
મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે કે, વિશ્વવ્યાપી કોરોના વાઈરસ કોવિડ-19ની સ્થિતિને કારણે પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્યના NFSA અને અંત્યોદય એવા કુલ 68.80 લાખ ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો આજથીપ્રારંભ કરવામાં આવશે. અમદાવાદ શહેર સિવાય તમામ જિલ્લાઓ ગામડાઓ અને નગરોમાં આ વિતરણ શરૂ થશે.
છેલ્લા આંકડા મુજબ વિતરણ
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, આ વિતરણ વ્યવસ્થા અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં તા.17થી તા. 26મે દરમિયાન ચાલુ રહેશે. આ અનાજ વિતરણ વ્યવસ્થા સુચારૂ ઢબે થઇ શકે તે માટે NFSA રેશન કાર્ડધારકોના કાર્ડ નંબરના છેલ્લા આંકડા મુજબ વિતરણના દિવસો નિર્ધારીત કરવામાં આવ્યા છે. જેમના રેશનકાર્ડનો છેલ્લો આંક એક હશે એમને આવતીકાલ રવિવારે આ અનાજ વિતરણ કરાશે
NFSAમાં નોંધાયેલા ન હોય તેવાને પણ અનાજ વિતરણ
તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત સમાવિષ્ટ કરાયેલા 66લાખ કાર્ડધારક પરિવારો અને એવા અંત્યોદય પરિવારો જે NFSAમાં નોંધાયેલા નથી, તેવા 3.80લાખ એમ 68.80લાખ પરિવારોની અંદાજે 3 કરોડ 36લાખ જનસંખ્યાને આ વિતરણ અન્વયે ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું નિ:શૂલ્ક અપાશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત વધુ અનાજ
આ ઉપરાંત ભારત સરકાર દ્વારા પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે વધારાના ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખા વ્યકિતદિઠ આપવામાં આવનાર છે. એટલે કે આ પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકારની આ અનાજ વિતરણ વ્યવસ્થાનો લાભ એક સાથે મળશે.
સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિતના નિયમો સાથે વિતરણ
તેમણે ઉમેર્યુ કે, આ હેતુસર સમગ્રતયા તા.17મે થી 26મે દરમિયાન અમદાવાદ શહેર સિવાયના રાજ્યના અન્ય વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો, ફરજીયાત માસ્ક વગેરેના અનુપાલન સાથે સરકાર માન્ય સસ્તા અનાજથી દુકાનનો પરથી અન્ન વિતરણ થવાનું છે તેનો પ્રારંભ તા.૧૭મી મે, રવિવારથી થશે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ta0JkM
No comments:
Post a Comment