
ગોવામાં ફરી એક વાર કોરોનાએ ટકોર કરી છે. જ્યારે આ રાજ્ય પહેલાં કોરોનામુક્ત જાહેર થઇ ગયું હતું. ગોવામાં બુધવારે રાત્રે કોરોનાના 7 નવા દર્દી મળ્યા. અગાઉ અહીં આશરે 40 દિવસ પહેલાં એટલે 3 એપ્રિલે કોરોનાનો છેલ્લો દર્દી મળ્યો હતો. તે પહેલાં તમામ 7 દર્દી સાજા થયા બાદ ગોવાને 17 એપ્રિલે કોરોનામુક્ત રાજ્ય જાહેર કરાયું હતું. નવા દર્દીઓમાં 5 એક જ પરિવારના છે. લોકડાઉનમાં ઢીલ બાદ આ પરિવાર મહારાષ્ટ્રથી ગોવા ફર્યો હતો. તે ઉપરાંત બે અન્ય પોઝિટીવ દર્દી ડ્રાઇવર છે.
લોકડાઉન દરમિયાન વિદેશ થઈ આવેલા આશરે 6500 પ્રવાસી પરત થઇ ગયા છે. આ પ્રવાસી જર્મની, ઇટાલી, પોલેન્ડ, સિંગાપોર, દ. આફ્રિકા અને સ્વિત્ઝર્લેન્ડના હતા. જેમને તેમના દેશોએ વિશેષ ફ્લાઇટ મોકલી પરત બોલાવી લીધા. અત્યારે આશરે એક હજાર વિદેશી પ્રવાસી અહીં ફસાયેલા છે. જ્યારે નવા કોવિડ નિયમો હેઠળ ગોવાની બજાર ખુલી ગઇ છે. પણજી બજાર સંપૂર્ણપણે ખુલી ગઇ. પરંતુ રાજ્યની આર્થિક વ્યવસ્થાને બહુ આંચકો લાગ્યો છે. પાટા પર આવતા હજુ સમય લાગશે.
ગોવામાં 4000 હોટલ અને ગેસ્ટહાઉસ છે, જે એકદમ ખાલી છે
રાજ્યનો આર્થિક આધાર મુખ્યત્વે ત્રણ ઇન્ડસ્ટ્રીઝ ટૂરિઝ્મ, માઇનિંગ અને ફાર્માસ્યુટિકલ પર આધારિત છે. તેમાં કોવિડ-19 અને લોકડાઉનને કારણે ડૂરિઝ્મ સંપૂર્ણપણે ઠપ છે. ટ્રાવેલ અને ટૂરિઝ્મ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અજીત સુખીજા જણાવે છે કે લોકડાઉનને કારણે ટૂરિઝ્મ ઉદ્યોગને આશરે 1200 કરોડ રૂપિયાનો નુકસાન થયું છે. તમામ હોટલ, ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ બંધ છે. ગોવામાં 4000 હોટલ અને ગેસ્ટહાઉસ છે. જે એકદમ ખાલી છે. અત્યારે વરસાદની સીઝન શરૂ તવાની છે, તેથી લોકડાઉન ખુલવા છતાં ટૂરિસ્ટ આવ્યા નથી. ગોવામાં ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સને બસો ચલાવવા માટે પણ કહી દેવાયું છે. જો કે અહીના મોટા ટ્રાન્સપોર્ટ દામોદર માંદરેકર કહે છે કે મારી પાસે 14 બસો છે. પરમિશન મળી ગઇ છે. પરંતુ ખાલી બસો લઇને જઉં ક્યાં? કારણ કે ટૂરિસ્ટ તો છે જ નહીં. પહેલાં મારી પાસે મોટા-મોટા ગ્રુપ ભોપાલ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ચંડીગઢથી આવતા હતા. હવે રાજ્યમાં ટેક્સી સેવા પણ શરૂ થઇ ગઇ છે. ગોવામાં નાના-મોટા કુલ 48 બીચ છે. નોર્થ ગોવાના બીચ બાઘા, અંજુના, કલંગુટ વગેરે પર સામાન્ય દિવસોમાં ભારે ભીડ જોવા મળે છે. પરંતુ અત્યારે તે ખાલી છે. અહીં સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ અટકી ગઇ છે. સાઉથ ગોવા મોંઘુ છે, ત્યાં મોટાભાગે વિદેશી પ્રવાસી કે પૈસાદાર લોકો આવે છે. દરેક બીચ પર આશરે 100 રિટેઇલ દુકાનો છે, જે બિલકુલ બંધ છે. ગોવામાં કાજૂ, રસબેરી, નારિયેળ અને લોકલ વાઇનનું વેચાણ પણ ટૂરીસ્ટોને કારણે વધુ થાય છે, તે પણ અત્યારે બંધ છે.
ગોવામાં એક વર્ષમાં 3 લાખ વિદેશી, 17 લાખ ભારતીય પ્રવાસી પહોંચે છે
અજીત સુખીજાનું કહેવું છે કે તેઓ સરકાર પર ટૂરિઝ્મ શરૂ કરવા અંગે દબાણ એટલા માટે નથી કરી શકતા કારણ કે કોઇ પ્રવાસી રેડ ઝોનમાંથી અહીં આવે છે તો ગોવા ફરી મુશ્કેલીમાં આવી જશે. નોધનીય છે કે ગોવામાં એક વર્ષમાં 3 લાખ વિદેશી, 17 લાખ ભારતીય પ્રવાસી પહોંચે છે. ગોવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ સંકલ્પ અમોનકર કહે છે કે માઇનિંગ ઉપરાંત ગોવાની પાસે આર્થિક સ્થિતિ સુધારવાના હાલ તો કોઇ વિકલ્પ દેખાતો નથી. દિલ્હીથી ગોવા માટે ટ્રેન શરૂ કરાઇ છે. તેનાથી ગોવામાં ફરી કોરોનાના કેસ આવી શકે છે. ગોવા ભાજપના પ્રભારી અવિનાશ રાય ખન્નાનું કહેવું છે કે કોરોના માટે ગોવામાં પણ દેશના અન્ય ભાગ જેવા જ નિયમો લાગુ હતા. ગોવાની જનતાએ લોકડાઉનનું કડકપણે અમલ કર્યું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Z6MbpI
No comments:
Post a Comment