Ad

Friday, May 8, 2020

ખેતીની જમીન બચાવવી જરૂરી, શહેરોમાં 50 માળની ઇમારતો, રેલવે સ્ટેશન અને એરપોર્ટ હવે વર્ટિકલ બનાવો : હાફિઝ કોન્ટ્રાક્ટર

દુબઇની ગગનચુંબી ઇમારત 23 મરીના, સાઇબર સિટી ગુડગાંવ સહિત વિશ્વની પ્રખ્યાત બિલ્ડિંગ્સની ડિઝાઇન તૈયાર કરનારા આર્કિટેક્ટ અને પદ્મભૂષણથી સન્માનિત હાફિઝ કોન્ટ્રાક્ટરનું માનવું છે કે કોરોના સંક્રમણ કાળ પછી હવે સમય આવી ગયો છે કે આપણે ખાદ્યાન્ન માટે જમીન બચાવીએ, વર્ટિકલ રેલવે સ્ટેશન અને એરપોર્ટ બનાવવા અંગે વિચારીએ. તેનાથી જમીનની બરબાદી નહીં થાય, ખર્ચમાં ઘટાડો થશે અને પર્યાવરણ સુધરશે. તેમની સાથે વાતચીતનાં સંપાદિત અંશ....
સવાલ: કોરોના બાદ હવે દેશ-વિદેશમાં શું નવા ફેરફાર જોવા મળશે?
હાફિઝ કોન્ટ્રાક્ટર:
કોરોના વાઇરસ સ્થાયી રીતે રહેશે, એવું નથી. ઘણા વખતે આપણે ભવિષ્ય અંગે વધુ વિચારી લઇએ છીએ. કોરોના દરમિયાન અને તેના ખતમ થયા પછી ચાર-પાંચ મહિના સુધી મુશ્કેલી રહી શકે છે. જ્યાં સુધી રસી નથી, ત્યાં સુધી તેનો ડર રહેશે.
સવાલ: ઘરોની બહાર અને અંદર હવે કેવી ડિઝાઇન જરૂરી રહેશે?
હાફિઝ કોન્ટ્રાક્ટર:
અત્યારે શહેરોમાં ઘર એક-બીજા સાથે ગીચ હોય છે. થોડા માળની ઇમારતો હોય છે. નવી-નવી સોસાયટી પણ 12-13 માળની હોય છે અને શહેર વિસ્તરતા જાય છે. હવે નક્કી કરવાનું છે કે એક હદ પછી શહેરનો વિસ્તાર ન થાય. આપણે કાયદામાં સુધારો કરવો પડશે, જેનાથી તે વધુ ને વધુ માળની ઇમારતો બનાવવાની મંજૂરી આપે. તેનાથી જે ક્ષેત્રમાં એક હજાર લોકો રહે છે, ત્યાં બે ગણા લોકો રહેવા લાગશે. અન્ય જમીન પર ગ્રીનરી વગેરે કરો. હવે ગ્રાઉન્ડ અને 50 માળની ઇમારત બનાવવાની જરૂર છે. પહેલાં મોટાં ઘરો જ બનતાં હવે નાના ઘરો જરૂર બનવા લાગ્યાં છે. યુરોપ-અમેરિકાની જેમ ભારતમાં શહેર વસાવવા જોઇએ નહીં. ફૂડ સિક્યોરિટી માટે જમીન જરૂરી છે. તેને આપણે વધારી શકીશું નહીં.
સવાલ: રેલવે સ્ટેશન, એરપોર્ટના સ્વરૂપમાં કેવા પ્રકારનું પરિવર્તન આવશે?
હાફિઝ કોન્ટ્રાક્ટર:
અત્યારે એરપોર્ટ માટે 5-10 હજાર એકર જમીન લેવાની શું જરૂર? એવિએશન ઇન્ડસ્ટ્રીએ વર્ટિકલ એરપોર્ટ અંગે પણ વિચારવું જોઇએ. એર સ્ટ્રીપ પણ વર્ટિકલ હોવી જોઇએ. તેનાથી વધુ જમીનની જરૂર નહીં પડે. આપણે કંઇક અલગ રીતે વિચારવું જોઇએ. રેલવે સ્ટેશન પર જ મોટાં-મોટાં બિલ્ડિંગો બનાવવાની વાત થઇ રહી છે, તેનો ખર્ચ બહુ વધારે આવે છે. બિલ્ડિંગ સ્ટેશનને બદલે રેલવની ખાલી જમીન પર દૂર બનવાં જોઇએ, જેનાથી ખર્ચ ઓછો થશે. અત્યારે યાત્રી બહુ દૂર ગાડી પાર્ક કરે છે, કુલીને લઇ બ્રિજ પાર કરી ગાડી સુધી પહોંચે છે. (ગાડી જો વચ્ચેના પ્લેટફોર્મ પર આવે છે તો) મારું માનવું છે કે તેના બદલે રેલવેલાઇન પર જ આખી છત બને અને યાત્રી પોતાની કારની સાથે પ્લેટફોર્મ નંબર સુધી પહોંચે અને ગાડી પાર્ક કરે. પછી એક્સેલેટરની મદદથી કોચ સુધી પહોંચે. અમે દેશનાં 19 પ્લેટફોર્મની ફ્રીમાં ડિઝાઇન બનાવવાની રેલવેને ઓફર કરી છે.
સવાલ: તમે કહ્યું કે અમેરિકા,યુરોપની જેમ ભારતમાં શહેર ન વસાવવા જોઇએ? તો શું ઉપાય હોઇ શકે?
હાફિઝ કોન્ટ્રાક્ટર:
નવાં શહેર વસાવવાનું પ્લાનિંગ કરતી વખતે આપણે લાંબી-પહોળી જમીન નક્કી કરી લઇએ છીએ. તેમાં મોટા ભાગનો હિસ્સો ખેતીની જમીનનો હોય છે. પછી લાંબા -પહોળા રોડ બનાવીશું. પછી બિલ્ડર ચાર કે પાંચ માળનું શહેર વસાવશે. આવી રીતે આખી જમીન જતી રહે છે. હજારો વર્ષોથી આવી રીતે જ શહેર બની રહ્યાં છે. તેના બદલે 100-100 એકરની લંબાઇ-પહોળાઇમાં 50-55 માળના ટાવર બને. જરૂર પડે 100-100 એકરની જમીન ફરી લઇ શકાય છે. બાકીની જમીનનો ઉપયોગ ખેતી કરવા કે જંગલના રૂપમાં જ રાખો. તેની સાથે જ 100-100 એકરના બે ટુકડામાં શહેર વસાવાય. તેની વચ્ચે અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક ટ્રેન, ટ્રોમ કે પછી કન્વેર બેલ્ટ ચલાવવા જોઇએ. શહેરમાં ઇલેક્ટ્રિક કાર- ટુવ્હીલર ચલાવવાનો નિયમ બનાવવામાં આવે. બહુમાળી ઇમારતોમાં જવા લિફ્ટનો ઉપયોગ થશે તેનાથી કાર્બન ડાયોક્સાઇટનું ઉત્સર્જન પણ અટકશે સાથે જ ગ્લોબલ વોર્મિંગની અસર નહીં થાય અને જળસ્તરની સમસ્યા ખતમ થશે.
ભારતીય રીતથી શહેર નહીં બને તો પસ્તાવું પડશે
સ્માર્ટ લિવિંગ ત્યારે જ આવશે જ્યારે પહેલાં સિટી બને. સ્માર્ટ સિટીનો મતલબ જ્યાં પર્યાવરણ, વન, ખેતી, જળસ્તર, ગ્લોબલ વોર્મિંગ વગેરેની ચિંતા કરવામાં આવે. આર્કિટેક્ટને કહેવામાં આવે કે શહેરમાં એટલી જોબ હોવી જોઇએ. જે વિદેશી કંપની ડિઝાઇન તૈયાર કરે છે, તેમને દેશ અંગે સારી માહિતી હોવી જોઇએ. તેઓ 200 મીટર પહોળા મેન રોડ બનાવે છે. તેમાં જમીન બરબાદ થાય છે. ભારતીય રીતે શહેર નહીં બને તો પસ્તાવું પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આર્કિટેક્ટ અને પદ્મભૂષણ હાફિઝ કોન્ટ્રાક્ટર.


from Divya Bhaskar https://ift.tt/35JONel

No comments:

Post a Comment