
મુંબઇના વસઇ રોડ સ્ટેશનેથી યુપીના ગોરખપુર માટે રવાના થયેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેન શનિવારે ઓડિશાના રુરકેલા પહોંચી જતાં મુસાફરોને એમ લાગ્યું કે ટ્રેન રસ્તો ભૂલી ગઇ. 21 મેએ રવાના થયેલી આ ટ્રેન કલ્યાણ, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, નૈની, દીનદયાળ ઉપાધ્યાય જંક્શન થઇને ગોરખપુર પહોંચવાની હતી.સમગ્ર મામલે પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે કહ્યું કે ટ્રેનના રુટમાં ભારે ટ્રાફિક હોવાના કારણે રૂટ બદલવો પડ્યો.
સામાન્ય દિવસોમાં તો રોજની 11 હજારથી વધુ ટ્રેનો દોડતી હોય છે
ટ્રેન બિલાસપુર, ઝારસુગુડા, રુરકેલા, આદ્રા અને આસનસોલના રસ્તે રવાના કરાઇ હતી. રેલવેનું કહેવું છે કે ઇટારસી-જબલપુર-પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર રુટ પર મોટી સંખ્યામાં શ્રમિક સ્પેશિયલ ટ્રેનો દોડી રહી હોવાથી ભારે ટ્રાફિકના કારણે પશ્ચિમ રેલવેએ વસઇ રોડ, સુરત, વલસાડ, અંકલેશ્વર, કોંકણ રેલવે અને સેન્ટ્રલ રેલવેનાં અમુક સ્ટેશનો પરથી દોડતી ટ્રેનો હાલ બિલાસપુર-ઝારસુગુડા-રુરકેલાના રૂટ પર દોડાવવાનું નક્કી કર્યું છે. જોકે, જાણકારોનું કહેવું છે કે સામાન્ય દિવસોમાં તો રોજની 11 હજારથી વધુ ટ્રેનો દોડતી હોય છે.
આ સ્ટેશનો પર થઇને ટ્રેન ગોરખપુર પહોંચશે
વસઇ રોડ-ગોરખપુર શ્રમિક સ્પેશિયલ ટ્રેન રુટ બદલાતાં ઉધના, સુરત, વલસાડ, અંકલેશ્વર, બિલાસપુર, ચાંપા, ઝારસુગુડા થઇને શનિવારે સવારે રુરકેલા પહોંચી. અહીંથી તે આદ્રા, આસનસોલ, જસીડીહ, ઝાઝા, ક્યૂલ, બરૌની, સોનપુર, છપરા અને સીવાન થઇને ગોરખપુર પહોંચશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eaHRKr
No comments:
Post a Comment