Ad

Thursday, April 9, 2020

RBIએ કહ્યુ- કોરોના ભવિષ્ય પર મંડરાતા કાળા પડછાયા જેવો

કોરોના વાઇરસ અર્થતંત્રના ભવિષ્ય પર મંડરાતા કાળા પડછાયા જેવો છએ. આ મહામારીને કારણે જાહેર લોકડાઉન દેશની આર્થિક ગતિવિધિઓને સીધી અસર કરશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગુરુવારે જારી પોતાની નાણાકીરય નીતિના રિપોર્ટમાં આ ચેતવણી આપી છે. સેન્ટ્રલ બેન્કે કહ્યું કે કોરોના મહામારીના કારણે વૈશ્વિક ઉત્પાદક્તા, સપ્લાય, વેપાર અને પ્રવાસન પર વિપરિત અસર પડશે. વૈશ્વિક અર્થતંત્રમાં થનારા સંકુચિત વિકાસ અનુમાન પર ભારે પડશે. આરબીઆઇનો આ રિપોર્ટ એવા સમયમાં આવ્યો છે, જ્યારે કોરોનાને કારણે દેશમાં લાગુ કરાયેલ 21 દિવસનુ લોકડાઉન 16માં દિવસમાં પ્રવેશ્યું છે અને આર્થિક ગતિવિધિઓ ઠપ છે.
વિશ્વના તમામ અર્થતંત્ર અત્યારે અત્યંત કપરી પરિસ્થિતિ
આરબીઆઇએ કહ્યું કે કોરોના વાયરસ પ્રકોપે દેશના અર્થતંત્રમાં રિકવરીની સંભાવનાઓને ખરાબ રીતે અસર કરી છે. કોરોના પહેલાં 2020-21 માટે વિકાસનું અનુમાન સામાન્ય જઇ રહ્યું હતું. પરંતુ આ મહામારીએ આ દૃષ્ટિકોણને બહુ અસર કરી છે. લોકડાઉન અને વૈશ્વિક ગતિવિધિઓમાં આવેલી મંદી ચોક્કસ આર્થિક વિકાસ પર ભારે પડશે. રિઝર્વ બેન્કે કહ્યું છે કે વિશ્વના તમામ અર્થતંત્ર અત્યારે અત્યંત કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ભારત પણ તેમાંથી બાકાત રહી શકે તેમ નથી.
2019-20 માટે GDPમાં 5% વૃદ્ધિનું અનુમાન
આરબીઆઇએ નાણા વર્ષ 2019-20 માટે જીડીપીમાં 5.0 ટકા વાસ્તવિક વૃદ્ધિનું અનુમાન લગાવ્યું, જે 31 માર્ચ 2020ના રોજ સમાપ્ત થયું. ચાલુ નાણા વર્ષમાં 5.5 ટકા વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કરાયું છે, જે 31 માર્ચ 2012ના રોજ સમાપ્ત્ થશે. 2019-20ના અંતિમ ક્વાર્ટરનો સત્તાવાર ડેટા મેના અંતમાં રીલિઝ કરાશે.
ફુગાવો 4 મહિનાના નીચલા સ્તરે જવાનું અનુમાન
ફેબ્રુઆરીમાં 6.58 ટકાની તુલનાએ ભારતનો રિટેઇલ ફુગાવો માર્ચમાં ચાર મહિનાના નીચલા સ્તરે 5.93 ટકા સુધી રહેવાનું અનુમાન છે. આરબીઆઇ મુજબ કોરોના વાયરસનો પ્રકોપ ફુગાવા પર અસર કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
RBI said - Corona is black shadow on Indian economy


from Divya Bhaskar https://ift.tt/2Xoa5fB

No comments:

Post a Comment