
લૉકડાઉનમાં 51 દિવસ સુધી બંધ રહેલી પેસેન્જર ટ્રેનો મંગળવારથી આંશિક ધોરણે દોડવા લાગી. દિલ્હીથી સાંજે 4 વાગ્યે 1,177 મુસાફરો સાથે પહેલી ટ્રેન બિલાસપુર રવાના થઇ. ત્યાર બાદ દિબ્રૂગઢ અને બેંગલુરુ માટે પણ 1-1 ટ્રેન ઉપડી. આ 3 ટ્રેનમાં કુલ 3,461 લોકોએ બુકિંગ કરાવ્યું હતું. બીજી તરફ મુંબઇ, અમદાવાદ, પટણા, બેંગલુરુ અને હાવડાથી 1-1 ટ્રેન દિલ્હી રવાના થઇ.
37 ડિગ્રી ગરમીમાં ઊભા રહીને રાહ જોઇ
પહેલી સ્પેશિયલ ટ્રેન ઉપડવાના 10-12 કલાક અગાઉથી જ લોકો નવી દિલ્હી રેલવે સ્ટેશને પહોંચવા લાગ્યાહતા. તેમણે દિવસભર સ્ટેશનની બહાર 37 ડિગ્રી ગરમીમાં ઊભા રહીને રાહ જોઇ. ટ્રાફિક ન થાય તે માટે કનૉટ પ્લેસ અને પહાડગંજથી સ્ટેશનના એન્ટ્રી પોઇન્ટ પર જ વાહનો રોકી દેવાયા. મુસાફરો ત્યાંથી એકાદ કિ.મી. ચાલીને સ્ટેશને પહોંચ્યો.
બે સ્થળે થર્મલ સ્ક્રીનિંગ કરાયું
તેમને કેટલાક સંગઠનોએ ભોજન, પાણી અને માસ્કનું વિતરણ કર્યું. સ્ટેશનની અંદર ભીડ ન થાય તે માટે થોડા-થોડા લોકોને પ્રવેશ અપાયો. તે પહેલાં બે સ્થળે થર્મલ સ્ક્રીનિંગ કરાયું. મુસાફરો પ્લેટફોર્મ પર આમ-તેમ ફરે નહીં તે માટે તેમને સીધા કોચમાં મોકલાયા. દરેક કમ્પાર્ટમેન્ટમાં 8-8 મુસાફરનું બુકિંગ કરાયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2xU7BuW
No comments:
Post a Comment