Ad

Thursday, June 11, 2020

બિહાર ચૂંટણી પહેલા આવકમર્યાદા વધારવા સહમત, OBCની ક્રીમ વધશે, મર્યાદા 8થી 12 લાખ કરવાની તૈયારી

કેન્દ્ર સરકાર અન્ય પછાત વર્ગ(OBC)નો દાયરો વધારવા જઇ રહી છે. ક્રીમીલેયર નક્કી કરવા માટે કેન્દ્ર સરકાર વાર્ષિક આવકની મર્યાદા વધારી 12 લાખ રૂપિયા કરવાની તૈયારીમાં છે. હાલ 8 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવાર ઓબીસીના દાયરામાં આવતા હતા. ઓબીસીની આવકમર્યાદા વધારવાના નિર્ણયને બિહારની ચૂંટણી માટે રણનીતિક તૈયારી તરીકે જોવાઈ રહ્યો છે.

અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલય કરશે
સંસદની એક સમિતિએ ક્રીમીલેયરની આવકમર્યાદા 15 લાખ રૂપિયા સુધીની ભલામણ કરી હતી. તેના પર વિચાર માટે રચાયેલ સમિતિએ તેને ઘટાડી 12 લાખ રૂપિયા કરી દીધી છે. આ મામલો કેબિનેટ સચિવાલયથી થઈને પીએમઓ સુધી પહોંચી ગયો છે. આ અંગે કેબિનેટ નોટ પણ તૈયાર છે, જેને જલદી જ કેબિનેટની બેઠકમાં રજૂ કરી શકાય છે. સૂત્રો મુજબ આ મુદ્દે મંત્રીઓના સમૂહમાં સહમતિ સધાઈ ચૂકી છે. અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલય કરશે.

સરકાર અને PSUની નોકરીઓ વચ્ચે દરજ્જાની સમાનતા પર કોયડો ગૂંચવાયો
આવકમર્યાદા વધારવા અંગે સર્વાનુમત છે પણ તેમાં ઓબીસી પરિવારના કોઈ સભ્યના જાહેર ઉપક્રમ કે પબ્લિક સેક્ટર બેન્કની નોકરીનો પગાર સામેલ કરવાનો પ્રસ્તાવ પણ છે. આ મુદ્દે દલિત નેતા માને છે કે આ પગારને આવકમાં જોડવાથી વિપક્ષ મુદ્દો બનાવી શકે છે. પગારને ઓબીસીની આવકનો હિસ્સો બનાવવા અંગે સરકાર અને જાહેર એકમોની નોકરીઓ વચ્ચે દરજ્જાની સમાનતાનો મુદ્દો પણ જટિલ છે. એટલે કે સરકારમાં ઓછા પગાર છતાં કર્મચારી ગેઝેટેડના દાયરામાં આવી જાય છે. જોકે બેન્કોમાં વધારે પગાર મેળવનારા કર્મચારી તે સ્તરના નથી હોતા. એટલે કે બંને નોકરી વચ્ચે સમાનતા નક્કી નથી. આ કારણે પગારને હાઉસહોલ્ડ ઈનકમમાં જોડવા અંગે કોયડો ગૂંચવાયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2XSj34n

No comments:

Post a Comment