
કોરોના મહામારી સામાન્ય ન થાય ત્યાં સુધી બોર્ડ રિચેકિંગ કે કોપી કેસની પ્રક્રિયા માટે કોઇ વિદ્યાર્થીઓને ગાંધીનગર બોર્ડની ઓફિસે બોલાવશે નહીં. હાલ પુરતી આ તમામ વ્યવસ્થા સ્થગિત કરાઇ છે. આવનારા સમયમાં ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.10ના જાહેર થનારા પરિણામમાં પણ આ નીતિનો અમલ કરાશે.
વિદ્યાર્થીઓ અને વાલીઓને દોડાદોડી ન રહે
દર વર્ષે પરીણામ જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓને પોતાના પરિણામથી સંતોષ ન હોય તેઓ રિચેકિંગ કરાવી શખતા હતા. જેથી તેઓ વિષય પ્રમાણે નક્કી કરેલી ફી ભરીને પોતાનું પેપર જોઇ શકતા હતા.
પરંતુ આ વર્ષે 12 સાયન્સમાં તો રિ ચેકિંગની પ્રક્રીયા વિદ્યાર્થી પછી કરાવી શકશે તેવું જણાવાયું હતું. બોર્ડના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ જ નિયમ ધો.10 અને 12 સામાન્ય પ્રવાહમાં પણ લાગુ કરાશે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને દોડાદોડી ન રહે. મોટેભાગે બાળકોની સાથે તેમના વાલી પણ ગાંધીનગર આવતા હોય છે તેથી કોરોના મહામારીના સમયમાં તેઓને મુશ્કેલી ઉભી ન થાય તે માટે બોર્ડે વ્યવસ્થા કરી છે.
ધો.10,12નું પરિણામ જૂનમાં આવવા સંભાવના
ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.10નું પરિણામ જુન મહિનામાં જાહેર થાય તેવી શક્યતા છે. કારણ કે અત્યારે બોર્ડમાં ચેકિંગ થઇને આવેલા પેપરના ગુણનું ફાઇનલ ચેકિંગ અને માર્કશીટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.
શિક્ષકોને પેપર ઘરે ચેક કરવા અપાયા
શિક્ષકો એક સ્થળે ભેગા થાય અને પેપર ચેકિંગ દરમિયાન કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે સીબીએસઇએ બોર્ડના પેપર દરેક શિક્ષકોના ઘરે પહોંચાડ્યા હતા. શિક્ષકો ઘરે બેસીને જ પેપર ચેક કરી રહ્યાં છે. આ માટે દરેક કેન્દ્રો દ્વારા જવાબ પેપર શિક્ષકોના ઘરે પહોંચે તેની વ્યવસ્થા કરાઇ હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શહેરમાં પણ સીબીએસઇએ બોર્ડના પેપર ચેક કરવા માટેનું કેન્દ્ર ફાળવ્યું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cOe9uv
No comments:
Post a Comment