
કોરોના મહામારીમાં લૉકડાઉનનો આદેશ કર્યા છે ત્યારે ભાજપના હેરિટેજ કલ્ચરલ અને રિક્રીએશન કમિટીના ચેરમેનના સિક્કા સાથે અનેક લોકોને પાસ ઇશ્યૂ કરાતા વિવાદ ઉભો થયો છે.
પાસ લઇને કેટલાક લોકો ફરતા હતા
નવા વાડજના કોર્પોરેટર અને હેરિટેજ, કલ્ચરલ અને રીક્રિએશનના ચેરમેન ભાજપના જિજ્ઞેશ પટેલના સિક્કા અને સહી સાથેના પાસ લઇને કેટલાક લોકો ફરતા હતા. સમગ્ર પ્રકરણને કારણે ભાજપમાં પણ વિવાદ ઉભો થયો છે, કેમકે માત્ર નિશ્ચિત પદાધિકારી દ્વારા જ કોઇપણ સત્તાવગર પાસ ઈશ્યૂ કરાતા હોવાનું મનાઇ રહ્યું છે.સામાન્ય રીતે લૉકડાઉનમાં બહાર નીકળવા માટે પાસ ઈશ્યૂ કરવાની સત્તા માત્ર જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓને જ હોય છે, પણ મ્યુનિ.ના ચેરમેને પોતાના સિક્કા મારી પાસ આપ્યા છે.
મેં જ પાસ આપ્યા છે
રીક્રીએશન એન્ડ કલ્ચરલ કમિટીના ચેરમેન હેરિટેજ જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, મારા વિભાગમાં વોલન્ટિરનું કામ કરતાં લોકોને આ પાસ ઇશ્યૂ કર્યા છે. આ ઓન ડ્યુટી પાસ નથી પણ સ્વૈચ્છિક રીતે મારા વિભાગ સાથે જોડાયેલા લોકોને અપાયા છે. મેં કઇ ખોટું નથી કર્યું, અધિકારી દ્વારા અપાતા પાસ જેવા પાસ નથી. આ પાસ ઈશ્યૂ હું કરી શકું છું, તેથી ઈશ્યૂ કર્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TffAKN
No comments:
Post a Comment