
ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ વેડી મોગલના જણાવ્યા અનુસાર ભલે લૉકડાઉન ખૂલવાના સંજોગો સર્જાઈ રહ્યા હોય અને બાળકો પણ અનેક પ્રવૃત્તિનું પ્લાનિંગ કરતા હોય, પરંતુ પરિવારજનોએ તેમને કહેવું પડે છે કે, હવે તેઓ મોજશોખનો ખર્ચ ઉઠાવી નહીં શકે. પરિવારજનો ભોજન માટે પૂરતા પૈસા હોવાની વાત કરીને તેમને સાંત્વના આપી શકે છે, પરંતુ બાળકોના આંખ-કાન ઘણાં તેજ હોય છે. જો નોકરી જવાની સ્થિતિ હોય તો તેમના સવાલો અને નજરનો કેવી રીતે સામનો કરશો:
પોતાની ચિંતા પર ધ્યાન આપો
ગ્રાહક કેન્દ્રિત અર્થતંત્ર અને સેલ્ફ બ્રાન્ડિંગના યુગમાં પોતાના બજેટને વધારવું અને ‘શું જરૂરી છે’ તેનાથી ‘આપણે શું ઈચ્છીએ છીએ’ એ જુદું કરવું અઘરું છે. નક્કી કરો કે, આ ખરાબ સંજોગોમાં પણ તમે સતર્ક સ્વજન બન્યા રહો. બાળકોને આશ્વાસન આપો કે, બદતર સ્થિતિમાં પણ તમારી પાસે એટલા પૈસા હશે કે, તમે બિલ ચૂકવી શકો છો, ભોજન ખરીદી શકો છો. જો તમે કંઈ નવું કરવા જઈ રહ્યા છો કે બેકારીના લાભ મેળવી રહ્યા છો, તો તે પણ જણાવો. તેનાથી તેમને તમારા સંસાધનો અને યોજનાઓ વિશે માહિતી મળશે. તેમના સવાલો ધ્યાનથી સાંભળો.
કડવું સત્ય જણાવવું કે નહીં
બાળકો સાથે વાત કરતી વખતે ધ્યાનમાં રાખો કે, તેમને શું અને કેટલું કહેવાનું છે. આ વાત તેના પર નિર્ભર કરે છે કે, બાળકની ઉંમર શું છે અને નકારાત્મક બાબત સાંભળવાની તેમની ક્ષમતા કેટલી છે. બાળકોને નવા આર્થિક પરિદૃશ્યમાં સામંજસ્ય બેસાડવાનું શીખવીને પણ સત્ય જણાવી શકો છો. નાના બાળકો એ વિચારી શકે છે કે, મોટા લોકો સાથે કંઈ ખરાબ થયું છે, તો અમારી સાથે પણ થશે. ખરાબ સપનાં આવી શકે છે. કિશોરો એ જાણવા ઉત્સુક હશે કે, શું આપણે ડિનર પર જઈ શકીએ? હું પહેલાની સ્કૂલમાં જઈ શકીશ? આપણે બેઘર થઈ જઈશું? તેમને જણાવો કે, પહેલા જેવું શું રહેશે અને શું બદલાશે. તેમને પરિવર્તનો વિશે જણાવો.
આગળનું વિચારો
બાળકોને સમજાવો કે, અર્થતંત્ર ગતિ પકડતા જ સ્થિતિ બદલાશે. નવી નોકરી મળી શકે છે. તમારા સંજોગો બદલાઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YOZVFB
No comments:
Post a Comment