
પોરબંદરના ખારવા સમાજ તેમજ કોંગ્રેસના અગ્રણી પ્રવિણભાઇ બરીદુનને 4 મેએ કેન્સર હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ કોરોનાના ટેસ્ટનું કહી તેમને સિવિલની કોવિડ હોસ્પિટલના ICUમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલ તંત્રનો દાવો છે કે, તેમનું ગત 8 મેએ કોવિડના આઇસીયુમાં કેન્સરની બીમારીથી થયું હતું, તેમજ હોસ્પિટલ સ્ટાફે સગાંને શોધવાની સાથે મોબાઇલ નંબર પર ત્રણ દિવસ સુધી ફોન કર્યા હતા, બુધવારે સવારે દર્દીના સગા હોસ્પિટલ આવતાં તેમને મૃતદેહ સોંપાયો છે.
પરિવારનો સંપર્ક ન થઈ શકતા તેમનો મૃતદેહ કોલ્ડરૂમમાં રખાયો:જયંતી રવિ
આ અંગે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ સિવિલ હોસ્પિટલ પર આક્ષેપો કર્યા હતા. જ્યારે આરોગ્ય વિભાગના સચિવ જયંતી રવિએ કહ્યું હતું કે, તેમનું મોત થતા તેમના પરિવારનો સંપર્ક ન થઈ શકતા તેમનો મૃતદેહ કોલ્ડરૂમમાં રખાયો હતો.
કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હતો
સિવિલ હોસ્પિટલના સીઓડી ડો. એમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, પ્રવિણભાઇ કોવીડ હોસ્પિટલના ઓ-3 આઇસીયુમાં દાખલ હતા, જયાં 8 મેએ તેમનું મૃત્યુ થયું હતું. તેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જેથી કેન્સરથી મૃત્યુ થયાની શક્યતા છે. બુધવારે સવારે દર્દીના સગા આવતાં તેમને મૃતદહે સોંપવામાં આવ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LoCL0z
No comments:
Post a Comment