
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રવિવારે રાજ્ય સરકારોને અપીલ કરી હતી કે, હાલના સંજોગોમાં તમામ રાજ્યો જીવન જરૂરિયાતની કે એ સિવાયની ચીજવસ્તુઓને લઈ જતી ટ્રકો અને અન્ય વાહનોને ના રોકે. તમામ રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખીને ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું છે કે, જો આ પ્રકારના વાહનોને રોકવામાં આવશે તો લૉકડાઉનની સ્થિતિમાં જરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાઈ શકે છે. લૉકડાઉન વખતે આવા અનેક વાહનો પાસે સત્તાવાર પાસ ન હતા, જેથી પોલીસે આ વાહનો જપ્ત કર્યા હતા.
ડ્રાઇવર સાથે એક વ્યક્તિને મંજૂરી
આ પત્રમાં ભલ્લાએ સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં અને આંતરરાજ્ય માલ પરિવહન સેવા આપતા ડ્રાઈવરોની સાથે બીજી પણ એક વ્યક્તિને સરકાર વાહનમાં જવાની મંજૂરી આપે છે. જોકે, એ માટે ડ્રાઈવર પાસે કાયદેસરનું ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. ગૃહમંત્રાલયની આ સ્પષ્ટતા પછી દેશમાં આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો જળવાઈ રહેશે તેમ મનાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ydCeLy
No comments:
Post a Comment