Ad

Thursday, May 7, 2020

મનોચિકિત્સકોનો સરકારને પત્ર, લૉકડાઉનથી લોકો થાક્યા છે, માનસિક સ્થિતિ બગડી શકે છે, વ્યસનમુક્તિ કેન્દ્ર એક્ટિવ કરવાની તાતી જરૂર

લૉકડાઉનમાં ગુજરાતીઓનું માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે દરેક જિલ્લામાં કાઉન્સેલિંગ સેન્ટરો ઊભા કરાયા છે ત્યારે ગુજરાત સાઇકોલોજિકલ ઇન્ટરવેન્શન હેલ્પલાઇન ટુ પ્રિવેન્ટ કોવિડ-19ના સાત અધ્યાપકે મુખ્યમંત્રીને લૉકડાઉન સિવાયની કોઇ વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચાર‌વા લેખિત રજૂઆત કરી છે. જેમાં કોરોના મહામારીના કેસ ન હોય તેવા વિસ્તારોમાં પાબંદી ઓછી કરી છૂટછાટ આપવી જોઇએ તેમજ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં કોઇ કેસ જ નથી ત્યાં સંપૂર્ણપણે બંધ ખોલી દેવા જોઇએ.

10થી વધુ હેલ્પલાઇન નંબર ચાલુ
મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડો.યોગેશ જોગસણે જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌપ્રથમ કાઉન્સેલિંગ સેન્ટર રાજકોટની કલેક્ટર કચેરીમાં 26મી માર્ચે શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 150 અધ્યાપક અને પ્રોફેશનલ્સ સાઇકોલોજિસ્ટ ગ્રૂપ દ્વારા ગુજરાતભરમાં સરકારી, અર્ધસરકારી અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને 10થી વધુ માનસિકસ્વાસ્થ્ય હેલ્પલાઇન્સ શરૂ કરી છે. જીપીઆઇએસ દ્વારા અત્યાર સુધીમાં રાજકોટના 15000 સહિત 45000થી વધુ લોકોના કાઉન્સેલિંગ કરી ચૂકવામાં આવ્યા છે અને અત્યાર સુધીના અભ્યાસમાં લૉકડાઉન સંદર્ભે પાંચ બાબત અતિ ગંભીર જણાઇ છે. જે બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.

મનોચિકિત્સકોએ દર્શાવેલી અન્ય ચાર ગંભીર બાબતો અને તેના ઉકેલ
1. વ્યસન મનોશારીરિક બીમારી છે જેની સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે તે સત્ય છે પણ વ્યસન ન મળવાથી માનસિક અને શારીરિક અસરો ખૂબ જ ભયાનક હોય છે ત્યારે આવા સમયે વ્યસન મુક્તિ કેન્દ્રનો રોલ ખૂબ જ મહત્ત્વનો હોય છે એટલે વ્યસન મુક્તિ કેન્દ્રને વધુ સારી રીતે એક્ટિવ કરવા જોઇએ.
2. સરકાર પર હજુ લોકોને ભરોસો છે ત્યાં સુધીમાં છૂટછાટ આપવી જરૂરી. બંધન માનસિક સ્થિતિને બગાડી શકે છે. આ રજૂઆત લાખો લોકો પર એકાએક કર્ફ્યૂ લાદવા જેવા નિર્ણયોના અનુસંધાને કરાઇ છે. હકીકતમાં કર્ફ્યૂ જેવા નિર્ણય લેતા પહેલા લાખો લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરી શકે તે માટેનો સમય આપવો જોઇએ.
3. 1100 હેલ્પલાઇન ઇન્કમિંગ સર્વિસ છે. તે સિવાય આઉટ ગોઇંગ કોલ્સ કરી લોકોને માનસિક સધિયારો પૂરો પાડે તેવી વ્યવસ્થા હિતાવહ છે. આથી નવી હેલ્પલાઇનો શરૂ કરવી જોઇએ.
4. મોટાપ્રમાણમાં મનોવૈજ્ઞાનિકોને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે રાખીને આ મહામારી સામે લડવું જોઇએ.જેથી માનસિક રીતે અસ્વસ્થ થતા વધુમાં વધુ લોકોને માનસિક સધિયારો પૂરો પાડી શકાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/3cgw1hb

No comments:

Post a Comment