Ad

Friday, June 12, 2020

રાજકોટથી કચ્છ કતલખાને લઇ જવાતાં 15 ગૌવંશને બચાવાયા

માળિયા ફાટક નજીક જીવદયા પ્રેમીઓએ એક આઇસર વાહનમાં ખીચોખીચ ભરીને કતલનાખને ધકેલાતા 15 ગૌવંશને બચાવી લીધા હતા. તેમજ આ પશુઓ અને આઈસર સહિતનો મુદ્દામાલ અને આઇસર ચાલકને પોલીસને હવાલે કરી દેતા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબીથી એક વાહનમાં ખીચોખીચ પશુઓ ભરીને લઈ જાવતા હોવાની બાતમી આધારે માળિયા ફાટક પાસે આવેલા કાંતિનગર સોસાયટી નજીક શુક્રવાર વહેલી સવારે જીવદયા પ્રેમીઓ વોચમાં ગોઠવાયા હતા. તે સમયે જી.જે.13 એ.ડબ્લ્યુ 5520 નબરનું આઇસર વાહન ત્યાંથી નીકળતા જીવદયા પ્રેમીઓએ તેને અટકાવીને તલાશી લેતા આઇસર વાહનની પાછળના ભાગે ખીચોખીચ દોરડાથી બાંધેલી હાલતમાં પાંચ વાછરડા અને 10 ગાય મળી આવી હતી. આ વાહનમાં પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી. આથી આઇસર ચાલક સુભાષભાઈ રમેશભાઈ મકવાણા (રહે રાજકોટ વાળા)ને પૂછપરછ કરતા આ ગૌવશને ભુજથી આઇસર વાહનમાં વડોદ, વઢવાણની ગૌશાળામાં લઇ જતો હોવાનું જણાવ્યું હતું. પણ તેની પાસે આ અંગે આધાર પુરાવા ન હોવાથી મુદ્દામાલ સાથે આરોપીને બી ડિવિઝન પોલીસને સોંપી દીધો હતો અને આ બનાવ અંગે મોરબીના શિવસેના પ્રમુખ કમલેશભાઈ લુંજાએ બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2AvhCQD

No comments:

Post a Comment