Ad

Thursday, June 11, 2020

અમદાવાદમાં દર્દી 15 હજારને પાર,  રાજ્યમાં રિકવર દર્દી 15 હજાર પાર

ગુજરાતમાં ગુરુવારે કોરોનાના 513 પૉઝિટીવ કેસ નોંધાયા હતા. જે એક જ દિવસમાં અત્યાર સુધી નોંધાયેલા સૌથી વધારે કેસ છે. આ સાથે ગુરુવારે રાજ્યમાં વધુ 38 મોત સાથે કુલ મરણાંક 1,385 થયો હતો. રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધારે કેસ નોંધાયા છે. અમદાવાદમાં 330 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 15,635 થઈ છે. જ્યારે વધુ 25 મોત સાથે શહેરનો કુલ મરણાંક 1,117 થયો છે. રાજ્યમાં વધુ 366 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જેની સાથે ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીઓની સંખ્યા પણ 15 હજારને પાર થઈ છે.

ઉલ્લેખનીય છે કે 19 માર્ચના રોજ રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. એ પછી 17 એપ્રિલે કુલ કેસની સંખ્યા 1 હજાર થઈ હતી. જ્યારે તેના એક મહિના પછી એટલે કે 17 મેના રોજ રાજ્યના કુલ કેસની સંખ્યા 11 હજારને પાર થઈ ગઈ હતી. જ્યારે ગત 1લી જૂને કુલ કેસ 17 હજારથી વધારે હતા. જે હવે 22 હજારને પાર થઈ ગયા છે. એટલે કે 25 દિવસમાં બમણાં કેસ થયા છે. રાજ્યમાં છેલ્લા 10 કરતા વધારે દિવસથી 400થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે.
ક્યાં કેટલા નવા કેસ

જિલ્લો કેસ
અમદાવાદ 330
વડોદરા 39
સુરત 86
ગાંધીનગર 11
રાજકોટ 2
ભરૂચ 7
આણંદ 5
મહેસાણા 5
ભાવનગર 3
જામનગર 3
જૂનાગઢ 3
બનાસકાંઠા 2
અરવલ્લી 2
સાબરકાંઠા 2

ગુજરાતમાં દૈનિક સંક્રમણ વધારો 3 % રહ્યો, રાષ્ટ્રીય સ્તરે તે 4.5 %
ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણમાં દૈનિક વધારાનો દર ત્રણ ટકા જેટલો છે. રાષ્ટ્રીય સ્તરે આ દર 4.5 ટકાની આસપાસ છે. જ્યારે કુલ કેસમાં નવા ઉમેરાતાં નવા કેસોનું પ્રમાણ આજથી એક માસના સમયગાળા પહેલાં 6 ટકા હતું જે હવે ઘટાડા તરફ છે અને હાલ તો તે અડધું થઇ ગયું છે. એનો સીધો અર્થ એ થયો કે સંક્રમિત થયેલાં દર્દીને કારણે અન્ય દર્દીઓને થતાં સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે અને ગુજરાતમાં સ્થિતિ સુધારા પર છે.

આરોગ્ય વિભાગના સૂત્રો મારફતે મળતી આ માહિતી મુજબ ગુજરાતમાં હાલ નવા નોંધાઇ રહેલાં કેસોની સંખ્યા અગાઉ કરતાં વધુ લાગે છે, પરંતુ લોકડાઉન હળવું થયાં બાદ આ સ્થિતિ અપેક્ષિત હતી. તે છતાં જે રીતે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને સંક્રમણ થવાની સંભાવનામાં ઘટાડો સૂચવે છે કે અથવા તો વાઇરસ થોડો નબળો પડ્યો હોય, અથવા લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ સુધરી છે. આરોગ્ય વિભાગના અધિકારી જણાવે છે કે હાલ ગુજરાતમાં રીકવરીનો રેટ પણ ખૂબ વધ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Number of corona patients crossed 15 thousand in Ahmedabad ,Number of recover patients crossed 15 thousand in Gujarat


from Divya Bhaskar https://ift.tt/30zrHqc

No comments:

Post a Comment