
કોરોના સંકટના આ વિકટ સમયમાં આરોગ્ય સંબંધિત વ્યવસ્થા કરી રહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના 34 સભ્યના એક્ઝિક્યુટીવ બોર્ડના હવે પછીના ચેરમેન હશે. અધિકારીઓએ કહ્યું કે હર્ષવર્ધન 22 મેથી તેમનો કાર્યભાર સંભાળી શકે છે. તેઓ જાપાનના ડો.હિરોકી નકતાનીનું સ્થાન લેશે.
194 દેશના વિશ્વ આરોગ્ય સંસ્થામાં મંગળવારે ભારત તરફથી રજૂ કરવામાં આવેલા હર્ષવર્ધનના નામની પસંદગી થઈ હતી. આ અગાઉ WHOના સાઉથ-ઈસ્ટ એશિયા ગ્રુપે ત્રણ વર્ષ માટે ભારતને જવાબદારી સોંપવા પર સહમતી થઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZizND3
No comments:
Post a Comment