
રેલવેના વેન્ડરોએ હાલ પ્લેટફોર્મ પર ખાણી-પીણીની દુકાનો ખોલવાથી ઈનકાર કરી દીધો છે. વેન્ડરોએ ગુરુવારે અધિકારીઓને આગ્રહ કર્યો હતો કે તેમના પર દુકાનો ખોલવા માટે દબાણ ન બનાવો. 25 માર્ચે લૉકડાઉન બાદથી તેમની દુકાનો બંધ છે. જોકે રેલવે બોર્ડે 21 મેના રોજ તમામ ઝોનમાં પ્લેટફોર્મ પર ખાણી-પીણીની દુકાનો તાત્કાલિક ધોરણે શરૂ કરવાનો આદેશ કર્યો હતો.
1 જૂનથી 100 જોડી મુસાફર ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ
અખિલ ભારતીય રેલવે ખાન-પાન લાઈસન્સ વેલફેર એસોસિયેશનના અધ્યક્ષ રવીન્દ્ર ગુપ્તાએ રેલવે બોર્ડને મોકલેલા પત્રમાં કહ્યું હતું કે હાલ પ્રવાસી મજૂરોને લઈ જતી શ્રમિક એક્સપ્રેસ ટ્રેનો સતત પસાર થઈ રહી છે. આ મજૂરો દુકાનોમાં લૂંટફાટ કરી નુકસાન પહોંચાડી રહ્યા છે. તેની જવાબદારી કોણ લેશે? 1 જૂનથી 100 જોડી મુસાફર ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Adxve1
No comments:
Post a Comment