Ad

Monday, April 27, 2020

મંજૂરી નથી તેવી દુકાનો ખૂલશે તો વેપારી અને ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરાશેઃ શિવાનંદ ઝા

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ નાગરિકોને અપીલ કરતા કહ્યું હતું કે, લૉકડાઉનનો આ છેલ્લો તબક્કો બહુ જ મહત્ત્વનો છે. કોરોના સામેની લડાઇ લાંબી છે અને સાવચેતી એ એકમાત્ર હથિયાર છે. રાજ્યમાં જે પ્રકારની દુકાનો ખોલવાની મંજૂરી અપાઇ નથી તેવી દુકાનો ખુલ્લી જોવા મળશે તો દુકાનદારો અને ત્યાં આવેલા ગ્રાહકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને પાન-મસાલા, ચા-નાસ્તા, રેસ્ટોરાં અને હેર કટિંગ સલૂન જેવી દુકાનો બંધ રાખવી ફરજિયાત છે. લૉકડાઉનના કડક અમલ માટે લૉકડાઉન ભંગના કેસોની સંખ્યા વધારવામાં આવી છે, વાહન જપ્તી પણ વધારાઇ છે.

લોકડાઉનના ભંગ અંગે 100 નંબર પર ફોન કરો
ઝાએ જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસના કેસો વધુ છે, જેથી શહેરમાં વધુ કડક પગલાં લેવાની સૂચના અપાઇ છે. અમદાવાદમાં અમુક વિસ્તારો અવરજવર માટે બંધ કરાયા છે. સાથે કેટલાક બ્રિજ પણ બંધ કરવામાં આવ્યા છે. નાગરિકોને અપીલ છે કે શક્ય હોય તો દરરોજ આવશ્યક વસ્તુની ખરીદી ટાળો, બેથી ચાર દિવસની ખરીદી એકસાથે કરો. લૉકડાઉનના ભંગ અંગે નાગરિકો 100 નંબર ઉપર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરે જેથી પોલીસ ત્વરિત કાર્યવાહી કરી શકે.

1.20 લાખ વાહનો મુક્ત કરવામાં આવ્યા
અત્યાર સુધીમાં કુલ 1.45 લાખ વાહનો જપ્ત કરાયા છે જ્યારે 1.20 લાખ વાહન મુક્ત કરાયા છે. ડ્રોનના આધારે 9193 ગુના દાખલ કરીને 18,214 લોકોની ધરપકડ કરાઇ છે. સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવા ફેલાવવા બદલ વધુ 25 ગુના દાખલ કરાયા છે જ્યારે 13 એકાઉન્ટ બ્લોક બ્લોક કરવામાં આવ્યા છે.

સોસાયટીના CCTVથી 537 લોકોની અટકાયત
ઝાએ કહ્યું કે, સોસાયટીના સીસીટીવી કેમેરાની મદદથી લૉકડાઉન ભંગના વધુ 20 ગુનામાં 33 લોકોની ધરપકડ કરાઈ છે. અત્યારસુધીમાં આવા 311 ગુનામાં 537ની અટક કરાઇ છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિશન સોફ્ટવેર દ્વારા કુલ 595 ગુના દાખલ કરાયા છે. જ્યારે જાહેર સ્થળો પરના કુલ 1760 ગુનામાં 2713 લોકોની ધરપકડ કરાઇ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શિવાનંદ ઝા - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3aCeMW4

No comments:

Post a Comment