Ad

Friday, June 12, 2020

વરસાદના પગલે આણંદ જીલ્લામાં બાજરી પાક પલળી જતાં નુકશાન, ખેડૂતોએ પાંચ હજાર ઉપરાંત વિસ્તારોમાં બાજરી પાકનું વાવેતર કર્યું હતું

સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે આણંદ જીલ્લામાં પાંચ હજાર ઉપરાંત હેકટરમાં ખેડૂતોએ વાવેતર કરેલા બાજરી પાકનું ભારે નુકશાન થવા પામેલ છે. જોકે મહામહેનતે તૈયાર કરેલા બાજરી પાક પલળી જતાં ખેડૂતોની ખુશીઓ ઉપર નિરાશાએ પાણી ફેરવી દીધું છે.


આણંદ જીલ્લાના પ્રગતિશીલ ખેડૂત નાવલીના પ્રિતેશભાઇ પટેલે જણાવ્યુ હતું કે હાલમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેતરમાં તૈયાર થયેલા બાજરી પાક લણણી કર્યા બાદ વરસાદ પડતાં પાક પલળી ગયો છે જેથી બાજરી પાકને નુકશાન થવા પામેલ છે. જેના પગલે ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકશાન થવા પામ્યું છે.વધુ માહિતી મુજબ ખુડૂતો દ્વારા આ વર્ષે આણંદ જીલ્લામાં પાંચ હજાર ઉપરાંત બાજરી પાકનું વાવેતર કરવામાં આવેલ છે. પરંતુ કુદરતની દશા બેઠી હોય તેમ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોનો બાજરી પાક ખરાબ થઇ જતાં ખુશીઓ પર નિરાશાનું પાણી ફેરવી દેતા રડવાનો વારો આવ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2AotEeK

No comments:

Post a Comment