Ad

Friday, June 12, 2020

ગૃહ મંત્રાલયે કહ્યુ- રાજ્યો રાત્રે હાઇવે પર ટ્રક-બસને ન રોકે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ દરમિયાન બસ, માલસામાન લઇ જતી ટ્રકો અને જરૂરી સેવાઓમાં કાર્યરત લોકોને ન રોકવા રાજ્યોને નિર્દેશ કર્યો છે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન દેશભરમાં લોકોએ બહાર નીકળવા પર રોક છે પણ જરૂરી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને છૂટ છે. અમુક રાજ્યો હાઇવે પરથી પસાર થતા લોકો, બસ અને ટ્રકને પણ રોકે છે, જેઓ તેવું ન કરે. રાત્રિ કરફ્યૂનો હેતુ લોકોને ભેગા થતા રોકવાનો છે. નેશનલ હાઇવે પર દોડતી બસ-ટ્રકને તેમાંથી છૂટ અપાઇ છે. નોંધનીય છે કે રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં બોર્ડર ક્રોસ કરવા વિવાદ ચાલી રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2UDZx9U

No comments:

Post a Comment