
ભાવનગરમાં 5 અને ગાંધીનગરમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાંઅત્યાર સુધીમાં કુલ 6,251 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 368 થયો છે. જ્યારે 1381 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં થયેલા મૃત્યુની વાત કરીએ તો 3મેના રોજ 28, 4મેના રોજ 29 અને આજે 49 દર્દીના મોત થયા છે. આમ 72 કલાકમાં 106 દર્દીના મોત થયા છે. તે જોતા રાજ્યમાં લગભગ દર 40 મિનિટે એક દર્દીનું મોત થઈ રહ્યું છે. મંગળવારે ચોવીસ કલાકમાં આખા દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર પાંચ દર્દીએ એક અમદાવાદનો અને દર ચારે એક ગુજરાતી દર્દી છે.
ભારતમાં નોંધાયેલાં 194 મૃત્યુના કેસમાં 49 મૃત્યુ સાથે 25 ટકા કેસ ગુજરાતમાં નોંધાયા
મંગળવારે કોરોનાના ગુજરાતમાં સામે આવેલા આંકડા ગંભીર સ્થિતિનો અંદેશો દર્શાવી રહ્યાં છે. કારણ કે મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વીતેલાં 24 કલાકમાં આખા ભારતમાં જેટલાં નવા પોઝિટિવ કેસ આવ્યાં તે પૈકી 11 ટકા ગુજરાતના રહ્યાં તો કુલ મૃત્યુના કેસમાં 25 ટકા પ્રમાણ ગુજરાતનું રહ્યું. આખાં ભારતમાં નવા પોઝિટિવ કેસ 3,875 હતાં તેની સામે ગુજરાતમાં 441 નવા કેસ આવ્યાં તો ભારતમાં નોંધાયેલાં 194 મૃત્યુના કેસમાં 49 મૃત્યુ સાથે 25 ટકા કેસ ગુજરાતમાં નોંધાયા છે.
ભારતની તુલનાએ મૃત્યુ પામેલાં કુલ દર્દીઓ પૈકીવીસ ટકા દર્દી અમદાવાદના
ગુજરાતમાં પણ અમદાવાદનું પ્રમાણ વધુ હોઇ આખા ભારતની તુલનાએ મૃત્યુ પામેલાં કુલ દર્દીઓ પૈકી 39 કેસ સાથે પાંચમા ભાગના એટલે કે વીસ ટકા દર્દી અમદાવાદના હતાં. જ્યારે નવા નોંધાયેલાં પોઝિટિવ કેસમાં 349 કેસ સાથે અમદાવાદનું પ્રમાણ 9 ટકા રહ્યું. અમદાવાદમાં કુલ 4,425 પોઝિટિવ કેસ જ્યારે 273 મૃત્યુ નોંધાયાં છે. જ્યારે 704 દર્દી સાજાં થયાં છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે રાજ્યમાં મૃત્યુ પામેલાં 49 લોકો પૈકી 15 દર્દી એવાં હતાં કે જેઓને અન્ય કોઇ બિમારી ન હતી જ્યારે બાકીના 34 લોકો કોઇને કોઇ બિમારીથી પીડાતાં હતાં. આજની તારીખે કુલ પોઝિટિવ એક્ટિવ દર્દીઓ 4,489 છે.
8 દિવસમાં 7 વાર 300થી વધુ અને એકવાર 400થી વધુ દર્દી નોંધાયા
આ પહેલા 19 એપ્રિલે 367, 29 એપ્રિલે 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333, 3મેના રોજ 374, 4 મેના રોજ 376 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ સતત 6 દિવસ સુધી 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે દર્દીનો આંકડો 441એ પહોંચ્યો છે. જ્યારે એક જ દિવસમાં કુલ 7 વાર 300થી વધુ અને એકવાર 400થી વધુ દર્દી નોંધાયા છે.
કુલ 6,245 દર્દી , 368ના મોત અને 1381ડિસ્ચાર્જ((સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ))
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 4425 | 273 | 704 |
વડોદરા | 405 | 30 | 158 |
સુરત | 723 | 33 | 282 |
રાજકોટ | 62 | 01 | 26 |
ભાવનગર | 76 | 05 | 21 |
આણંદ | 75 | 06 | 37 |
ભરૂચ | 27 | 02 | 22 |
ગાંધીનગર | 79 | 04 | 14 |
પાટણ | 24 | 01 | 12 |
નર્મદા | 12 | 00 | 10 |
પંચમહાલ | 49 | 03 | 06 |
બનાસકાંઠા | 49 | 01 | 14 |
છોટાઉદેપુર | 14 | 00 | 11 |
કચ્છ | 07 | 01 | 05 |
મહેસાણા | 42 | 00 | 07 |
બોટાદ | 41 | 01 | 6 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 13 | 00 | 02 |
ખેડા | 12 | 00 | 02 |
ગીર-સોમનાથ | 03 | 00 | 03 |
જામનગર | 04 | 01 | 00 |
મોરબી | 01 | 00 | 01 |
સાબરકાંઠા | 09 | 01 | 03 |
મહીસાગર | 40 | 01 | 07 |
અરવલ્લી | 22 | 02 | 14 |
તાપી | 02 | 00 | 01 |
વલસાડ | 06 | 01 | 02 |
નવસારી | 08 | 00 | 04 |
ડાંગ | 02 | 00 | 00 |
દેવભૂમિ દ્વારકા |
03 |
00 | 00 |
સુરેન્દ્રનગર | 01 | 00 | 01 |
જૂનાગઢ | 02 | 00 | 00 |
કુલ | 6245 | 368 | 1381 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3doqcP8
No comments:
Post a Comment