Ad

Thursday, May 7, 2020

જૂન-જુલાઈમાં કોરોના ચરમસીમાએ પહોંચી શકે છે : ડૉ. રણદીપ ગુલેરિયા

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે જૂન-જુલાઈ મહિનામાં કોરોનાના કેસો તેની ચરમસીમાએ હશે. તેમણે એમ પણ કહ્યું કે લૉકડાઉનનો ફાયદો મળ્યો છે અને લૉકડાઉનમાં બીજા દેશની સરખામણીમાં ભારતમાં ઓછા કેસ વધ્યા છે. પરંતુ જો લૉકડાઉનનું પાલન કડકાઈથી કરાવ્યું હોત તો કેસની સંખ્યામાં હજી પણ ઘટાડો જોવા મળત. હોસ્પિટલોએ લૉકડાઉનમાં પોતાની તૈયારી કરી લીધી છે. ડોક્ટરોને તાલીમ આપવામાં આવી છે. પીપીઈ કીટ, વેન્ટિલેટર અને જરૂરી મેડીકલ સાધનોની વ્યવસ્થા કરાઈ. કોરોનાની તપાસ વધી છે. નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. તેમાં મુખ્યમંત્રીએ એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાને અમદાવાદમાં કોરોનાની વણસતી જતી સ્થિતિનું આકલન કરવા માટે વિનંતી કરી છે.

જૂન પછી કેસમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે
ગુલેરિયા કહ્યું કે જે રીતે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, કોરોનાના કેસ જૂનમાં પીક ઉપર હશે. ક્યા સુધી કોરોનાના કેસ આવશે? કેટલું લાંબુ ચાલશે? તે અત્યારથી ન કહી શકાય. પરંતુ એ વાત નક્કી છે કે પીક ઉપર કોઈ વસ્તુ હોય તો તે ત્યાંથી ઘટાડો થવાની શરૂઆત પણ થાય છે. હવે આશા એજ કરીએ કે જૂનમાં પીક પર હશે, ત્યાર પછી કેસમાં ધીમે ધીમે ઘટાડો શરૂ થશે.ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 53 હજાર 491થી વધારે કેસ નોંધાયા છે, જ્યારે 1790 લોકોએ જીવ ગુમાવ્યા છે. 15 હજાર 393 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. હાલ 35 હજાર 989 એક્ટિવ કેસ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2L8T0yP

No comments:

Post a Comment