Ad

Showing posts with label Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper. Show all posts
Showing posts with label Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper. Show all posts

Friday, November 13, 2020

અમદાવાદમાં ચાર સ્માર્ટ સ્કૂલ તૈયાર કરાઈ, 2.25 કરોડના ખર્ચે તૈયાર થઇ એક સ્કૂલ


અમદાવાદ, તા. 14 નવેમ્બર 2020 શનિવાર 

અમદાવાદના કાંકરિયા બાદ હવે ઇન્દ્રપુરી પબ્લિક સ્કૂલ તથા એલીસબ્રીજ શાળા નંબર-12 તથા લીલાનગર પ્રાથમિક શાળા અત્યાધુનિક સુવિધાઓ સાથે સ્માર્ટ સ્કૂલ તરીકે આકાર પામી છે. હવે અમદાવાદમાં કુલ 4 સ્માર્ટ શાળાઓ કાર્યરત થઇ ચુકી છે. ગુગલ ફીચર ક્લાસ અને તેમાં આપવામાં આવેલી સુવિધા જ અહીં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અભ્યાસ માટે રોજ જવા મજબુર કરી દેશે.

સ્માર્ટ શાળાની પ્રાથમિકતા માત્ર વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવે અને અભ્યાસ કરે એટલે પૂર્ણ નથી થતો. અહીં શિક્ષક તરીકે કામ કરતા શિક્ષકોને પણ સ્કુલ અને તેના થકી વિદ્યાર્થીઓને મળનારી સુવિધાઓથી ગર્વ થાય કેમકે અમદાવાદમાં અંદાજે 370 જેટલી મ્યુનીસીપલ કોર્પોરેશનની શાળાઓ હાલ કાર્યરત છે પરંતુ 4 સ્કુલ હવે ખાનગી સ્કૂલોને ટક્કર મારી રહી છે.

સ્કૂલોમાં હમેશા ફાયર સેફટીના સાધનો અને તેનો અભાવ જોવા મળે છે, રાજ્યની 50 ટકા શાળાઓમાં ફાયરના સાધનોનો અભાવ, CCTV કેમેરા, લોકરની સુવિધા, પ્રોજેક્ટર નજરે પડતા નથી પરંતુ આ સ્માર્ટ સ્કૂલમાં પ્રવેશતા જ તમામ વસ્તુઓની હાજરી ધ્યાન આકર્ષિત કરે છે. 

ગણિત, વિજ્ઞાન અને જુદી જુદી આધુનિક લેબ અ સ્માર્ટ સ્કુલની વિશેષતા છે. આ સ્માર્ટ સ્કુલમાં પ્રી એજ્યુકેશનલ કીટ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, સાયન્સ અને મેથ્સ લેબ વિથ વર્કિંગ મોડેલ, ડિજિટલ પ્લેનેટોરીયમ, ફ્યુચર ક્લાસરૂમ, ફોલ્સ સીલીંગ, મલ્ટીપ્લે સ્ટેશન અને આઉટડોર રબર મેટ, ફ્રેન્સી બેન્ચીસો, ઇન્ડોર મેટ, CCTV કેમેરાથી લેસ, વ્હાઈટ બોર્ડ, સ્પોર્ટ્સ કીટ બાળકો માટે ઉપલબ્ધ કરાવાઈ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nlo5jW

Thursday, November 12, 2020

ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય અર્થતંત્ર સતત છ માસથી મંદીમાં


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12 નવેમ્બર, 2020, ગુરૂવાર

ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય આૃર્થતંત્ર ટેકનિકલ મંદીમાં પ્રવેશી ગયું હોવાનો દાવો સરકારની ટીકા કરનારે નહીં પણ સ્વયં આરબીઆઇએ કર્યો છે. આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર અને મોનિટરી પોલિસીના ઇનચાર્જ માઇકલ પાત્રાએ જણાવ્યું છે કે વર્ષ 2020-21ના પ્રથમ છ માસિક ગાળામાં ભારતીય આૃર્થતંત્ર ટેકનિકલ મંદીમાં પ્રવેશી ગયું છે. 

ઉલ્લેખનીય છે કે જ્યારે સળંગ બે કવાર્ટરમાં જીડીપીમાં નેગેટિવ વિકાસ જોવા મળે છે એટલે કે સળંગ બે કવાર્ટરમાં જીડીપી માઇનસ રહે તો આૃર્થતંત્ર ટેકનિકલ મંદીમા પ્રવેશી ગયુ હોવાનું માનવામાં આવે છે.  કોરોના વાઇરસને કારણે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ કવાર્ટર(એપ્રિલથી જૂન)માં જીડીપી માઇનસ 23.9 ટકા રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇના અંદાજ મુજબ બીજા કવાર્ટરમાં જીડીપી માઇનસ 8.6 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2020-21ના બીજા કવાર્ટર( જુલાઇથી સપ્ટેમ્બર)ના જીડીપીના આંકડા 27 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આૃર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ભારતીય આૃર્થતંત્રમાં સતત બીજા કવાર્ટરમાં નેગેટિવ ગ્રોથ જોવા મળશે.

આ દરમિયાન વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ 2020 માટે જીડીપીનો અંદાજ રિવાઇઝ કર્યો છે. મૂડીઝે અગાઉ અંદાજ મૂક્યો હતો કે બીજા કવાર્ટરમાં ભારતનો જીડીપી માઇનસ 9.6 ટકા રહેશે. મૂડીઝે પોતાના આ અંદાજમાં ફેરફાર કરીને જણાવ્યું છે કે બીજા કવાર્ટરમાં ભારતનો જીડીપી માઇનસ 8.9 ટકા રહેશે. 

ડોલર સામે રૂપિયો સતત ચોથા દિવસે તૂટયો

અમદાવાદ, તા. 12

વિવિધ પ્રતિકૂળ અહેવાલો પાછળ હુંડિયામણ બજારમાં અમેરિકી ડોલર સામે રૂપિયો વધુ 28 પૈસા તૂટતા 75ના લેવલ તરફ પ્રયાણ કર્યું છે. ફોરેક્સ માર્કેટમાં આજે રૂા. 74.44ના મથાળે ખુલ્યા બાદ ઇન્ટ્રા ડે 74.38 અને 74.74 વચ્ચે અથડાયા બાદ કામકાજના અંતે 28 પૈસા તૂટીને 74.64ની સપાટીએ નરમ રહ્યો હતો. પ્રતિકૂળ અહેવાલોના પગલે આજે ડોલર ઇન્ડેક્સ પણ ઘટીને 92.83ના મથાળે નરમ રહ્યો હતો.

ઓક્ટોબરમાં ફુગાવો 7.61 ટકા, સાડા છ વર્ષની ટોચે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12

મોંઘા શાકભાજી અને ઇંડાને કારણે ઓક્ટોબરમાં રીટેલ ફુગાવો વધીને 7.61 ટકા થયો છે જે સાડા છ વર્ષની ટોેચે છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, 2020માં રીટેલ ફુગાવો 7.27 ટકા હતો તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ)ના આંકડામાં જણાવવામાં આવ્યું છે.  સળંગ બીજા મહિને રીટેલ ફુગાવો સાત ટકાથી ઉપર નોંધવામાં આવ્યો છે.

આ અગાઉ મે, 2014માં રીટેલ ફુગાવો 8.33 ટકા હતો. ઓક્ટોબરમાં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ(સીએફપીઆઇ)માં 11.07 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. સપ્ટેમ્બરમાં સીએફપીઆઇમાં 10.68 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. ઓક્ટોબર, 2019માં સીએફપીઆઇ 4.62 ટકા હતો.  ઓક્ટોબર, 2020માં શાકભાજીના ભાવમાં 22.51 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

ઓક્ટોબરમાં માછલીના ભાવમાં 18.70 ટકા અને ઇંડાના ભાવમાં 21.81 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.  આ દરમિયાન દેશમાં છ મહિના પછી ઔદ્યોગિક ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી  છે. સપ્ટેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 0.2 ટકાનો વધારોે જોવા મળ્યો છે. આજે જાહેર થયેલા આઇઆઇપીના આંકડા મુજબ માઇનિંગ અને વીજળી સેક્ટરના સારા પ્રદર્શનને કારણે ઔદ્યોેગિક ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ipdg1A

આત્મનિર્ભર ભારત : સરકારનું વધુ 2.65 લાખ કરોડનું પેકેજ


સરકારે અત્યાર સુધી જાહેર કરેલા રાહત પેકેજોનું કુલ મૂલ્ય 30 લાખ કરોડ રૂપિયા : 2.65 લાખ કરોડની રકમ બાર સેક્ટરમાં વહેંચાશે

(પીટીઆઇ)  નવી દિલ્હી, તા. 12 નવેમ્બર, 2020, ગુરૂવાર

ભારતીય આૃર્થતંત્ર કોરોના મહામારીમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે મોદી સરકારે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી છે. આજે સરકારે 2.65 લાખ કરોડ રૂપિયાની 12 જાહેરાતો કરી છે. સરકારે આ પેકેજને આત્મનિર્ભર ભારત 3 નામ આપ્યું છે.

આ પેકેજમાં સરકારે રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રકચર, રિયલ એસ્ટેટ, મેન્યુફેકચરિમગ જવા સેક્ટર પર વધારે ભાર મૂક્યો છે. આ સાથે જ લોકડાઉન પછી સરકારે અત્યાર સુધી જાહેર કરેલા રાહત પેકેજોનું કુલ મૂલ્ય 30 લાખ કરોડ રૂપિયા થાય છે. જે જીડીપીના 15 ટકા થાય છે. 

1. રોજગાર વધારવાનું વચન

નાણા પ્રધાન નિર્મલા સિતારમને આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આનાથી કર્મચારી અને રોજગાર આપનાર બંનેને લાભ થશે. આ યોજનાનો અમલ ઓક્ટોબર, 2020થી કરવામાં આવશે અને 30 જૂન, 2020 સુધી તે માન્ય રહેશે. આ યોજના હેઠળ એવી સંસૃથાઓને ઇપીએફ સબસિડી આપવામાં આવશે જે નવી નોકરી આપશે.

15,000 હજાર રૂપિયાથી ઓછું પગાર ધરાવતા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. સામાન્ય રીતે ઇપીએફમા કર્મચારીના પગારમાંથી 12 ટકા રકમ ઇપીએફમાં જાય છે અને પગારના 12 ટકા રકમ કંપની ઇપીએફમાં જમા કરાવે છે. આ સ્કીમ હેઠળ કર્મચારી અને સંસૃથા એમ બંનેના ફાળાની રકમ એટલે કે 24 ટકા રકમ સરકાર બે વર્ષ સુધી જમા કરાવશે. 

2. ઇસીએલજીએસની મુદ્દત વધારાઈ

નાણા પ્રધાને ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ(ઇસીએલજીએસ)ને 31 માર્ચ સુધી લંબાવવાની પણ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સ્મોલ અને માઇક્રો એકમોને ગેરંટી વગરની લોન ઉપલબૃધ કરાવવામાં આવે છે. આ સ્કીમ 26 સંક્ટગ્રસ્ત  સેકટર્સ અને હેલૃથકેર સેક્ટરમાં એવા એકમોને આવરી લેશે. આ યોજના હેઠળ 50 કરોડ રૂપિયાની ક્રેડિટ અને 250 કરોડ સુધીની ટર્નઓવરવાળી કંપનીઓને 20 ટકા એડિશનલ ક્રેડિટ આપવામાં આવશે. 

3. શહેરી આવાસ યોજના

નાણા પ્રધાને શહેરી આવાસ યોજના માટે 18,000 કરોડ રૂપિયાની વધારાની જોગવાઇની જાહેરાત કરી છે. આ જાહેરાતથી રિયલ એસ્ટેટ પરિયોજનાઓને પૂર્ણ કરવામાં મદદ મળશે. આ યોજનાથી અનેક લોકોને રોજગારી મળશે અને આૃર્થતંત્રમાં તેજી આવશે. આ યોજનાથી 12 લાખ મકાનોનું કામ પૂર્ણ કરવામાં અને 18 લાખ નવા મકાનોનું કામ શરૂ કરવામાં મદદ મળશે. 

4. ઘર ખરીદનારાઓ માટે રાહત

કેન્દ્ર સરકારે હવે સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યુના દર પરની 10 ટકા રાહતને વધારીને 20 ટકા કરી છે. આ નિયમ ફક્ત 2 કરોડથી ઓછી કીંમતવાળા ઘરો પર લાગુ પડશે અને યોજનાનો લાભ ફક્ત 30 જૂન, 2021 સુધી જ લઇ શકાશે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે આ યોજનાથી ઘર ખરીદનારા અને બિલ્ડર બંનેને ફાયદો થશે અને બિલ્ડર અનસોલ્ડ પ્રોપર્ટીને વેચી શકશે.

5. ગ્રામીણ રોજગાર વધારવાની જાહેરાત

પીએમ ગરીબ કલ્યાણ યોજનામાં 10 હજાર કરોડ રૂપિયા વધારાના આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી આૃર્થતંત્રને વેગ મળશે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે મનરેગા હેઠળ અત્યાર સુધી 73,504 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે. 

6 . ખેડૂતો માટે ફર્ટિલાઇઝર્સ સબસિડી 

સ્ટીમ્યુલસ પેકેજમાં ખેડૂતો માટે 65,000 કરોડ રૂપિયાની ફટિલાઇઝર સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે આવનારી સીઝન માટે પર્યાપ્ત માત્રામાં ફર્ટિલાઇઝર ઉપલબૃધ બને તે માટે સરકાર દ્વારા આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

 7. ચીનને પડકાર આપવાની યોજના

સરકારે પ્રોડકશન લિંક્ડ સ્કીમને કેટલાક અન્ય સેક્ટર્સને આપવાની પણ જાહેરાત કરી છે. આ માટે સરકારે 1.46 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર આ નિર્ણયથી મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ચીન સાથે સ્પર્ધા કરી શકાશે. 

8. કોન્ટ્રાકટર્સ માટે રાહત 

અર્નેસ્ટ મની ડિપોેઝીટ(ઇએમડી) અને સરકારી ટેન્ડર્સ પર પર્ફોમન્સ સિક્યોરિટી  ઘટાડવામાં આવી છે. જેના કારણે બિલ્ડર પાસે વધારે લિકવિડિટી રહેશે. જે 5 ટકાથી ઘટાડી 3 ટકા કરવામાં આવી છે. આ રાહત31 ડિસેમ્બર, 2021 સુધી આપવામાં આવી છે. 

9. વેક્સીન રિસર્ચ માટે ડૉઝ

નાણા મંત્રાલયે બાયો ટેકનોલોજી વિભાગને 900 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે તેમાં વેક્સીન અને ડિસ્ટ્રીબ્યુશનનો ખર્ચ સામેલ નથી. આ ખર્ચ અલગથી કરવામાં આવશે. 

10. ઇન્ફ્રા સેક્ટરને િધરાણ

સરકારે ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરને વેગ આપવા માટે એનઆઇઆઇએફ સ્ટ્રેટિજિક ઓપોર્ચ્યુનિટી ફંડની રચના કરી છે. આ પ્લેટફોર્મની 8000 કરોડ રૂપિયાની લોન બુક છે અને તે 10000 કરોડ રૂપિયા સુધીની લોન આપી શકે છે. આ ઉપરાંત 2025 સુધીમાં ઇન્ફ્રા પ્રોજેક્ટમાં લગભગ 1.10 લાખ કરોડનું િધરાણ કરવામાં આવશે.

11. કેપિટલ અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટીમ્યુલસ 

સરકારે મૂડીલક્ષી ખર્ચ માટે અલગથી 10,200 કરોડ રૂપિયાના વધારાના બજેટની જાહેરાત કરી છે. આ મૂડી ઇન્ફ્રા અને ડિફેન્સ સેક્ટરમાં ખર્ચ કરવામા આવશે. 

12 નિકાસને પ્રોત્સાહન 

નિકાસને વેગ આપવા માટે એક્ઝિમ બેંકને 3000 કરોડ રૂપિયા આપવામાં આવશે. જેનાથી આઇડીઇએએસ સ્કીમ હેઠળ 3000 કરોડનું િધરાણ આપી શકાય.  

ખેડૂતો માટે 65,000 કરોડની ખાતર સબસિડી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12

નાણા પ્રધાન નિર્મલા સિતારમને ખેડૂતો માટે 65,000 કરોડ રૂપિયાની ખાતર સબસિડીની જાહેરાત કરી છે. ખેડૂતોને આગામી સિઝનમાં ખાતરનો પર્યાપ્ત જથ્થો સરળતાથી મળી રહે તે માટે 65,000 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 2016-17 ખાતરનો ઉપયોગ 499 મેટ્રિક ટન હતું. 2020-21માં ખાતરનો ઉપયોગ વધીને 673 મેેટ્રિક ટન થઇ ગયો છે. 65,000 કરોડ રૂપિયાની ખાતર સબસિડી આપવાના સરકારના નિર્ણયથી 14 કરોડ ખેડૂતોને લાભ થશે. 

નવી રોજગાર સર્જન સ્કીમની જાહેરાત 

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12

નાણા પ્રધાન નિર્મલા સિતારમને આજે નવી રોજગાર સર્જન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ નવી નોકરીઓનું સર્જન કરનાર કંપનીઓને સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.15,000 હજાર રૂપિયાથી ઓછું પગાર ધરાવતા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે.

સામાન્ય રીતે ઇપીએફમા કર્મચારીના પગારમાંથી 12 ટકા રકમ ઇપીએફમાં જાય છે અને કંપની પગારના 12 ટકા રકમ  ઇપીએફમાં જમા કરાવે છે. આ નવી સ્કીમ હેઠળ કર્મચારી અને સંસ્થા એમ બંનેના ફાળાની રકમ એટલે કે 24 ટકા રકમ સરકાર બે વર્ષ સુધી ઇપીએફમાં જમા કરાવશે.

જણે લોકડાઉનમાં નોકરી છોડી દીધી હોય અને ઓક્ટોબર કે તેના પછી ફરીથી નોકરી શરૂ કરી હોય તેને પણ આ યોજનાનો લાભ મળશે. ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ 50 કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓને આ યોજના હેઠળ આવરી લેવાશે. 50થી વધુ કર્મચારી ધરાવતી સંસ્થાએ નવા પાચ કર્મચારીઓને નોકરી પર રાખવા પડશે.  

કોરોનાની રસી માટે 900 કરોડની ગ્રાન્ટ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12

નાણા પ્રધાન નિર્મલા સિતારમને કોવિડ-19ની વેક્સિનની શોધ માટે બાયો ટેકનોલોેજી ડિપાર્ટમેન્ટને 900 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. જો કે તેમણે જણાવ્યું હતું કે આ રકમમાં વાસ્તવિક અને ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ સામેલ નથી. વેક્સિન ઉપલબ્ધ થયા પછી આ ખર્ચ માટે અલગથી જોેગવાઇ કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વેક્સિનની વાસ્તવિક પડતર અથવા વેક્સિનના ડિસ્ટ્રીબ્યુશન માટે જરૂરી લોજિસ્ટિક સંપૂર્ણ અલગ બાબત છે અને આ માટે જેટલી પણ રકમની જરૂર પડશે તેટલી રકમ વેક્સિન ઉપલબ્ધ થયા પછી ફાળવવામાં આવશે. આજે જાહેર કરવામાં આવેલી રકમ ફક્ત વેક્સિનના સંશોેધન માટે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Imevyz

Monday, November 9, 2020

ગુજરાતમાં કરજણ સિવાય બાકીની તમામ 7 બેઠકો પર ભાજપ આગળ


અમદાવાદ, તા. 10 નવેમ્બર 2020 મંગળવાર 

ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામને લઇને મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. પોસ્ટલ બેલેટ ગણતરી બાદ EVMના મતો ગણાશે. 

8 બેઠકોની કુલ 25 ગણતરી ખંડમાં મત ગણતરી થશે. બેલેટપેપર ગણતરીમાં ભાજપ 7 બેઠકો અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે. 8 બેઠકો માટે 25 મતગણતરી ખંડ બનાવાયા છે. કુલ 97 ટેબલ પર 8 બેઠકોની ગણતરી થશે. 8 બેઠક પર 320 કર્મચારીઓ કાર્યરત છે.

અબડાસા ભાજપ ( આગળ )

મોરબી ભાજપ ( આગળ )

ધારી ભાજપ ( આગળ )

ગઢડા ભાજપ ( આગળ )

કપરાડા ભાજપ ( આગળ )

ડાંગ ભાજપ (આગળ)

લીંબડી ભાજપ (આગળ)

કરજણ કોંગ્રેસ ( આગળ )



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lf8AJC

આજે રાજ્યની 8 વિધાનસભા બેઠકોના પરિણામ, 8 બેઠક પર 320 કર્મચારીઓ કાર્યરત


અમદાવાદ, તા. 10 નવેમ્બર 2020 મંગળવાર 

ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામને લઇને મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. પોસ્ટલ બેલેટ ગણતરી બાદ EVMના મતો ગણાશે. 8 બેઠકોની કુલ 25 ગણતરી ખંડમાં મત ગણતરી થશે.

પોસ્ટલ બેલેટની મતગણતરી સમયે મળતી માહિતી મુજબ ભાજપ બે બેઠક પર હાલ આગળ છે. દરેક મતદાન મથક પર થર્મલ સ્કેનિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી ગણતરી થશે. 

ટેબલ દીઠ સોશિયલ ડિસ્ટન્સના કારણે એજન્ટને મુશ્કેલી ન પડે માટે તે માટે મોનિટર ડિસ્પ્લે મૂકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટીમ ઉપલબ્ધ હશે. મતગણતરી મથકો ઉપર 320નો સ્ટાફ ઉપસ્થિત રહેશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35fpFh9

વાયુ પ્રદૂષણ : એનજીટીનો સમગ્ર દેશમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ


ઉત્તર ભારતના રાજ્યોમાં વાયુ પ્રદૂષણ વધતા આંખમાં બળતરાની ફરિયાદ, લોકોને ઘરમાં જ રહેવા તંત્રની સલાહ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર

સમગ્ર દેશમાં વાયુ પ્રદૂષણના કારણે હવાની ગુણવત્તા ખરાબ રહી હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)એ મોટો નિર્ણય કર્યો છે. એનજીટીએ દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ-ઉપયોગ પર સોમવાર રાતથી જ 30મી નવેમ્બર સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. એનજીટીએ દેશના અન્ય રાજ્યો માટે પણ આ જ આદેશ આપ્યો છે.

એનજીટીએ તેના આદેશમાં કહ્યું છે કે જે શહેરોમાં હવાની ગુણવત્તા સારી છે ત્યાં માત્ર ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગ કરી શકાશે અને તેના માટે માત્ર બે કલાકની છૂટ અપાઈ છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે બે કલાકની આ છૂટ દિવાળી, છઠ પૂજા, ક્રિસમસ, અને નવા વર્ષ માટે આપી છે.

દિલ્હીમાં કેજરીવાલ સરકારે અગાઉથી જ ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. દેશમાં સૌથી પહેલાં રાજસૃથાન સરકારે ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ સાથે દિલ્હી અને આજુબાજુના શહેરોમાંથી પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની માગ ઉઠી હતી. ત્યાર પછી અન્ય રાજ્યોમાંથી પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધની માગ થવા લાગતાં એનજીટીએ તેના આદેશનો દાયરો વધારી દીધો હતો. ત્યાર પછી તેમાં દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવાયા હતા.

અગાઉ એનજીટીએ એક સુનાવણી કરતા ચાર રાજ્યો અને પર્યાવરણ મંત્રાલયને નોટિસ મોકલી હતી. આ નોટિસમાં ફટાકડા પર પ્રતિબંધવાળી અરજી પર એ રાજ્યો પાસેથી જવાબ માગવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ રાજ્યોએ આ સંદર્ભમાં તેમનો જવાબ એનજીટીને મોકલી દીધો હતો, ત્યાર પછી એનજીટીએ સોમવારે આ મુદ્દે આદેશ સંભળાવ્યો હતો.

એનજીટીના આદેશ પહેલાં જ દેશના કેટલાક રાજ્યોમાં ફટાકડા વેચવા અને ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો, જેમાં હરિયાણા અને કર્ણાટકનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સરકારે પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

જો કે, બીએમસીએ તેના અિધકાર ક્ષેત્રના વિસ્તારમાં જાહેર સૃથળો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ દિવાળીની રાતે 8.00 વાગ્યાથી 10.00 વાગ્યા સુધી 'ફૂલઝડી (ચકરડી)' 'કોઠી' જેવા અવાજવિહિન ફટાકડા ફોડવાની મંજરી આપી છે. દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. 

દિલ્હી-એનસીઆરમાં સતત પાંચમાં દિવસે પ્રદુષણ 'અતિ ગંભીર'

દિલ્હી-એનસીઆરમાં સતત પાંચમા દિવસે વાયુ પ્રદૂષણ 'અતિ ગંભીર' સિૃથતિમાં રહ્યું છે. દિલ્હી-એનસીઆરમાં વાયુ ગુણવત્તાનું સ્તર 470 સુધી પહોંચી ગયું છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તાજા ડેટા મુજબ પ્રદૂષણથી સિૃથતિ વધુ ગંભીર થઈ ગઈ છે. દિલ્હીના આનંદ વિહાર વિસ્તારમાં હવાની ગુણવત્તાનું સ્તર 484, પશ્ચિમ દિલ્હીના મુંડકા વિસ્તારમાં 470 પહોંચી ગયો છે. તેની સાથે જ ઓખલા ફેઝ-2માં એક્યુઆઈ 465 તો વજીરપુરમાં 468 સુધી પહોંચી ગયો છે. હવામાન વિજ્ઞાાનીઓ મુજબ, દિવાળી પહેલાં સિૃથતિ વધુ ખરાબ થવાની આશંકા છે. ઉત્તર પ્રદેશના હાથરસ શહેરમાં પણ સતત સ્મોગ વધવાથી એર ક્વૉલિટી ઈન્ડેક્સ વધી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં એક્યુઆઈ 51 પોઈન્ટ વધી ગયો છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eJa38P

કોરોનાની રસીની આશાએ વિશ્વ શેરબજારમાં તેજી જ તેજી


યુરોપના દેશોના બજારોમાં લંડન શેર બજારના ફુત્સીમાં 335 પોઈન્ટ, જર્મનીના ડેક્ષમાં 732 પોઈન્ટ અને ફ્રાંસના કેક 40 ઈન્ડેક્સમાં 405 પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા

ઘરઆંગણે સોનાના ભાવોમાં રૂ.2000, ચાંદીમાં રૂ.3500નું ગાબડું :  ક્રૂડ ઓઈલમાં 9 થી 10 ટકા ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. 9 નવેમ્બર, 2020, સોમવાર

વિશ્વને હચમચાવનારા કોરોના વાઈરસ સામે ફાઈઝર ઈન્ક. અને બાયોએનટેક એસઈ દ્વારા શોધાયેલી વેક્સિન 90 ટકા સફળ હોવાના અને અત્યાર સુધીની આ સૌથી સફળ વેક્સીન નીવડવાના દાવા વચ્ચે આજે વૈશ્વિક શેર બજારોમાં તેજીના નવા વિક્રમો સર્જાયા હતા.

અમેરિકી શેર બજારોમાં સાંજે ખુલતા બજારે ડાઉ જોન્સ ઈન્ડેક્સમાં 1610 પોઈન્ટનો તોતીંગ ઉછાળો આવી નવી 29933.83ની વિક્રમી ઊંચાઈ જોવાઈ હતી. આ સામે વૈશ્વિક સોનાના ભાવોમાં વિશ્વ બજારમાં 70 થી 75 ડોલરનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે ક્રૂડ ઓઈલના ભાવો વિશ્વ બજારમાં બેરલ દીઠ 9 થી 10 ડોલર ઉછળી આવ્યા હતા. 

વૈશ્વિક બજારોમાં એસ એન્ડ પી 500 અને ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ ઓલ ટાઈમ નવી ઊંચાઈએ પહોંચી ગયા હતા. આ વેક્સિનની સફળતાના દાવાના સમાચારે વૈશ્વિક બજારોમાં ટ્રાવેલ શેરો અને સ્મોલ કે શેરોમાં તોફાની તેજી આવી હતી.

આ સાથે બોન્ડસના દરોમાં ગાબડાં પડયા હતા. ડાઉ જોન્સ ઈન્ડેક્સ આજે એક તબક્કે 1600 પોઈન્ટથી વધુ ઉછળી આવી 29933.83ની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયા બાદ મોડી સાંજે 1250 પોઈન્ટનો ઉછાળો બતાવતો હતો. જ્યારે નાસ્દાક ઈન્ડેક્સ 149 પોઈન્ટ ઉછળીને 12044ની સપાટીએ મૂકાતો હતો.

જ્યારે યુરોપના દેશોના બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી 335 પોઈન્ટનો ઉછાળો, જર્મનીનો ડેક્ષ 732 પોઈન્ટનો ઉછાળો અને ફ્રાંસનો કેક 40 ઈન્ડેક્સ 405 પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા. એશીયાના દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 514 પોઈન્ટનો ઉછાળો અને હોંગકોંગનો હેંગસેંગ 303 પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા. 

દિવાળીના તહેવાર નજીક આવ્યા છે, ત્યારે કોરોના પ્રતિરોધક વેક્સિન પોઝિટીવ સંકેત આવતાં વિશ્વ બજારમાં આજે મોડી સાંજે સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાયો હતો. જેના પગલે ઘર આંગણે પણ કિંમતી ધાતુઓના ભાવ મોડી સાંજે આંખના પલકારામાં નોંધપાત્ર ધબડકાએ ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.

જ્યારે  એક બાજુ વૈશ્વિક સ્તરે શેર બજારો ઉછળી રહ્યા હતા, ત્યારે સોનાના ભાવ ઔંસ દીઠ 70 થી 75 ડોલર ઝડપથી ગબડી 1900 ડોલરની સપાટી તોડી 1875 થી 1880 ડોલરની સપાટીએ ઊતરી ગયાના સમાચાર મળ્યા હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવ પણ ઔંસ દીઠ 25.62 ડોલરથી ગબડી 24.31 ડોલર મોડી સાંજે બોલાઈ રહ્યા હતા.

વિશ્વ બજાર ગબડતાં ઘર આંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઝડપથી નીચી આવી છે. તેના પગલે દેશના ઝવેરી બજારોમાં મોડી સાંજે ભારે વેચવાલી નીકળતાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ.2000નો કડાકો બોલાઈ ગયો હોવાનું અને ચાંદીના ભાવમાં કિલો દીઠ રૂ.3500નો કડાકો બોલાઈ ગયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઈ બજારમાં મોડી સાંજે સોનાના ભાવ જીએસટી વગર 10 ગ્રામના ગબડી 99.50ના રૂ.50,200 અને 99.90ના રૂ.50,350 બોલાઈ રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ કિલો દીઠ તૂટીને રૂ.62,500 બોલાયા હતા. આ સાથે જીએસટી સાથેના ભાવ જો કે આ બન્ને કિંમતી ધાતુઓમાં આ ભાવથી ત્રણ ટકા ઊચા રહ્યા હતા. 

વિશ્વ બજારમાં વેક્સિનના સારા સમાચાર પાછળ કોમોડિટીઝ બજારોમાં જ્યારે સોનાના ભાવો ગબડી રહ્યા હતા, ત્યારે સામે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઝડપથી 9 થ ી 10 ટકા ઉછળ્યાના સમાચાર મળ્યા હતા. ન્યુયોર્ક ક્રૂડના ભાવ વધી બેરલ દીઠ મોડી સાંજે 40.95 ડોલર અને બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી 43 ડોલરને આંબી ગયા હતા.

વેક્સિનના પગલે આગળ ઉપર વૈશ્વિક સ્તરે જો વ્યવહાર ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે તો વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલની માંગમાં નોંધપાત્ર વૃદ્વિ થવાની આશાએ વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલ ઉછળતાં ઘર આંગણે મોડી સાંજે ક્રૂડ ઓઈલના વાયદા બજારમાં તેજીની સર્કિટ અમલી બની હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eK0OVN

Saturday, November 7, 2020

ઉત્તરાખંડ ફરવા ગયેલા ત્રણ ગુજરાતી મિત્રોની કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત


ઉત્તરાખંડ, તા. 8 નવેમ્બર 2020 રવિવાર 

ઉત્તરાખંડની વાદીઓમાં ફરવા ગયેલા સુરેન્દ્રનગરના ત્રણ યુવાનોને અકસ્માત નડ્યો હતો. તેમની ગાડી 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે, બીજા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જોકે, અન્ય એક યુવક અને ડ્રાઈવરની શોધખોળ હજી પણ ચાલુ છે. 

ઘટનાની જાણ થતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડના અધિકારીઓ સાથે વાત કરી હતી અને યુવકને શોધવાનું કામ યુદ્ધધોરણે શરૂ કરાયું છે. જોશીમઠ અને બદરીનાથની વચ્ચે બદૌલાની પાસેથી પસાર થઈ રહેલી કાર હિમાલયન મંદિર તરફ જઈ રહી હતી. ત્યારે કાર 300 મીટર ઊંડી ખીણમાં પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના મૃગેશ રાઠોડ, હિતેન્દ્રસિંહ  ચૌહાણ અને ક્રિપાલસિંહ ઝાલા નામના ત્રણ યુવક બદ્રીનાથ-કેદારનાથના દર્શને ગયા હતા. ત્યારે પરત ફરતા સમયે તેમની ઈનોવા કાર 300 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. 

આ અકસ્માતમાં મૃગેશ રાઠોડનું નિધન થયું છે. જ્યારે કે હિતેન્દ્રસિંહ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચતા તેનો હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે કે ક્રિપાલસિંહ ઝાલા અને ઈનોવા કારનો ડ્રાઈવર ધર્મપાલ હજી પણ ખીણમાં મિસિંગ છે. તેઓને શોધવાની કવાયત ચાલુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી નીતિન ભારદ્વાજને આ વિશે જાણ થતા તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને વાત કરી હતી.  



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l4NOfL

અમેરિકન ચૂંટણી : ટ્રમ્પને હરાવી બિડેન 46મા પ્રમુખ બન્યા


પ્રમુખ બનતાં પહેલાં જ બિડેને જાહેર સ્વાસ્થ્ય-અર્થતંત્ર પર કામ શરૂ કર્યું હતું : ફરી પ્રમુખ બનવાનું ટ્રમ્પનું સપનું રોળાયું

કેટલાક રાજ્યોમાં મતગણતરી ચાલુ હોવાથી 300થી વધુ ઈલેક્ટોરલ વોટથી જીતવાનો જો બિડેનનો દાવો

કમલા હેરિસે પ્રથમ અશ્વેત મહિલા ઉપપ્રમુખ બની ઈતિહાસ રચ્યો બિડેન-હેરિસે નિષ્ણાતો સાથે અર્થતંત્ર-કોરોનાની ચર્ચા કરી

હું તમામ અમેરિકીઓનો પ્રમુખ બનીશ : જીત બાદ બિડેનની ટ્વિટ

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. 7 નવેમ્બર, 2020, શનિવાર

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં મતદાનના ચોથા દિવસે આખરે ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને બાજી મારી છે અને ડોનાલ્ડ ટ્રમ્પ સતત બીજી વખત પ્રમુખ બનવાનું ચૂકી ગયા છે. 

મંગળવારે મતદાન પૂરૂં થયા પછી બુધવારથી જ પાંચ બેટલગ્રાઉન્ડ સ્ટેટમાં બિડેન અને ટ્રમ્પ વચ્ચે મામલો ફસાયો હતો. જોકે, શનિવારે પેન્સિલવેનિયામાં 20 ઈલેક્ટોરલ વોટ જીતવાની સાથે જો બિડેન અમેરિકાના 46મા પ્રમુખ બન્યા છે. બિડેનને 273 જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 214 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. 

પ્રમુખ બનવા માટે 270 ઈલેક્ટોરલ વોટની જરૂર હોય છે. બિડેનના વિજય સાથે કમલા હેરિસે પણ ભારતીય મૂળની સૌપ્રથમ મહિલા ઉપપ્રમુખ બનીને અમેરિકન ચૂંટણીમાં ઈતિહાસ રચ્યો છે.

જોકે, હજી કેટલાક રાજ્યોમાં મતગણતરી ચાલુ હોવાથી બિડેન વધુ મતોથી જીતે તેવી સંભાવના છે. બેટલ ગ્રાઉન્ડ સ્ટેટ્સમાં પેન્સિલવેનિયા સૌથી વધુ ઈલેક્ટોરલ વોટ ધરાવતું રાજ્ય હતું, જ્યાં બિડેને વિજય મેળવતાં તેમનું પ્રમુખ બનવાનું નક્કી થઈ ગયું છે.

 બિડેને જણાવ્યું હતું કે, અમેરિકનોએ તેમનામાં અને ઉપપ્રમુખ કમલા હેરિસમાં જે વિશ્વાસ મૂક્યો છે તેનું તેઓ સન્માન કરે છે. બિડેન અગાઉ ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાની સાથે ઉપપ્રમુખપદે રહી ચૂક્યા છે. તેઓ ડેલાવરના સૌથી લાંબો સમય સેનેટરપદે પણ રહ્યા હતા. 

ચૂંટણીના પરિણામોમાં વિલંબ થતાં બિડેને  પ્રમુખ બનવાની જાહેરાત થાય તે પહેલાં જ વર્તમાન સંજોગોમાં સૌથી મહત્વના એવા જાહેર સ્વાસ્થ્ય અને આૃર્થતત્રના ક્ષેત્રો પર કામ શરૂ કરી દીધું છે. અમેરિકામાં કોરોના મહામારીની ત્રીજી વેવને પગલે એક જ દિવસમાં એક લાખથી વધુ લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે.

બિડેને જણાવ્યું હતું કે, અમે અંતિમ પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે હું લોકોને કહેવા માગું છું કે અમે કામ શરૂ કરવા માટે રાહ જોઈ નથી રહ્યા. હું પહેલા જ દિવસથી લોકોને જણાવવા માગું છું કે અમે કોરોના મહામારી પર નિયંત્રણ મેળવવા માટે અમારી યોજનાઓ અમલમાં મૂકીશું. આ યોજનાઓ આગામી મહિનાઓમાં લાખો લોકોના જીવન બચાવશે. 

બિડેન અને હેરીસે એક દિવસ અગાઉ જાહેર સ્વાસ્થ્ય અને આિર્થક કટોકટી મુદ્દે નિષ્ણાતોના એક જૂથ સાથે ચર્ચા પણ કરી હતી. બિડેને કહ્યું હતું કે,  દેશમાં 20 મિલિયનથી વધુ લોકો બેરોજગાર છે. અમારી આિર્થક યોજના દેશને સુધારાના માર્ગ પર આગળ લઈ જવાની છે.

કોરોના મહામારી દેશ માટે ચિંતાજનક બાબત છે. કોરોનાના દૈનિક કેસનો આંકડો સતત વધી રહ્યો છે અને એક દિવસમાં 2,00,000થી પણ વધુ કેસ નોંધાય તેવી આશંકા છે. અમે કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે અમારી યોજનાઓનો અમલ કરીશું.

બિડેનના સંભવિત વિજય સાથે તેમની ટીમનાં કમલા હેરિસ પણ ઉપપ્રમુખ બની જશે. અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં કમલા હેરિસ ઉપપ્રમુખપદે પહોંચનારાં સૌપ્રથમ મહિલા બનશે. વધુ મહત્વની બાબત એ છે કે ઉપપ્રમુખપદે તેઓ સૌપ્રથમ ભારતીય મૂળનાં મહિલા છે. કમલા હેરિસ કેલિફોર્નિયામાંથી એટર્ની જનરલ રહી ચૂક્યાં છે. 

તેઓ પોલીસ સુધારાના મોટા સમર્થક છે. અગાઉ બિડેને ડેલાવરના વિલ્મિંગ્ટનથી રાષ્ટ્રને સંબોધન કરતાં કહ્યું હતું કે, મારા અમેરિકન મિત્રો, અમે જીત્યા છીએ તેવી હજી જાહેરાત થઈ નથી, પરંતુ મતગણતરીના આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે અત્યંત રસાકસીભરી આ ચૂંટણીમાં અમે જીતી રહ્યા છીએ.

બિડેને ભારપૂર્વક કહ્યું હતું કે ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર થશે ત્યારે તેમને 300થી વધુ ઈલેક્ટોરલ વોટ મળ્યા હશે. આપણને અત્યાર સુધીમાં 74 મિલિયન વોટ મળ્યા છે, જે અત્યાર સુધી કોઈપણ અમેરિકન પ્રમુખને મળ્યા નથી. અને હજુ મતગણતરી ચાલુ છે. અમે ડોનાલ્ડ ટ્રમ્પને 4 મિલિયન મતોથી હરાવીશું અને આ માર્જિન પણ વધી રહ્યુંછે.

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પને પરાસ્ત કરી અમેરિકાના 46મા પ્રમુખ બન્યા બાદ બિડેને ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પ્રમુખ બન્યા પછીની પહેલી ટ્વિટમાં જણાવ્યું હતું કે, હું તમામ અમેરિકીઓનો પ્રમુખ બનીશ. મને વોટ આપ્યા હોય કે મારી વિરૂદ્ધ મતદાન કર્યું હોય, હું તમામ નાગરિકો માટે કામ કરીશ અને દેશની પ્રગતિ કરીશ.

7મી નવેમ્બર બિડેન માટે અતિ મહત્ત્વની તારીખ 

અમેરિકાના 46મા પ્રમુખ બનેલા જો બિડેન માટે 7મી નવેમ્બર યોગાનુયોગ લાભદાયક બની છે. અમેરિકામાં 1972માં ડેલાવરમાં સેનેટની ચૂંટણીમાં બિડેને સૌપ્રથમ વખત ઝુકાવ્યું હતું. આ ચૂંટણીમાં રિપબ્લિકન યુનાઈટેડ સેનેટના સેનેટર જે. સેલેબ બોગ્સ ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા હતા. 

બોગ્સ સામે બિડેન ન્યૂ કેસલ કાઉન્ટીના કાઉન્સિલમેન હતા અને બિડને પાસે ચૂંટણી પ્રચાર માટે નાણાં પણ નહોતા. બોગ્સને સતત ત્રીજી વખત સરળતાથી ચૂંટણી જીતવાની આશા હતી. જોકે, આ વર્ષે ચૂંટણી ખૂબ જ રસાકસીભરી રહી અને બિડેને 3,162 મતોથી બોગ્સને હરાવ્યા હતા.

સાત યુએસ સેનેટ ચૂંટણીમાં આ તેમનો સૌપ્રથમ વિજય હતો. તેમના આ વિજયની જાહેરાત પણ 7મી નવેમ્બર 1972ના રોજ થઈ હતી. એ જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પ સામે બિડેને ઉમેદવારી નોંધાવી ત્યારે પણ કોઈને આશા નહોતી કે તેઓ જીતી જશે. પરંતુ 7મી નવેમ્બર 2020ના રોજ બિડેનના વિજયની જાહેરાત થઈ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eEgSIo

બિહારમાં નિતિશની Exitનો વર્તારો, તેજસ્વીની બોલબાલા

Friday, November 6, 2020

બિહારમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થયું, કડક સિક્યોરિટી બંદોબસ્ત કરવામાં આવ્યો


- આજે 78 બેઠકો માટે બે કરોડ 34 લાખ મતદારો મત આપશે

પટણા તા.7 નવેંબર 2020 શનિવાર

બિહાર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનનો આજે સવારે કડક સિક્યોરિટી બંદોબસ્ત વચ્ચે આરંભ થયો હતો. 243 બેઠકો ધરાવતી બિહાર વિધાનસભાની છેલ્લી 78 બેઠકો માટે આજે મતદાન થઇ રહ્યું છે.

વર્તમાન સરકારના બાર પ્રધાનો સહિત કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે. જો કે ખરો જંગ એનડીએ અને મહાગઠબંધન વચ્ચે છે. એનડીએ વતી ભાજપના 29 ટોચના નેતાઓ અહીં પ્રચાર કરી ગયા હતા. જો કે વર્તમાન  મુખ્ય પ્રધાન નીતિશ કુમાર આ વખતે સહેજ અવઢવમાં છે. છેલ્લાં પંદર વર્ષથી સત્તા ભોગવતા નીતિશ કુમાર માટે લોકલાગણી બદલાઇ હોવાની હવા હતી. સૌથી વધુ દોડાદોડ રાજદના  તેજસ્વી યાદવે કરી હતી. જો કે છેલ્લી ઘડીએ લાલુ યાદવને જામીન ન મળતાં એ ચૂંટણીનાં પરિણામો પહેલાં જેલની બહાર આવી શકે એમ નથી એટલે લાલુ પરિવાર અને રાજદમાં હતાશા વ્યાપી ગઇ હતી.  

જે 78 બેઠકો પર આજે મતદાન થઇ રહ્યું છે એ પંદર જિલ્લામાં વહેંચાયેલી છે. આજે કુલ 2 કરોડ 34 લાખ મતદારો પોતાનો મત આપશે. વિધાનસભા ઉપરાંત સંસદની વાલ્મીકિ બેઠકની પેટાચૂંટણી પણ આજે છે. જદયુના સાંસદ વૈદ્યનાથ મહતોના અકાળ અવસાનના પગલે આ પેટાચૂંટણી આવી પડી હતી. જદયુએ મહતોના પુત્ર સુનીલ કુમારને ટિકિટ આપી હતી. વાલ્મીકિ નગરની જેમ જે 78 બેઠકોનું આજે મતદાન થઇ રહ્યું છે એ બધી બેઠકો ઉત્તર બિહારમાં અને રાજ્યમાં ગંગા નદીની ઉત્તરે આવેલી છે,  કેટલીક બેઠકો કોસી-સીમાંચલ પ્રદેશમાં છે. 




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38k5K2z

દિલ્હીમાં ફટાકડા વેચવા-ફોડવા બદલ 1 લાખ સુધીનો દંડ


દિલ્હીમાં 1800 એકર ખેતરોમાં બાયો ડિકમ્પોઝરનો છંટકાવ કરાયો, એર ક્વૉલિટી મેનેજમેન્ટ કમિશને કામ શરૂ કર્યું : કેન્દ્ર

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર

કોરોનાકાળમાં દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણના પગલે કેજરીવાલ સરકારે રાજધાનીમાં ગ્રીન ફટાકડા સહિત કોઈપણ પ્રકારના ફટાકડા વેચવા અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યાના બીજા દિવસે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હીમાં ફટાકડા ફોડવા અને વેચવા પર વાયુ પ્રદૂષણ (નિયંત્રણ) કાયદા (1981) હેઠળ રૂ. 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

આરોપી વિરૂદ્ધ એર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે, જેમાં રૂ. 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે. કોરોનાકાળમાં દેશમાં એકપછી એક રાજ્યો ફટાકડા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે, તેમાં હવે ચંડીગઢ અને કર્ણાટકનો પણ સમાવેશ થયો છે.

કર્ણાટક અને ચંડીગઢે શુક્રવારે તેમના પ્રદેશોમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગોપાલ રાયે કહ્યું કે પર્યાવરણ વિભાગ, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને દિલ્હી પોલીસના પ્રતિનિિધઓ સાથે સોમવારે એક બેઠક યોજાશે, જેથી પ્રતિબંધને લાગુ કરવા માટે એક વિસ્તૃત કાર્ય યોજના તૈયાર કરી શકાય.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે જાહેરાત કરી હતી કે ફટાકડા પર પ્રતિબંધ 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી લાગુ રહેશે. રાયે કહ્યું કે આમ તો દિલ્હીમાં આખું વર્ષ સતત પ્રદૂષણની સમસ્યા રહે છે, પરંતુ દિવાળી પહેલાં ફટાકડા ફોડવામાં આવતા અને પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાથી દિલ્હીનું પ્રદૂષણ સ્તર વધી જાય છે. શહેરમાં કોરોનાના કેસની વધતી સંખ્યાને જોતા લોકોના જીવ બચાવવા માટે પણ ફટાકડાના વેપારીઓને થનારા નુકસાનના આિર્થક પાસાથી પણ આ પગલું ઘણું મહત્વપૂર્ણ છે.

ગોપાલ રાયે કહ્યું કે પરાળીને ખાતરમાં બદલવા માટે પૂળા સાથે ભેળવી દિલ્હી સરકારે બાયો ડિકમ્પોઝરનો નિ:શુલ્ક છંટકાવ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં કર્યો છે. અત્યાર સુધીમાં 1800 એકર ખેતરોમાં બાયો ડિકમ્પોઝરનો છંટકા થઈ ચૂક્યો છે. દિલ્હી સરકાર બાયો ડિકમ્પોઝરની અસર જોવા માટે 15 સભ્યોની ટીમ બનાવશે, જેનો રીપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાશે.

દરમિયાન સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને દિલ્હી-એનસીઆરમાં સ્મોગ ન થાય તેની ખાતરી રાખવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામાસુબ્રમણ્યને વાયુ પ્રદૂષણ સંબંિધત અરજીઓની સુનાવણી દિવાળીની રજાઓ પછી નિશ્ચિત કરી છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમને જણાવ્યું હતું કે, એર ક્વૉલિટી મેનેજમેન્ટ માટે કમિશન શુક્રવારથી કામ શરૂ કરી દીધું છે. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ એમએમ કુટ્ટીને દિલ્હી અને આજુબાજુના વિસ્તારો માટે રચાયેલા કમિશન ફોર એર ક્વૉલિટી મેનેજમેન્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ કમિશન શુક્રવારથી કામ શરૂ કરશે.

મહેતાએ 29 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે સરકાર એક વટહૂકમ લઈને આવી છે અને તેને લાગુ કરી દીધો છે. જોકે, બેન્ચે કહ્યું કે દિલ્હીના પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાના કારણે થઈ રહેલા વાયુ પ્રદૂષણ મુદ્દે કોઈ નિર્દેશ આપતાં પહેલાં તેઓ વટહુકમ જોવા માગે છે.

બેન્ચે જણાવ્યું કે, શહેરમાં ધુમ્મસ ન થાય તેની તમારે ખાતરી રાખવાની છે. તમે બનાવેલા પંચ સાથે અમને કોઈ ચિંતા નથી. તમે અનેક કમિશન બનાવી શકો છો અને અનેક લોકો કામ કરી રહ્યા છે, પરંતુ શહેરમાં ધુમ્મસ ન થાય તેની ખાતરી રાખો. અરજદાર આદિત્ય દુબે વતી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે જણાવ્યું હતું કે, કમિશનમાં માત્ર અિધકારીઓ જ છે. તેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો કોઈ સભ્ય નથી.

આ અંગે કોર્ટે કહ્યું કે કમિશન દેશમાં કોઈની પણ સાથે વાત કરી શકે છે.  વિકાસ સિંહે દલીલ કરી હતી કે સરકારના વટહૂકમાં ગૂના અંગે કોઈ વર્ગીકરણ નથી અને રૂ. 1 કરોડનો દંડ અને પાંચ વર્ષની જેલ આપખુદશાહી સમાન લાગે છે. બેન્ચે કહ્યું કે, બધા જ ગૂના નોન-કોગ્નિઝેબલ છે. સિંહે જણાવ્યું કે, આ ગૂના કોગ્નિઝેબલ છે.

પ્રદૂષણ નિયંત્રણ નિયમોના ભંગ બદલ પીડબલ્યુડીને રૂ. 50 હજારનો દંડ

નવી દિલ્હી, તા. 6

દિલ્હીમાં ચાંદની ચોકના હાલ ચાલી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ દરમિયાન 'પ્રદૂષણ નિયંત્રણ નિયમોના ભંગ' બદલ શહેરના પબ્લિક વર્ક્સ ડીપાર્ટમેન્ટને શુક્રવારે રૂ. 50,000નો દંડ કરવામાં આવ્યો છે તેમ ઉત્તર દિલ્હીના મેયર જય પ્રકાશે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે દિલ્હીમાં લાલ કિલ્લાથી ફતેહપુરી મસ્જિદ સુધીના 1.5 કિ.મી. વિસ્તારના ઈન્સ્પેક્શન દરમિયાન ચલણ ઈશ્યુ કરાયું હતું.

અમે પ્રદૂષણ ઘટાડવા પગલાં લઈ રહ્યા છીએ. ઈન્સ્પેક્શન દરમિયાન ધૂળ ઉડતી હતી અને શીવર લાઈન કચરાથી ઉભરાઈ રહી હતી. ચાંદની ચોકનો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ દિલ્હી સરકારનો એક મહત્વનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારમાં સવારે 9.00થી સાંજે 9.00 સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હશે.

દિલ્હીમાં વર્ષમાં પહેલી વખત હવાની ગુણત્ત તળીયે

દિલ્હીમાં હવાની ગુણવત્તા 'અત્યંત ખરાબ', આંશિક સુધારાની શક્યતા

નવી દિલ્હી, તા. 6

રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા શુક્રવારે સવારે 'અત્યંત ખરાબ' શ્રેણીમાં જ રહી જ્યારે સરકારી એજન્સીઓએ કહ્યું કે આગામી 24 કલાકમાં તેમાં થોડોક સુધારો થવાની સંભાવના છે. પરાળી સળગાવવાની બાબતમાં વધારો અને હવાની ગતિ ઓછી હોવાના કારણે દિલ્હીમાં ગુરૂવારની સવાર પ્રદૂષણના એક વર્ષમાં સૌથી ખરાબ સ્તર પર પહોંચી હતી. તેમાં પરાળી સળગાવવાનું પ્રમાણ 42 ટકા હતું.

નિષ્ણાતોએ જણાવ્યું કે હવાની ઓછી ગતિ, તાપમાનમાં ઘટાડા જેવી હવામાનની પ્રતિકૂળ પરિસિૃથતિઓ અને પડોશી રાજ્યોમાંથી પરાળી સળગાવવાથી ધૂમાડો આવતાં વાયુ ગુણવત્તા સૂચકાંક 'ગંભીર શ્રેણી'માં રહ્યો, પરંતુ હવાની તિવ્ર ગતિના કારણે પ્રદૂષક તત્વો વિખરાયા હતા અને ધુમ્મસ ઓછું થયું હતું. 

જાન્યુઆરી પછી પહેલી વખત ગુરૂવારે એક્યુઆઈ 'ગંભીર સિૃથતિ'માં પહોંચ્યો હતો. દિલ્હીનો એક્યુઆઈ સવારે 10.00 વાગ્યે 397 હતો, જે ગુરૂવારે 450 કરતાં આંશિક ઘટાડો દર્શાવે છે. પડોશી શહેરો ફરિદાબાદ, ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા, ગુરૂગ્રામ અને નોઈડામાં પણ હવાની ગુણવત્તા 'અત્યંત ખરાબ'થી 'ગંભીર' શ્રેણીમાં રહી હતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32o7Mee

લાલુની દિવાળી જેલમાં : આજે બિહારમાં અંતિમ તબક્કાનું મતદાન


અંતિમ તબક્કામાં સ્પીકર, 12 મંત્રી સહિત 1204 ઉમેદવાર મેદાનમાં, કુલ 2.34 કરોડ મતદારો, લોકસભાની એક બેઠક પર જદ(યુ)-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

લાલુના પરિવારજનો અને સમર્થકોની આશા પર પાણી ફરી વળ્યુ જામીન અરજીની સુનાવણી 27 નવેમ્બર સુધી મોકૂફ

કોરોના વચ્ચે પણ પ્રથમ તબક્કામાં 55.69 ટકા અને બીજા તબક્કામાં 53.51 ટકા મતદાન થયું હતું

સીબીઆઇએ લાલુ સામેના દુમકા ટ્રેઝરી કેસમાં લેખિત જવાબ રજૂ કરવા વધુ સમય માગતા ઝારખંડ હાઇકોર્ટે ચુકાદો આપવાનું ટાળ્યું

લાલુને ઘાસચારા કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય ત્રણ કેસોમાં જામીન મળી ગયા હોવાથી આ કેસમાં જામીન મળશે તો તે બહાર આવી જશે 

પટના, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર

બિહારના અંતીમ અને ત્રીજા તબક્કા માટે શનિવારે મતદાન યોજાશે, આ તબક્કામાં કુલ બાકી રહેલી 78 બેઠકો પર મતદાન થશે. જેમાં કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે. વિધાનસભાની કુલ બેઠકોમાંાૃથી માત્ર 78 બેઠકો પર જ હવે મતદાન બાકી છે તેથી આ તબક્કો પૂર્ણ થઇ ગયા બાદ સૌ કોઇની નજર પરિણામો પર રહેશે જે 10મી તારીખે જાહેર કરવામાં આવશે. અંતિમ તબક્કામાં 50 ટકાથી વધુ મતદાન થવાની શક્યતાઓ છે. 

બીજી બાજુ ઝારખંડ હાઇકોર્ટે ઘાસચારા કૌભાંડ સાથે સંકળાયેલા દુમકા ટ્રેઝરીના કેસમાં રાજદ પ્રમુખે કરેલી જામીન અરજીની સુનાવણી 27 નવેમ્બર સુધી મોકૂફ રાખી છે. જેના પગલે હવે લાલુની દિવાળી જેલમાં જ જશે. સીબીઆઇએ આ કેસમાં લેખિત જવાબ આપવા માટે વધુ સમય માગતા હાઇકોર્ટે જામીન અરજીની સુનાવણી પાછળ ઠેલવી દીધી છે. 

ત્રીજા તબક્કામાં કુલ 2.34 કરોડ મતદારો છે, આ અંતિમ તબક્કામાં વર્તમાન વિધાનસભાના સ્પીકર અને 12 કેબિનેટ મંત્રીઓનું ભવિષ્ય પણ નક્કી થશે. આ તબક્કામાં એક લોકસભાની ખાલી પડેલી વાલમિકી નગરની બેઠક પર પણ મતદાન થશે, વર્તમાન જેડીયુ સાંસદ બૈદનાથ મહેતોના નિધનને પગલે આ બેઠક ખાલી પડી હતી. જેડીયુએ અહીં તેમના પુત્ર સુનિલ કુમારને ટિકિટ આપી છે. જેની સામે કોંગ્રેસે પત્રકારમાંથી રાજનેતા બનેલા પ્રવેશ કુમારને ટિકિટ આપી છે. 

અંતિમ તબક્કાની બેઠકો આશરે 19 જિલ્લામાં વિસ્તરેલી છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ 12 રેલીઓ કરી હતી, જ્યારે તેજસ્વી અને રાહુલ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો. આગામી 10મી નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.

બીજી તરફ પરિણામો જાહેર થાય તે પહેલા જ નિતિશ કુમારના બે મંત્રીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ મંત્રીઓમાં ભવન નિર્માણ મંત્રી અશોક ચૌધરી અને માહિતી તેમજ જનસંપર્ક મંત્રી નીરજ કુમારનો સમાવેશ થાય છે. બન્ને નેતાઓની બિહાર વિધાનસભા સભ્યતાનો કાર્યકાળ છ મેના રોજ પુરો થઇ ગયો હતો. જેને પગલે તેમણે આ મંત્રી પદ ગુમાવવું પડયું હતું. 

ત્રીજા અને અંતિમ તબક્કામાં કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે તેમાં 1094 પુરૂષો અને 110 મહિલાઓનો સમાવેશ થાય છે. જે મોટા નેતાઓના ભાવી આ તબક્કામાં નક્કી થશે તેમાં વર્તમાન વિાૃધાનસભા સ્પીકર વિજય કુમાર ચૌધરી અને અન્ય 12 મંત્રીઓ તેમજ શરદ યાદવના પુત્રી સુભાષિની યાદવનો પણ સમાવેશ થાય છે.

અંતિમ તબક્કા માટે કુલ 33,782 બૂથોની રચના કરાઇ છે જેમાં કુલ 45,953 ઇવીએમનો ઉપયોગ થશે. નોંધનીય છે કે અગાઉ પ્રથમ તબક્કામાં રેકોર્ડબ્રેક 55.69 ટકા અને બીજા તબક્કામાં  53.51 ટકા મતદાન થયું હતું. કોરોના મહામારી વચ્ચે પણ બિહારીઓ મતદાન કરી રહ્યા છે તેથી અંતિમ તબક્કામાં પણ 50 ટકાથી વધુ મતદાન થાય તેવી શક્યતાઓ છે. 

દરમિયાનમાં ધાસચાર કૌભાંડ સાથે સંકળાયેલા ચાર કેસોમાં આરોપી બનાવાયેલા બિહારના પૂર્વ મુખ્યપ્રધાનને જો આ કેસમાં જામીન મળી જશે તો તે જેલમાંથી બહાર આવી શકશે. તેમને અન્ય ત્રણ કેસમાં જામીન મળી ગયા છે. લાલુપ્રસાદ યાદવના પરિવારજનો અને તેમના સમર્થકોને આશા હતી કે તેમને આજે જામીન મળી જશે પણ હવે હાઇકોર્ટના નિર્ણય પછી હવે તેમને વધુ સમય રાહ જોવી પડશે. 

ઉલ્લેખનીય છે કે રાજદ પ્રમુખ ડિસેમ્બર, 2018થી રાંચીની જેલમાં બંધ છે. લાલુ પ્રસાદના વકીલ કપિલ સિબલે વર્ચ્યુઅલ હિયરિંગમાં જણાવ્યું હતું કે તેમના અસીલ હાલમાં રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર લઇ રહ્યાં છે. 

સિબલે વધુમાં જણાવ્યું હતું કે તેમને આ કેસમાં જેટલી આપવામાં આવી છે તે પૈકીની અડધી સજા તે કાપી ચૂક્યા હોવાથી તેમને જામીન પર મુક્ત કરવામાં આવે. સિબલે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં લાલુપ્રસાદ યાદવને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જે પૈકી તેમણે 42 મહિના અને 26 દિવસની સજા પૂર્ણ કરી લીધી છે. એટલે કે તેમણે અડધાથી પણ વધુ સજા કાપી લીધી છે. 

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી કરવામાં આવી હતી. સીબીઆાઇએ લાલુપ્રસાદ યાદવની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે પ્રસાદની આરોગ્યની સિૃથતિ અંગે લેખિત જવાબ આપવામાં અમને વધુ સમયની જરૂર પડશે.  જો કે કપિલ સિબલે આક્ષેપ કર્યો હતો કે તપાસ એજન્સી ઇરાદાપૂર્વક લેખિત જવાબ આપવામાં વિલંબ કરી રહી છે. ન્યાયમૂર્તિ અપરેશકુમાર સિંહે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી જામીન અરજી અંગે વધુ સુનાવણી 27 નવેમ્બરે કરવાનો નિર્ણય લીધો છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mWCK4X

Thursday, November 5, 2020

અમેરિકાની ચૂંટણી વિવાદમાં : ટ્રમ્પની આપખૂદશાહી ન ચાલી : બિડેનનો ઘોડો વિનમાં


પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પ હારે તો ત્રણ દાયકામાં પરાજયનો સામનો કરનારા પ્રથમ પ્રમુખ બનશે

ટ્રમ્પની ટીમ જ્યોર્જિયા, મિશિગન, પેન્સિલવેનિયામાં મતગણતરી રોકવા કોર્ટમાં પહોંચી, વિસ્કોનસિનમાં ફરી મતગણતરીની માગ

વોશિંગ્ટન, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન બંનેએ જીતવાના દાવા કર્યા છે, પરંતુ કેટલાક રાજ્યોમાં મત ગણતરી બાકી હોવાથી હજુ સુધી પ્રમુખપદના વિજેતાની જાહેરાત થઈ શકી નથી. જોકે, બિડેન બહુમતી તરફ આગળ વધી રહ્યા છે. તેઓ વિજય માટેના જાદુઈ આંકડા 270 ઈલેક્ટોરલ મત મેળવવાની એકદમ નજીક છે.

બિડેને 264 જ્યારે ટ્રમ્પે 214 ઈલેક્ટોરલ મત મેળવ્યા છે. ચૂંટણીમાં પાછળ પડી રહેલાં ટ્રમ્પે મતદાનમાં ધાંધલીના આરોપો કર્યા છે. ટ્રમ્પે અગાઉ આપેલા સંકેતો મુજબ ટ્રમ્પ કેમ્પેને મિશિગન, પેન્સિલવેનિયા અને જ્યોર્જિયામાં કોર્ટમાં કેસ કર્યા છે. કોરોના મહામારી વચ્ચે અમેરિકામાં મંગળવારે પ્રમુખપદની ચૂંટણી થઈ હતી. ત્યાર પછી હજુ સુધી મતપત્રોની ગણતરી ચાલી રહી છે. આથી અંતિમ પરીણામ હજી સુધી આવ્યા નથી.

ટ્રમ્પ અને બિડેન બંનેએ અમેરિકાના મહત્વના રાજ્યોમાં તેમની અપેક્ષા મુજબ વિજય મેળળી લીધો છે. પરંતુ જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, ઉત્તર કેરોલિના અને નેવાડા જેવા ચાર રાજ્યોના પરીણામો હજુ સુધી આવ્યા નથી. ચૂંટણી અિધકારીઓ હજુ લાખો મતોની ગણતરી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજ આ મતગણતરી શનિવાર સુધી ચાલે તેવી સંભાવના છે.

અમેરિકન મીડિયા મુજબ ટ્રમ્પના વિજય કે પરાજયમાં આ ચાર રાજ્યોના પરીણામ નિર્ણાયક સાબિત થશે. 77 વર્ષીય બિડેનને વ્હાઈટ હાઉસ પહોંચવા માટે માત્ર છથી 17 ઈલેક્ટોરલ મતોની જરૂર છે. બિડેને તેમના ગૃહ પ્રાંત ડેલાવરમાં સમર્થકોને કહ્યું, આ મારી આૃથવા આપણાં એકલાનો વિજય નહીં હોય. આ વિજય અમેરિકાના લોકોનો હશે. આપણએ 270 ઈલેક્ટોરલ વોટ જીતવા માટે જરૂરી રાજ્યો જીતી રહ્યા છીએ.

બીજીબાજુ ટ્રમ્પે મોડી રાતે અનેક ટ્વીટ કર્યા અને પેન્સિલવેનિયા, મિશિગન, ઉત્તર કેરોલિના અને જ્યોર્જિયામાં તેમના વિજયની જાહેરાત કરી દીધી. તેમણે કહ્યું, અમને પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિનામાં લીડ મળી રહી હતી. મિશિગન પર પણ તેમણે જીતનો દાવો કર્યો છે. અન્ય એક ટ્વીટમાં ટ્રમ્પે લખ્યું કે, 'ચૂંટણી વ્યવસૃથાની અખંડતા અને પ્રમુખપદની ચૂંટણીને કલંક લાગ્યું છે. તેના અંગે આપણે ચર્ચા કરવાની જરૂર છે.'

ટ્રમ્પની ચૂંટણી અભિયાન ટીમે જ્યોર્જિયા, મિશિગન અને પેન્સિલવેનિયામાં મતગણતરી રોકવાની માગ કરતાં કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. વિસ્કોનસિનમાં ફરીથી મતગણતરીની માગ પણ કરી છે. ટ્રમ્પ હાલ પરાજય તરફ ધકેલાઈ રહ્યા હોવા છતાં તેમના ફરીથી પ્રમુખ બનવાની સંભાવનાઓ જળવાઈ રહી છે. આ માટે તેમણે ચાર રાજ્યોમાં વિજય મેળવવો ખૂબ જ જરૂરી છે.

ટ્રમ્પ પેન્સિલવેનિયાની સાથે જ્યોર્જિયા, ઉત્તર કેરોલિના અને નેવાડા જીતી જાય તો તેમનો વિજય નિશ્ચિત થઈ જશે. નેવાડામાં બિડેન ટ્રમ્પ કરતાં થોડાક જ આગળ છે. પ્રમુખ બનવા માટે બિડેન માટે નેવાડા જીતવું ખૂબ જ જરૂરી છે. આ રાજ્યમાં વિજય સાથે તેમના ઈલેક્ટોરલ મતોની સંખ્યા 270 થઈ જશે. આ પ્રાંતમાં છ ઈલેક્ટોરલ કોલેજ વોટ છે.

ડેમોક્રેટિક પક્ષનાં ઉપપ્રમુખપદના ભારતીય મૂળનાં ઉમેદવાર કમલા હેરીસ પણ વિજય તરફ  આગળ વધી રહ્યાં છે. આ પદ માટે તેમની સ્પર્ધા રિપબ્લિકન ઉમેદવાર માઈક પેન્સ સામે છે. પ્રમુખપદની ચૂંટણીની સાથે જ અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટ અને નીચલા ગૃહ પ્રતિનિિધ સભા માટે પણ ચૂંટણીઓ યોજાઈ હતી. 100 સભ્યોની સેનેટની 35 બેઠકો માટે જ્યારે 435 સભ્યોની પ્રતિનિિધ સભાની બધી બેઠકો માટે મતદાન થયું હતું.

મત ગણતરીમાં ફ્રોડના ટ્રમ્પની આક્ષેપો પાયા વિહોણા : નિરિક્ષકોનોઅહેવાલ

(પીટીઆઇ) વોશિંગ્ટન,તા.5

આંતરરાષ્ટ્રીય નિરિક્ષકોની એક ટીમે પ્રમુખ ટ્રમ્પે કરેલા મત ગણતરીમાં ફ્રોડના આક્ષેપ પાયા વિહોણા હોવાનું કહ્યું હતું.તેમણે કહ્યું હતું કે આવા આક્ષેપો લોકતાંત્રિક સંસૃથાઓમાંથી લોકોનો વિશ્વાસ ડગાવી દે છે. ખુદ અમેરિકા જેનો સભ્ય છે તે ઓર્ગેનાઇઝેશન ફોર સીક્યુરિટી એન્ડ કો-ઓપરેશન ઇન યુરોપના નિરિક્ષકોએ કહ્યું હતું કે  બુધવારે જારી કરેલા પ્રાથમિક અહેવાલમાં કહ્યું હતું કે સામાન્ય ચૂંટણીઓની મત ગણતરી  તદ્દન પારદર્શક હતી અને સંપૂર્ણ રીતે સાચી રીતે કરાઇ હતી. ' 

ગણતરી અને સરવાળો હજુ ચાલુ છે અને તે ઓર્ગેનાઇઝેશનના નિયમો અનુસાર જ ચાલશે.વર્તમાન પ્રમુખ દ્વારા કરાયેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે. આનાથી લોકોનો લોકતંત્રિક સંસૃથાઓ પરથી વિશ્વાસ ઉઠી જશે'એમ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રમુખ દ્વારા પોસ્ટલ બેલેટની પ્રમાણિકતા અંગે કરાયેલા અસંખ્ય જાહેર નિવેદનો છતાં કિથત ફ્રોડ અને  આક્ષેપોની માત્રા નહીંવત છે.

બુધવારે પ્રમુખ ટ્રમ્પે આક્ષેપ કર્યો હતો કે મત ગણતરીમાં છેતરપિંડી કરાઇ હતી અને તેઓ ગણતરીને રોકવા સુપ્રીમ કોર્ટ જશે. ટ્રમ્પે આ ચૂંટણીને 'અમેરિકન પ્રજા સાથે દગો'ગણાવી હતી. જો કે તેમણે પોતાના દાવાના સમર્થનમાં એક પણ પુરાવો રજૂ કર્યો નહતો.ઉલ્લેખનીય છે કે આ સંગઠન  વિશ્વનું સૌથી મોટું સુરક્ષા સબંધીત આંતરસરકાર સંગઠન છે.

બિડેનના પ્રમુખ બનવાની પ્રબળ સંભાવના છતાં

ટ્રમ્પ માટે હજુ આશા જીવંત પાંચ રાજ્યો બાજી પલટી શકે

ટ્રમ્પ માટે જીતનો આધાર નોર્થ કેરોલિના, અલાસ્કા, જ્યોર્જિયા, પેન્સિલવેનિયા, નેવાડાના મતો ઉપર

ન્યૂયોર્ક, તા. 5

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેનના પ્રમુખ બનવાની પ્રબળ સંભાવનાઓ છે. બિડેન બહુમતી માટે 270 ઈલેક્ટોરલ વોટની નજીક પહોંચી રહ્યા છે. જોકે, વિદાય લઈ રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે હજુ પણ આશા જીવંત છે અને તેઓ પાસુ પલટી શકે છે.

અમેરિકામાં મોટાભાગના રાજ્યોમાં મતગણતરી અંતિમ તબક્કામાં છે, પરંતુ જે અમેરિકન રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે ત્યાંના ઈલેક્ટોરલ મત આ ચૂંટણીના પરિણામ બદલી શકે છે. આ રાજ્યોમાં પ્રમુખ ટ્રમ્પ હજુ આગળ છે. આથી મતગણતરી સંપૂર્ણપણે પૂરી થઈ જાય ત્યારે ટ્રમ્પ ખૂબ જ પાતળી સરસાઈથી બહુમતીના આંકડાને પાર કરે તેવી સંભાવના છે.

અમેરિકામાં પાંચ રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. આ બધા જ રાજ્યોમાંથી પેન્સિલવેનિયામાં 20 ઈલેક્ટોરલ વોટ છે. નોર્થ કેરોલિનામાં 15 વોટ છે. જ્યોર્જિયામાં 16 વોટ, અલાસ્કામાં ત્રણ વોટ છે. આ બધા જ રાજ્યોમાં ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે. નેવાડામાં 6 ઈલેક્ટોરલ વોટ છે. જોકે, બિડેન અહીં આગળ છે. 

વર્તમાન સ્થિતિ મુજબ આ રાજ્યોમાં ટ્રમ્પ જીતે તો તેમને 54 મત મળી શકે છે જ્યારે બહુમતી માટે તેમને 56 મતોની જરૂર છે. બીજીબાજુ બિડેનને 6 મત મળી શકે છે. આવા સંજોગોમાં પરિસ્થિતિઓમાં થોડો પણ ફેરફાર થાય તો ટ્રમ્પ ખૂબ જ પાતળી સરસાઈથી બિડેન વિરૂદ્ધ બાજી પલટી શકે છે.

મતદાન વધવાનું કારણ યુવાન મતદારો, મેલ-ઈન વોટ

અમેરિકામાં 120 વર્ષમાં સૌથી વધુ 66.9 ટકા મતદાન થયું

છેલ્લે 1900માં સૌથી વધુ 73.7 ટકા મતદાન થયું હતું 

(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા. 5

અમેરિકામાં ચૂંટણીમાં આ વખતે મતદારોએ જબરજસ્ત ઉત્સાહ દર્શાવ્યો છે. આ વખતે મતદાને 120 વર્ષનો વિક્રમ તોડી નાંખ્યો છે. અમેરિકાની ચૂંટણીમાં સરેરાશ 50થી 60 ટકા મતદાન થતું હોય છે. પરંતુ આ વખતે 66.9 ટકા મતદાન થયું હોવાનું અમેરિકન ઈલેક્શન પ્રોજેક્ટનો અંદાજ છે.

વર્ષ 2020 પહેલાં 1900માં સૌથી વધુ મતદાન થયું હતું, તે સમયે 73.7 ટકા લોકોએ મતદાન કર્યું હતું. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં યુએસ ઈલેક્શન પ્રોજેેક્ટના પ્રોફેસર માઈકલ મેકડોનાલ્ડનું કહેવું છે કે વર્તમાન ચૂંટણીની સરખામણી 1900 સાથે કરવી અયોગ્ય છે. તે સમયે મહિલાઓને મતદાનનો અિધકાર નહોતો. 2020માં વધુ મતદાનનું એક મહત્વનું કારણ યુવાન મતદારો અને મેલ-ઈન-વોટ છે.

ટફ્ટ્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઈન્ફર્મેશન એન્ડ રિસર્ચ ઓન સિવિલ લર્નિંગ એન્ડ એન્ગેજમેન્ટ મુજબ 18થી 29 વર્ષની વયના મતદારોની સંખ્યા વધુ હોવાથી મતદાન પર અસર થઈ છે. જેમ કે, ટેક્સાસમાં આ ચૂંટણીમાં યુવાન મતદારોનું યોગદાન 13.1 ટકા રહ્યું છે, જે અગાઉની ચૂંટણીમાં માત્ર 6 ટકા હતું. મિશિગનમાં આ ચૂંટણીમાં 9.4 ટકા યુવાન મતદારો હતા જ્યારે ગત ચૂંટણીમાં 2.5 ટકાએ મતદાન કર્યું હતું.

અમેરિકામાં હજુ પ્રમુખપદની ચૂંટણી માટે નંખાયેલા મતોની ગણતરી ચાલુ છે. આ વખતે 16 કરોડથી વધુ લોકોએ મતદાન કર્યું છે. મતદાનની ટકાવારી અંદાજે 67 ટકા જેટલી છે, જે એક સદીમાં સૌથી વધુ છે.

છેલ્લે 1900માં 73.7 ટકા લોકોએ મતદાન કર્યું હતું. તે સમયે વિલિયમ મેકેન્લી પ્રમુખ બન્યા હતા. ત્યાર પછી મતદાન 65.7 ટકાથી વધુ મતદાન થયું નથી.   હિસ્ટ્રી.કોમના અહેવાલ મુજબ અમેરિકામાં અત્યાર સુધીનું સૌથી ઓછું મતદાન 1972માં થયું હતું. 1828માં પહેલી વખત 50 ટકા મતદાન થયું હતું જ્યારે 1876માં 82.6 ટકા મતદાન થયું હતું.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l1jUsU

ભારતીય નાગરિકો ચીન જઈ શકશે નહીં : જિનપિંગે પ્રતિબંધ મૂક્યો


બેઈજિંગ, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર

ચીની દૂતાવાસની વેબસાઈટમાં જાહેરાત કરવામાં આવી હતી એ પ્રમાણે ભારતીય નાગરિકો અત્યારે ચીનનો પ્રવાસ કરી શકશે નહીં. ભારત ઉપરાંત બ્રિટન, બેલ્જિયમ અને ફિલિપાઈન્સના નાગરિકો પર ચીનમાં પ્રવેશવાનો પ્રતિબંધ મૂકાયો છે. કોરોના ન ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાયું હતું.

દુનિયાભરમાં કોરોના ફેલાવનાર ચીને હવે કોરોના ન ફેલાય તેવું કારણ આગળ ધરીને ઘણાં દેશોના નાગરિકોને ચીન પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનના દૂતાવાસની વેબસાઈટમાં જિનપિંગનો નિર્ણય રજૂ કરવામાં આવ્યો હતો. એ પ્રમાણે બ્રિટન, ભારત, બેલ્જિયમ અને ફિલિપાઈન્સના નાગરિકો ચીનમાં જઈ શકશે નહીં.

ચીને સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ચીની દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસ આ દેશના નાગરિકોને ચીન જવાની પરવાનગી આપશે નહીં. ચીનમાં ફરીથી કોરોનાના કેસ વધશે તેવી ભીતિથી ચીને આ નિર્ણય લીધો હતો. તે ઉપરાંત અમેરિકા, ફ્રાન્સ, જર્મની જેવા દેશોના નાગરિકોએ ચીનમાં આવવા માટે વિશેષ પ્રમાણપત્ર આપવું પડશે અને ખાસ હેલૃથ ચેકઅપમાંથી પસાર થવું પડશે.

ચીની અિધકારીઓને તેમની હેલૃથ બાબતે જરા પણ શંકા પડશે તો ચીનમાં પ્રવેશ મળશે નહીં. ચીને બ્રિટનના તો કાયમી રહેઠાણ ધરાવતા હોય અને અત્યારે બ્રિટનમાં હોય એવા નાગરિકોના આવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ નાગરિકો પાસે વિઝા હોવા છતાં તેમને નવા નોટિફિકેશન સુધી બ્રિટનમાં જ રહેવું પડશે. બ્રિટિશ ચેમ્બર્સ ઓફ કોમર્સે આ બાબતે નારાજગી દર્શાવીને કહ્યું હતું કે વેપારીઓ ચીન આવી શકશે નહીં તેના કારણે બંને દેશોના વેપાર પર અસર થશે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32eSAjy

Tuesday, November 3, 2020

બિહારમાં બીજા તબક્કામાં 54.15 ટકા મતદાન, પટનામાં સૌથી ઓછું


મધ્ય પ્રદેશમાં ભાજપ માટે નિર્ણાયક 28 બેઠકો પર સરેરાશ 66.67 ટકા, ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું 53 ટકા મતદાન

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 3 નવેમ્બર, 2020, મંગળવાર

બિહાર વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે બીજા તબક્કાનું મતદાન પૂરૂં થઈ ગયું છે. કોરોના મહામારી વચ્ચે બીજા તબક્કાના મતદાનમાં પણ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. બીજા તબક્કાના મતદાનમાં 54 ટકાથી વધુ મતો પડયા. પહેલા તબક્કામાં 55.69 ટકા મતદાન થયું હતું.

દેશના 10 રાજ્યોની 54 બેઠકો પર પણ પેટા ચૂંટણીમાં 71.99 ટકાથી 51.57 ટકા સુધી મતદાન થયું હતું. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મંગળવારે બીજા તબક્કામાં 94 બેઠકો પર મતદાન પૂરૂં થયું હતું. બીજા તબક્કામાં સરેરાશ 54.15 ટકા મતદાન થયું હતું. જોકે, દિવસના અંતે મતદાનના અંતિમ આંકડા એકત્ર કરવામાં આવશે ત્યારે આંકડો હજુ વધી શકે છે તેમ ચૂંટણી પંચે જણાવ્યું હતું.

બિહારમાં 2015ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકો પર 55.35 ટકા મતદાન થયું હતું. બિહારમાં હવે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન 7મી નવેમ્બરે યોજાશે અને 10મી નવેમ્બરે પરિણામ આવશે. બિહાર વિધાનસભાની સાથે મંગળવારે દેશના 10 રાજ્યોમાં 54 વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણીઓ યોજાઈ હતી.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, છત્તિસગઢમાં વિક્રમી 71.99 ટકા, ગુજરાતમાં 58.58 ટકા, હરિયાણામાં 69.43 ટકા, ઝારખંડમાં 62.51 ટકા અને ઓડિશામાં 70 ટકા, કર્ણાટકમાં 77.34 ટકા મતદાન થયું હતું. 

શિવરાજસિંહ ચૌહાણના શાસન માટે અત્યંત મહત્વની એવી મધ્ય પ્રદેશની 28 બેઠકોની પેટા ચૂંટણીઓ પર 66.57 ટકા મતદાન થયું હતું. નાના રાજ્યોમાં નાગાલેન્ડમાં 84.41 જ્યારે તેલંગાણામાં 82 ટકા મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશમાં સાત બેઠકો પર સરેરાશ સૌથી ઓછું 53 ટકા મતદાન નોંધાયું હતું. જોકે, ચૂંટણી પંચે કહ્યું હતું કે, મતદાનના આ આંકડા અંતિમ ગણતરી પછી બદલાઈ પણ શકે છે. 

મધ્ય પ્રદેશમાં 28 બેઠકો, ગુજરાતમાં આઠ, ઉત્તર પ્રદેશમાં સાત, ઓડિશા, નાગાલેન્ડ, કર્ણાટક, ઝારખંડમાં બે-બે અને છત્તિસગઢ, તેલંગાણા અને હરિયાણામાં એક-એક બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાઈ હતી.

મણીપુરની પાંચ વિધાનસભા બેઠક અને બિહારની એક લોકસભા બેઠકની પેટા ચૂંટણી 7મી નવેમ્બરે યોજાશે. મધ્ય પ્રદેશમાં આ પેટા ચૂંટણી શિવરાજસિંહ ચૌહાણ સરકારનું ભાવી નક્કી કરશે, કારણે કે ભાજપે વિધાનસભામાં બહુમતી માટે આઠ બેઠકોની જરૂર છે. 

બિહાર વિધાનસભાની બીજા તબક્કાની 94 બેઠકોમાં રાજદના નેતા અને મહાગઠબંધનના મુખ્યમંત્રીના ઉમેદવાર તેજસ્વી યાદવ સહિત 1,450 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે. મંગળવારે સવારે સુશીલ મોદી, તેજસ્વી યાદવ, રાબડી દેવી સહિત અનેક દિગ્ગજોએ મતદાન કર્યું હતું. કોરોના મહામારીને પગલે આ બેઠકો પર સવારે 7.00 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને સાંજે 6.00 વાગ્યે પૂરૂં થયું હતું.

જોકે, માઓવાદીવાળા વિસ્તારોમાં મતદાન વહેલાં પૂરૂં થઈ ગયું હતું. બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં સૌથી વધુ 59.98 ટકા જ્યારે સૌથી ઓછું પટના જિલ્લામાં 48.24 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કાની 94 બેઠકોમાંથી 46 ઉપર ભાજપ લડી રહ્યો છે. ત્રણ તબક્કામાંથી આ તબક્કામાં ભાજપ પાસે સૌથી વધુ બેઠકો છે. બીજીબાજુ રાજદ 56 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.  

ચૂંટણી સચિવ ઉમેશ સિંહાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે સમગ્ર વિશ્વમાં ભારતમાં સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનમાં પણ મતદારોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મોટાપાયે મતદાન કર્યું હતું. મતદારોનો આત્મવિશ્વાસ વધતાં ત્રીજા અને અંતિમ તબક્કામાં પણ મતદાન ઊંચું રહેવાની સંભાવના છે.

મધ્ય પ્રદેશના નાયબ ચૂંટણી કમિશનર સુદીપ જૈને જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં એન્ક્રોચમેન્ટ ટીમોએ રૂ. 23.42 કરોડના મૂલ્યની જપ્તી કરી છે. તેમણે મોરેનામાં ગોળીબારની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. અહીં એક વ્યક્તિની ધરપકડ પણ કરાઈ હતી. જોકે, મતદાન પર કોઈ અસર પડી નહોતી. ભિંડમાં પણ અજાણ્યા શખ્સોએ હવામાં ગોળીબાર  કર્યો હોવાની ઘટના બની હતી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JyzVbU

જડબેસલાક સુરક્ષા વચ્ચે અમેરિકામાં મતદાન, મતદારોની લાંબી લાઈનો


અમેરિકાના 24 કરોડ મતદારો માટે નિર્ણાયક ઘડી : બન્ને ઉમેદવારોનો વિજયી થવાનો દાવો

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 3 નવેમ્બર, 2020, મંગળવાર

અમેરિકામાં ભારે સુરક્ષા વચ્ચે મંગળવારે મતદાનનો આરંભ થઈ ગયો હતો. કોઈ પ્રકારની ગરબડ ન થાય અને હિંસા ન ફાટી નીકળે એટલા માટે સમગ્ર અમેરિકામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરી દેવાઈ છે.

મતદારોએ પણ ભારે ઉત્સાહ દાખવતા મતબૂથ બહાર લાંબી લાઈનો લગાડી હતી. પહેલેથી દસ કરોડ જેટલા મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપી ચૂક્યા છે. દરમિયાન બન્ને ઉમેદવાર બિડેન અને ટ્રમ્પે પોતે જ જીતશે એવા દાવાઓ વારંવાર કર્યા હતા.

અમેરિકાના મોટા નગરોમાં તોફાનો ફાટી નીકળશે એવા ડરથી મોટા સ્ટોર-મોલ ધારકોએ પોતાની દુકાનો બહાર પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત કરી દીધી છે. બીજા બધા તો ઠીક ખુદ પ્રમુખ ટ્રમ્પ પણ પોતાની તરફેણમા નિર્ણય ન આવે કે નિર્ણય મોડો આવે તો હિંસા થઈ શકે છે એવી આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. આમેય અમેરિકામાં થોડા સમયથી શ્વેત-અશ્વેત હિંસાનો મામલો જરા ઉગ્ર બન્યો છે.

અમેરિકાના કુલ 23.9 કરોડ મતદાતાઓ છે. તેમાંથી સાડા નવ કરોડ મતદારો અર્લી વોટિંગમાં મત આપી ચૂક્યા છે. બાકીના 14 કરોડ મતદારો આજે રસ્તા પર ઉતર્યા હોય  એવું દૃશ્ય સર્જાયું હતું. આ વખતની ચૂંટણી નિર્ણાયક ગણાતી હોવાથી બધા ઉમેદવારોએ મત આપવા અપીલ કરી હતી. એ અપીલ માનીને અમેરિકનો મતબૂથ આગળ ઉમટી પડયા હતા અને લાંબી લાઈનો જોવા મળી હતી.

અમેરિકાના વિવિધ રાજ્યોમાં વિવિધ ટાઈમઝોન હોવાથી મતદાનનો સમય પણ બધા રાજ્યો માટે અલગ અલગ હતો. પૂર્વના રાજ્યો ન્યૂયોર્ક, વર્જિનિયા, ન્યૂજર્સી વગેરમાં સૌથી પહેલા મતદાન આરંભાયું હતું. વિવિધ સર્વેક્ષણોમાં બિડેન અને ટ્રમ્પ બન્ને આગળ હોવાના દાવા થઈ રહ્યા છે. જોકે 2016માં જે સર્વેક્ષણે ટ્રમ્પને વિજેતા ગણાવ્યા હતા સર્વે પ્રમાણે આ વખતે પણ ટ્રમ્પ જ જીતશે.

બિડેન જીતશે તો?

ટ્રમ્પ જીતે તો કોઈ નવાઈ નથી, તેમની પાસેે રહેણાંક-ઓફિસ તરીકે વ્હાઈટ હાઉસ છે. પણ બિડેન વિજેતા થાય તો? તેમણે ખુરશી પર તો છેક જાન્યુઆરી 2021માં બેસવાનું થશે. ત્યાં સુધી ટ્રમ્પ જ પ્રમુખ રહેશે.  પરંતુ એ દરમિયાન અમેરિકી પ્રમુખપદના કાયદા પ્રમાણે બિડેન અને ઉપ પ્રમુખ કમલા હેરિસને ઓફિસ સહિતની જગ્યાઓ ફાળવી દેવામાં આવશે. આ માટે અમેરિકાના જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે તમામ તૈયારી પૂર્ણ કરી લીધી છે.

નવેમ્બરનો પ્રથમ મંગળવાર મતદાનનો અફર દિવસ

અમેરિકામાં છેક 1845થી મતદાન તારીખના આધારે નહીં વાર પ્રમાણે થાય છે. ત્યાં નવેમ્બરના પહેલા મંગળવારે જ મતદાનની પરંપરા છે. એટલે મતદાન માટે તારીખ જાહેર કરવી જ પડતી નથી. આજનું વિકસિત અમેરિકા એક સમયે કૃષિ પ્રધાન રાષ્ટ્ર હતું. મતદારો શનિવાર સુધી કામ કરી રવિવારે મત આપવા રવાના થતાં. ચાલીને જતાં દૂરના મતદારો સોમવાર સુધી મત મથકે પહોંચી ન શકતા. તો બીજી તરફ બુધવારે ખેડૂતો માર્કેટમાં અનાજ આપવા જતા હતા. એટલે બુધવાર કે એ પછીના સપ્તાહના અંત સુધીના કોઈ વાર માફક આવતા ન હતા. છેવટે મંગળવાર ફાઈનલ કરવામાં આવ્યો, જે પરંપરા આજે પણ ચાલુ છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35WKNb0

Monday, November 2, 2020

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો આરંભ

 

અમદાવાદ, તા. 3 નવેમ્બર 2020 મંગળવાર 

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. તમામ બેઠકો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. ધારી, ગઢડા, કરજણ, અબડાસા, ડાંગ, કપરાડા, મોરબી અને લીંબડી બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન આરંભી દેવાયું છે. 

બંને પક્ષોએ આ બેઠકો જીતવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધું છે. ત્યારે ભાજપ કોંગ્રેસના 16 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. કોરોનાકાળમાં પ્રથમવાર મતદાન યોજાયુ હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મતદારોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. એ પહેલા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરીને મતદારોને અંદર જવા દેવામાં આવી રહ્યાં છે.

ગાંધીનગર મુખ્ય નિર્વાચન અધિકારી એસ મુરલી ક્રિષ્નાની સીધી દેખરેખ હેઠળ ચૂંટણી પંચ કાર્યાલયમાં વેબ કાસ્ટિંગ કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં 900 કેમેરાથી સજ્જ મતદાન મથકો ઉપર સીધું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 

મતદાન મથક ઉપર કોઈપણ જાતની ગડબડી થાય સોશિયલ ડિસ્ટન્સનો ભંગ દેખાય તો અહીંથી આદેશ કરવામાં આવશે પરંતુ ગાંધીનગરથી સીધી રીતે ઉચ્ચ કક્ષાના અધિકારીઓના મોનિટરીંગમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 8 બેઠકોની પેટાચૂંટણી પર 8 થી વધુ કોમ્પ્યુટર દ્વારા વેબ કાસ્ટિંગની પળેપળની વિગતો મેળવવામાં આવી રહી છે.

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી મતદાનની સાથે-સાથે

- રાજ્યની 8 વિધાનસભા બેઠકો પર મતદાન

- ધારી, લીંબડી, મોરબી બેઠક પર મતદાન

- અબડાસા, કરજણ, ગઢડા બેઠક પર મતદાન

- ડાંગ, કપરાડા વિધાનસભા બેઠક પર મતદાન

- ગઢડાની એમ.એમ. હાઇસ્કૂલમાં બુથ નંબર 203માં EVM ખોટકાયું, ટેકનિકલ સ્ટાફે હાથ ધરી કામગીરી

- કપરાડા બેઠક પર મતદાન મથક પર મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી

- લીંબડી બેઠક પર સવારથી મતદારો મતદાન કરવા ઉમટયા

- કપરાડા બેઠક પર 45 મત પડ્યા બાદ EVM મશીન ખોટકાયું

ગુજરાતમાં પ્રથમ વખત કોવિડના નિયમો હેઠળ મતદાન થઇ રહ્યું છે. મતદાન પહેલા તમામ મતદાન કેન્દ્રો સેનેટાઇઝ કરવામાં આવ્યા છે.  સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ચૂંટણી સ્ટાફ માટે 41 હજાર N95 માસ્ક, 82 હજાર ડિસ્પોઝેબલ માસ્ક અને 41 હજાર ફેસશીલ્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. 

કોરોનાને લઈને 3400 થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે મતદારો માટે 21 લાખ ગ્લવ્ઝ ચૂંટણી આયોગને સોંપ્યા છે. માસ્ક ન પહેરીને આવનારા લોકો માટે પોલીસને 3 લાખ માસ્કનું વિતરણ કરાયું છે. કોરોના સંક્રમિત અથવા શંકાસ્પદ મતદારો માટે 8 હજાર PPE કિટ પણ આયોગે ઉપલબ્ધ કરાવી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jNw2fr

એપલ, ફેસબૂક, એમેઝોન, માઈક્રોસોફ્ટ, ગૂગલનો નફો બાવન અબજ ડૉલર

મહાસત્તાનો મહારથી કોણ ? અમેરિકામાં આજે મતદાન


મતદાનની સાંજે જ પરિણામ જાહેર નહીં થાય તો કોર્ટમાં જવું પડશે : ટ્રમ્પ

(પીટીઆઈ) વૉશિંગ્ટન, તા. 2 નવેમ્બર, 2020, સોમવાર

મંગળવાર, 3 નવેમ્બરના દિવસે અમેરિકામાં મતદાન થનાર છે. અમેરિકાના આગામી મહારથી ટ્રમ્પ કે બિડેન એ મતદાન દરમિયાન નક્કી થશે. જોકે પહેલેથી જ 9.3 કરોડ મતદારોએ અર્લી વોટિંગ સ્કીમ હેઠળ પોસ્ટલ મતદાન કરી દીધું છે. 3જી નવેમ્બરે મુખ્ય મતદાન થશે. પોસ્ટલ બેલેટને કારણે ચૂંટણી પરિણામ આવતા વાર લાગી શકે છે.

સામાન્ય રીતે મંગળવારે મતદાન થાય અને તે જ દિવસેે સાંજે વિજેતા કોણ તેનો અંદેશો મળી જતો હોય છે. ટ્રમ્પે કહ્યું હતું કે મત ગણવામાં વાર લાગવાથી ગરબડ થવાની શક્યતા છે. પરિણામ આવતા જો અસાધારણ હદે મોડું થશે તો પછી મારા વકીલો તૈયાર જ છે અને એ સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવશે.

બિડેને વધુ એક ચૂંટણી વચન આપતા કહ્યુ હતુ કે જો હું પ્રમુખ બનીશ તો પહેલા જ દિવસે કોરોના કાબુમાં લેવા માટે એક્શન પ્લાન રજૂ કરીશ. કોરોના કાબુમાં લેવા માટે ટ્રમ્પે કોઈ પ્લાન જાહેર કરવાની વાત તો દૂર રહી ડોક્ટરોની સૂચના પણ માની નથી.

એટલે ટ્રમ્પ અને તેમની જ સરકારના ચેપી રોગ નિષ્ણાત ડો.ફૌસીના વિધાનો સતત અલગ અલગ જોવા મળે છે. હવે ટ્રમ્પે કહ્યું છે કે પરિણામ આવ્યા પછી પહેલું કામ ફૌસીને કાઢી મુકવાનું કરીશ. કેમ કે ફૌસીએ વારંવાર ટ્રમ્પની કોરોના અંગે બેદરકારીની ટીકા કરી છે.

ભારતીયો સહિત 1100થી વધારે એશિયનોએે બિડેન-હેરિસની જોડીને પ્રમુખ-ઉપ પ્રમુખ તરીકે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. અમેરિકી ચૂંટણીમાં એશિયનોના મતો મહત્ત્વના છે.

આ સમર્થકોમાં કેટલાક ગુજરાતી નામો પણ છે. બિડેને પોતાને ફંડ આપનારા 800 મોટા વ્યક્તિના નામો જાહેર કર્યા હતા, જેમાં પણ ઘણા ભારતીયો છે. જોકે એ બધી સ્થિતિ વચ્ચે અમેરિકામાં અત્યારે ટ્રમ્પ આગળ હોવાનું મનાય છે. 

અમેરિકામાં અશ્વેત મતો પણ બિડેનને સમર્થન આપે એવી શક્યતા છે. બન્ને નેતાઓ પોતપોતાની રીતે મતોને અંકે કરવા પ્રયાસ કરી રહ્યા છે. જો કટોકટ પરિણામ આવે તો પછી કાનૂની જંગની શક્યતા રહે છે.

માટે કમલા હેરિસે મતદારોને અપીલ કરી હતી કે મતદાન નિર્ણાયક રીતે કરજો. જેથી એક જ ધડાકે ફેંસલો થઈ શકે. તો વળી ટ્રમ્પે પોતાની વિવિધ રેલીઓમાં ચીનને દુશ્મન ગણાવી પોતે સત્તામાં આવશે પછી ચીનને પાઠ ભણાવશે એવો વાયદો કર્યો હતો. 

ટ્રમ્પે કહ્યું હતું કે જેટલું પરિણામ આવતા મોડું થશે એટલી ગરબડ થવાની શક્યતા વધારે છે. સામાન્ય રીતે મતદાનના બીજા દિવસે જ પરિણામ જાહેર થઈ જતું હોય છે. 2016ની ચૂંટણી વખતે સરળતાથી મતદાન થયું હતું અને સાંજ પડતા સુધીમાં જ મતદાનની તારીખ 8મી નવેમ્બરે ટ્રમ્પ જીતે છે એ સ્પષ્ટ થઈ ગયું હતું. 

હોર્ન વગાડીને સમર્થન

આ વખતે મતદારો પોતાનું સમર્થન કે આનંદ હોર્ન વગાડીને જાહેર કરી રહ્યા છે. કોરોનાને કારણે ઘણી રેલીઓમાં મતદાતાઓ કારમાં જ બેસીને રેલી સાંભળતા હોય છે. એ વખતે જ્યારે તેમને તાળી પાડવાનું કે ચીચીયારી પાડવાનું મન થાય ત્યારે હોર્ન વગાડેે છે. કેમ કે બિડેન અને હેરિસે કોરોનાકાળમાં સાવધાની માટે હોર્ન વગાડવા અપીલ કરી હતી. 

ઈડલી-સાંભર, ટીક્કા ફેવરિટ ફૂડ :  હેરિસ

મતદારોને લલચાવવા આખા જગતમાં નેતાઓ પોશાકથી માંડીને ખોરાક સુધીનો રસ્તો અપનાવતા હોય છે. ભારતિય મૂળના ઉપ-પ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસે પણ એ રસ્તો અપનાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈડલી-સાંભાર અને ટીક્કા મારો ફેવરિટ ખોરાક છે. મોટી સંખ્યામાં ભારતીયો અમેરિકી ચૂંટણીમાં મતદાન કરવાના છે. એટલે જ્યારે ફેવરિટ ઈન્ડિયન ખોરાક અંગે પૂછવામાં આવ્યું ત્યારે હેરિસે સાઉથ ઈન્ડિયનમાં ઈડલી-સંભાર, નોર્થ ઈન્ડિયનમાં ટીક્કાનું નામ આપ્યું હતું.

ગણતરીમાં વાર લાગશે 

કોરોનાથી સાવધાન રહેવા કરોડો મતદારોએ રૂબરૂ જવાને બદલે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી દીધું છે. કરોડો મતને અલગ કરવા, ચેપ ન લાગે એ પ્રકારે સાફ કરવા, કવર ખોલવા અને પછી ગણતરી કરવી.. એ બહુ જ લાંબી પ્રક્રિયા છે.  અમેરિકામાં અગાઉ ક્યારેય આટલી મોટી સંખ્યામાં પોસ્ટલ મતદાન થયું નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Jq2UOR