Ad

Thursday, April 9, 2020

ક્વૉરન્ટિન પૂર્ણ થયા બાદ પોલીસ કનિકા કપૂરની પૂછપરછ કરશે

કોરોના વાઈરસ સંક્રમણથી સારી થયા બાદ ગાયિકા કનિકા કપૂરને 6 એપ્રિલે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે, પરંતુ ડોક્ટરોએ તેને 14 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાનું કહ્યું છે. આ ગાળો 20 એપ્રિલ સુધીનો છે, જે પૂરું થતાં ઉત્તરપ્રદેશ પોલીસ તેની પૂછપરછ કરવા જશે. કનિકા વિરુદ્ધ ગત મહિને 9 માર્ચે લંડનથી પરત થયા બાદ પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા અને પાર્ટીઓમાં જવાનો કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે આઇપીસીની કલમ 269 (ઉપેક્ષાપૂર્ણ કાર્ય, જેનાથી કોઇ જીવલેણ બીમારી ફેલાવાની સંભાવના હોય) અને કલમ 270 (પરિદ્વેષપૂર્ણ કાર્ય, જેનાથી જીવન માટે સંકટપૂર્ણ સંક્રમણ થવાની સંભાવના હોય) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે પોલીસ સવાલોની યાદી બનાવી રહી છે, જે કનિકા કપૂરને પૂછવામાં આવશે. જોકે તેની ક્વોરન્ટાઇનની મુદત પૂરી થયા બાદ 20 એપ્રિલ પછી પૂછપરછ કરવામાં આવશે.
કયા સવાલ કરાશે ?
  • શું મુંબઇ એરપોર્ટ પર 9 માર્ચે લંડનથી આવ્યા બાદ તમારું મેડિકલ સ્ક્રીનિંગ થયું હતું?
  • શું તમને કોરોના વાઈરસ મહામારી અંગે જાણ હતી?
  • શું તમે આના માટે કોઇ સાવચેતી રાખી હતી?
  • તાવ આવ્યા છતાં પણ તમે પાર્ટીમાં શા માટે સામેલ થયાં? વગેરે.
  • પૂછપરછ બાદ પોલીસ મુંબઇ એરપોર્ટના અધિકારીઓ પાસે કનિકાના દાવાની પુષ્ટિ પણ કરશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કનિકા કપૂરની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2UVmxBS

No comments:

Post a Comment