
રાજસ્થાન સરકાર દ્વારા ગુજરાતમાંથી આવતા લોકો માટે ગુજરાત સાથેની સરહદો સીલ કરીને કોઇપણને પ્રવેશ નહીં આપવા કરાયેલા નિર્ણયના પગલે ગુજરાત સરકારે રાજસ્થાન જવા માંગતા કોઇપણ વ્યક્તિને ગુજરાતમાંથી પાસ ઇશ્યુ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તમામ જિલ્લા કલેક્ટરોને રાજસ્થાન જવા માટેના પાસ ઇશ્યુ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.લોકડાઉનના ત્રીજા તબક્કામાં પરપ્રાંતિયો, વિદ્યાર્થીઓ, શ્રમિકોને પોતાના વતનમાં જવા માટે તેમજ મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટેની મંજૂરી આપવામાં આવે છે. ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના લોકોને તેમના વતનમાં જવા માટે પાસ ઇશ્યુ કરવામાં આવે છે તેમજ શ્રમિકો માટે ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
પાસ ઇશ્યૂ કરવાના બંધ કર્યાં
બીજીતરફ રાજસ્થાન સરકારે ગુજરાતમાંથી આવતા લોકો માટે બોર્ડર સીલ કરી દેતા સરકારે હવે રાજસ્થાન પુરતા પાસ ઇશ્યુ કરવાના બંધ કરી દીધા છે. સરકારે એવો નિર્ણય કર્યો છે કે ગુજરાતમાંથી જે લોકો રાજસ્થાન જવા ઇચ્છતા હશે તેમણે પહેલા રાજસ્થાન સરકાર પાસેથી મંજૂરી લેવાની રહેશે. રાજસ્થાન સરકારની મંજૂરી હશે તો જ તેના આધારે જિલ્લા કલેક્ટર દ્વારા તેમને ગુજરાતમાંથી રાજસ્થાનમાં જવાનો પાસ ઇશ્યુ કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35GKYGK
No comments:
Post a Comment