
કોરોનાના કેર વચ્ચે લૉકડાઉનના 50થી વધારે દિવસો વીતી ગયા છે. લૉકડાઉનની સારી અસર નદીઓના પાણી પર પણ થઈ છે. નદીઓના પાણીનું આરોગ્ય સુધર્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાજ્યની વિવિધ નદીઓના પાણીના નમૂનાઓની ચકાસણી કરી લૉકડાઉનમાં કેવા ફેરફાર થયા એ પરિણામ જાહેર કરાયા છે. ૭૦ સ્થળોના પાણીની તપાસ બાદ તારણ નીકળ્યું છે કે પાણીની ગુણવત્તામાં સુધારો થયો છે. અમદાવાદમાં વહેતી સાબરમતીનું પાણી અમુક સ્થળોએ પીવાલાયક ની કેટેગરીમાં આવી ગયું છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આસોદ પાસે પાણી પીવાલાયક
આ રિપોર્ટ માટે બોર્ડ દ્વારા ગત જાન્યુઆરી-માર્ચના સરેરાશ આંકડાઓ સામે એપ્રિલ ના આંકડાઓ ની સરખામણી કરી છે. જેને આધારે લૉકડાઉન અગાઉ અને લૉકડાઉન દરમિયાન થયેલા ફેરફાર નોંધ્યા છે. સાબરમતી નદીના વિવિધ ૮ સ્થળેથી પાણીના નમૂના લેવાયા હતા. રિપોર્ટ મુજબ સાબરમતીના પાણીની ગુણવત્તા સુધરી છે. ખારીકટ કેનાલ અને ખારી નદીમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. નર્મદા નદીની સ્થિતિ લૉકડાઉન અગાઉ સારી હતી અને અત્યારે પણ સારી છે. મહી નદીમાં પણ અગાઉ જેમ સારી સ્થિતિ છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આસોદ પાસે પાણી પીવાલાયક છે. અંકલેશ્વર પાસે આમલાખાડીમા લોકડાઉનની પહેલાં ની સ્થિતિ કરતાં અત્યારે સ્થિતિ નબળી છે. જોકે, રિપોર્ટ માં નદી પ્રમાણે પ્રદૂષણ ઘટવાના કારણોની વધુ છણાવટ કરવામાં આવી નથી. મુખ્યત્વે આ પાંચ બાબતોના આધારે પાણીની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ટીડીએસ, એમોનીકલ નાઇટ્રોજન, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ, ડીસોલ્વ્ડ ઓક્સિજનનો સમાવેશ થાય છે.
હાંસોલ-ગાંધી બ્રિજ પાસે સાબરમતી સ્વચ્છ
સાબરમતીમાં વિવિધ સ્થળેથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી હાંસોલ બ્રીજ, નારાયણ ઘાટ, રેલવે બ્રિજ અને ગાંધી બ્રિજ ખાતેના પાણી પીવાલાયક પાણીની કેટેગરી-એમાં આવી ગયા છે. જે અગાઉ કેટેગરી-બીમાં હતા. વીએસ બ્રીજ, મીરોલી ગામ અને વૌઠા ગામ પાસે પાણીની ગુણવત્તામાં સુધારો થયો છે.
ગુજરાતમાં 20 નદીઓ પ્રદૂષિત
પર્યાવરણ મિત્ર નિયામક મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, 19મી જુલાઇ, 2019ના રોજ લોકસભામાં પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 20 નદીઓ પ્રદૂષિત છે. આ નદીઓ લૉકડાઉન અગાઉ પ્રદૂષિત જાહેર થયેલી હતી. પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું માનીએ તો આમાંથી ઘણી નદીઓ લૉકડાઉન પહેલાથી જ ચોખ્ખી છે.’
લોકડાઉનના કારણે કુદરતનો ખરો રંગ જોવા મળી રહ્યો છે
જીપીસીબીના મેમ્બર સેક્રેટરી એ.વી.શાહે જણાવ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન વાહન વ્યવહાર, ઉધોગો અને આવી તમામ પ્રવૃત્તિઓ બંધ છે જેની અસર આપોઆપ દેખાઈ રહી છે. સ્વાભાવિક રીતે સારું પરિણામ આવે જ. આ સમય દરમિયાન કુદરતનો અસલી રંગ દેખાયો છે.
સાબરમતીનું પાણી આ ચાર સ્થળે શુદ્ધ
સ્થળ | COD (Mg/L) | BOD (Mg/ L) | ||
જાન્યુ.-માર્ચ | એપ્રિલ | જાન્યુ.-માર્ચ | એપ્રિલ | |
હાંસોલ બ્રિજ | 17.67 | 11 | 2.14 | 1.2 |
નારાયણ ઘાટ | 17.7 | 15 | 2.1 | 1.9 |
રેલવે બ્રિજ | 18 | 14 | 2.3 | 1.85 |
ગાંધી બ્રિજ | 21.67 | 15 | 2.39 | 1.98 |
COD-કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ/BOD- બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fSRyPh
No comments:
Post a Comment