Ad

Friday, June 12, 2020

Covid-19: Social distancing norms flouted in Odisha, people throng markets ahead of Raja festival, authorities shut shops

Covid-19: Authorities Covid-19: Social distancing norms flouted in Odisha, people throng markets ahead of Raja festival shops as people throw social distancing norms into wind, throng markets ahead of Raja festival in Odisha

from India Today | Top Stories https://ift.tt/2YtE050

Delhi sees 2k+ Covid cases in a day for first time



from Times of India https://ift.tt/2UCArYW

Nepal parliament set to clear new map today



from Times of India https://ift.tt/2MPNG4e

Amid map row, Nepal police firing kills Indian

A day ahead of a vote in Nepal’s parliament seeking to change the nation’s map to include a part of India in its territory, tensions escalated along the border in Sitamarhi district on Friday after a local disagreement turned ugly and led to firing by the Nepal Armed Police Force in which one Indian national was killed and two received serious injuries while another was detained in Nepal.

from Times of India https://ift.tt/2YtfJfj

CBSE 10, 12 board results likely by Aug 15: HRD



from Times of India https://ift.tt/30ABKvc

'Sharing newspaper PDFs on social media illegal'



from Times of India https://ift.tt/2BTMbjd

Delhi government eases discharge policy, waives re-test

The Delhi government has changed its discharge policy for Covid-19 patients.Those who have already spent 10 days in isolation do not need to be tested again before being discharged from hospitals.

from Times of India https://ift.tt/2zrVlCK

હોટલ-હોસ્પિટાલિટી સેક્ટરને 3 માસમાં 15000 કરોડનું નુકસાન

દેશના આર્થિક વિકાસમાં હોટલ અને હોસ્પિટાલિટી સેક્ટરનો સિંહ ફાળો રહ્યો છે. કોરોના મહામારી અને લોકડાઉનની સ્થિતીમાં હોટલ-હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ સાવ ઠપ છે. એટલું જ નહિં લોકડાઉન દૂર થયા પછી અનલોકમાં ઇન્ડસ્ટ્રીઝને ખર્ચનું ભારણ વધી ગયું છે.

સરકાર હોટલ-રેસ્ટોરન્ટને રાત્રીના 11 વાગ્યા સુધી મંજૂરી આપે તો જ સર્વાઇવ થઇ શકે તેમ છે. 75 ટકાથી વધુનો બિઝનેસ સાંજનો છે ત્યારે સરકારે અત્યારે રાત્રીના 9 વાગ્યા સુધી છૂટ આપી છે પરંતુ હોટલ ઇન્ડસ્ટ્રીઝને 7.30-8.00 વાગ્યા સુધીમાં તો બંધ કરી દેવું પડે છે જેના કારણે 10-15 ટકા જ વેપાર શરૂ થયો છે.

હોટલ-હોસ્પિટાલિટી સેક્ટરને ત્રણ માસમાં અંદાજે 15000 કરોડથી વધુનું નુકસાન માત્ર ગુજરાતમાં જ થયું છે. આ સેક્ટરની ગાડી ફરી પાટે ચડતા હજુ સરેરાશ 2-3 માસ જેટલો સમય નિકળી જશે એટલું જ નહિં રાબેતા મુજબ થતા તો દોઢેક વર્ષનો સમય લાગી જશે તે નક્કી છે. દેશમાં આ સેક્ટર દ્વારા સરેરાશ 4.5 કરોડ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે જેમાંથી 50 ટકા બેરોજગારી વધશે.

હોટલ ઇન્ડસ્ટ્રીઝનો બિઝનેસ કોર્પોરેટ સેક્ટર પર પણ આધારિત છે. કોરોના મહામારીના કારણે આગામી 3-6 માસ સુધી કોર્પોરેટ સેક્ટર દ્વારા બિઝનેસ મળી શકે તેમ નથી. એટલું જ નહિં ડિજિટલ ક્રાંતિના કારણે હવે કોર્પોરેટ મિટિંગ ઝુમ-વેબિનાર દ્વારા થવા લાગી છે જેની સીધી અસર આ ઇન્ડસ્ટ્રીઝના વેપાર પર પડશે.

કેન્દ્ર સરકાર આ સેક્ટરને એક વર્ષ સુધી ટેક્સ હોલિડે આપે તે જરૂરી છે. આ ઉપરાંત સરકાર પાસે પડેલા અનયુઝ્ડ ફંડમાંથી લોન આપવામાં આવે તો પણ નાણાંકિય કટોકટીમાંથી સેક્ટર બહાર આવી જશે. ઓક્ટોબર માસ સુધી આ ઇન્ડસ્ટ્રીઝ વેગવંતી બને તેવા સંકેતો નહિંવત્ છે. કેન્દ્ર સરકારે ઉદ્યોગો માટે અનેક રાહત પેકેજની જાહેરાતો કરી છે પરંતુ તેમાં આ સેક્ટરને સીધો કોઇ જ ફાયદો નથી.

ગુજરાતમાં 20 ટકાથી વધુ નાની હોટલ-રેસ્ટોરન્ટ કાયમ માટે બંધ થઇ જશે

  • 40 હજારથી વધુ હોટલ-રેસ્ટોરન્ટ ગુજરાતમાં આવેલા છે
  • 5000 કરોડથી વધુનો હોટલ-રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝનો માસિક બિઝનેસ
  • 20 લાખથી વધુ લોકોને આ ઇન્ડસ્ટ્રીઝ રોજગારી પૂરી પાડે છે
  • 15 ટકા ફુટફોલ સાથે વેપારની શરૂઆત થઇ, આ‌વક કરતા જાવક વધુ હોવાથી નુકસાની છે
  • 18 માસથી વધુ સમય સેક્ટરને રિવાઇવ થતા લાગી જશે
  • 75 ટકા હોટલ-રેસ્ટોરન્ટનો બિઝનેસ સાંજનો છે, માટે મુશ્કેલી મોટો ફુટફોલ મળ્યો નથી.

ઇન્ડસ્ટ્રીઝને રિવાઇવ થતા દોઢ વર્ષ લાગી જશે
મધુભન રિસોર્ટના વાઇસ પ્રેસિડેન્ટ ગુરૂંગ મનોહરે જણાવ્યું કે હોટલ-રેસ્ટોરન્ટ તથા રિસોર્ટ ઇન્ડસ્ટ્રીઝને રિવાઇવ થતા ઓછામાં ઓછા એકથી દોઢ વર્ષ લાગી જશે. મેરેજ અથવા અન્ય ફંક્શન માટે સરકારે 50 લોકોને એકત્ર થવાની છૂટ આપી છે. અનલોકમાં ઓછા લોકોથી મેરેજ માટે પુછપરછ શરૂ થઇ છે. સેક્ટરને આવક કરતા ખર્ચનું પ્રમાણ વઘી ગયું છે ત્યારે સરકાર આ સેકટરને અમુક રાહતો આપે તે જરૂરી છે. ગુજરાતમાં મોટા 20-25 રિસોર્ટ આવેલા છે.

70 ટકાથી વધુ રેસ્ટોરન્ટ હજુ બંધ
કેપ્સિકમ રેસ્ટોરન્ટના કો-ફાઉન્ડર રાહુલ ધીયાના જણાવ્યા અનુસાર અનલોક-1માં સરકારે રાત્રીના 9 વાગ્યા સુધી છૂટ આપી છે પરંતુ હોટલ-રેસ્ટોરન્ટને તો સાંજે 7 વાગ્યે ઓર્ડર લેવાનું બંધ કરી દેવું પડે છે. 75 ટકાથી વધુનો બિઝનેસ સાંજનો છે આવા સંજોગોમાં ખર્ચનો બોજો જો ચાલુ રાખવામાં આવે તો વધી જાય તેમ છે. પરિણામે ગુજરાતના 70 ટકાથી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ હજુ બંધ હાલતમાં છે.

અનલોકમાં ખર્ચ વઘતા મુશ્કેલી વધી
હોટલ-રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ કહ્યું કે, હોટલ-રેસ્ટોરન્ટનો 75 ટકાથી વધુનો વેપાર સાંજનો રહેલો છે ત્યારે અત્યારે અનલોક-1માં આ સેક્ટરને સાંજે 7.00 વાગે વેપાર બંધ કરી દેવો પડે છે જેના કારણે ઘાટ કરતા ઘડામણ વધી છે. આવક કરતા ખર્ચનું પ્રમાણ વધ્યું છે. સરકાર આ સેક્ટર માટે રાત્રીના 11.00 વાગ્યા સુધી મંજૂરી આપે તે જરૂરી છે. હજુ બે માસ સુધી આ સેક્ટર રાબેતા મુજબ શરૂ થઇ શકે તેમ નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2C3xZEv

ખેલાડી વેન્યૂ પર ત્યારે જ આવી શકશે જ્યારે તેણે માસ્ક પહેર્યું હશે અને સાથે સેનિટાઈઝર પણ હોય

વર્લ્ડ એથ્લેટિક્સે કોરોનાને જોતા સ્વાસ્થ્ય અને સુરક્ષા ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં પ્રી-ઈવેન્ટ, સ્ટેડિયમ, કોમ્પિટિશન અને ખેલાડીઓ માટે વિશેષ ઉપાય સામેલ છે. ખેલાડીઓને કોમ્પિટિશન દરમિયાન ત્યારે જ એન્ટ્રી મળશે જ્યારે તેમે માસ્ક પહેર્યું હશે અને તેની પાસે સેનિટાઈઝર હોય. ગાઈડલાઈનની મુખ્ય વાતો આ પ્રમાણે છે:
પ્રી-ઈવેન્ટ

  • આયોજન કમિટી ખેલાડીને વેલકમ કિટ આપશે. જેમાં દરરોજના 3 માસ્ક, સેનિટાઈઝર, સંક્રમણ અટકાવતા કપડા, તેમની ઈવેન્ટમાં સુરક્ષા સંબંધિત પ્રોટોકોલની માહિતી આપનાર બુકલેટ રહેશે.
  • એરપોર્ટ કે સ્ટેશનથી હોટલ આવતા સમયે તમામે માસ્ક પહેરવું જરૂરી છે. તમામ વચ્ચે ડિસ્ટન્સ હોવું જરૂરી છે.
  • કમિટી ઈલેક્ટ્રોનિક સિસ્ટમ થકી ખેલાડીઓની ઓળખ કરશે.

સ્ટેડિયમમાં

  • ફેન્સ અને કોમ્પિટિશન સંબંધિત લોકોના આવવા-જવા માટે અલગ ગેટ રહેશે. ખેલાડીઓ ત્યારે જ વેન્યૂ પર પહોંચી શકશે જ્યારે તેમની પાસે સેનિટાઈઝર પણ હોય.
  • સ્ટેડિયમમાં તમામને માસ્ક પહેરવો પડશે. વોર્મઅપ અને ઈવેન્ટ દરમિયાન ખેલાડીઓને છૂટ મળશે.
  • વોર્મઅપ ઝોનમાં ઓપન એરિયા જરૂરી રહેશે, આ ઈવેન્ટના સ્ટેડિયમથી નજીક હોવું જોઈએ. ખેલાડીઓને જુદા-જુદા સમયે બોલાવવા.
  • આઉટડોરના સ્થાને લોક રુમ હોય, અહીં પણ ખેલાડીઓ માટે માસ્ક જરૂરી. દરેક ખેલાડીના ઉપયોગ બાદ રૂમને સેનિટાઈઝ કરાશે.

કોમ્પિટિશન

  • મેદાન પર ઓછામાં ઓછી સંખ્યામાં ખેલાડી રહે. ઓફિશિયલ્સ ખેલાડીઓના સંપર્કમાં રહે. એવામાં તેમણે માસ્ક ઉપરાંત પ્રોટેક્ટિવ ગ્લવ્સ પણ પહેરવા.
  • ફિનિશ લાઈન ક્રોસ કર્યા બાદ ખેલાડીઓએ લોકો અને ઓફિશિયલ્સથી દૂર રહેવું.

કોમ્પિટિશન બાદ

  • મીડિયા ઝોન સ્ટેડિયમની બહાર રહે. ઓછામાં ઓછા લોકો તેમાં રહે. મીડિયા અને ખેલાડીઓ વચ્ચે પાતળું ગ્લાસ રહે અને દરેક વાર કોન્ફરન્સ બાદ તે સ્થળને સેનિટાઈઝ કરવામાં આવે.
  • મેદાન પર મોટાભાગના લોકો ખેલાડીઓ જ હોય. લાઈવ એવોર્ડ સેરેમની ના યોજવી. આ માટે ડિજિટલ વ્યવસ્થા કરવી.
  • એક કોમ્પિટિશન બાદ સંપૂર્ણ એરિયા સેનિટાઈઝ કરવામાં આવે.

અન્ય મહત્ત્વપૂર્ણ ઉપાય

  • દરેક રેસ બાદ સ્ટાર્ટિંગ બ્લોક સેનિટાઈઝ કરવું.
  • સ્ટીપલચેઝ રેસ દરમિયાન જે પાણીનો ઉપયોગ કરવામાં આવે તેમાં ક્લોરિન મિક્સ કરવું,
  • રિલે રેસ દરમિયાન બેટનને દરેક વખતના ઉપયોગ બાદ સેનિટાઈઝ કરવું જરૂરી. રિલે ટીમને રેસ બાદ ભેગા થતા કે ગળે મળવાથી બચવું જોઈએ.
  • વર્ટિકલ જમ્પ દરમિયાન દરેક અટેમ્પટ બાદ સેનિટાઈઝરનો ઉપયોગ થાય.
  • દરેક જમ્પ બાદ લેન્ડિંગ મેટને સાફ કરવામાં આવે. રિસાઈકલ પ્લાસ્ટિક અથવા ટિશૂની એક પાતળી લેયર જમ્પિંગ મેટ પર રાખવી જોઈએ, જમ્પિંગવાળી માટીમાં કેમિકલ મિક્સ કરવું, જેથી સંક્રમણ ના ફેલાય.
  • થ્રોઈંગ ઈવેન્ટ દરમિયાન ઓફિશિયલ દરેક હેન્ડલિંગ બાદ હાથ સાફ કરે અને ડિસ્પોજેબલ ગ્લવ્ઝનો ઉપયોગ કરવો.
  • કમ્બાઈન્ડ ઈવેન્ટ દરમિયાન ખેલાડી જે રૂમનો ઉપયોગ કરે શક્ય હોય તો તેને ઓપન એરિયામાં જ બનાવવું. કોચ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ થકી તેની સાથે ચર્ચા કરી શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The player can only come to the venue when he is wearing a mask and sanitizer in Athletics


from Divya Bhaskar https://ift.tt/30CXMxm

વરસાદના પગલે આણંદ જીલ્લામાં બાજરી પાક પલળી જતાં નુકશાન, ખેડૂતોએ પાંચ હજાર ઉપરાંત વિસ્તારોમાં બાજરી પાકનું વાવેતર કર્યું હતું

સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે આણંદ જીલ્લામાં પાંચ હજાર ઉપરાંત હેકટરમાં ખેડૂતોએ વાવેતર કરેલા બાજરી પાકનું ભારે નુકશાન થવા પામેલ છે. જોકે મહામહેનતે તૈયાર કરેલા બાજરી પાક પલળી જતાં ખેડૂતોની ખુશીઓ ઉપર નિરાશાએ પાણી ફેરવી દીધું છે.


આણંદ જીલ્લાના પ્રગતિશીલ ખેડૂત નાવલીના પ્રિતેશભાઇ પટેલે જણાવ્યુ હતું કે હાલમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેતરમાં તૈયાર થયેલા બાજરી પાક લણણી કર્યા બાદ વરસાદ પડતાં પાક પલળી ગયો છે જેથી બાજરી પાકને નુકશાન થવા પામેલ છે. જેના પગલે ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકશાન થવા પામ્યું છે.વધુ માહિતી મુજબ ખુડૂતો દ્વારા આ વર્ષે આણંદ જીલ્લામાં પાંચ હજાર ઉપરાંત બાજરી પાકનું વાવેતર કરવામાં આવેલ છે. પરંતુ કુદરતની દશા બેઠી હોય તેમ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોનો બાજરી પાક ખરાબ થઇ જતાં ખુશીઓ પર નિરાશાનું પાણી ફેરવી દેતા રડવાનો વારો આવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2AotEeK

રાજકોટથી કચ્છ કતલખાને લઇ જવાતાં 15 ગૌવંશને બચાવાયા

માળિયા ફાટક નજીક જીવદયા પ્રેમીઓએ એક આઇસર વાહનમાં ખીચોખીચ ભરીને કતલનાખને ધકેલાતા 15 ગૌવંશને બચાવી લીધા હતા. તેમજ આ પશુઓ અને આઈસર સહિતનો મુદ્દામાલ અને આઇસર ચાલકને પોલીસને હવાલે કરી દેતા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબીથી એક વાહનમાં ખીચોખીચ પશુઓ ભરીને લઈ જાવતા હોવાની બાતમી આધારે માળિયા ફાટક પાસે આવેલા કાંતિનગર સોસાયટી નજીક શુક્રવાર વહેલી સવારે જીવદયા પ્રેમીઓ વોચમાં ગોઠવાયા હતા. તે સમયે જી.જે.13 એ.ડબ્લ્યુ 5520 નબરનું આઇસર વાહન ત્યાંથી નીકળતા જીવદયા પ્રેમીઓએ તેને અટકાવીને તલાશી લેતા આઇસર વાહનની પાછળના ભાગે ખીચોખીચ દોરડાથી બાંધેલી હાલતમાં પાંચ વાછરડા અને 10 ગાય મળી આવી હતી. આ વાહનમાં પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. આથી આઇસર ચાલક સુભાષભાઈ રમેશભાઈ મકવાણા (રહે રાજકોટ વાળા)ને પૂછપરછ કરતા આ ગૌવશને ભુજથી આઇસર વાહનમાં વડોદ, વઢવાણની ગૌશાળામાં લઇ જતો હોવાનું જણાવ્યું હતું. પણ તેની પાસે આ અંગે આધાર પુરાવા ન હોવાથી મુદ્દામાલ સાથે આરોપીને બી ડિવિઝન પોલીસને સોંપી દીધો હતો અને આ બનાવ અંગે મોરબીના શિવસેના પ્રમુખ કમલેશભાઈ લુંજાએ બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2AvhCQD

આધાર કાર્ડ નહીં હોવાથી 90 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ કરવા ઇનકાર

કેન્દ્ર સરકારે કોરોનાનો રિપોર્ટ કરાવવા માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવ્યું છે, પરંતુ આધાર કાર્ડ ન હોવાને કારણે ઘણા દર્દીઓના કોરોના રિપોર્ટ નીકળી શકતા ન હોવાની રજૂઆત શુક્રવારે મળેલી મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવી હતી. બેઠકમાં કોર્પોરેટરે કહ્યું હતું કે, અમરાઈવાડી પાસે નાગરવેલ હનુમાન ચાર રસ્તા નજીક રહેતા એક 90 વર્ષના વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ એટલા માટે ન નીકળી શક્યો, કારણ કે તેમની પાસે આધારકાર્ડ ન હતું. જોકે અન્ય બીમારીને કારણે ગુરુવારે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમણે ઇલેક્શન કાર્ડનો પણ જરૂરી દસ્તાવેજ તરીકે વિકલ્પ આપવા રજૂઆત કરી હતી.

સ્ટેન્ડિંગની વીડિયો કોન્ફરન્સથી મિટિંગ
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોર્પોરેટર ડો. ચંદ્રાવતીબેને રજૂઆત કરી હતી કે, રામજીયાવનભાઈ પટેલની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા માટે કોરોનાનો ટેસ્ટ કરવો આવશ્યક હતો. જોકે વૃદ્ધત્વને કારણે તેમની ફિંગરપ્રિન્ટ ન આવી શકતાં તેમનું આધારકાર્ડ નીકળી શક્યું ન હતું. તેમની તબિયત વધુ બગડતાં કોરોનાનો રિપોર્ટ કઢાવવા માટે તેમની પાસે આધાર કાર્ડ માગવામાં આવ્યું હતું. જોકે તેમની પાસે આધારકાર્ડ ન હોવાથી તેમને કોરોનાનો રિપોર્ટ કરી આપવાનો ઇનકાર કરી દેવાયો હતો. આથી તેમણે કોર્પોરેટર સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદ અધિકારીઓ સમક્ષ પણ રજૂઆત કરાઈ હતી. જોકે તેમનો કોરોના રિપોર્ટ થઇ શક્યો ન હતો અને આ દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવ્યા બાદ કમિશનર દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કેન્દ્ર સરકારની ગાઇડલાઇન છે તે પ્રમાણે કોરોનાનો રિપોર્ટ કરવા માટે આધારકાર્ડ હોવું આવશ્યક છે. જોકે સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, જે લોકો પાસે આધારકાર્ડ ન હોય તેમને ઇલેક્શન કાર્ડના આધારે પણ કોરોનાનો ટેસ્ટ થવો જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A 90-year-old man refuses to report Corona because he does not have an Aadhaar card


from Divya Bhaskar https://ift.tt/2BWbocQ

આત્મનિર્ભરની વાતો કરતા BJP નેતા ચીનની એપ પર નિર્ભર

3 ઇડિયટ્સ મૂવીના રીયલ હીરો સોનમ વાંગચૂકે ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કાર ઉપર ભાર મૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જનતાને આત્મનિર્ભર થવા ‘લોકલ કે લીએ વોકલ’ મંત્ર આપ્યો છે ત્યારે ગુજરાતના રાષ્ટ્રવાદી નેતાઓ-આગેવાનો ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશનનો મોહ હજૂ છોડી શકતા નથી.

અમદાવાદના મેયર બિજલ પટેલ

ગુજરાત ભાજપના મોટા ભાગના નેતા અને આગેવાનો ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી દેશભક્ત હોવાના પુરાવા આપી રહ્યાં છે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, અમદાવાદ શહેર મેયર, સાંસદો, ધારાસભ્યો, આગેવાનો, ગુજરાત પોલીસ સુધ્ધા બાકાત રહ્યાં નથી. બાઈટડાન્સ ચાઈનીઝ મલ્ટિનેશનલ કંપની છે. ટીકટોક અને હેલો જેવા તેના અસંખ્ય પ્રોડક્ટ છે. હેલો એપ હાલ 14 ભારતીય ભાષામાં ઉપલબ્ધ છે. આવી વિદેશી એપ્લિકેશનનો રાજકારણીઓ ઉપયોગ કરી તેનો પ્રચાર કરી રહ્યાં છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી

સ્વદેશીનો વિચાર રાખતા આગેવાને કહ્યું કે, રાજ્ય અને કેન્દ્રમાં બંને જગ્યાએ આપણી વિચારધારાની સરકાર છે તો તેમની વિરૂદ્ધ આંદોલન કરવું સંસ્થાના અસ્તિત્વ માટે જોખમી સાબિત થઈ શકે છે. મહત્વનું છે કે, ચાઈના માટે ભારત ખૂબ મોટું માર્કેટ છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે ચાઈનાથી પાંચ લાખ કરોડનો સામાન નિકાસ થાય છે. આત્મનિર્ભર થવા માટે આ આયાત બંધ થવી જરૂરી છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

એપ પર ગુજરાત પોલીસના એકાઉન્ટના 2 લાખ ફોલોઅર
ગુજરાત પોલીસનુ ઓફિશિયલ એકાઉન્ટ હેલો એપ્લિકેશન ઉપર એક્ટિવ છે જેના હાલ બે લાખ જેટલા ફોલોઅર્સ છે. રાજ્ય પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમય પહેલા ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા રિપોર્ટ રજૂ કરાયો હતો જેમાં 42 જેટલી ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશનનો ઉલ્લેખ હતો. આવી એપ્લિકેશન ભવિષ્યમાં દેશ સામે સાયબર એટેક માટે જવાબદાર થઈ શકે તેવા સંકેતો આપ્યા હતા.

ગુજરાત પોલીસનું એકાઉન્ટ

વેબિનાર માટે સ્વદેશી પ્લેટફોર્મનો જ ઉપયોગ
ભારતીય જનતા પાર્ટી દ્વારા જેટલી પણ વીડિયો કોન્ફરન્સ કરવામાં આવે છે તે તમામ સ્વદેશી સિસ્કો કંપનીના પ્લેટફોર્મ ઉપરથી થાય છે. આ એપ્લિકેશન ભારતીય છે. વેબિનાર અથવા વીડિયો કોન્ફરન્સ કરવા માટે કંપનીના ઓફિશિયલ રાઈટ્સ પાર્ટીએ મેળવેલા છે.

ચીનનાં વિચાર, ટેક્નોલોજી ભરોસાપાત્ર નથી
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, સ્વદેશી વસ્તુની આદત ઊભી કરવી પડશે. બીનજરૂરી વિદેશી વસ્તુઓનો બહિષ્કાર થશે તો સ્વદેશી વસ્તુ અને સ્વદેશી ઉત્પાદનકારોનો આવિષ્કાર થશે. મારી અપિલ છે કે જ્યાં સુધી સ્વદેશી મોબાઈલ એપ્લિકેશન ઉપલબ્ધ હોય ત્યાં સુધી વિદેશી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ બંધ કરવો જોઈએ. કારણ કે દેશની સુરક્ષાનાં વિષયો પણ ખાસ ધ્યાનમાં લેવાં જોઈએ. અમે ટેક્નોલોજીના વિરોધી નથી. સ્વદેશી ટેક્નોલોજીનું વધુને વધુ ઉત્પાદન અને ઉપયોગ થાય તે આવશ્યક છે. સ્વદેશી અને વિદેશી એપ્લિકેશન વચ્ચેની સમજણ માટે લોકજાગૃતિ કરવી પડશે. કોઈવાર કોઈ વિચાર કે વિષયમાં બહિષ્કારથી આવિષ્કાર થતો હોય છે. ચીનનાં વિચાર,વસ્તુઓ અને ટેકનોલોજી ભરોસાપાત્ર નથી. કદાચ કોઈક વસ્તુ સસ્તી હશે પણ દેશહિત માટે યોગ્ય નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ચાઇનાની એપ પર એકાઉન્ટ.


from Divya Bhaskar https://ift.tt/30C4YK9

ગૃહ મંત્રાલયે કહ્યુ- રાજ્યો રાત્રે હાઇવે પર ટ્રક-બસને ન રોકે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ દરમિયાન બસ, માલસામાન લઇ જતી ટ્રકો અને જરૂરી સેવાઓમાં કાર્યરત લોકોને ન રોકવા રાજ્યોને નિર્દેશ કર્યો છે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન દેશભરમાં લોકોએ બહાર નીકળવા પર રોક છે પણ જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને છૂટ છે. અમુક રાજ્યો હાઇવે પરથી પસાર થતા લોકો, બસ અને ટ્રકને પણ રોકે છે, જેઓ તેવું ન કરે. રાત્રિ કરફ્યૂનો હેતુ લોકોને ભેગા થતા રોકવાનો છે. નેશનલ હાઇવે પર દોડતી બસ-ટ્રકને તેમાંથી છૂટ અપાઇ છે. નોંધનીય છે કે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં બોર્ડર ક્રોસ કરવા વિવાદ ચાલી રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2UDZx9U

6 દિવસમાં પેટ્રોલ રૂ. 3.31 અને ડીઝલ રૂ. 3.42 મોંઘું થયું; ક્રૂડ 66% સસ્તુ થયું તો પણ સરકારે રૂ. 16 ટેક્સ વધારી લોકોનો ફાયદો અટકાવ્યો

દેશમાં શુક્રવારે સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા. એક લિટર પેટ્રોલ 57 અને ડીઝલ 59 પૈસા મોંઘુ થયું. છ દિવસમાં પેટ્રોલની કિંમત 3.31 અને ડીઝલની 3.42 રૂપિયા વધી ચૂકી છે.

ગુજરાતમાં શુક્રવારે પેટ્રોલ 70.34 અને ડીઝલ 68.34 પ્રતિ લિટર થઈ ગયું હતું. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર 12.50 વેટ છે. જ્યારે દિલ્હીમાં હવે પેટ્રોલ 74.57 અને ડીઝલ 72.81 રૂપિયા થઈ ગયું છે. કોરોના સંકટ વચ્ચે દુનિયાભરમાં ક્રૂડ ઓઈલના ભાવ 66 ટકા સુધી ઓછા થઈ ગયા હતા પણ સરકારે સામાન્ય પ્રજાને તેનો ફાયદો ન આપ્યો. ખજાનો ભરવા માટે સરકારે આ દરમિયાન માર્ચથી જૂન વચ્ચે બે વખત પેટ્રોલ પર 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારી હતી. સાથે જ રાજ્યોમાં વેટ પણ વધ્યો હતો.

નિષ્ણાંતો અનુસાર સરકારે ટેક્સ ન વધાર્યો હોત તો પેટ્રોલ-ડીઝલ આજે પણ 15થી 20 રૂપિયા સસ્તું હોત. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલર પ્રતિબેરલ હતા જે 20 ફેબ્રુઆરીએ 58 ડોલર પર આવી ગયા હતા. તે પછી તેમાં ઝડપી ઘટાડો થયો અને 21 એપ્રિલે તે 20 ડોલરથી નીચે આવી ગયા. 21 એપ્રિલ પછી ક્રૂડ ઓઈલના ભાવ વધવા લાગ્યા.

સામાન્ય લોકોને લાભ પહોંચતો આ રીતે રોકાયો

  • જીએસટી લાગુ થયા બાદથી કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી અને રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ લગાવે છે.
  • 12 માર્ચ 2020 સુધી આ બંને મિલાવીને પેટ્રોલ પર કુલ કેન્દ્રીય ટેક્સ 17 રૂપિયા અને ડીઝલ પર 11 રૂપિયા હતો.
  • 13 માર્ચે કેન્દ્રે ટેક્સમાં વધારો કર્યો અને પેટ્રોલ પર કુલ ટેક્સ 20 રૂ. અને ડીઝલ પર 14 રૂ. કરી દીધો.
  • 5 જૂને કેન્દ્રે વધુ એક વધારો ઝિંક્યો. પેટ્રોલ પર ટેક્સ 10 રૂ. વધારી 30 અને ડીઝલ પર 13 રૂ. વધારી 27 રૂ. પ્રતિ લિટર કરી દીધો.
  • અન્ય છૂટાછવાયા સેસ મિલાવીને પેટ્રોલ પર એક્સાઈઝનો દર 32.98 રૂપિયા અને ડીઝલ પર 31.83 રૂ. થઈ ગયો.
  • રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર વેટ તથા વિશેષ કર વસૂલે છે. કેન્દ્ર તરફથી ટેક્સ વધારવાથી વેટની માત્રા આપમેળે વધી જાય છે. અનેક રાજ્ય અલગથી પણ ટેક્સ વસૂલે છે.

15 માર્ચથી 5 જૂન સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા ન હતા

તારીખ પેટ્રોલ ડીઝલ
15 માર્ચ 77.56 68.27
5 જૂન 77.56 68.27
12 જૂન 80.98 71.54

આ રીતે ક્રૂડ ઓઈલનો ભાવ ઘટ્યો

તારીખ ડોલર પ્રતિ બેરલમાં
3 જાન્યુઆરી 68.60
20 ફેબ્રુઆરી 58.80
21 એપ્રિલ 19.33
12 જૂન 38

ક્રુડનો અસલી ભાવ રૂ. 20, આપણે ચૂકવીએ છીએ રૂ.70થી પણ વધુ, પેટ્રોલ-ડીઝલની કિંમતનો ગણિત આ રીતે સમજો

વિષય પેટ્રોલ ડીઝલ
આધાર મૂલ્ય 17.96 18.49
પરિવહન ખર્ચ 0.32 0.29
ડીલરનો રેટ 18.28 18.78
એક્સાઈઝ ડ્યૂટી 32.98 31.83
ડીલર કમિશન 3.56 2.52
વેટ (ગુજરાતમાં) 12.50 12.50
રિટેલ કિંમત 70.34 68.47


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/30D06V6

દેશમાં કેસ 3 લાખ, મહારાષ્ટ્રમાં 1 લાખ, ગુજરાતમાં શુક્રવારે નવા 495 કેસ સાથે કુલ કેસ 22,562, વધુ 31 સાથે કુલ 1,416 મોત

દેશમાં શુક્રવારે કુલ પોઝિટિવ કેસનો આંકડો 3 લાખને પાર થઈ ગયો હતો. આ સાથે સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા દેશોમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે આવી ગયો છે. શુક્રવારે એક જ દિવસમાં 10 હજાર નવા કેસ નોંધાયા હતા. જ્યારે 396 લોકોના મોત નિપજ્યાં હતા. મહારાષ્ટ્રમાં પણ કુલ કેસનો આંક 1 લાખને પાર થઈ ગયો છે.

શુક્રવારે ગુજરાતમાં 495 નવા કેસ નોંધાતા હવે કુલ કોરોના સંક્રમિત લોકોનો આંક 22,562 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 31 લોકોના મોત સાથે હવે રાજ્યમાં મૃત્યુનો આંકડો 1,416 પર પહોંચ્યો છે. જોકે ગુરુવારે નોંધાયેલાં 38 મૃત્યુ કરતાં શુક્રવારે મોતના કેસ પ્રમાણમાં ઓછા નોંધાયા છે. શુક્રવારે અમદાવાદમાં 22, સુરતમાં 3, ગાંધીનગરમાં 2 જ્યારે અરવલ્લી, પાટણ, ભરૂચ અને અન્ય રાજ્યના ગુજરાતમાં દાખલ દર્દીઓ પૈકી 1-1 વ્યક્તિનું કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયું છે.

દેશના કુલ એક્ટિવ કેસના 4%થી પણ ઓછા ગુજરાતમાં
ગુજરાતમાં હાલ કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા માત્ર 5,645 છે. આ એવાં લોકો છે જેમની હાલ સારવાર ચાલુ છે અને તેનું પ્રમાણ જો આખાં દેશના કુલ એક્ટિવ દર્દીઓની સામે જોઇએ તો 3.89% જેટલું છે. ભારતમાં કુલ 1,44,806 એક્ટિવ દર્દીઓ છે. આ સાથે જો સાજા થયેલાં દર્દીઓનું પ્રમાણ જોઇએ તો તે આખા દેશના કુલ રીકવર થયેલાં લોકો પૈકી 10 ટકાથી વધુ ગુજરાતના છે. આખાં દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,52,689 દર્દી સાજા થયાં છે તેની સામે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 15,501 દર્દીઓ સાજા થઇને ઘરે ગયાં છે.

ગુજરાતમાં અનલૉકના 12 દિવસમાં જ 5,768 કેસ નોંધાયા
અનલૉક 1.0ની જાહેરાત થતાં રાજ્યમાં વેપાર-ધંધા, કચેરીઓ, ઉદ્યોગો ખુલી ગયા છે, આંતર જિલ્લા અને આંતર રાજ્ય અવરજવર પણ શરૂ થઇ ગઇ છે ત્યારે કોરોનાનું સંક્રમણ પણ મોટાપાયે વધી રહ્યું છે. 1લી જૂનથી જાહેર કરાયેલા અનલૉકના 12 દિવસમાં રાજ્યમાં કોરોનાના 5768 કેસ નોંધાયા છે જ્યારે 378 લોકોના મૃત્યુ થયા છે. 1 જૂનથી 12 જૂન સુધીમાં કોરોનાના કેસો મીનીમમ 415થી મેક્સીમમ 513 સુધી રહ્યા છે જ્યારે મૃત્યુઆંક પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. રાહતની વાત એ પણ છે કે ડિસ્ચાર્જ રેટમાં પણ વધારો થયો છે.

હવે ગૂગલમાં ટેસ્ટિંગ લેબના નામ પણ મળી જશે
ગૂગલે તેના સર્ચ એન્જિનમાં નજીકમાં કોરોના ટેસ્ટ ક્યાં કરી શકાશે એ જાણવા માટે નવું ફીચર ઉમેર્યું છે. આ સુવિધાનો લાભ ગૂગલ સર્ચ, ગૂગલ આસિસ્ટન્ટ અને ગૂગલ મેપ્સ પર મેળવી શકાશે. આ માટે ગૂગલ હાલ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડીકલ રિસર્ચ તથા MyGov સાથે કામ કરી રહ્યું છે. આ નવું ફીચર અંગ્રેજી અને હિંદી ઉપરાંત ગુજરાતી સહિત કુલ આઠ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. ગૂગલે અત્યાર સુધીમાં દેશની 700 ટેસ્ટીંગ લેબની વિગતો એકત્ર કરી છે. આ ટેસ્ટીંગ લેબ્સ 300 શહેરોમાં આવેલી છે. coronavirus testing સર્ચ કરવાથી નજીકની લેબની વિગતો મળી જશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
3 lakh cases in India, 1 lakh in Maharashtra, 22,562 cases with 495 new cases in Gujarat on Friday, a total of 1,416 deaths


from Divya Bhaskar https://ift.tt/3dY7LkF

ટ્રમ્પ પરિવાર ઓબામા કરતા દર વર્ષે 12 ગણો પ્રવાસ કરે છે, તે પણ ફક્ત બિઝનેસના પ્રચાર માટે, ઘેટાના શિકાર પાછળ જ 57 લાખનો ખર્ચ

ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર સરકારી સુવિધાઓનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે. ત્રણ વર્ષથી તેઓ એક વર્ષમાં 1 હજારથી વધુ યાત્રા કરી રહ્યા છે. ટ્રમ્પ પરિવાર એક વર્ષમાં ઓબામા પરિવારની સરખામણીએ 12 ગણી વધુ યાત્રા કરી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ઓબામા પરિવારે 7 વર્ષમાં જેટલી યાત્રા કરી નથી, તેનાથી વધુ યાત્રાઓ ટ્રમ્પ પરિવારે એક વર્ષમાં કરી લીધી છે. આ વાતનો ખુલાસો ટ્રેઝરી વિભાગે બહાર પાડેલા બજેટ દસ્તાવેજના વિશ્લેષણમાં થયો છે.

સિટીઝન ફોર રિસ્પોન્સિબિલિટી એન્ડ એથિક્સ ઈન વોશિંગટન (સીઆરઈડબલ્યુ-ક્રૂ) નામની એજન્સીએ આ દસ્તાવેજોનું વિશ્લેષણ કર્યું છે. જેના અનુસાર આ યાત્રાઓ અંગે સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે, જેના આંકડા બહાર આવ્યા નથી. જોકે, આ યાત્રામાં સામેલ એક અધિકારીના અનુસાર મંગોલિયામાં ટ્રમ્પ પરિવાર શિકાર પર ગયો હતો અને એક લુપ્તપ્રાય ઘેંટાનો શિકાર કર્યો હતો. જેના માટે મંગોલિયાના રાષ્ટ્રપતિ પાસેથી વિશેષ મંજૂરી લેવાઈ હતી. એક શિકાર પાછળ રૂ.57 લાખનો ખર્ચ થયો હતો. ટ્રમ્પ પરિવારની યાત્રાઓને એ હકીકતથી સમજી શકાય કે તેમના પુત્ર એરિક અને ડોન જુનિયરે તેનો ઉપયોગ પોતાના વેપારને વધારવા માટે કર્યો છે. સિક્રેટ સર્વિસે 2020-21ના બજેટ અનુરદમાં એવા કેટલાક ખર્ચનો સ્પષ્ટ કરવાની માગ કરી છે, જેમં મોટા બજેટની જરૂર હોય છે. 2017માં ટ્રમ્પ પરિવારની સુરક્ષા માટે 204 કરોડનું બજેટ રખાયું હતું, પરંતુ સિક્રેટ સર્વિસે તેને ઓછું જણાવીને 456 કરોડની માગ કરી હતી.

રિપોર્ટમાં કહેવાયું છે કે, ટ્રમ્પ પરિવાર સિક્રેટ સર્વિસની સુરક્ષાનો હકદાર છે, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિની સરખામણીએ તેના 10 ગણા વધુ ઉપયોગ અને ખર્ચના લીધે કરદાતાઓ અને સરકારી બજેટ પર ભારણ પડી રહ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિઓએ પદ પર રહેવા દરમિયાન ખુદને બીજા કામ અને સંપત્તિમાંથી અલગ કરી દીધા હતા, પરંતુ ટ્રમ્પે આમ કર્યું નથી. તેમણે પોતાના પુત્રને આંતરરાષ્ટ્રીય વેપારના મેનેજમેન્ટ માટે નિમ્યો છે, જે ટ્રમ્પના નામે એક વર્ષમાં કરોડો ડોલરની કમાણી કરી રહ્યો છે.

3 વર્ષમાં 4560 યાત્રા કરી ચૂક્યો છે ટ્રમ્પ પરિવાર
પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના પરિવારે 2010થી 2016 સુધી સાત વર્ષમાં 933 યાત્રા કરી હતી, જ્યારે ટ્રમ્પ પરિવારે 2017થી અત્યાર સુધી દર વર્ષે 1300થી વધુ યાત્રા કરી છે. ત્રણ વર્ષમાં પરિવાર 4560 યાત્રા કરી ચૂક્યો છે.

વર્ષ યાત્રા
2017 1311
2018 1633
2019 1616


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર.


from Divya Bhaskar https://ift.tt/37oEopr

ફ્રાન્સમાં બે મહિના જેટલો વરસાદ એક દિવસમાં, પૂરમાં ઘણી કાર તણાઇ ગઇ

ફ્રાન્સની દક્ષિણે આવેલા આઇલેન્ડ કોર્સિકામાં મુશળધાર વરસાદ બાદ અચાનક પૂર આવતાં કોઇને તેનાથી બચવા માટેની તૈયારીઓ કરવાનો સમય જ ન મળ્યો. ઘણી કાર ધસમસતા પાણીમાં તણાવવા લાગી. પૂરથી ઘણા વાહનોને નુકસાન થયું છે. અહીં થોડી વારમાં જ 120 મિ.મી. વરસાદ પડી ગયો. સામાન્ય રીતે અહીં આટલો વરસાદ 2 મહિનામાં પડે છે. સવારે અડધા કલાકમાં જ 40 મિ.મી. વરસાદ પડી ચૂક્યો હતો. બપોર સુધીમાં વધ્યો.

ફાયર બ્રિગેડના જવાનોએ લોકોને સલામત સ્થળોએ પહોંચાડ્યા. રેસ્ક્યૂ દરમિયાન કેટલાક ફાયરકર્મી પણ ઘવાયા. સ્થિતિ વણસતી જોતાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઇ. હવામાન વિભાગે વીકએન્ડમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Two months of rain fell in one day in France


from Divya Bhaskar https://ift.tt/2XWRreA

Covid-19 impact: WHO says outbreaks add to childbirth death

Covid-19 impact: WHO says outbreaks add to childbirth death

from India Today | Top Stories https://ift.tt/2UGlO6X

One of 5 arrested for robbing pilot in Delhi tests Covid-19 positive

One of 5 arrested for robbing pilot in Delhi tests Covid-19 positive

from India Today | Top Stories https://ift.tt/30OBZTR

Thursday, June 11, 2020

Ash in the trash: A woman's ode to her husband

Ash in the trash: A woman's ode to her husband




from News - Videos - The Times of India https://ift.tt/2BZnMZK

SBI moves NCLT to recover loans from Anil Ambani



from Times of India https://ift.tt/37oIyOc

અમેરિકાના કેલિફોર્નિયામાં આગથી 9 હજાર એકર જંગલ ખાક 

અમેરિકાના કેલિફોર્નિયામાં ગરમી વધતાં જંગલોમાં આગ ફેલાવા લાગી છે. દક્ષિણ કેલિફોર્નિયાના કેપ પેન્ડલટનમાં છેલ્લા 24 કલાકમાં અંદાજે 8 હજાર એકર વિસ્તાર ખાક થઇ ગયો. બીજી તરફ લોસ એન્જેલ્સના વિવિધ વિસ્તારોમાં 1,200 એકરમાં આગથી ભારે નુકસાન થયું છે. લોસ એન્જેલ્સની વેન્ચુરા કાઉન્ટીમાં આગની 3 ઘટનામાં 200 એકર જંગલ નષ્ટ થઇ ગયું.

રહેણાક વિસ્તાર પણ આગના લપેટામાં

લેક પિરુ વિસ્તારમાંથી 1,200 લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલાયા છે. ફાયરના 125થી વધુ કર્મીઓ આગ બુઝાવવા કામે લાગ્યા છે. ગત ઓક્ટોબરમાં પણ કેલિફોર્નિયાના જંગલોમાં આગના કારણે અંદાજે 1 લાખ લોકોએ ઘર છોડવું પડ્યું હતું, 25 હજારથી વધુ ઘર ખાક થયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કેલિફોર્નિયાના જંગલોમાં આગ.


from Divya Bhaskar https://ift.tt/2B3nyA5

મોણવેલની સીમમાં 5 સિંહે આયોજનબદ્ધ સિમેન્ટનાં પતરા તોડી મારણ કર્યું

વાડી વિસ્તારોમાં ધુસીને સિંહના મારણની અનેક ઘટનાએ ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં બને છે. પરંતુ મોણવેલ ગામની સીમમાં પાંચ સિંહોએ આયોજનબદ્ધ સિમેન્ટનાં પતરા તોડી એક ઓરડીમાં ઘુસીને બળદનું મારણ કરતા સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી છે. મોણવેલ ગામની સીમમાં 5 સિંહ આવ્યા હતાં. જેમાંથી 2 સિંહે ઓરડીના લોખંડનાં દરવાજાની બહારથી અંદર નિરીક્ષણ કર્યું. જ્યારે અન્ય સિંહ શિકાર હાથમાંથી છટકી ન જાય તે માટે બહાર ગોઠવાયા હતાં. જોકે અંદર પ્રવેશ કરી ન શક્યા. બાદ સિંહ 50 ફુટનાં સિમેન્ટનાં પતરાનાં મકાનની ઉપર ચઢ્યા અને અંદર પ્રવેશ કરવા માટે જગ્યા કરી હતી. અંદર પ્રવેશ કરવા માટે સિમેન્ટનાં પતરા પણ તોડી નાંખી સિંહે અંદર ઘુસી એક બળદનું મારણ કર્યું. ખેડૂત કનુભાઇ રૂડાભાઇ કોટડીયાએ કહ્યું કે, સિંહે એક બળદનું મારણ કરતા વાવણી કાર્ય અટકી પડ્યું છે.

સિંહની રેકી

1.મોણવેલ ગામની સીમમાં 5 સિંહ આવ્યા જેમાંથી 2 સિંહે લોખંડનાં દરવાજાની બહારથી અંદર નિરીક્ષણ કર્યું.

બહાર પહેરો

2. જયારે અન્ય સિંહ શિકાર હાથમાંથી છટકી ન જાય તે માટે બહાર ગોઠવાયા. જોકે અંદર પ્રવેશ કરી ન શક્યા.

અહીંથી ઘુસ્યા

3. બાદ સિંહ 50 ફુટનાં સિમેન્ટનાં પતરાનાં મકાનની ઉપર ચઢ્યા અને અંદર પ્રવેશ કરવા માટે જગ્યા કરી.

પતરા તોડ્યા

4. અંદર પ્રવેશ કરવા માટે સિમેન્ટનાં પતરા પણ તોડી નાંખી સિંહે અંદર ઘુસી એક બળદનું મારણ કર્યું.

મારણ કર્યું

5. ખેડૂતકનુભાઇ રૂડાભાઇ કોટડીયાએ કહ્યું કે, એક બળદનું મારણ કરતા વાવણી કાર્ય અટક્યું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Five lions plane a hunt and killed a bullock in Amreli rural area of Gujarat


from Divya Bhaskar https://ift.tt/3hoayWO

મિરિન્ડા હાઉસ શ્રેષ્ઠ કોલેજ, IISC બેંગલુરુ ફરી બેસ્ટ યુનિવર્સિટી બની, IIT મદ્રાસ ઓવરઓલ ટોપ

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ગુરુવારે દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું 2020નું રેન્કિંગ બહાર પાડ્યું છે. ઓવરઓલ રેન્કિંગમાં આઈઆઈટી મદ્રાસ પ્રથમ નંબરે છે. યુનિવર્સિટીઓમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સિસ, બેંગલુરુ, મેનેજમેન્ટમાં IIM અમદાવાદ, મેડિકલમાં એઈમ્સ દિલ્હી અને કાયદાશાસ્ત્રમાં નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી, બેંગલુરુ પ્રથમ સ્થાને છે.

આ વર્ષે પ્રથમ વખત ડેન્ટલ કોલેજોનું પણ રેન્કિંગ બહાર પડાયું છે. જેમાં મૌલાના આઝાદ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડેન્ટલ સાયન્સિસ, દિલ્હી પ્રથમ સ્થાને રહી છે. 2016થી અપાતા રેન્કિંગમાં દરેક ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓને વિવિધ માપદંડોના આધારે પોઈન્ટ અપાય છે. જેમાં ટીચિંગ, લર્નિંગ એન્ટ રિસોર્સિસ, રિસર્ચ એન્ડ પ્રોફેશનલ પ્રેક્ટિસિસ, રિઝલ્ટ અને પ્લેસમેન્ટ, વૈશ્વિક સ્તરે સંસ્થાની ભાગીદારી અને સંસ્થા અંગે લોકોની માન્યતા સામેલ છે.

કેવી રીતે બન્યા સર્વશ્રેષ્ઠ : સંસ્થાન સંચાલકોએ આ 5 પોઈન્ટમાં સમજાવ્યા
IIT-મદ્રાસ: સરકારના અનેક વિભાગ સાથે પ્રોજેક્ટ - પ્રો. ભાસ્કર રામમૂર્તિ, ડાયરેક્ટર

  • 2019માં સૌથી વધુ રિસર્ચ અને પ્લેસમેન્ટ મળ્યું.
  • વૈશ્વિક સ્તરે રિસર્ચમાં સૌથી વધુ ભાગીદારી રહી.
  • સંરક્ષણ સહિત અનેક ઉદ્યોગો સાથે પ્રોજેક્ટમાં ભાગીદારી.
  • ઈનોવેશન-સ્ટાર્ટઅપ આપ્યા.
  • સરકારના અનેક વિભાગ સાથે પ્રોજેક્ટમાં સામેલ.

IIM-A: રિસર્ચ-ડેવલપમેન્ટમાં સૌથી વધુ ભાગીદારી નિભાવી - પ્રો. શૈલેષ ગાંધી, પ્રોગ્રામ ડીન

  • રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સૌથી વધુ ભાગીદારી નિભાવી.
  • દેશ-દુનિયામાં સૌથી વધુ એલ્યુમની સ્ટ્રેન્થ રહી.
  • પબ્લિક પોલિસી અને ટીચિંગ-લર્નિંર રિસોર્સિસમાં સૌથી વધુ ભૂમિકા રહી.
  • કેસ સ્ટડી મેથડમાં સૌથી વધુ સંસ્થાઓ સાથે ભાગીદારી.

મિરિન્ડા હાઉસ: રિસર્ચ સેન્ટર -ફેકલ્ટીની ઈનહાઉસ ટ્રેનિંગ - ડો. વિજયલક્ષ્મી, પ્રિન્સિપાલ

  • રિસર્ચ સેન્ટર બનાવીને બેસ્ટ પ્રેક્ટિસિસ જાળવી રાખી.
  • ટોચની રિસર્ચ સંસ્થાઓ સાથે જોડાયેલા વિજ્ઞાનીઓ બોલાવ્યા.
  • રિસર્ચ લિન્કને મજબૂત કરી.
  • ગ્રેજ્યુએશન રિઝલ્ટ, ફેકલ્ટીની ઈનહાઉસ ટ્રેનિંગ પર ફોકસ.
  • ઉન્નત ભારત અભિયાનમાં સક્રિયતા, દિવ્યાંગો પર ફોકસ.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
IISC બેંગલુરુ- ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2YovmVe

દર્દીઓ પાસેથી જંગી ફી વસૂલતી હોસ્પિટલો ચેતજો, કાયમ માટે બંધ થશેઃ નીતિન પટેલ

કોરોનાની મહામારીમાં પણ ખાનગી હોસ્પિટલો દ્વારા માનવતા નેવે મૂકીને કોરોનાના દર્દીઓને સારવાર પેટે લાખો રૂપિયાના તોતિંગ બિલો અપાતા હોવાની વ્યાપક બનેલી ફરિયાદોના પગલે હવે સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દર્દીઓ પાસેથી જંગી રૂપિયા વસૂલી નફાખોરી કરતી હોસ્પિટલોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.

નીતિન પટેલે કહ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ રાજ્ય સરકારને વિશાળ સત્તાઓ મળી છે, ખાનગી હોસ્પિટલના માલિકો અને સંચાલકો ચેતી જાય નહીંતર કાયમી ધોરણે હોસ્પિટલ બંધ કરવાની નોબત આવશે. કેટલાક લોકોની રજૂઆત, અખબારી અહેવાલોના આધારે અમારા ધ્યાને આ હકિકત આવી છે પરંતુ નાગરિકોને પણ વિનંતી છે કે કોઇપણ જગ્યાએ ખાનગી હોસ્પિટલો દ્વારા નિયત કરાયેલા ચાર્જ કરતા વધુ રકમ વસૂલવામાં આવતી હોવાનું ધ્યાને આવે તો તેની સીધી ફરિયાદ મારી ઓફિસમાં મોકલી આપે જેથી અમે ત્વરિત કાર્યવાહી કરીશું.

ગુજરાતમાં ફરી લૉકડાઉનની કોઇ વિચારણા નહીં: પટેલ
દેશના કેટલાક રાજ્યોમાં આંતરરાજ્ય સરહદો સીલ કરાઇ છે ત્યારે ગુજરાતમાં પણ ફરી લૉકડાઉન લાગુ થવાનું હોવાની વાતો સોશિયલ મીડિયામાં વહેતી થઇ હતી. આ બાબતનો છેદ ઉડાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકાર લૉકડાઉન ફરી લાગુ કરવા અંગે કે હાલની સ્થિતિમાં ફેરફાર કરવા અંગે કોઇ વિચારણા કરી રહી નથી. પટેલે કહ્યું કે આશા રાખું છું કે સરકારે જે છૂટછાટો આપી છે તેનું નાગરિકો નિયમોનુસાર પાલન કરશે અને ગાઇડલાઇનને અનુસરશે જેથી વધુ છૂટછાટ મળી શકે એવા નિર્ણયો આપણે કરી શકીશું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3hgdk02

બિહાર ચૂંટણી પહેલા આવકમર્યાદા વધારવા સહમત, OBCની ક્રીમ વધશે, મર્યાદા 8થી 12 લાખ કરવાની તૈયારી

કેન્દ્ર સરકાર અન્ય પછાત વર્ગ(OBC)નો દાયરો વધારવા જઇ રહી છે. ક્રીમીલેયર નક્કી કરવા માટે કેન્દ્ર સરકાર વાર્ષિક આવકની મર્યાદા વધારી 12 લાખ રૂપિયા કરવાની તૈયારીમાં છે. હાલ 8 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવાર ઓબીસીના દાયરામાં આવતા હતા. ઓબીસીની આવકમર્યાદા વધારવાના નિર્ણયને બિહારની ચૂંટણી માટે રણનીતિક તૈયારી તરીકે જોવાઈ રહ્યો છે.

અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલય કરશે
સંસદની એક સમિતિએ ક્રીમીલેયરની આવકમર્યાદા 15 લાખ રૂપિયા સુધીની ભલામણ કરી હતી. તેના પર વિચાર માટે રચાયેલ સમિતિએ તેને ઘટાડી 12 લાખ રૂપિયા કરી દીધી છે. આ મામલો કેબિનેટ સચિવાલયથી થઈને પીએમઓ સુધી પહોંચી ગયો છે. આ અંગે કેબિનેટ નોટ પણ તૈયાર છે, જેને જલદી જ કેબિનેટની બેઠકમાં રજૂ કરી શકાય છે. સૂત્રો મુજબ આ મુદ્દે મંત્રીઓના સમૂહમાં સહમતિ સધાઈ ચૂકી છે. અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલય કરશે.

સરકાર અને PSUની નોકરીઓ વચ્ચે દરજ્જાની સમાનતા પર કોયડો ગૂંચવાયો
આવકમર્યાદા વધારવા અંગે સર્વાનુમત છે પણ તેમાં ઓબીસી પરિવારના કોઈ સભ્યના જાહેર ઉપક્રમ કે પબ્લિક સેક્ટર બેન્કની નોકરીનો પગાર સામેલ કરવાનો પ્રસ્તાવ પણ છે. આ મુદ્દે દલિત નેતા માને છે કે આ પગારને આવકમાં જોડવાથી વિપક્ષ મુદ્દો બનાવી શકે છે. પગારને ઓબીસીની આવકનો હિસ્સો બનાવવા અંગે સરકાર અને જાહેર એકમોની નોકરીઓ વચ્ચે દરજ્જાની સમાનતાનો મુદ્દો પણ જટિલ છે. એટલે કે સરકારમાં ઓછા પગાર છતાં કર્મચારી ગેઝેટેડના દાયરામાં આવી જાય છે. જોકે બેન્કોમાં વધારે પગાર મેળવનારા કર્મચારી તે સ્તરના નથી હોતા. એટલે કે બંને નોકરી વચ્ચે સમાનતા નક્કી નથી. આ કારણે પગારને હાઉસહોલ્ડ ઈનકમમાં જોડવા અંગે કોયડો ગૂંચવાયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2XSj34n

નાણા મંત્રાલયનો પ્રસ્તાવ- ચેક બાઉન્સ થશે તો જેલ નહીં 

કેન્દ્ર સરકારે ઉદ્યોગ જગતને સંકટની આ દિવસોમાં કેટલાક વધુ કાયદાકીય ઉલ્લંઘનને ગુનાની શ્રેણીમાંથી હટાવીને રાહત આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સરકારે ચેક બાઉન્સ થવા પર, લોનના હપ્તા નહીં ભરી શકવા બદલ આશરે 19 કાયદા હેઠળ થતાં ઉલ્લંઘનોને ગુનાની શ્રેણીમાંથી હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

નાણા મંત્રાલયનું કહેવું છે કે, આ પ્રસ્તાવોના અમલ પછી વેપારમાં સુગમતા વધશે અને અદાલતી પ્રણાલી સાથે સાથે જેલો પર વધતા બોજને પણ ઓછો કરવામાં મદદ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2BQbBhF

અમદાવાદમાં દર્દી 15 હજારને પાર,  રાજ્યમાં રિકવર દર્દી 15 હજાર પાર

ગુજરાતમાં ગુરુવારે કોરોનાના 513 પૉઝિટીવ કેસ નોંધાયા હતા. જે એક જ દિવસમાં અત્યાર સુધી નોંધાયેલા સૌથી વધારે કેસ છે. આ સાથે ગુરુવારે રાજ્યમાં વધુ 38 મોત સાથે કુલ મરણાંક 1,385 થયો હતો. રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધારે કેસ નોંધાયા છે. અમદાવાદમાં 330 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 15,635 થઈ છે. જ્યારે વધુ 25 મોત સાથે શહેરનો કુલ મરણાંક 1,117 થયો છે. રાજ્યમાં વધુ 366 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જેની સાથે ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીઓની સંખ્યા પણ 15 હજારને પાર થઈ છે.

ઉલ્લેખનીય છે કે 19 માર્ચના રોજ રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. એ પછી 17 એપ્રિલે કુલ કેસની સંખ્યા 1 હજાર થઈ હતી. જ્યારે તેના એક મહિના પછી એટલે કે 17 મેના રોજ રાજ્યના કુલ કેસની સંખ્યા 11 હજારને પાર થઈ ગઈ હતી. જ્યારે ગત 1લી જૂને કુલ કેસ 17 હજારથી વધારે હતા. જે હવે 22 હજારને પાર થઈ ગયા છે. એટલે કે 25 દિવસમાં બમણાં કેસ થયા છે. રાજ્યમાં છેલ્લા 10 કરતા વધારે દિવસથી 400થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે.
ક્યાં કેટલા નવા કેસ

જિલ્લો કેસ
અમદાવાદ 330
વડોદરા 39
સુરત 86
ગાંધીનગર 11
રાજકોટ 2
ભરૂચ 7
આણંદ 5
મહેસાણા 5
ભાવનગર 3
જામનગર 3
જૂનાગઢ 3
બનાસકાંઠા 2
અરવલ્લી 2
સાબરકાંઠા 2

ગુજરાતમાં દૈનિક સંક્રમણ વધારો 3 % રહ્યો, રાષ્ટ્રીય સ્તરે તે 4.5 %
ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણમાં દૈનિક વધારાનો દર ત્રણ ટકા જેટલો છે. રાષ્ટ્રીય સ્તરે આ દર 4.5 ટકાની આસપાસ છે. જ્યારે કુલ કેસમાં નવા ઉમેરાતાં નવા કેસોનું પ્રમાણ આજથી એક માસના સમયગાળા પહેલાં 6 ટકા હતું જે હવે ઘટાડા તરફ છે અને હાલ તો તે અડધું થઇ ગયું છે. એનો સીધો અર્થ એ થયો કે સંક્રમિત થયેલાં દર્દીને કારણે અન્ય દર્દીઓને થતાં સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે અને ગુજરાતમાં સ્થિતિ સુધારા પર છે.

આરોગ્ય વિભાગના સૂત્રો મારફતે મળતી આ માહિતી મુજબ ગુજરાતમાં હાલ નવા નોંધાઇ રહેલાં કેસોની સંખ્યા અગાઉ કરતાં વધુ લાગે છે, પરંતુ લોકડાઉન હળવું થયાં બાદ આ સ્થિતિ અપેક્ષિત હતી. તે છતાં જે રીતે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને સંક્રમણ થવાની સંભાવનામાં ઘટાડો સૂચવે છે કે અથવા તો વાઇરસ થોડો નબળો પડ્યો હોય, અથવા લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ સુધરી છે. આરોગ્ય વિભાગના અધિકારી જણાવે છે કે હાલ ગુજરાતમાં રીકવરીનો રેટ પણ ખૂબ વધ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Number of corona patients crossed 15 thousand in Ahmedabad ,Number of recover patients crossed 15 thousand in Gujarat


from Divya Bhaskar https://ift.tt/30zrHqc

How rising oil prices make governments hit by Covid happy

How rising oil prices make governments hit by Covid happy

from India Today | Top Stories https://ift.tt/2XVjQlf

India-Pak technical-level meeting on locust issue proposed for June 18: MEA

India-Pak technical-level meeting on locust issue proposed for June 18: MEA

from India Today | Top Stories https://ift.tt/30FTEN4