
દેશભરમાં પરપ્રાંતીય મજૂરો પગપાળા રસ્તા પર ચાલી રહ્યા છે એ મામલામાં સુપ્રીમકોર્ટે દખલગીરી કરવાનો ઈનકાર કરી દીધો છે. આ દરમિયાન અરજદારે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 16 શ્રમિકો પાટા પર મૃત્યુ પામ્યા એ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સુપ્રીમકોર્ટે કહ્યું કે તેઓ રાતે પોતે જ પાટા પર જઈને સૂઈ ગયા હતા, તો તેમને કેવી રીતે રોકી શકાય? દેશભરમાં પરપ્રાંતીય શ્રમિકોને જતા રોકવા અને તેમની દેખરેખ રાખવી કોર્ટ માટે શક્ય નથી. આ મામલામાં યોગ્ય કાર્યવાહી સરકાર જ કરશે.
અરજદારના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, સંજય કિશન કૌલ અને બી.આર. ગવઈની ખંડપીઠ સમક્ષ કહ્યું કે કેન્દ્રના દાવાથી વિપરીત મજૂરો સતત રસ્તા પર ચાલી રહ્યા છે.
પરપ્રાંતીય મજૂરો પણ તેમનો વારો આવવાની રાહ નથી જોતા
ઔરંગાબાદમાં પાટા પર સૂઈ ગયેલા 16 મજૂરનાં ટ્રેન નીચે આવી જવાથી મૃત્યુ થયાં. મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ અકસ્માતોમાં મજૂરો માર્યા ગયા. આ મુદ્દે જસ્ટિસ કૌલે કેન્દ્રને પૂછ્યું કે શું રાજ્ય સરકારો મજૂરોને સુવિધા આપી રહી છે? શું મજૂરોને ચાલતા રોકી ના શકાય? તેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે રાજ્ય સરકારો ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી રહી છે, પરંતુ બધાને એકસાથે મોકલી ના શકીએ. પરપ્રાંતીય મજૂરો પણ તેમનો વારો આવવાની રાહ નથી જોતા. તેઓ ઝડપથી ગામ પહોંચી જવા પગપાળા નીકળી પડે છે. આ સ્થિતિમાં અમે શું કરી શકીએ? સરકારો તેમને ચાલતા નહીં નીકળવાનો ફક્ત આગ્રહ કરી શકે, બળપ્રયોગ ના કરી શકે. બાદમાં કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળીને અરજી ફગાવી દીધી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36faPpT
No comments:
Post a Comment