Ad

Wednesday, May 13, 2020

13મીની યાદીમાં એ દિવસે કોરોનાથી મૃત્યુ પામેલા એક પણ નહીં, 11મીએ મૃત્યુ પામેલા 16ને બતાવાયા

અમદાવાદમાં કોરોનાથી થતાં મૃત્યુના આંકડાને ઓછો બતાવવા તંત્રએ ઘાલમેલ શરૂ કરી દીધી છે. જેતે દિવસે થતાં મૃત્યુ જાહેર કરાતા નથી પણ ટુકડે ટુકડે પાછળના દિવસોમાં જાહેર કરાય છે. બુધવારે અમદાવાદમાં 25 મૃત્યુ થયા હોવાની જાહેરાત કરાઈ છે.

મૃતકોની યાદીમાં 13 તારીખે એક પણ મૃત્યુ થયાનું દર્શાવવામાં આવ્યુ નથી. બલ્કે 25 માંથી 17 મૃત્યુ 11 તારીખે થયા હતા જ્યારેબીજા આઠ મૃત્યુ 10 મે અને 12 મે ના રોજ થયા હતા. તે જ રીતે, 12 મે એ 21 મૃત્યુની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 10 મૃત્યુ સાત તારીખે થયા હતા, ચાર મૃત્યુ 11 તારીખે થયા હતા.જો એમ માનીએ કે મોડેથી દાખલ થયેલા મૃતકોના રિપોર્ટ મોડા આવે છે તો પણ જે અગાઉથી દાખલ થયા છે તેવા દર્દીઓના મૃત્યુ પણ જાહેર કરાતા નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Many Negligence in Corona patient dead list


from Divya Bhaskar https://ift.tt/2Ajnr34

No comments:

Post a Comment