Ad

Saturday, May 30, 2020

23મી માર્ચે લગ્ન, 25મીએ લૉકડાઉન, જાન 52 દિવસ સુધી ફસાઈ, પછી ક્વોરન્ટીન કરી, 71 દિવસ પછી ગૃહપ્રવેશ

હિમાચલપ્રદેશના ઉના જિલ્લાના સુનીલકુમાર જાન લઈને કોલકાતા ગયા હતા. ધૂમધામથી લગ્ન થયાં, પરંતુ તેમને ખબર ન હતી કે લગ્ન થતાં જ કોરોના વાઈરસ તેમની જિંદગીને 71 દિવસ માટે લૉક કરી દેશે. સુનીલકુમાર 20મી માર્ચે 18 જાનૈયાને લઈને ટ્રેનમાં કોલકાતા ગયા હતા. 23મી માર્ચે બંગાળી રીતરિવાજથી સુનીલ, સુનિપ્તાના લગ્નનાં બંધનમાં બંધાયાં. 25મી માર્ચે રિટર્ન ટ્રેન હતી, એ જ દિવસે લૉકડાઉન જાહેર થયું. પછી સમગ્ર જાન કોલકાતાથી કાશીપુરમાં જ છોકરીવાળાને ત્યાં ફસાઈ ગઈ. આ સ્થિતિમાં પાછું આવવું મુશ્કેલ હતું કારણ કે, તમામ વાહનવ્યવહાર સેવા બંધ હતી. આ સ્થિતિમાં મૂંઝાઈ ગયેલા જાનૈયા જિલ્લા તંત્ર અને રાજ્ય સરકારને વિનંતી કરતા રહ્યા. જોકે, તેમનું ઘરે જવું શક્ય ના બન્યું. લગ્નનાં કપડાંમાં ઠાઠમાઠથી ગયેલા જાનૈયાઓએ એક રૂમમાં રહેવું પડ્યું. છોકરીવાળાના ઘરે રાશન પણ ખતમ થઈ ગયું. છેવટે ઉના જિલ્લા તંત્રે અને હિમાચલ સરકારના કાને વાત પહોંચી અને ભોજન-પાણીની વ્યવસ્થા થઈ.

તમામ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લીપ આપી
આ દરમિયાન રાહતના સમાચાર આવ્યા કે સોલનમાં એક બસ કોલકાતાથી આવી છે. એટલે જાનૈયાએ જિલ્લા તંત્રનો સંપર્ક કર્યો અને તેમણે પણ ફસાયેલા લોકો માટે દયાભાવ દાખવ્યો. આમ, તંત્રના સહકારથી જાન દુલ્હનને લઈને 12મી મેએ વિદાય થઈ. 16મી મેએ બસ હિમાચલ સરહદે પહોંચી. ત્યાં નિયમ પ્રમાણે તમામને ઈન્સ્ટિટ્યુશનલ ક્વૉરેન્ટાઈનમાં મોકલાયા અને તમામના સેમ્પલ પણ લેવાયાં. વરરાજા અને દુલ્હનની હજુ એક પરીક્ષા થવાની હતી. 23મી મેએ વરરાજાનો ભાઈ કોરોના પોઝિટિવ આવ્યો. છેવટે જાનૈયાની ઘરવાપસી અટકી. વરરાજાના ભાઈને કોવિડ સેન્ટમાં દાખલ કરાયો. 28મી મેએ ફરી તેનો રિપોર્ટ કર્યો, જે નેગેટિવ આવ્યો. ત્યારે તમામને ઘરે જવાની મંજૂરી અપાઈ. સ્થાનિક અધિકારીઓએ જાનૈયાને ડિસ્ચાર્જ સ્લિપ આપીને વિદાય કર્યા. 29મી મેએ નવદંપતી સુનીલ અને સુનિપ્તા ઘરે પહોંચ્યાં. આ રીતે 71 દિવસ પછી દુલ્હનનો ગૃહપ્રવેશ થયો.

દુનિયાના સંભવત: પહેલા લગ્ન, જેમાં જાન 52 દિવસ રોકાઈ
આજકાલ લગ્નો એક દિવસમાં જ પૂરાં કરી દેવાય છે. જૂના સમયમાં લગ્નો ચાર-પાંચ કે એક અઠવાડિયું ચાલતા. પરંતુ ઉના જિલ્લાના પરોઈઆ ગામમાં થયેલાં લગ્ન દેશમાં જ નહીં, સંભવત: દુનિયાનાં પહેલાં એવાં લગ્ન હતાં જ્યાં જાન દુલ્હનના ઘરે 52 દિવસ સુધી રોકાઈ હતી. આ દંપતીએ કહ્યું કે અમને ઘણી મુશ્કેલીઓ પડી, પરંતુ બધાનું જીવન બચાવવા માટે એ જરૂરી હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Married on 23rd March, Lockdown on 25th, Jan trapped for 52 days, then quarantined, 71 days later


from Divya Bhaskar https://ift.tt/36Lk8hi

No comments:

Post a Comment