Ad

Sunday, May 17, 2020

રાજસ્થાનમાં 200 ફૂટ ઊંચી ધૂળની આંધીથી અંધારુ છવાયું

રાજસ્થાનના જેસલમેરમાં રવિવારે ધૂળની આંધીથી ધરતીથી આસમાન સુધી અંધારુ છવાઈ ગયું હતું. ત્યારપછી વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગે કહ્યું છે કે રવિવારે જેસલમેરમાં 30 કિમી ઝડપે પવન ફૂંકાયો હતો.ધૂળની ડમરી 200 ફૂટની ઊંચાઈ સુધી છવાઈ ગઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ધૂળની ડમરી 200 ફૂટની ઊંચાઈ સુધી છવાઈ.


from Divya Bhaskar https://ift.tt/2LEAgHP

ભાજપના કોર્પોરેટરે પોતાની સહી, ધરાવતાં પાસ ઈશ્યૂ કરતાં વિવાદ

કોરોના મહામારીમાં લૉકડાઉનનો આદેશ કર્યા છે ત્યારે ભાજપના હેરિટેજ કલ્ચરલ અને રિક્રીએશન કમિટીના ચેરમેનના સિક્કા સાથે અનેક લોકોને પાસ ઇશ્યૂ કરાતા વિવાદ ઉભો થયો છે.
પાસ લઇને કેટલાક લોકો ફરતા હતા
નવા વાડજના કોર્પોરેટર અને હેરિટેજ, કલ્ચરલ અને રીક્રિએશનના ચેરમેન ભાજપના જિજ્ઞેશ પટેલના સિક્કા અને સહી સાથેના પાસ લઇને કેટલાક લોકો ફરતા હતા. સમગ્ર પ્રકરણને કારણે ભાજપમાં પણ વિવાદ ઉભો થયો છે, કેમકે માત્ર નિશ્ચિત પદાધિકારી દ્વારા જ કોઇપણ સત્તાવગર પાસ ઈશ્યૂ કરાતા હોવાનું મનાઇ રહ્યું છે.સામાન્ય રીતે લૉકડાઉનમાં બહાર નીકળવા માટે પાસ ઈશ્યૂ કરવાની સત્તા માત્ર જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓને જ હોય છે, પણ મ્યુનિ.ના ચેરમેને પોતાના સિક્કા મારી પાસ આપ્યા છે.
મેં જ પાસ આપ્યા છે
રીક્રીએશન એન્ડ કલ્ચરલ કમિટીના ચેરમેન હેરિટેજ જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, મારા વિભાગમાં વોલન્ટિરનું કામ કરતાં લોકોને આ પાસ ઇશ્યૂ કર્યા છે. આ ઓન ડ્યુટી પાસ નથી પણ સ્વૈચ્છિક રીતે મારા વિભાગ સાથે જોડાયેલા લોકોને અપાયા છે. મેં કઇ ખોટું નથી કર્યું, અધિકારી દ્વારા અપાતા પાસ જેવા પાસ નથી. આ પાસ ઈશ્યૂ હું કરી શકું છું, તેથી ઈશ્યૂ કર્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ભાજપના કોર્પોરેટરે પોતાની સહીથી ઈશ્યૂ કરેલ પાસ.


from Divya Bhaskar https://ift.tt/2TffAKN

કોરોનાની રસી બને કે ન બને, અમેરિકા જલદી ખૂલી જશે: ટ્રમ્પ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આર્થિક પ્રવૃત્તિઓ બને તેટલી જલદી સામાન્ય કરવા માગે છે. તેમણે કહ્યું કે કોરોનાની રસી બને કે ન બને, અમેરિકા જલદી ફરી ખૂલવા જઇ રહ્યું છે. અગાઉ તેમણે એમ કહ્યું હતું કે ચાલુ વર્ષના અંત સુધીમાં રસી આવી જશે. વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે લોકોને રાબેતા મુજબના જનજીવનમાં પાછા ફરવા આગ્રહ કર્યો.
વેક્સિન ઝડપભેર અને મોટા પાયે તૈયાર થશે
તેમણે એવી પણ જાહેરાત કરી કે એક વેક્સિન પ્રોજેક્ટ શરૂ કરાઇ રહ્યો છે, જે બીજા વિશ્વયુદ્ધ વખતે વિશ્વના સૌપ્રથમ પરમાણુ હથિયાર બનાવવા માટે હાથ ધરાયેલા ‘ઓપરેશન વૉર સ્પીડ’ જેવો હશે. મતલબ કે વેક્સિન ઝડપભેર અને મોટા પાયે તૈયાર થશે. સૈન્યના જનરલ અને પૂર્વ હેલ્થકેર એક્ઝિક્યુટિવ આ ઓપરેશનનું સુકાન સંભાળશે.
ચાલુ વર્ષના અંત સુધીમાં કરોડો વેક્સિન બનાવીને આપી દેવાશે
આ પ્રોજેક્ટ ઝડપી રિસર્ચ અને મંજૂરી માટે 14 વેક્સિન કંપની સાથે શરૂ થશે. સરકારી અને ખાનગી ભાગીદારી સાથેનો આ પ્રોજેક્ટ ગ્લેક્સોસ્મિથક્લાઇનના નેતૃત્ત્વમાં હાથ ધરાશે. અમેરિકી સૈન્ય માટે દેશની બહાર વિતરણનું કામ સંભાળતા જનરલ ગુસ્તાવે પર્ના સીઇઓ તરીકે કામ કરશે. દવા કંપનીઓએ આશા વ્યક્ત કરી છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં કરોડો વેક્સિન બનાવીને આપી દેવાશે. જોકે, ટ્રમ્પે એમ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકીઓએ વેક્સિન વિના પણ સામાન્ય જનજીવન શરૂ કરવું પડશે. ઘણા નિષ્ણાતોને શંકા છે કે વેક્સિન તૈયાર થતાં એક વર્ષ લાગી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/36cG58W

ઇઝરાયલમાં ચીનના રાજદૂત ડૂ વેઇનું શકમંદ હાલતમાં મોત

ઇઝરાયલમાં ચીનના રાજદૂત ડૂ વેઇનું શકમંદ હાલતમાં મોત થઇ ગયું. વેઇ હર્ટઝલિયા કાથેના પોતાના નિવાસે પથારીમાં મૃત મળી આવ્યા. આ ઘટના રવિવારે વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂના શપથ સમારંભના થોડા કલાકો પહેલાં જ થઇ. વેઇના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્ર છે. જે ઇઝરાયલમાં ન હતાં.
રાત્રે હાર્ટએટેક આવ્યો, જેનાથી તેનું મોત થયું: રિપોર્ટ
ઇઝરાયલી પોલીસને ડૂના મોત અંગે કોઇ માહિતી નથી અને કહ્યું છે કે તે તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે, તેમને રાત્રે હાર્ટએટેક આવ્યો, જેનાથી તેનું મોત થયું. મીડિયા રિપોર્ટ મુજબ તેમના સાથીઓએ ડૂને જગાડવાનો પ્રયત્ન કર્યો તો તેમનો શ્વાસ ચાલતો નહતો. યુક્રેનમાં ચીનના રાજદૂત રહેલા 58 વર્ષના ડૂને ફેબ્રુઆરીમાં ઇઝરાયલના રાજદૂત બનાવાયા હતા. બે દિવસ પહેલાં જ ડૂએ અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પીઓની એ વાત અંગે ટીકા કરી હતી, જેમાં પોમ્પિયોએ ઇઝરાયલમાં ચીની રોકાણનો વિરોધ કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ચીનના રાજદૂત ડૂ વેઇની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3dTek7H

ચીની હેલિકોપ્ટર હિમાચલમાં 2 વાર 15 કિમી સુધી અંદર ઘૂસ્યાં

જમ્મુ-કાશ્મીરના લદ્દાખ અને સિક્કિમના નાકૂમાં આ મહિને પ્રથમ અને બીજા અઠવાડિયામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી પહેલાં એપ્રિલમાં ચીનનાં હેલિકોપ્ટર્સે ભારતીય હવાઇ સીમાનું ઉલ્લંઘન કર્યું હતું. હિમાચલપ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લાના એસપી રાજેશ ધર્માનીએ રવિવારે આ માહિતી આપી છે.
સુમડોલ લાહૌલ-સ્પીતિમાં કિન્નૌર જિલ્લાની સરહદને અડીને આવેલું છે
તેમણે જણાવ્યું કે 11 એપ્રિલે ચીનનાં હેલિપોટ્ર સ્પીતિના સમુડોહ વિસ્તારમાં 12-15 કિ.મી. અંદર સુધી ઘૂસ્યાં હતાં. 20 એપ્રિલે પણ ફરી આ જ વિસ્તારમાં ચીનના હેલિકોપ્ટરે ઘૂસણખોરી કરી હતી. સીઆઇડી અને ગુપ્તચર એજન્સીઓએ આ સંદર્ભે તેમનો રિપોર્ટ સોંપી દીધો છે. સુમડોલ લાહૌલ-સ્પીતિમાં કિન્નૌર જિલ્લાની સરહદને અડીને આવેલું છે.
ભારત અને ચીનના 250થી વધુ સૈનિકો વચ્ચે 5 અને 6 મેએ ધક્કામુક્કી થઇ
ત્યાં રાજ્ય પોલીસ તહેનાત છે. સુમડોહથી આગળ આઇટીબીપીના જવાનો તહેનાત હોય છે. નોંધનીય છે કે લદ્દાખના પૈંગોંગ ત્સો લેક વિસ્તારમાં ભારત અને ચીનના 250થી વધુ સૈનિકો વચ્ચે 5 અને 6 મેએ ધક્કામુક્કી થઇ હતી, જેમાં કેટલાક જવાન ઘાયલ થયા હતા. આવી જ ઘટના સિક્કિમના નાકૂ લામાં 9 મેએ બની હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3g8wynU

ગુજરાતમાં વધુ 391 વ્યક્તિ કોરાનાની ઝપેટમાં, 34ના મૃત્યુ


ગુજરાતના ૭૪% કેસ માત્ર અમદાવાદમાં  ગુજરાત-અમદાવાદમાં એક જ દિવસમાં સૌથી વધુ મૃત્યુનો બીજો સર્વોચ્ચ આંક 


અમદાવાદ, તા. 17 મે 2020, રવિવાર

લોકડાઉન-૩ના અંતિમ દિવસે ગુજરાતમાં કોરોનાની મહામારીનો ફરી એકવાર ગંભીર ચહેરો સામે આવ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૯૧ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે તો મૃત્યુનો બીજીવારનો સૌથી મોટો આંક ૩૪ પણ આજે જ નોંધાયો છે. દર વખતની જેમ અત્યંત ગંભીર સ્થિતિ અમદાવાદમાં છે.

આજે ૫ણ ૨૭૬ કેસ-૩૧ના મરણ સાથે અમદાવાદ મોખરે જ રહ્યું છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસનો આંક ૧૧૩૮૦ જ્યારે મરણનો આંક ૬૫૯ થયો છે. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદ પછી સૌથી વધુ ૪૫ કેસ સુરતમાં, ૨૧ કેસ વડોદરામાં અને એકસાથે ૧૪ કેસ  નોંધાવવાનો પહેલો બનાવ કચ્છમાં નોંધાયો છે. આવતીકાલથી લોકડાઉન-૪નો અમલ થવાનો છે તે પૂર્વે જ ગુજરાત-અમદાવાદનું ચિત્ર બિહામણું સાબિત થઇ રહ્યું છે.  

ગુજરાતમાં કારોના વાયરસ તેની બેફામ ગતિ પર બ્રેક લગાવવાનું જાણે નામ જ લઈ રહ્યો નથીય. છેલ્લા ૨૪ કલાક દરમિયાન  પ્રાથમિક રીતે કોવિડ-૧૯ના કારણે ૧૪ના જ્યારે કોમોર્બિડિટી-હાઇ રિસ્ક અને કોવિડ-૧૯ને કારણે ૨૦ના એમ કુલ ૩૪ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી થયેલા મૃત્યુનો બીજો સર્વોચ્ચ આંક છે. અગાઉ પાંચ મેના એક જ દિવસમાં ૪૯ વ્યક્તિએ કોરોના સામે જીવ ગુમાવ્યો હતો.

અમદાવાદમાં પણ આજે પાંચ મે બાદ કોરોનાથી બીજો સર્વોચ્ચ મૃત્યુઆંક નોંધાયો છે.  ગુજરાતમાં અત્યારસુધીના પોઝિટિવ દર્દીની સંખ્યા ૧૧૩૮૦ છે. આ પૈકી ૩૮ હાલ વેન્ટિલેટર પર છે અને ૬૧૮૪ સ્ટેબલ છે. અત્યારસુધી કુલ ૪૪૯૯ દર્દીઓ કોરોનામુક્ત થયેલા છે. હજુ એક્ટિવ કેસની સંખ્યા ૬૨૨૨ છે. હાલની સ્થિતિએ એક્ટિવ કેસનું પ્રમાણ ૫૪.૬૭%, દર્દીના સાજા થવાનું પ્રમાણ ૩૯.૫૩% જ્યારે મૃત્યુદર ૫.૭૯% છે. ગુજરાતના ૨૦ જિલ્લામાં આજે કોરોનાનો કમસેકમ ૧ કેસ નોંધાયો છે. 

આજે નોંધાયેલા ૩૪ મૃત્યુમાંથી ૨૭ પુરુષ-૭ મહિલાઓનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદમાંથી ૨૪ પુરુષ-૭ મહિલા, સુરતમાંથી ૨ પુરુષ-પંચમહાલમાંથી ૧ પુરુષે કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો કુલ ૮૪૨૦ કેસમાંથી ૫૨૪ના મૃત્યુ થયા છે જ્યારે ૫૨૩૬ એક્ટિવ કેસ છે. અત્યારસુધી નોંધાયેલા સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત ૧૦૯૪ સાથે બીજા, વડોદરા ૬૬૦ સાથે ત્રીજા અને ગાંધીનગર ૧૬૮ સાથે ચોથા સ્થાને છે.આમ, ગુજરાતમાં કોરોનાના જે કુલ કેસ નોંધાયા છે તેમાંના ૭૩.૯૯ ટકા માત્ર અમદાવાદમાંથી જ છે. 

ગુજરાતમાં વધુ ૧૯૧ દર્દીઓ કોરોનાને હરાવ્યો

ગુજરાતમાંથી છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૧ દર્દીઓ કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહ્યા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૧૧૫, સુરતમાંથી ૨૧, બનાસકાંઠામાંથી ૧૩નો સમાવેશ થાય છે. આ સાથે જ ગુજરાતમાં કુલ ૪૪૯૯ વ્યક્તિ કોરોનાને હરાવવામાં સફળ રહી છે. હાલમાં ગુજરાતનો રીક્વરી રેટ વધીને ૩૯.૫૩% થઇ ગયો છે. 

એકલા અમદાવાદમાં ઉત્તર પ્રદેશ અને બિહાર કરતા વધુ કેસ

અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક વધીને હવે ૮૪૨૦ થઇ ગયો છે. આમ, દેશના કેટલાક મોટા રાજ્યોની સરખામણીએ એકલા અમદાવાદમાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે. જેમાં રાજસ્થાનમાં ૫૦૮૩, મધ્ય પ્રદેશમાં ૪૯૭૭, ઉત્તર પ્રદેશમાં ૪૪૬૪, પશ્ચિમ બંગાળમાં ૨૬૭૭, પંજાબમાં ૧૯૬૪, બિહારમાં ૧૨૫૧, કર્ણાટકમાં ૧૧૪૭, કેરળમાં ૬૦૨ કેસ નોંધાયા છે. ગુજરાતમાં હાલ કોરોનાથી ૬૫૯ના મૃત્યુ થયા છે અને તેનાથી ઓછા કેસ કેરળમાં નોંધાયેલા છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bFhlqV

'Mix of virtual, physical courts will be way forward'

India's three-tier justice delivery system, groaning under the weight of bulky files of three crore cases, is on the verge of a new dawn — from trial courts to the Supreme Court, filing of cases will be done electronically and judges will adopt a judicious mix of hearing advocates either through video-conferencing or physically.

from Times of India https://ift.tt/3dYq5tR

E-tailers gear up to deliver in all 3 zones



from Times of India https://ift.tt/2LzYGC3

Pak-origin former UK home secretary blocked extradition of Dawood aide Tiger Hanif to India

Pak-origin former UK home secretary blocked extradition of Dawood aide Tiger Hanif to India

from India Today | Top Stories https://ift.tt/3bEQVp9

Noida Police distribute biscuits to migrant workers gathered at Noida-Delhi border

Noida Police distribute biscuits to migrant workers gathered at Noida-Delhi border




from News - Videos - The Times of India https://ift.tt/3691ijT

Saturday, May 16, 2020

ઉંમરને ભૂલવી હોય તો હૈયું ખોલીને બધું વહેંચો, લાંબુ જીવવા માટે શૅરિંગ જરૂરી, આજે હું ભલે નૃત્ય નથી કરી શકતી પણ મારું મન જરૂર કરે છે!

જીવનમાં બધું લયબદ્ધ હોય તો ભીતરથી આપોઆપ જોમ આવી જાય છે. આજે 90 વર્ષનાં થઇ રહેલાં દેશનાં સૌથી વયસ્ક કથ્થક ગુરુ કુમુદિની લાખિયાના જીવનની આ જ ફિલસૂફી છે. આ જુસ્સાના જોરે જ તેઓ 55 વર્ષથી અમદાવાદમાં કથ્થક કેન્દ્ર ‘કદમ્બ’ ચલાવી રહ્યાં છે. હજારો શિષ્યો ત્યાં કથ્થક શીખીને દુનિયામાં આ શૈલીને વિસ્તારી રહ્યાં છે. ભાસ્કરે તેમની સાથે ખાસ વાતચીત કરી.
પ્રશ્નઃ આ ઉંમરે આટલી સર્જનાત્મકતા અને જોમનું રહસ્ય શું છે?
જવાબઃ મારું માનવું છે કે તમે જીવન પાસેથી શું ઇચ્છો છો તે હંમેશા સ્પષ્ટ રાખો. ઉંમરને ભૂલવી હોય તો બધું વહેંચતા શીખો, હૈયું ખોલીને વહેંચો. પછી તે જ્ઞાન હોય કે મનની વાતો હોય. હું 8 વર્ષથી માંડીને 28 વર્ષના સ્ટુડન્ટ્સ સાથે મારી વાતો શૅર કરું છું. હું માનું છું કે શૅરિંગ ઇઝ ધ મોસ્ટ વન્ડરફુલ થિન્ગ. જોકે, હવે હું નૃત્ય નથી કરી શકતી પણ મારું મન તો કરે છે ને!
પ્રશ્નઃ તમને કથ્થકમાં સૌથી વધુ પ્રયોગો કરવાનું શ્રેય અપાય છે. તેમ કરવાની જરૂર કેમ પડી?
જવાબઃ એક વાર એક ફ્રેન્ડના કહેવાથી મેં સોલો પરફોર્મન્સની જગ્યાએ કથ્થકને કોરિયોગ્રાફ કરવાનું શરૂ કરી દીધું. સર્વેશ્વર દયાલ સક્સેનાની કવિતા પણ કોરિયોગ્રાફ કરી. હું સ્ટુડન્ટ્સને પણ ઇનોવેશન કરવા માટે પ્રેરિત કરું છું, કેમ કે કથ્થકનો સાર માત્ર ‘ભાવ’ નહીં, ‘કથા’ પણ છે, જેથી તે કહેવા માટે નવા દ્રષ્ટિકોણ પણ શોધવા પડે.
પ્રશ્નઃ ‘ઉમરાવ જાન’ ફિલ્મમાં રેખા સાથે કામનો અનુભવ કેવો રહ્યો? આજકાલના ડાન્સ વિશે શું વિચારો છો?
જવાબઃ મેં 3 ફિલ્મમાં કોરિયોગ્રાફી કરી છે પણ ‘ઉમરાવ જાન’ હિટ રહી. એક ફિલ્મમાં જયા પ્રદાને પણ કથ્થક શીખવ્યું. મુઝફ્ફર અલીની એક ફિલ્મ પણ કરી હતી. રેખાને ભરતનાટ્યમ આવડે છે. તેણે નૃત્યમાં બહુ મહેનત કરી હતી. ત્યારની ફિલ્મોમાં મીનિંગફુલ ડાન્સ હતા. આજકાલ તો ડાન્સ નહીં પણ એરોબિક્સ હોય છે.
પ્રશ્નઃ હાલ કોરોનાના કારણે લોકો ઘરમાં કેદ છે, તેમના પર નકારાત્મકતા હાવી છે. હકારાત્મકતા કેવી રીતે જાળવી શકે છે?
જવાબઃ તમે લાઇફને કેવી રીતે ટ્રીટ કરો છો તે મહત્ત્વનું છે. કોરોના આવ્યો એમાં શું ડરવાનું? આ ખરાબ દિવસોથી શું ડરવાનું? સારા દિવસો નથી ટકતા તો ખરાબ દિવસો શું ટકવાના? આનાથી હતાશ થવાની જરૂર નથી. નકારાત્મકતા એટલે છે કે લોકો કાયમ તેમની પાસે જે હોય તેનાથી વધુ ઇચ્છતા હોય છે. તેના કારણે જ તણાવ છે,નકારાત્મકતા છે.
ઉપલબ્ધિઓઃ
પદ્મશ્રી, પદ્મભૂષણ, સંગીત નાટક અકાદમી એવોર્ડ, ટાગોર રત્નથી સન્માનિત.
કથ્થકને સોલો ડાન્સમાંથી કોરિયોગ્રાફીમાં પરિવર્તિત કરવાનું શ્રેય.
સર્વેશ્વર દયાલ સક્સેનાની કવિતા પર આધારિત ડાન્સ પ્રસ્તુતિ.
પ્રસિદ્ધ શિષ્યાઓ - સંધ્યા દેસાઇ, દક્ષા સેઠ, અદિતિ મંગળદાસ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કથ્થક ગુરુ કુમુદિની લાખિયા - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/364sdgV

કાઠમંડુ વેલીથી 200 કિ.મી. દૂરનો માઉન્ટ એવરેસ્ટ પણ દેખાવા લાગ્યો

કોરોના વાઈરસના પ્રકોપને પગલે લગભગ આખી દુનિયાએ લૉકડાઉન જાહેર કરવું પડ્યું. આ કારણસર હવામાં ઝેર ઓકતા વાહનો-ફેક્ટરીઓના ધુમાડા સંપૂર્ણપણે બંધ થઈ જતા આખી દુનિયાની હવા ચોખ્ખી થઈ ગઈ. એટલું જ નહીં, નદીઓ પાણી પણ પીવાલાયક થઈ ગયા. આ દરમિયાન નેપાળમાં પણ દાયકાઓ પછી કાઠમંડુ વેલીમાંથી માઉન્ટ એવરેસ્ટ ચોખ્ખો દેખાવા લાગ્યો. કાઠમંડુ વેલીથી માઉન્ટ એવરેસ્ટ ઓછામાં ઓછો 200 કિલોમીટર દૂર છે, પરંતુ પ્રદૂષણ ઘટી જતા આ શક્ય બન્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કાઠમંડુથી દેખાતો માઉન્ટ એવરેસ્ટ


from Divya Bhaskar https://ift.tt/2AARinY

અમદાવાદ શહેર સિવાય રાજ્યના 68 લાખ ગરીબ અંત્યોદય NFSA પરિવારોને આજથી વિનામૂલ્યે અનાજ વિતરણ

મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે કે, વિશ્વવ્યાપી કોરોના વાઈરસ કોવિડ-19ની સ્થિતિને કારણે પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્યના NFSA અને અંત્યોદય એવા કુલ 68.80 લાખ ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો આજથીપ્રારંભ કરવામાં આવશે. અમદાવાદ શહેર સિવાય તમામ જિલ્લાઓ ગામડાઓ અને નગરોમાં આ વિતરણ શરૂ થશે.
છેલ્લા આંકડા મુજબ વિતરણ
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, આ વિતરણ વ્યવસ્થા અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં તા.17થી તા. 26મે દરમિયાન ચાલુ રહેશે. આ અનાજ વિતરણ વ્યવસ્થા સુચારૂ ઢબે થઇ શકે તે માટે NFSA રેશન કાર્ડધારકોના કાર્ડ નંબરના છેલ્લા આંકડા મુજબ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે. જેમના રેશનકાર્ડનો છેલ્લો આંક એક હશે એમને આવતીકાલ રવિવારે આ અનાજ વિતરણ કરાશે
NFSAમાં નોંધાયેલા ન હોય તેવાને પણ અનાજ વિતરણ
તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત સમાવિષ્ટ કરાયેલા 66લાખ કાર્ડધારક પરિવારો અને એવા અંત્યોદય પરિવારો જે NFSAમાં નોંધાયેલા નથી, તેવા 3.80લાખ એમ 68.80લાખ પરિવારોની અંદાજે 3 કરોડ 36લાખ જનસંખ્યાને આ વિતરણ અન્વયે ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું નિ:શૂલ્ક અપાશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત વધુ અનાજ
આ ઉપરાંત ભારત સરકાર દ્વારા પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે વધારાના ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખા વ્યકિતદિઠ આપવામાં આવનાર છે. એટલે કે આ પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકારની આ અનાજ વિતરણ વ્યવસ્થાનો લાભ એક સાથે મળશે.
સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિતના નિયમો સાથે વિતરણ
તેમણે ઉમેર્યુ કે, આ હેતુસર સમગ્રતયા તા.17મે થી 26મે દરમિયાન અમદાવાદ શહેર સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો, ફરજીયાત માસ્ક વગેરેના અનુપાલન સાથે સરકાર માન્ય સસ્તા અનાજથી દુકાનનો પરથી અન્ન વિતરણ થવાનું છે તેનો પ્રારંભ તા.૧૭મી મે, રવિવારથી થશે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ahmedabad city out in Distribution of free foodgrains to 68 lakh poor Antyodaya NFSA families of Gujarat from tomorrow 17th May and


from Divya Bhaskar https://ift.tt/2Ta0JkM

It’s time to fight coronavirus together, not to do politics: Chhattisgarh CM on Piyush Goyal’s statement

It’s time to fight coronavirus together, not to do politics: Chhattisgarh CM on Piyush Goyal’s statement




from News - Videos - The Times of India https://ift.tt/3cG3HF5

What if our personal data didn’t stay so personal?

Ok, bear with me. This is a weird one. I have a twisted premonition: I’m pretty sure that at some point in my life, all our data will leak. We’ll all wake up one morning...

from Times of India Opinion https://ift.tt/2TdqIYj

1940માં અમદાવાદમાં ટેલિફોન બુક કરાવ્યા પછી એક વર્ષે મળતો, તે સમયે પણ મિસકોલ કે રોંગ નંબર આવતા હતા

1940માં અમદાવાદમાં આવેલા 50 ફોન પૈકી એકના માલિક સુકુમાર પરીખે કહ્યું, ‘આ વાત છે 1940ના સમયની. એ સમયે ભારતમાં નવો નવો ટેલિફોન આવ્યો હતો. મારા પિતા મનુભાઇએ તે સમયે ફોન બુક કરાવ્યો હતો. અમદાવાદમાં શરૂઆતમાં આવેલા 50 ફોન પૈકી એક ટેલિફોન(લેન્ડલાઈન) અમારી પાસે હતો. આ ટેલિફોન બુક કરાવ્યાના એક વર્ષ પછી ફોન સેટઅપ કરવા માટે ટેલિકોમ અધિકારીઓ ઘરે આવતા. અમારો ટેલિફોન નંબર એ વખતે ચાર આંકડાનો 3005 હતો’. આ શબ્દો છે 85 વર્ષીય સુકુમાર પરીખના. જેમણે સિટી ભાસ્કર સાથે ‘વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે’ પર અમદાવાદમાં 1940ના સમયમાં આવેલા ફોન વિશેના યાદગાર સંસ્મરણો શેર કર્યા હતા’.
‘હેલો’ કેમ કહીએ છીએ?
કહેવાય છે કે ગ્રાહમ બેલની ગર્લફ્રેન્ડનું નામ ‘મારગ્રેટ હેલ્લો’હતું. ફોનની શોધ કર્યા બાદ સૌથી પહેલો ફોન તેમણે પોતાની ગર્લફ્રેન્ડને કર્યો અને ફોન પર તેને પ્રેમથી ‘Hello’ તરીકે બોલાવી અને ત્યારથી જ ‘Hello’ ચલણમાં આવી ગયું.
અમદાવાદની કોમ્યુનિકેશન સિસ્ટમનો ક્રમ
ચાડિયા: અમદાવાદના શાહપુર દરવાજા પાસે પ્રાચીન સમયમાં ચાડિયાઓની ટોળકી જે તે અધિકારીઓને સંદેશા પહોંચાડવાનું કામ કરતી.
ખેપીયા: ખેપીયા એ રાજાઓ કે સુલતાન દ્વારા અમુક ગોપનિય સંદેશાઓ કે રાજદ્વારી સંદેશ પહોંચાડવાનું કામ કરતા હતા.
પશુ-પક્ષીઓ: પશુ-પક્ષીઓ દ્વારા સંદેશાઓનું વહન કરવામાં આવતું હતુ. ખાસ કરીને ઘોડાઓની કેશવાળીમાં સંદેશાઓ છુપાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવતા હતા.
કેલિગ્રાફ: જેમાં સાંકેતિક ભાષાનો પ્રયોગ કરીને સંદેશાઓ પહોંચાડવામાં આવતા.
ટેલિગ્રાફી: ટેલિગ્રાફીમાં સંસ્કૃત, ઉર્દુ, ફારસી ભાષાઓમાં સંદેશોઓ કોડવર્ડમાં મોકલવામાં આવતા.
એ પછી ટપાલ, ટેલિગ્રામ અને હવે ટેલિફોન, મોબાઈલ ફોન, સ્માર્ટફોન)
કેવા હતા 1940ના દાયકાના ફોન?
અત્યારની નવી પેઢીએ કદાચ ભાગ્યે જ 1940ના સમયમાં આવેલા ફોન જોવા હશે.તે સમયે એક ભૂંગળા જેવો ભાગ કાને રાખીને સામેવાળી વ્યક્તિ શું બોલે છે તે સાંભળવામાં આવતો. જ્યારે બીજી બાજુ બોલવા માટે પણ એક અલગ ગ્લાસ જેવા આકારના ટેલિફોનના ભાગનો ઉપયોગ થયો. ટેલિફોનની રિંગ વાગે ત્યારે ઘરમાં કોણ ઉપાડશે તેને લઈને સ્પર્ધાઓ થતી. એ સમયે ટેલિફોન સાથે ઘડિયાળ પર પણ નજર રાખવી પડતી કેમ કે બિલના દર ખૂબ ઉંચા હતા.
તે સમયે પણ મિસ કોલ કે રોંગ નંબર આવતા
ટેલિફોન અંગેના રમુજી યાદગીરી શેર કરતા સુકુમાર પરીખે કહ્યું કે, આખો દિવસમાં સગા-સંબંધીઓના કોલ આવતા તેની કરતા તો મિસ કોલ અને રોંગ નંબર વધારે આવતા. 4 આંકડાનો લેન્ડલાઈન નંબર હોવા છતાં લોકો ખોટી જગ્યાએ ફોન જોડી દેતા. વળી પાડોશમાં રહેતા લોકોના સંબધીઓના ફોન આવે ત્યારે અડધી કલાક પછી કરો એવુ કહેવું પડતું.
શું તમે જાણો છો 91 અને 079 વિશે
ભારતમાં ટેલિફોન સેવા આવી ત્યારે વર્લ્ડ લેવલ પર દરેક દેશને યુઝર્સની સંખ્યા મુજબ એક કન્ટ્રી કોડ નંબર આપવામાં આવતા હતા. ભારતને આ સમયે 91 નંબર આપવામાં આવ્યો હતો. આથી વિદેશમાં રહેતા કોઈ પણ વ્યક્તિને જ્યારે ભારતમાં ફોન પર વાત કરવી હોય તો ફોન નંબર પહેલા 91 એડ કરવો ફરજીયાત હતો. આવી જ રીતે દેશના એરિયા મુજબ એક ટેલિકોમ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ એરિયાનો નંબર 079 આપવામાં આવ્યો હતો. જે આજે પણ કાર્યરત છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3bCTSGR

Public, private sectors will work towards production of coal: Dharmendra Pradhan on economic package

Public, private sectors will work towards production of coal: Dharmendra Pradhan on economic package




from News - Videos - The Times of India https://ift.tt/2LC1IWK

સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 ફેઇલઃ ‘આનો ઉપયોગ માત્ર સામાન્ય શ્વાસની તકલીફમાં થાય, કોરોના માટે કામનું નથી’

રાજકોટમાં બનેલા સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 કોરોનાના દર્દીઓની સારવાર માટે અસરકારક નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુરુવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં સિવિલના તબીબો દ્વારા આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે, ધમણ-1 અને એજીવીએ વેન્ટિલેટરનો કોવિડ-19ના દર્દીઓમાં ધાર્યુ પરિણામ મળી શકતું નથી. આથી સિવિલની 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 50 અને કિડની હોસ્પિટલ માટે 50 એમ કુલ 100 હાઈ-એન્ડ આઈસીયુ વેન્ટિલેટરની તાત્કાલિક જરૂરિયાત હોવાથી તે ફાળવવામાં આવે.
એક્સપર્ટની સલાહ લીધા વગર જ ઇનસ્ટોલ થયા હતા
1200 બેડની કોવિડ હોસ્પિટલમાં હાલ 75 ધમણ-1 વેન્ટિલેટર કાર્યરત છે. આ વેન્ટિલેટર ઉપર કોરોનાના ગંભીર દર્દીઓને મૂકતાની સાથે તેમનું મૃત્યુ નીપજતું હોવાનું ડૉક્ટરોના ધ્યાને આવ્યું હતું. આ અંગે તબીબોમાં અંદરો અંદર ક્યારનો ગણગણાટ શરૂ થઈ જ ગયો હતો, પણ કોઈ અત્યાર સુધી બોલવા તૈયાર નહતું.આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, નિષ્ણાત તબીબોના અભિપ્રાય વગર જ ધમણ-1ને સરકારી હોસ્પિટલમાં ઈન્સ્ટોલ કરાયા હતા. ચર્ચા એવી પણ છે કે, ધમણ-1 વેન્ટિલેટરને ટ્રાયલ માટે અહીં ઉપયોગમાં લેવાયા હતા. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 350થી વધુ મૃત્યુ થયા છે. મહત્વનું છે કે, રાજકોટની એક કંપનીએ ફકત 10 દિવસમાં જ ધમણ-1 વેન્ટિલેટર તૈયાર કર્યું હતું અને હવે એડવાન્સ ધમણ-2 અને ધમણ-3 પણ તૈયાર થવાનું છે. ધમણ-1ની કિંમત આશરે એક લાખ રૂપિયા છે જ્યારે સામાન્ય વેન્ટિલેટરની કિંમત આશરે સાત લાખ હોય છે, પરંતુ હવે સિવિલ હોસ્પિટલના તબીબોએ ધમણ-1ને રિજેક્ટ કર્યું છે.
સપોર્ટિવ ટ્રિટમેન્ટ જ આપી શકાય
સિવિલના સુપરિન્ટેડેન્ટ ડૉ. જે.પી. મોદીના જણાવ્યાનુસાર હાઈ-એન્ડ વેન્ટિલેટરનું મોડ ચેન્જ કરી શકાય, બાયપેપના દર્દીને તેના પર મૂકી શકાય છે. જ્યારે ધમણ બાયપેપનું હાયર વર્ઝન છે દર્દીને ઈન્ક્યુબેટ કરવા ઉપયોગી થઈ શકે. એટલે સપોર્ટિવ ટ્રિટમેન્ટ આપી શકાય છે. હાઈફ્લો ઓક્સિજન આપી શકાતો નથી. ધમણમાં હાઈફ્લો મિટર લગાડવાની જરૂર પડે છે. ધમણનો ઉપયોગ સામાન્ય શ્વાસની તકલીફમાં થઈ શકે. સિવિલમાં પૂરતી સંખ્યામાં હાઈ-એન્ડ વેન્ટિલેટર ઉપલબ્ધ છે.
વેન્ટિલેટર જેવું ફંક્શનિંગ નથી
ધમણ-1 વેન્ટિલેટર સામાન્ય વેન્ટિલેટર જેવું નથી, પણ સાદા ઓક્સિજન કરતા સારું છે. ગુરુવારે નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ મળી હતી, તેમા તબીબો દ્વારા ઓરિજિનલ વેન્ટિલેટરની સરખામણીએ ધમણ વેન્ટિલેટરનું ફંકશનિંગ નથી તેવી રજૂઆત કરી હતી. મહામારીની પરિસ્થિતિમાં હોસ્પિટલોની જરૂરિયાતના આધારે આ સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરાયું હતું. - ડૉ. એમ.એમ.પ્રભાકર, માજી સુપરિન્ટેન્ડેન્ટ, સિવિલ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સિવિલના તબીબોએ વેન્ટિલેટર અંગે લેખિત રજૂઆત કરી


from Divya Bhaskar https://ift.tt/3dWnT5N

1 dead, 2 injured after landslide occurs at Jammu-Srinagar NH-44

1 dead, 2 injured after landslide occurs at Jammu-Srinagar NH-44




from News - Videos - The Times of India https://ift.tt/3649e5U

West Bengal: Bus ferrying migrants overturns in Jalpaiguri, 15 injured

West Bengal: Bus ferrying migrants overturns in Jalpaiguri, 15 injured

from India Today | Top Stories https://ift.tt/2WEcoKC

Desperate bid for privatisation

Desperate bid for privatisation

from India Today | Top Stories https://ift.tt/3650igI

A letter of apology to the migrants who made our homes & highways

Dear Jamlo Makdam, This letter of apology will never reach you. You perished last month. You were walking from a Telangana chilli farm to your home in a Chhattisgarh village. Your 12-year-old exhausted legs could...

from Times of India Opinion https://ift.tt/2WXvaeY

The speech Modi has not made but should

Beloved brothers and sisters, We have been struck by the worst tragedy since Independence. We shall overcome, with courage and resilience. But we must also change course in the light of experience. Colleagues and experts...

from Times of India Opinion https://ift.tt/3czAUlE

We don’t have to defeat Covid, we need to make peace with it

Prime Minister Narendra Modi finally told the nation something that would have been good to hear a month or more back. He said “Friends, experts and scientists have pointed out that corona will remain a...

from Times of India Opinion https://ift.tt/368fCJi

અમદાવાદ સહિતનાં 30 શહેરોમાં પ્રતિબંધ ચાલુ રહેશેઃ ડોમેસ્ટિક ફ્લાઈટ, મેટ્રો, બસ ફરી શરૂ થઈ શકે છે

કોરોનાને કારણે ચાલી રહેલા લૉકડાઉનનો ત્રીજો તબક્કો રવિવારે પૂરો થઈ રહ્યો છે. દેશની પરિસ્થિતિને જોતા સોમવારથી ચોથો તબક્કો શરૂ થશે. ચોથો તબક્કો 31 મે સુધીનો રહી શકે છે. જો કે કોરોનાથી વધુ પ્રભાવિત અમદાવાદ સહિતનાં 12 રાજ્યોનાં 13 શહેરોમાં કડક પ્રતિબંધ ચાલુ રહેશે તેમ મનાય છે. જોકે ચોથા તબક્કામાં ઘણી છૂટછાટ સંભવ છે. આ અંગેની જાહેરાત રવિવારે કરાશે. ડોમેસ્ટિક ફ્લાઈટ, મેટ્રો, બસ અને ઓટો રિક્ષાને સીમિત માત્રામાં છૂટ મળી શકે છે. આ ઉપરાંત ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં સલૂન, રેસ્ટોરન્ટ, સ્થાનિક બજારોમાં આવેલી દુકાનોને કડક શરત સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવે તેમ મનાય છે. દિલ્હીએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શોપિંગ સેન્ટર શરૂ કરવા કહ્યું છે.
આ છૂટછાટ સંભવ

  • શોપિંગ સેન્ટર અને મોલમાં કડક સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે.
  • રેડ ઝોનમાં આવેલા જિલ્લાઓને કન્ટેઇમેન્ટ ઝોન નક્કી કરવાનો અધિકાર મળી શકે છે. બાકીના જિલ્લામાં કેટલીક શરતો સાથે છૂટછાટ મળવાની સંભાવના છે.
  • મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, દિલ્હી, તેલગાણાં વગેરેના મુખ્ય શહેરોને છૂટછાટ નહીં મળે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2LFvVnv

ઘરે જતાં શ્રમિકોના અકસ્માત થતા એક જ દિવસમાં 34 લોકોના મોત, 58 ઘાયલ

લૉકડાઉન વચ્ચે પોતાના ઘરે પરત ફરી રહેલા પ્રવાસી મજૂરોની સાથે શનિવારે ત્રણ વિવિધ અકસ્માત થયા. તેમાં 34નાં મોત થયાં અને 58 ઘાયલ થયા છે. છેલ્લા 8 દિવસોમાં 70થી વધુ પ્રવાસી મજૂરોના માર્ગ અકસ્માતમાં મોત થયાં છે. ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લામાં શનિવારે પરોઢીયે 3.30 કલાકે ડીસીએમ ટ્રકને ચૂનાથી ભરેલા અન્ય ટ્રકે ટક્કર મારી હતી. તેમાં 24 લોકોના જીવ ગયા. સીએમઓ અર્ચના શ્રીવાસ્ત મુજબ 22 લોકો હોસ્પિટલમાં દાખલ છે. ગંભીર ઘાયલ 15 લોકોને સૈફઇ પીજીઆઇમાં દાખલ કરાયા છે. બંને ટ્રકમાં આશરે 100 શ્રમિક સવાર હતા. આ મજૂર ઝારખંડ, બિહાર, પ.બંગાળ અને યુપીના કુશીનગરના છે. ડીસીએમ ટ્રક ગાઝિયાબાદથી 20 મજૂરોને લઇ મધ્યપ્રદેશના સાગર જઇ રહ્યો હતો. જ્યારે ચૂનો ભરેલ ટ્રોલા રાજસ્થાનથી પશ્ચિમ બંગાળ જઇ રહ્યો હતો. ડીસીએમ ટ્રકના કેટલાક મજૂર ચા પીવા ઢાબા પર ગયા હતા ત્યારે જ ટ્રોલાએ ટક્કર મારી હતી.

કપડાંથી ભરેલો ટ્રક પલટતાં 5 લોકોના મોત
બીજો અકસ્માત આગરામાં લખનઉ એક્સપ્રસ-વે પર ઉન્ના જિલ્લાના ભવાનીખેડા પાસે થયો. જેમાં એક લોડરે ઓટોને ટક્કર મારી હતી. તેમાં હરિયાણાના બહાદુરગઢથી બિહારના દરભંગા પોતાના ઓટોમાં જઇ રહેલા અશોક ચૌધરી અને તેની પત્નીનું મોત થયું. તેનો પુત્ર કૃષ્ણા (6) બચી ગયો. જ્યારે અલીગઢના ગભાના હાઇવે પર ભરતરી ગામમાં અજાણ્યા વાહનની ટક્કરમાં મા-પુત્રનાં મોત થયાં અને અન્ય એક ઘાયલ થયો છે. ત્રીજો અકસ્માત મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં છાનબીલા નજીક સાગર-કાનપુર હાઇ-વે પર થયો. અહીં કપડાથી ભરેલો ટ્રકે પલટી ગયો, જેમાં બેઠેલા 5 મજૂરનાં મોત થયાં છે અને ત્રણ મહિલા સહિત 19 ઘાયલ થયા. આ મજૂર મહારાષ્ટ્રથી ઉત્તરપ્રદેશના બસ્તી જઇ રહ્યા હતા.

માતાના મૃતદેહ પાસે બે વર્ષનો માસૂમ રડતો રહ્યો
યુપીના ડુમરિયાગંજની ગુડિયાખાનનું અવસાન થઈ ગયું. બે વર્ષનો પુત્ર તેના પાર્થિવ દેહ પાસે બેસીને વિલાપ કરતો રહ્યો. પિતા લાલુખાનનું 6 મહિના પહેલા જ મોત થયું હતું. અકસ્માતમાં તેની 5 વર્ષની બેન પણ ઘાયલ થઈ ગઈ છે.

5 માસૂમ અલગ-અલગ ઘટનામાં અનાથ થઈ ગયાં

  • ઔરિયામાં શનિવારે વહેલી સવારે હાઈવે પર ઊભેલી ટ્રકને ચૂનાથી ભરેલી બીજી ટ્રકે ટક્કર મારી અને તે પલટી ખાઈ ગઈ. બંનેમાં લગભગ 100 જેટલા શ્રમિકો હતા. 24ના મોત થયા. શ્રમિકો ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળના હતા.
  • બીજી ઘટના મધ્ય પ્રદેશના છત્તરપુરમાં સાગર-કાનપુર હાઈવે પર થઈ. કાપડથી ભરેલી ટ્રક પલટી જવાથી તેમાં સવાર 6 શ્રમિકોના મોત થયા. આ લોકો મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ જઈ રહ્યાં હતા.
  • આગ્રામાં એક્સપ્રેસ-વે પર લોડરે ઓટોને ટક્કર મારી. ઓટોથી બિહાર જઈ રહેલા અશોક અને તેના પત્નીના મોત થયા. 6 વર્ષનો પુત્ર બચી ગયો. અલીગઢમાં એક મા-પુત્રના મોત થયા.

આગરા-મથુરા સરહદના એસએચઓ બરતરફ
ઔરૈયા અકસ્માત બાદ મુખ્યમંત્રી આદિત્યનાથે આગરા અને મથુરા બોર્ડરના એસએચઓને બરતરફ કરી દીધા. તેમણે મૃતકોના પરિવારજનોને 2-2 લાખની તેમજ ગંભીર ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવા આદેશ આપ્યા છે.

લૉકડાઉનના પ્રારંભના 45 દિવસમાં 73ના મોત થયાં હતાં
લૉકડાઉનના 52 દિવસમાં દેશભરમાં થયેલા અકસ્માતોમાં 134 શ્રમિકોના મોત થયા છે. પ્રારંભિક 45 દિવસમાં 73 શ્રમિકોના મોત થયા હતા. તેમાં ઔરંગાબાદ ટ્રેન દુર્ઘટના પણ સામેલ છે. 9 મે પછી 8 દિવસમાં ઘરે જઈ રહેલા 61 શ્રમિકો માર્યા ગયા. આ સંખ્યા વિવિધ ઘટના અને મોત અંગે પોલીસે દાખલ કરેલા કેસ પર આધારિત છે.

કોંગ્રેસે યુપી સરકાર સમક્ષ 1000 બસ દોડાવવા માંગ કરી
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે આ અકસ્માત નહીં, મજૂરોની હત્યા છે. પાર્ટી તરફથી તેમણે મૃતકોના પરિવારને 1-1 લાખ આપવાની જાહેરાત કરી.જ્યારે પ્રિયંકા ગાંધીએ મુખ્યમંત્રી યોગીને પત્ર લખી શ્રમિકો માટે કોંગ્રેસને નોઇડા અને ગાઝિયાબાદ બોર્ડરો પર 500-500 બસો ચલાવવા દેવાની પરવાનગી માગી છે.

મદ્રાસ-હાઈકોર્ટે કહ્યું- શ્રમિકોની દયનીય હાલત જોઈ કોઈ પણ આંસુ રોકી શકશે નહીં. આ માનવીય સંકટ છે
મદ્રાસ હાઈકોર્ટે પગપાળા જઈ રહેલા પ્રવાસી શ્રમિકોના મુદ્દે તમિલનાડુ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે પૂછ્યું છે કે શ્રમિકોની મદદ માટે કેવા પગલા ભરવામાં આવ્યા. કેટલા શ્રમિકો રસ્તામાં માર્યા ગયા? જસ્ટિસ એન. કિરુબાકરન અને આર. હેમલત્તાની બેન્ચે કહ્યું કે એક મહિનાથી પ્રવાસી શ્રમિકોની દયનીય સ્થિતિ જોઈને કોઈને પણ આંસુ અટકી શકે તેમ નથી. આ માનવીય સંકટ છે. ઘણા સમય સુધી રાહ જોયા પછી શ્રમિકો પગપાળા વતન જવા માટે મજબૂર બન્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માતાના મૃતદેહ પાસે બે વર્ષનો માસૂમ રડતો રહ્યો


from Divya Bhaskar https://ift.tt/3fRY5tw

કેન્દ્રએ પ્રવાસી શ્રમિકો માટે ઓનલાઈન ડેશબોર્ડ લોન્ચ કર્યું, શ્રમિકોના આવાગમનને વધુ સરળ બનાવવા પ્રયાસ

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસ્તા પર અને રેલવેના પાટા પરથી મળી આવતા પ્રવાસી શ્રમિકોને ભોજન અને આશ્રય પૂરા પાડવા જણાવ્યું છે. એટલું જ નહીં તેઓ તેમના ઘરે વિશેષ ટ્રેન દ્વારા જઈ શકે તેની પણ કાળજી રાખે. પ્રવાસી શ્રમિકોના આવાગમનને વધુ સરળ બનાવવા અને તેમના વિશેની વધુ માહિતી મેળવવા એક વિશેષ ઓનલાઈન ડેશબોર્ડ લોન્ચ કરાયું છે. એનડીએમએ દ્વારા લોન્ચ કરાયેલા આ પોર્ટલનું નામ નેશનલ માઈગ્રન્ટ ઇન્ફોસિસ્ટમ છે. કેન્દ્રીય ગૃહસચિવે રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી આ ડેટાબેઝ દ્વારા રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સારી રીતે સંગલન થાય અને પ્રવાસી શ્રમિકોના આવાગમન પર પૂરેપૂરી દેખરેખ રાખવા જણાવ્યું છે.
ડેશબોર્ડમાં શું હશે?

  • રાજ્ય પોર્ટલ પર શ્રમિકોને મોકલનારા અને બોલાવનારા રાજ્ય એકબીજાને માહિતી આપી શકશે.
  • પોર્ટલ પર શ્રમિકોના નામ, વય, મોબાઈલ નંબર, તેમની જવાની તારીખ અને પ્રવાસની તારીખ પણ હશે જેથી ખ્લાય આવશે કે કયા રાજ્યમાંથી કેટલા શ્રમિકો ગયા અને આવ્યા.
  • મોબાઈલ નંબરથી શ્રમિક પર નજર રાખી શકાશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2zHFhfV

આ કર્તવ્યનિષ્ઠ પિતા છે કોઈ સરકાર નથી, કરનૂલથી 1200 કિમી ચાલીને છત્તીસગઢ પહોંચશે!

શ્રમિકોની ઘરવાપસી અટકવાનું નામ લેતી નથી. હાડમારી પણ વધી રહી છે. તસવીર આંધ્રપ્રદેશના કરનૂલથી પોતાના ઘરે છત્તીસગઢ સુધી 1200 કિમીના પ્રવાસે નીકળેલા પિતાની છે. લૉકડાઉનને કારણે કામ અટકી ગયું, ઘરે જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો, સાથે બે પુત્રી પણ હતી. આથી સરકાર ભલે ભૂલી જાય પણ પિતા પોતાની ફરજ ના ચૂકે એ ન્યાયે પિતાએ એક કાવડ બનાવી તેમાં બે પુત્રીઓને મૂકીને પ્રવાસ શરૂ કર્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પિતાએ એક કાવડ બનાવી તેમાં બે પુત્રીઓને મૂકીને પ્રવાસ શરૂ કર્યો


from Divya Bhaskar https://ift.tt/2TaYqxR

લૉકડાઉન ખૂલતાં 15 લાખ સુધીની નોકરીઓની સંભાવના, જૉબ પોર્ટલ શરૂ કરવા સરકારની યોજના

બે મહિનાની તાળબંધી બાદ હવે અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માટે રાજ્યસરકાર પ્રયત્ન કરી રહી છે. એક પ્રચ્છન્ન ભય સેવાઇ રહ્યો છે કે અનેક લોકોની નોકરીઓ કોરોના છીનવી લેશે, પરંતુ ગુજરાતમાં સ્થાનિક યુવાનો માટે રોજગારી ઉપલબ્ધ હશે. હાલ અનેક પરપ્રાંતીય લોકો પોતાના વતન ભણી જતા રહ્યા છે, ત્યારે હવે જ્યારે લૉકડાઉન હળવું થાય તેવી સ્થિતિમાં ઉદ્યોગો ચાલું થશે અને તેમાં હવે કામદારોની જરૂર પડતા નવી નોકરીઓ પેદા થશે. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં દસથી પંદર લાખ પરપ્રાંતિય લોકો મજૂરીથી માંડીને સુપરવાઇઝરી કક્ષાએ અને અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં નોકરીઓ કરી રહ્યા હતા, પણ હાલ તેઓ વતન પરત ગયા હોવાથી સ્થાનિક યુવાનો માટે આ તક હશે કે તેમને અહીં નોકરી મળી શકશે. માત્ર ગુજરાતીઓએ કામ પ્રત્યેના પોતાના વલણ અને મિજાજને બદલવાની જરૂર રહેશે.
ટૂંક સમયમાં જોબ પોર્ટલ જેવી વ્યવસ્થા શરૂ કરશે
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે હાલ આ તક લોકલ યુવાનો માટે છે. અમે સરકારના જિલ્લા એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ દ્વારા ટૂંક સમયમાં જોબ પોર્ટલ જેવી વ્યવસ્થા શરૂ કરી સ્થાનિક લોકોને ત્યાંના ઉદ્યોગો કે અન્ય એકમોને અનુરૂપ નોકરી મળી રહે તેવી વ્યવસ્થા કરીશું. આ માટે યુવાનો, ઉદ્યોગો અને નોકરીદાતા એકમોની સાથે સંકલન કરીને આ વ્યવસ્થા ઊભી થશે. આ ઉપરાંત તાલુકા કક્ષાની ઉદ્યોગ તાલીમ સંસ્થા દ્વારા આ યુવાનોને શોર્ટ ટર્મ કોર્સીસ દ્વારા તાલીમ આપી તરત જ ઉદ્યોગોને જરૂરી માનવ સંસાધન ખડું કરાશે. લૉકડાઉન ખૂલ્યા બાદ માગમાં મોટાપાયે ઉછાળો આવશે.
સરકારે 12 કલાકની શિફ્ટની મંજૂરી આપવી પડશે
લોકડાઉન 4 થોડું હળવું થતાં અત્યાર સુધી જે માલસામાનની માગ ઓછી હતી તે તરત ઊંચી આવશે. તેને પહોંચી વળવા ઉદ્યોગોને સતત ઉત્પાદન પણ કરવું પડશે. આ ઉપરાંત કૃષિ અને ખાદ્ય સામગ્રી, ફાર્માસ્યુટિકલ્સ, કાપડ, ઇલેક્ટ્રોનિક્સથી માંડીને ઘણી ચીજવસ્તુઓના વેચાણમાં વૃદ્ધિ થશે, તેની સામે છેલ્લા બે મહિનાથી ઉત્પાદન બંધ હોઇ ડિમાન્ડને પહોંચી વળવાનું દબાણ ઉદ્યોગો પર રહેશે અને તેથી જ તેઓને વધુ શ્રમિકોની જરૂર પડશે. આ માટે સરકારે પણ બાર કલાકની શિફ્ટની મંજૂરી આપી છે, જેથી મહત્તમ કલાક સુધી ઉત્પાદન ચાલુ રહી શકે અને બજાર માગને પહોંચી વળાય.
ટેક્સટાઇલ, ઑટો, MSME સહિતનાં સેક્ટર્સમાં તકો સર્જાશે

  • ટેક્સટાઇલ એન્ડ પ્રિન્ટિંગ - 2 લાખ
  • જેમ્સ એન્ડ જ્વેલરી - 75 હજારથી 1 લાખ
  • ઓટોમોબાઇલ્સ એન્ડ એન્જિનિયરિંગ, MSME - 6 લાખ
  • ફાર્માસ્યુટિકલ્સ એન્ડ કેમિકલ્સ, પ્લાસ્ટિક - 2 લાખ
  • સેઝ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, શીપ બ્રેકિંગ - 1 લાખ
  • ફૂડ એન્ડ બેવરેજીસ, સર્વિસીસ - 1 લાખ
  • હોમ ડેકોર અને ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સર્વિસીઝ - 50 હજારથી 1 લાખ

‘ઉદ્યોગોએ વધુ વેતન આપવું પડશે’: શ્રમ રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ મિત્રાએ કહ્યું હતું કે જે રીતે બહારના રાજ્યોમાંથી આવતા શ્રમિકોને ઓછું વેતન આપીને જે ઉદ્યોગકારો તેમનું શોષણ કરતા હતા તેને બદલે સ્થાનિક લોકોને અમુક ટકા વધુ વેતન આપવું પડશે, પરંતુ તે જરૂરી છે. આમ કરતા તેઓને પણ શ્રમિકો મળી રહેશે અને તેમનું કામ થશે. બીજી એક વાત એ પણ છે કે આવા સંજોગોમાં ઉદ્યોગો હોય કે અન્ય એકમો સૌએ ઓટોમાઇઝેશન તરફ વળવું પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/36cvdrt

સરપંચનો પ્રયોગ છત્રી લઇને બહાર નીકળો, આપોઆપ જળવાશે સોશિયલ ડિસ્ટન્સિં

ગામડાંઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની જવાબદારી સરપંચોને સોંપવામાં આવી છે. દરેક સરપંચ પોતપોતાની રીતે આ જવાબદારી અદા કરતા હોય છે. પણ તેમાં ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સીડોકર ગામના સરપંચ સત્તારભાઇ તવાણીએ એક નવતર પ્રયોગ કર્યો. દુકાને ખરીદી કરવા માટે જાવ ત્યારે ફરજિયાત છત્રી લઇ જવાનું કહ્યું છે. કારણકે, છત્રી ખુલ્લી હોવાથી આપોઆપો સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે છે. આ ગ્રામીણ જુગાડથી કોરોનાને માત આપી શકાય એમ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sarpanch's experiment, take an umbrella and go out, social distance will be maintained automatically


from Divya Bhaskar https://ift.tt/2zJqrWe

Are the observer and observed the same?

Shun precedents and look afresh. Is the world still the same? For every sad story that is making Covid headlines, there are several that are quietly throbbing, waiting to be noticed. For every successful romance...

from Times of India Opinion https://ift.tt/3cPTHZW

What’s your defination of a good mom

I’m writing this article on mothers’ day when my whatsapp, twitter time line, facebook and every other form of communication is filled with messages of love, gratitude, respect for mothers. In all the GIF’s and...

from Times of India Opinion https://ift.tt/2Tcta1m

અમ્ફાન વાવાઝોડું 18મે સુધી ઓરિસ્સા-બંગાળ પહોંચે તેવી આશંકા, ઓરિસ્સાએ સ્પેશ્યલ ટ્રેન રોકવાની માંગ કરી

બંગાળની ખાડીમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય થઈ છે. સાવચેતીના ભાગરૂપે ઓરિસ્સાના ચીફ સેક્રેટરીએ હાઈ લેવલની બેઠક બોલાવી હતી. જેમા બંગાળની ખાડીમાં આવનાર વાવાઝાડાને લઈને ચર્ચા કરાઈ હતી. આ વાવાઝોડાનું નામ અમ્ફાન રખાયું છે. આ વાવાઝોડું આગામી બે દિવસમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. તે પશ્વિમ બંગાળ અને ઓરિસ્સાના તટ પર ત્રાટકે તેવી સંભાવના છે. સરકારે તટીય જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ કેન્દ્ર સરકારને કહ્યું છે કે લોકડાઉનના કારણે ફસાયેલા મજૂરોને ઘરે મોકલવામાં ચાલતી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોને આગામી ચાર દિવસ ઓરિસ્સા આવવાથી રોકવામાં આવે.

મુખ્યમંત્રી નવીન પટનાયકે શનિવારે કલેક્ટર્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાવાઝોડા અંગે ચર્ચા કરી હતી. તેના માટે NDRF, ઓરિસ્સાની સ્થાનિક રિસ્પોન્સ ટીમ અને ફાયરબ્રિગેડને એલર્ટ રહેવાના નિર્દેશ આપવામા આવ્યા છે.હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય માહાપાત્રાના જણાવ્યા મુજબ આ વાવાઝોડું વિકસિત થયું તો પહેલા 17 મેના રોજ ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને પછી તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. આગામી 48 કલાકમાં તેનું ચોક્કસ અનુમાન લગાવી શકાશે કે વાવાઝોડું કઈ દિશામાં જશે.સ્કાઈમેટના હવામાન વિજ્ઞાની મહેશ પલાવતે કહ્યું કે ઈમ્ફાન આ વર્ષનું પહેલું તોફાન હશે. તેનાથી આંદામાન-નિકોબારમાં 15-16 મેના રોજ ભારે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળ, ઓરિસ્સા, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગમાં વરસાદ પડી શકે છે. 70 કિલોમીટરની ઝડપે પવન ફૂકાવાની અને વરસાદ પડવાની આગાહી કરાઈ છે. લોકોને ઘરમાં રહેવાની સલાહ અપાઈ છે.મે મહિનામાં વરસાદ પડવાથી ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. પાકની કાપણી ચાલુ હોય, તૈયાર પાક ઘણા ખેડૂતોના ખેતરમાં પડ્યો હોવાનું અનુમાન છે. આથી નુકસાન પણ મોટાપાયે થવાની સંભાવના છે.

115/ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે
હવામાન વિભાગે માછીમારોને 18થી 21 મે દરમિયાન ઓરિસ્સા અને બંગાળના તટોથી સમુદ્રમાં ન જવાની સૂચના આપી છે. જેઓ અત્યારે દરિયામાં છે તેમને 17મે સુધી પરત ફરવા કહેવામાં આવ્યું છે. એવી સંભાવના છે કે આ ચક્રવાત દરમિયાન 115 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
amphan cyclone


from Divya Bhaskar https://ift.tt/3by4SFl

Friday, May 15, 2020

‘Happy to come back to my place’: Passenger after reaching Bhubaneswar via special train

‘Happy to come back to my place’: Passenger after reaching Bhubaneswar via special train




from News - Videos - The Times of India https://ift.tt/362pK6F

On cam: 10-ft-long king cobra rescued from a house in Odisha's Ganjam

On cam: 10-ft-long king cobra rescued from a house in Odisha's Ganjam




from News - Videos - The Times of India https://ift.tt/2TbcPdk

No one can be forced to hear something: HC

The Allahabad high court has held that “azaan” (the call to ritual prayer in Islam) can be recited from the minarets of mosques by human voice only and without the use of any amplifying device or loudspeaker. The court added that such recitation by human voice cannot be hindered under the pretext that it violates the guidelines issued by the state government to contain the Covid-19 pandemic.

from Times of India https://ift.tt/2LBbyYA

SBI deposits soar RS 1.25L crore in April



from Times of India https://ift.tt/3fPMVFP

Woman gives birth after 900km trek, ride



from Times of India https://ift.tt/362o3Ga

US to donate ventilators to India: Donald Trump

President Donald Trump has announced that the US will donate ventilators to India, moments after he underlined the close partnership between the two countries and called Prime Minister Narendra Modi his "good friend". India's tally of confirmed Covid-19 cases crossed 85,000 on Friday, surpassing China's count of 82,933 confirmed cases.

from Times of India https://ift.tt/2LtODhY

Covid-19: India reports 3,500+ cases, overtakes China

India rose to the 11th spot among countries with the highest number of reported Covid-19 cases, overtaking China’s official count on Friday, as new infections from across the country remained higher than 3,500 for sixth consecutive day. Maharashtra, with 1,576 fresh cases, continued to lead the numbers, followed by Tamil Nadu (434) Delhi (425) and Gujarat (340).

from Times of India https://ift.tt/2z1Qh7N

Beyond corona crisis, a water war between states and farmers over paddy

Beyond corona crisis, a water war between states and farmers over paddy

from India Today | Top Stories https://ift.tt/2WBeATa

Pune-based Pharma company to begin trials of medicines with potential to treat coronavirus

Pune-based Pharma company to begin trials of medicines with potential to treat coronavirus

from India Today | Top Stories https://ift.tt/3bCoPen

Tamil Nadu: Man builds robot to stand in queue, buy liquor for him

Tamil Nadu: Man builds robot to stand in queue, buy liquor for him

from India Today | Top Stories https://ift.tt/3dO0eo5

તાપમાન 36 ડિગ્રી, તપતા રસ્તા, નાના પગ અને માઈલોની દર્દનાક સફર

10 વર્ષની આ બાળકીના પગમાં ન તો ચપ્પલ છે કે ન તો માથે છાંયડો. આ પરિવાર સાથે સેન્ડલ પહેરીને નીકળી હતી. રસ્તામાં તે તૂટી ગયા તો તેને ફેંકવા પડ્યા. ત્યારપછી આગ ઓકતી ગરમીમાં રસ્તા પર તે ખુલ્લા પગે ચાલવા માંડી. તેને ઉત્તરપ્રદેશના ઉન્નાવ જવાનું છે.
લાચારીમાં ભૂખથી લડતા પરત ફરી રહેલા શ્રમિકો
લાખો શ્રમિકોનું પલાયન ચાલુ છે. ભૂખથી લડતાં લડતાં તપેલ સડકો પર માઈલોની પદયાત્રાએ નીકળેલા શ્રમિકો, બાળકો અને મહિલાઓ અનેક મુશ્કેલીઓ વેઠી વતન પરત ફરી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઉઘાડા પગે વતન તરફ ચાલી નિકળેલી બાળકી.


from Divya Bhaskar https://ift.tt/2z0Csql

SVPમાં પ્લાઝમા થેરેપી લેનાર મહિલાએ કોરોનાને હરાવ્યો

એસવીપીમાં પ્રથમ વખત ઓકિસજન પર રહેલી મહિલા દર્દીને બ્લડ પ્લાઝમાં આપવામાં આવ્યું હતું. આ મહિલા દર્દી સાજા થઈ જતાં તેમને એસવીપીમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં આ પ્રથમ દર્દી હતાં જેમની પ્લાઝમાં થેરેપીથી સારવાર કરવામાં આવી હતી. આ પછી અન્ય પાંચ દર્દીને પણ બ્લડ પ્લાઝમાં આપવામાં આવ્યું છે જે તમામ હાલ સારવાર હેઠળ છે. ઉપરાંત બ્લડ પ્લાઝમાં ડોનરની સંખ્યા પણ હવે દસ થઈ ગઈ હોવાનું મ્યુનિ.સુત્રોનું કહેવુ છે. જે દર્દીને બ્લડ પ્લાઝમાં આપવામાં આવ્યું હતું તેમને ઓબેસિટી પણ હતી. 21 એપ્રિલે તેમને પ્લાઝમાં આપ્યા બાદ તેઓ આશરે પંદરથી વધુ દિવસ સારવાર હેઠળ રહ્યાં બાદ સાજા થયા હતા. જો કે, હજુ પણ પ્લાઝમાં થેરેપી કેટલી સફળ છે કે નહીં તે અંગે એસવીપીના તબીબોની ટીમ દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
કોવિડનો શિકાર બનેલી આ મહિલા ઓક્સિજન પર હતી
આઈસીએમઆરે નક્કી કરેલા માપદંડ પ્રમાણે કોવિડને પરાસ્ત કરનારા દર્દીઓના લોહીમાં એન્ટીબોડી બનેલા હોય છે. એક મહિલા પોઝિટિવ દર્દીએ સાજા થયા પછી 21 એપ્રિલે 50 વર્ષીય મહિલાને બ્લડ પ્લાઝમાં આપ્યું હતું. કોવિડનો શિકાર બનેલી આ મહિલા ઓક્સિજન પર હતી. સાજી થયેલી વ્યકિતના લોહીમાંથી પ્લાઝમાં છૂટું પાડી લગભગ 200 એમએલ ચઢાવવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા માટે 3 કલાકનો સમય લાગ્યો હતો. આ પછી તબક્કાવાર દર્દીને ઓક્સિજનની જરૂર કેટલી ઘટે તે રોજ ચેક કરાતું હતું. ત્યારબાદ છ દિવસ પહેલાં આ દર્દીનો ફરી કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને તે નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી હતી.
દર્દીઓ પ્લાઝમાં ડોનેટ કરે તે માટે તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે, નવી ડિસ્ચાર્જ પોલિસી પ્રમાણે હાલમાં રોજના સંખ્યાબંધ દર્દીઓને રજા આપવામાં આવે છે. અત્યારસુધી કુલ 2352 લોકો ડિસ્ચાર્જ મેળવી ચૂકયા છે ત્યારે આવા દર્દીઓ પ્લાઝમાં ડોનેટ કરે તે માટે તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. 2352માંથી હાલ માત્ર દસ જ ડોનરે પ્લાઝમાં ડોનેટ કર્યું છે. તબીબોના કહેવા પ્રમાણે લોકોએ ખરેખર સામેથી સમાજને મદદ થવા આગળ આવવું જોઈએ. કેમ કે આમાં કોઈ જ પ્રકારનું જોખમ રહેલું નથી.
રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ હોય તો જ આ થેરેપીનો ઉપયોગ
તબીબી સૂત્રોનું કહેવું છે કે, કોઈ પણ દર્દીને પ્લાઝમાં થેરાપી આપી શકાય નહીં. રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ હોય તો જ આ થેરાપીનો ઉપયોગ થઈ શકે. આ થેરેપી માટે એસવીપીમાં ઘણી મોટી ટીમ કામ કરી રહી છે. કોવિડથી સાજા થયેલા દર્દીઓએ હજુ પણ પ્લાઝમાં ડોનેટ કરવા આગળ આવવું જોઈએ તેવી તબીબો દ્વારા અપીલ કરવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3fMmBMy