર 100 દર્દીઓમાંથી 7 ભારતીય છે.

ડિસેમ્બર સુધીમાં 1.74 લાખથી વધુ લોકોના મોત થવાની શક્યતા
અત્યારે વિશ્વમાં રોજના સૌથી વધારે મોત અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં થાય છે. વિશ્વના કુલ મૃત્યુ પૈકી 18.83% અમેરિકાના, 16.93% બ્રાઝિલના અને 16.65% ભારતના છે. આ આંકડાનો અભ્યાસ કરતા જાણવા મળે છે કે, જો આ જ રીતે મૃતકાંક વધતો રહેશે તો ડિસેમ્બર એટલે કે આ વર્ષના અંત સુધીમાં દેશમાં સંક્રમણને કારણે 1.74 લાખથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવશે. હાલમાં ભારતમાં દરરોજ સરેરાશ 900 લોકોના મોત થાય છે.

અમેરિકામાં સૌથી ઝડપી 50 હજાર દર્દીઓનાં મોત થયાં
વિશ્વમાં ચાર દેશ એવા છે કે જ્યાં સંક્રમણને કારણે 50 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આમાં અમેરિકા, બ્રાઝિલ, મેક્સિકો અને ભારતનો સમાવેશ થાય છે. અમેરિકામાં સૌથી વધુ ઝડપથી 61 દિવસમાં જ 50 હજાર મોત થઈ ગયા હતા. બ્રાઝિલમાં આટલા જ મોત 95 દિવસમાં અને મેક્સિકોમાં 142 દિવસમાં થયાં હતાં.

દર 10 લાખ વસ્તીમાં 36 લોકોના મોત થઇ રહ્યા છે
વિશ્વના પાંચ દેશો જ્યાં સૌથી વધુ મોત થયા છે. તેમાંથી, ભારત એકમાત્ર એવો દેશ છે કે, જ્યાં દર 10 લાખ વસ્તીએ ઓછામાં ઓછા મોત થાય છે. અહીંયા દર 10 લાખ વસ્તીમાં 36 લોકો જીવ ગુમાવી રહ્યા છે. આટલી જ વસ્તીની વાત કરવામાં આવે તો અમેરિકામાં 518, બ્રાઝિલમાં 501, મેક્સિકોમાં 433 અને યૂકેમાં 609 મોત થાય છે.

મોતનો આંકડો વધે છે, પણ મૃત્યુદર ઘટે છે
દેશમાં સંક્રમણને કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જો કે, રાહતની વાત છે કે, જેટલી ઝડપથી સંક્રમિતોની સંખ્યા વધી રહી છે, તેટલી જ ઝડપથી મોતની સંખ્યા નથી વધી રહી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, લોકડાઉનના પહેલા અઠવાડિયામાં મૃત્યુ દર 2.1% હતો. તે પછી એપ્રિલમાં વધીને 2.83% થયો હતો. જૂનના બીજા અઠવાડિયામાં મૃત્યુ દર 3.36% હતો. હવે તે સતત ઘટી રહ્યો છે. હાલમાં, મૃત્યુ દર 1.8% છે.

દેશના કુલ મોતના 71% ફક્ત પાંચ રાજ્યોમાં જ થયા છે
દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુમાં 71.94% તો માત્ર પાંચ રાજ્યોના જ છે. જેમાં મહારાષ્ટ્રમાં 39.45%, તમિલનાડુમાં 11.22%, દિલ્હીમાં 8.35% અને કર્ણાટકમાં 7.43% લોકોના મોત થયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2Y79ONs

રવિવારે મકર જાતકોની ગ્રહ સ્થિતિ તેમના જીવનમાં થોડાં પરિવર્તન લાવી રહી છે, લાભ થવાની સંભાવના છે

16 ઓગસ્ટ, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષ ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ-

પોઝિટિવઃ- પરિવારમાં પ્રોપર્ટી અથવા કોઇ અન્ય મુદ્દાને લઇને જે ગેરસમજ ચાલી રહી હતી તે આજે કોઇ મધ્યસ્થતાથી દૂર થશે. જેના કારણે પરિણામનું વાતાવરણ સારું રહેશે.

નેગેટિવઃ- બહારના વ્યક્તિઓની સલાહ ઉપર અસર ન કરો પરંતુ ઘરના વડીલ અને અનુભવી વ્યક્તિઓની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મળવાની સંભાવના ઓછી છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધમાં પોઝિટિવ અને સહયોગાત્મક પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારી થઇ શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- પિતા અથવા પિતા સમાન કોઇ વ્યક્તિનો સ્નેહ અને આશીર્વાદ તમારા ઉપર રહેશે. તેમની સલાહ તમારા માટે હિતકારી રહેશે. આર્થિક સ્થિતિઓ સારી રહેશે.

નેગેટિવઃ- તમારો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાને મજબૂત રાખવી જરૂરી છે. કોઇને કોઇ સમયે આળસના કારણે તમે થોડાં કાર્યોને નજરઅંદાજ કરી શકો છો.

વ્યવસાયઃ- આજે થોડાં અંગત કાર્યોના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- ઘરની જરૂરિયાતો અને મહત્ત્વપૂર્ણ કાર્યોમાં તમારો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવાની ફરિયાદ રહેશે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- તમારી છુપાયેલી પ્રતિભા અને ક્ષમતાને ઓળખો. ઘર અને સમાજમાં તમારી કોઇ વિશેષ ઉપલબ્ધિને લઇને તમે સન્માનિત થશો.

નેગેટિવઃ- તમારી ઉન્નતિના કારણે થોડાં લોકોમાં ઈર્ષ્યા અને ગેરસમજ ઉત્પન્ન થઇ શકે છે. તમે બધાને નજરઅંદાજ કરીને તમારા સ્વભાવમાં સહજતા જાળવી રાખશો.

વ્યવસાયઃ- મીડિયા તથા ઓનલાઇન કાર્યો સાથે જોડાયેલાં વ્યવસાયને વધારે ઉન્નતિ પ્રાપ્ત થશે

લવઃ- આજે વ્યસ્ત રહેવાના કારણે ઘરમાં વધારે સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેન થઇ શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આજે કોઇ કોર્ટ-કચેરી સંબંધિત નિર્ણય તમારા હકમાં રહી શકે છે. બપોર પછી પરિસ્થિતિઓ તમારા માટે લાભ લઇને આવી રહી છે. કોઇ રાજનૈતિક વ્યક્તિ દ્વારા તમને કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- આવક સાથે-સાથે વ્યય પણ થશે. તમારી કોઇપણ યોજના સાર્વજનિક રહેશે નહીં. કોઇ અન્ય વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- નોકરિયાત વ્યક્તિઓના પેપર વર્કમાં ગડબડ થઇ શકે છે.

લવઃ- પારિવારિક જીવન સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઇને ચિંતા થશે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- વારસાગત પ્રોપર્ટી સાથે સંબંધિત કોઇ મામલો ચાલી રહ્યો છે તો આજે તેના અંગે વિચાર કરવાનો યોગ્ય સમય છે. થોડાં અધૂરા કાર્યો ઉપર ધ્યાન આપો.

નેગેટિવઃ- તમારો ગુસ્સો તમારા બનતાં કાર્યોને બગાડી શકે છે. અજાણ્યા વ્યક્તિઓ સાથે કોઇપણ સંપર્ક રાખશો નહીં.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મશીનને લગતી કોઇ દુર્ઘટના થઇ શકે છે.

લવઃ- તમારા કાર્યોમાં જીવનસાથી તથા પારિવારિક લોકોની સલાહ ઉપર ધ્યાન આપો.

સ્વાસ્થ્યઃ- કબજિયાતની તકલીફ રહેશે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આજે પારિવારિક કોઇ યુવા વ્યક્તિ સાથે મહત્ત્વપૂર્ણ વાત ઉપર વિચાર વિમર્શ થઇ શકે છે, જેના દ્વારા તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. જમીન સંબંધિત કાર્યોમાં રોકાણ કરવાની પણ યોજના બનશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક અન્યની વાતોમાં શંકા કરવા લાગશો. સંબંધોમાં ખટાસ ઉત્પન્ન થઇ શકે છે. તમે તમારા સ્વભાવ અને વિચારોને પોઝિટિવ રાખીને પરિસ્થિતિઓને શ્રેષ્ઠ બનાવી શકો છો.

વ્યવસાયઃ- કોઇ દગાબાજી થવાની સંભાવના છે.

લવઃ- પતિ-પત્ની બંને વ્યસ્ત હોવાથી ઘરમાં સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- આ સમયે તણાવ લેશો નહીં.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- જો વાહન ખરીદવાની યોજના બની રહી છે તો આજે તેના માટે યોગ્ય સમય છે. ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- જો ઘરમાં વાતાવરણ શાંતિપૂર્ણ રાખવું હોય તો કોઇ સંબંધી કે મિત્રની દખલ ઘરમાં થવા દેશો નહીં.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ તથા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરવાં.

લવઃ- પતિ-પત્નીનો સહયોગ ઘરના વાતાવરણને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન હેલ્ધી રાખો.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- વિદ્યાર્થીઓ પોતાનો કોઇ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વધારે તણાવ અનુભવ કરશે. ભવિષ્યમાં તેના સાથે સંબંધિત જોબના અવસર પણ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ- બાળકો સાથે મિત્ર જેવો વ્યવહાર રાખવો. તેમના ઉપર વધારે અંકુશ રાખવો તમને જિદ્દી બનાવી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે.

લવઃ- લગ્નજીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ- જે વ્યક્તિઓને બ્લડ પ્રેશર છે તેમણે ધ્યાન રાખવું.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- પ્રોપર્ટી સાથે સંબંધિત કોઇ અધૂરું પડેલું કામ તમારા હકમાં આવી શકે છે. સંબંધીઓના કોઇ વિવાદપૂર્ણ મામલાઓમાં તમારો સહયોગ રહેશે.

નેગેટિવઃ- કોઇપણ જગ્યાએ સહી કરતાં પહેલાં પેપરોને ધ્યાનથી વાંચી લેવાં. આજે કોઇ વ્યક્તિ તમારી સાથે ચીટિંગ કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં કોઇપણ ગતિવિધિને નજરઅંદાજ કરશો નહીં.

લવઃ- પ્રેમ સંબંધોમાં પારિવારિક સ્વીકૃતિ મળવાથી જલ્દી લગ્ન લેવાશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ જીવનમાં થોડાં પરિવર્તન લાવી રહી છે. આ પરિવર્તન તમારા માટે શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ બનાવી રહ્યું છે. આ સમયે તમને લાભ થશે.

નેગેટિવઃ- આ સમયે તમારા ઉગ્ર સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવું અતિ જરૂરી છે. આજે પણ મામાપક્ષ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક કાર્ય યોગ્ય રીતે ચાલતું રહેશે.

લવઃ- કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થવાના યોગ છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- સંતાન સંબંધિત ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન થવાથી પરિવારને રાહત મળશે. વિદ્યાર્થીઓને પ્રતિસ્પર્ધા સંબંધિત કાર્યોમાં કોઇની હેલ્પ મળવાથી આત્મવિશ્વાસ વધશે.

નેગેટિવઃ- તમે તમારા ખર્ચ ઉપર અંકુશ રાખો. અચાનક જ કોઇ ખર્ચ આવી જવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. ભાઇઓ સાથે વાદ-વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં આજકાલ જે વિસ્તાર સંબંધિત યોજના બની રહી છે તેને લઇને ગંભીર વિચાર કરો

લવઃ- પારિવારિક વાતાવરણ સારું જાળવી રાખવા માટે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

સ્વાસ્થ્યઃ- જૂની બીમારી ફરી થઇ શકે તેવી સંભાવના છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આજે તમે કોઇપણ કાર્ય ઉતાવળમાં ન કરીને તેના દરેક સ્તર અંગે વિચાર કરો. જેથી તમારી ઉન્નતિનો માર્ગ ખુલશે. સાથે જ, તમારા આત્મવિશ્વાસ અને પ્રતિભાનો પણ વિકાસ થશે.

નેગેટિવઃ- ઘરના વડીલો તથા વરિષ્ઠ વ્યક્તિઓનું અપમાન અથવા અવહેલના બિલકુલ ન કરશો. અકારણ ગુસ્સાના કારણે પરિસ્થિતિ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વધારે નફાના ચક્કરમાં કોઇ અનૈતિક કાર્ય કરવાથી બચવું.

લવઃ- પતિ-પત્નીમાં રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક પરેશાનીથી આજે છુટકારો મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
daily astrology predictions of 16 August 2020, Ajai Bhambi


from Divya Bhaskar https://ift.tt/3aAbvrR