
વિશ્વ આરોગ્ય સંગઠન અને વિશેષજ્ઞ સતત કહી રહ્યા છે કે જ્યાં સુધી વધુ તપાસ નહીં થાય ત્યાં સુધી કોરોનાના દર્દીઓનો સાચો આંકડો જાણવા મળશે નહીં અને સંક્રમણ બેકાબુ બનશે. દર્દીની સંખ્યા સતત વધી રહી છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો તપાસ વધારવાનું કામ કરી રહી છે.
છ રાજ્યોમાં દેશની 27.3 ટકા વસ્તી રહે છે
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગુરુવારે સવાર સુધીમાં 5734 સંક્રમિત હતા. તેમાં 61 ટકા દર્દી દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગણા, કર્ણાટક અને કેરળના હતા. આ છ રાજ્યોમાં દેશની 27.3 ટકા વસ્તી રહે છે. પરંતુ કોરોનાની તપાસ માટે 52 ટકાથી વધુ લેબ નથી. હવે અલગ-અલગ રાજ્યોમાં 21 નવી લેબ બનાવવાની યોજના છે. તેમાં પણ 7 લેબ આ 6 રાજ્યોમાં બનાવવાની યોજના છે. દેશમાં જ્યારે સંક્રમિતોની સંખ્યા 4067 હતી ત્યારે 284 જિલ્લા આ બીમારીથી પ્રભઆવિત હતા.
તપાસ લેબમાં બે શિફ્ટમાં કામ કરવાની તૈયારી
આઈસીએમઆરના વૈજ્ઞાની ડૉ. આર. ગંગાખેડકરે કહ્યું કે લેબનું વર્કિંગ બે શિફ્ટમાં કરવાની તૈયારી છે. અત્યારે રોજની 13 હજાર તપાસની ક્ષમતા છે. તે વધારીને 26 હજાર કરી શકાય તેમ છે.
લેબ વધુ, દર્દી પણ વધુ
રાજ્ય | લેબ | દર્દી |
મહારાષ્ટ્ર | 29 | 1135 |
તમિલનાડુ | 20 | 738 |
દિલ્હી | 15 | 669 |
તેલંગણા | 25 | 427 |
કેરળ | 14 | 345 |
કર્ણાટક | 14 | 181 |
જ્યાં લેબ ઓછી, દર્દી પણ ઓછા
રાજ્ય | લેબ | દર્દી |
ઝારખંડ | 2 | 4 |
બિહાર | 4 | 38 |
છત્તીસગઢ | 2 | 10 |
ઓડિશા | 4 | 42 |
ઉત્તરાખંડ | 1 | 33 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JUAHgo
No comments:
Post a Comment