
કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસ્તા પર અને રેલવેના પાટા પરથી મળી આવતા પ્રવાસી શ્રમિકોને ભોજન અને આશ્રય પૂરા પાડવા જણાવ્યું છે. એટલું જ નહીં તેઓ તેમના ઘરે વિશેષ ટ્રેન દ્વારા જઈ શકે તેની પણ કાળજી રાખે. પ્રવાસી શ્રમિકોના આવાગમનને વધુ સરળ બનાવવા અને તેમના વિશેની વધુ માહિતી મેળવવા એક વિશેષ ઓનલાઈન ડેશબોર્ડ લોન્ચ કરાયું છે. એનડીએમએ દ્વારા લોન્ચ કરાયેલા આ પોર્ટલનું નામ નેશનલ માઈગ્રન્ટ ઇન્ફોસિસ્ટમ છે. કેન્દ્રીય ગૃહસચિવે રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી આ ડેટાબેઝ દ્વારા રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સારી રીતે સંગલન થાય અને પ્રવાસી શ્રમિકોના આવાગમન પર પૂરેપૂરી દેખરેખ રાખવા જણાવ્યું છે.
ડેશબોર્ડમાં શું હશે?
- રાજ્ય પોર્ટલ પર શ્રમિકોને મોકલનારા અને બોલાવનારા રાજ્ય એકબીજાને માહિતી આપી શકશે.
- પોર્ટલ પર શ્રમિકોના નામ, વય, મોબાઈલ નંબર, તેમની જવાની તારીખ અને પ્રવાસની તારીખ પણ હશે જેથી ખ્લાય આવશે કે કયા રાજ્યમાંથી કેટલા શ્રમિકો ગયા અને આવ્યા.
- મોબાઈલ નંબરથી શ્રમિક પર નજર રાખી શકાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zHFhfV
No comments:
Post a Comment