Ad

Friday, May 15, 2020

2019-20ના આવકવેરા પર છૂટ મેળવવા 80C, 80D હેઠળ હજુ રોકાણ થઈ શકશે

નાણાકીય વર્ષ 2019-20 પૂરું થયા પહેલાં જ કોરોનાના કારણે લૉકડાઉન જાહેર કરી દેવાયું હતું, જેના કારણે 31 માર્ચ સુધીમાં થતું ફાઈનાન્સિયલ પ્લાનિંગ ખોરવાઇ ગયું. લૉકડાઉન એપ્રિલ-મે સુધી લંબાતાં માસિક જીએસટી રિટર્નને પણ અસર થઇ છે. તેને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે જીએસટી અને આવકવેરા અંગેના ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. તેથી જો તમે હજુ સુધી ટેક્સ પ્લાનિંગ ન કર્યું હોય તો હજુ પણ તક છે. જીએસટી અને આવકવેરા સંબંધી ફેરફારો વિશે જાણીએ...
જીએસટી: નીલ રિટર્નની જાણ SMSથી કરી શકાશે
ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 2020 જીએસટીઆર-3 બી 9% વ્યાજ સાથે ટેબલમાં અપાયેલા સ્લેબ અનુસાર રેગ્યુલર વેપારી 30 જૂન સુધી લેટ ફી વિના જમા કરાવી શકે છે. કમ્પોઝિટ ડીલર માર્ચ ક્વાર્ટર માટે જીએસટી સીએમપી 08 ફોર્મ 7 જુલાઇ સુધી ભરી શકે છે જ્યારે જીએસટીઆર-4 ફોર્મ 15 જુલાઇ સુધી ભરી શકાય છે. ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધી ઇનપુટ ટેક્સ જે અગાઉ GST 2Aમાં ઉપલબ્ધ ક્રેડિટના 10% વધુ લઇ શકતા હતા તેમને આઇટીસીના ક્લેમમાં રાહત અપાઇ છે. હવે સપ્ટેમ્બર, 2020 સુધી ઉપલબ્ધ બિલના આધારે ઇનપુટના ક્લેમ લઇ શકાય છે. 2018-19નું જીએસટી વાર્ષિક રિટર્ન 30 સપ્ટેમ્બર સુધી જમા થઇ શકશે. 20 માર્ચથી 15 એપ્રિલ માટે જારી ઇ-વે બિલ પણ 31 મે સુધી માન્ય રહેશે. જીએસટી 3બીના વેરિફિકેશન માટે કંપનીઓ 21 એપ્રિલથી 30 જૂન સુધી ડિજિટલ સિગ્નેચરના બદલે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડનો ઉપયોગ કરી શકે છે. આ જ રીતે જીએસટીઆર-3બીમાં નિલ રિટર્નની એસએમએસ દ્વારા જણ શક્ય બનશે.
ઇન્કમ ટેક્સ - ટીડીએસ મોડો જમા કરાવવા બદલ 18ના બદલે 9% વ્યાજ
નાણાકીય વર્ષ 2019-20માં ઇન્કમ ટેક્સથી છૂટ મેળવવા મેડિક્લેમ, લાઇફ ઇન્શ્યોરન્સ, દાન વગેરેમાં રોકાણ કરવાની તારીખ 30 જૂન સુધી લંબાવાઇ છે. મતલબ કે તમે ટેક્સ છૂટ માટે મે મહિનામાં કોઇ નવી વીમા પોલિસી લો તો તેને નાણાકીય વર્ષ 2019-20માં બતાવી શકો છો. તદુપરાંત, આઇટી એક્ટની કલમ 54થી 54જીબી અંતર્ગત કેપિટલ ગેઇન વગેરેનો લાભ 30 જૂન સુધી લઇ શકો છો. નિલ ડિડક્શન સર્ટિ. અને ટીડીએસ રિટર્નની તારીખ લંબાઇને 30 જૂન થઇ ગઇ છે. 2018-19નું ઇન્કમ ટેક્સ રિટર્ન જમા કરાવવાની તારીખ 30 જૂન કરી દેવાઇ છે. સાથે જ વિલંબ પર લાગતું 18 ટકા વ્યાજ ઘટાડીને 9 ટકા કરાયું છે. PAN સાથે આધાર 30 જૂન સુધી લિન્ક થઇ શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Investments can still be made under 80C, 80D to get income tax exemption for 2019-20


from Divya Bhaskar https://ift.tt/2Ayf7ga

શારદાબેન હોસ્પિટલમાં દાખલ થયેલી 26 સગર્ભામાંથી 23 કોરોના પોઝિટિવ

એક તરફ પ્રસૂતિ સહિતની કેટલીક સારવાર માટે મ્યુનિ. સંચાલીત શારદાબેન હોસ્પિટલમાં મહત્તમ મહિલાઓનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે બે દિવસ પહેલા પ્રસુતી માટે દાખલ થયેલી 26 મહિલાઓનો પૈકી 23 સગર્ભા મહિલા કોરોના સંક્રમીત મળી આવતાં તંત્રએ તત્કાલ આ મહિલાઓને એસવીપી તેમજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
એસવીપીના વધુ એક રેસિડેન્ટ ડોકટર પણ કોરોનાની ઝપેટ
શહેરમાં વધુ નવા 261 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 14 દર્દીના મૃત્યુ થયા હતા. 15 દિવસ બાદ મોતની સંખ્યા ઘટી છે. છેલ્લે 29 એપ્રિલે 12 મોત નોંધાયા હતા તે પછી શુક્રવારે 14 મૃત્યુઆંક થયો છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસમાં સૌથી વધુ 29 કેસ કુબેરનગરમાંથી મળી આવ્યા છે. ખાડિયામાંથી 17, ઈસનપુરમાં 12, અસારવામાં 11, મણિનગરમાં 22, નવા વાડજમાં 10, નરોડામાં 12, વાસણામાં 11 જયારે દાણીલીમડા-જમાલપુરમાંથી 11-11 કેસ નોંધાયા હતા. એસવીપીના વધુ એક રેસિડેન્ટ ડોકટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. હોસ્પિટલમાં બે દિવસ પહેલા જ પ્રસૂતિ માટે દાખલ થયેલી 26 જેટલી મહિલાઓનો ટેસ્ટ કરવામા આવ્યો હતો. જે પૈકી 23 મહિલાઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. શારદાબેન હોસ્પિટલે આ સ્થિતિમાં તમામ કોરોના પોઝિટિવ મહિલાઓને એસવીપી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3g3eUSu

ગુજરાતની પ્રદૂષિત નદીઓ ચોખ્ખી થઈ, પાણી હવે પીવાલાયક!

કોરોનાના કેર વચ્ચે લૉકડાઉનના 50થી વધારે દિવસો વીતી ગયા છે. લૉકડાઉનની સારી અસર‌ નદીઓના પાણી પર પણ થઈ છે. નદીઓના પાણીનું આરોગ્ય સુધર્યું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ ‌બોર્ડ દ્વારા રાજ્યની વિવિધ નદીઓના પાણીના નમૂનાઓની ચકાસણી કરી લૉકડાઉનમાં કેવા ફેરફાર થયા એ પરિણામ જાહેર કરાયા છે. ૭૦ સ્થળોના પાણીની તપાસ બાદ તારણ નીકળ્યું છે કે પાણીની ગુણવત્તામાં સુધારો થયો છે. અમદાવાદમાં વહેતી સાબરમતીનું પાણી અમુક સ્થળોએ પીવાલાયક ની કેટેગરીમાં આવી ગયું છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આસોદ‌ પાસે પાણી પીવાલાયક
આ રિપોર્ટ માટે બોર્ડ દ્વારા ગત જાન્યુઆરી-માર્ચના સરેરાશ આંકડાઓ સામે એપ્રિલ ના આંકડાઓ ની સરખામણી કરી છે. જેને આધારે લૉકડાઉન અગાઉ અને લૉકડાઉન દરમિયાન થયેલા ફેરફાર નોંધ્યા છે. સાબરમતી નદીના વિવિધ ૮ સ્થળેથી પાણીના નમૂના લેવાયા હતા. રિપોર્ટ મુજબ સાબરમતીના પાણીની ગુણવત્તા સુધરી છે. ખારીકટ કેનાલ અને ખારી નદીમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. નર્મદા નદીની સ્થિતિ લૉકડાઉન અગાઉ સારી હતી ‌અને અત્યારે ‌પણ સારી છે. મહી નદીમાં પણ‌ અગાઉ જેમ સારી સ્થિતિ છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આસોદ‌ પાસે પાણી પીવાલાયક છે. અંકલેશ્વર પાસે આમલાખાડીમા લોકડાઉનની પહેલાં ની સ્થિતિ‌ કરતાં અત્યારે સ્થિતિ નબળી છે. જોકે, રિપોર્ટ માં નદી પ્રમાણે પ્રદૂષણ ઘટવાના કારણોની વધુ છણાવટ કરવામાં આવી નથી. મુખ્યત્વે આ પાંચ બાબતોના આધારે પાણીની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ટીડીએસ, એમોનીકલ નાઇટ્રોજન, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ, ડીસોલ્વ્ડ ઓક્સિજનનો સમાવેશ થાય છે.
હાંસોલ-ગાંધી બ્રિજ પાસે સાબરમતી સ્વચ્છ
સાબરમતીમાં વિવિધ સ્થળેથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી હાંસોલ બ્રીજ, નારાયણ ઘાટ, રેલવે બ્રિજ અને ગાંધી બ્રિજ ખાતેના પાણી પીવાલાયક પાણીની કેટેગરી-એમાં આવી ગયા છે. જે અગાઉ કેટેગરી-બીમાં હતા. વીએસ બ્રીજ, મીરોલી ગામ અને વૌઠા ગામ પાસે પાણીની ગુણવત્તામાં સુધારો થયો છે.
ગુજરાતમાં 20 નદીઓ પ્રદૂષિત
પર્યાવરણ મિત્ર નિયામક મહેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, 19મી જુલાઇ, 2019ના રોજ લોકસભામાં પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 20 નદીઓ પ્રદૂષિત છે. આ નદીઓ લૉકડાઉન અગાઉ પ્રદૂષિત જાહેર થયેલી હતી. પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું માનીએ તો આમાંથી ઘણી નદીઓ લૉકડાઉન પહેલાથી જ ચોખ્ખી છે.’
લોકડાઉનના કારણે કુદરતનો ખરો રંગ જોવા મળી રહ્યો છે
જીપીસીબીના મેમ્બર સેક્રેટરી એ.વી.શાહે જણાવ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન વાહન વ્યવહાર, ઉધોગો‌ અને આવી તમામ પ્રવૃત્તિઓ બંધ‌ છે જેની અસર‌ આપોઆપ દેખાઈ રહી છે. સ્વાભાવિક રીતે સારું પરિણામ આવે જ. આ‌ સમય‌ દરમિયાન કુદરતનો અસલી રંગ દેખાયો છે.
સાબરમતીનું પાણી આ ચાર સ્થળે શુદ્ધ

સ્થળ COD (Mg/L) BOD (Mg/ L)
જાન્યુ.-માર્ચ એપ્રિલ જાન્યુ.-માર્ચ એપ્રિલ
હાંસોલ બ્રિજ 17.67 11 2.14 1.2
નારાયણ ઘાટ 17.7 15 2.1 1.9
રેલવે બ્રિજ 18 14 2.3 1.85
ગાંધી બ્રિજ 21.67 15 2.39 1.98

COD-કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ/BOD- બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ચરોતરમાં મહિ નદીનું પાણી પારદર્શક થયું.


from Divya Bhaskar https://ift.tt/3fSRyPh

કોઈ રાત્રે પાટા પર સૂઈ જાય, તેને કેવી રીતે રોકી શકીએ?: સુપ્રીમ

દેશભરમાં પરપ્રાંતીય મજૂરો પગપાળા રસ્તા પર ચાલી રહ્યા છે એ મામલામાં સુપ્રીમકોર્ટે દખલગીરી કરવાનો ઈનકાર કરી દીધો છે. આ દરમિયાન અરજદારે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 16 શ્રમિકો પાટા પર મૃત્યુ પામ્યા એ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સુપ્રીમકોર્ટે કહ્યું કે તેઓ રાતે પોતે જ પાટા પર જઈને સૂઈ ગયા હતા, તો તેમને કેવી રીતે રોકી શકાય? દેશભરમાં પરપ્રાંતીય શ્રમિકોને જતા રોકવા અને તેમની દેખરેખ રાખવી કોર્ટ માટે શક્ય નથી. આ મામલામાં યોગ્ય કાર્યવાહી સરકાર જ કરશે.
અરજદારના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, સંજય કિશન કૌલ અને બી.આર. ગવઈની ખંડપીઠ સમક્ષ કહ્યું કે કેન્દ્રના દાવાથી વિપરીત મજૂરો સતત રસ્તા પર ચાલી રહ્યા છે.
પરપ્રાંતીય મજૂરો પણ તેમનો વારો આવવાની રાહ નથી જોતા
ઔરંગાબાદમાં પાટા પર સૂઈ ગયેલા 16 મજૂરનાં ટ્રેન નીચે આવી જવાથી મૃત્યુ થયાં. મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ અકસ્માતોમાં મજૂરો માર્યા ગયા. આ મુદ્દે જસ્ટિસ કૌલે કેન્દ્રને પૂછ્યું કે શું રાજ્ય સરકારો મજૂરોને સુવિધા આપી રહી છે? શું મજૂરોને ચાલતા રોકી ના શકાય? તેના જવાબમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે રાજ્ય સરકારો ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી રહી છે, પરંતુ બધાને એકસાથે મોકલી ના શકીએ. પરપ્રાંતીય મજૂરો પણ તેમનો વારો આવવાની રાહ નથી જોતા. તેઓ ઝડપથી ગામ પહોંચી જવા પગપાળા નીકળી પડે છે. આ સ્થિતિમાં અમે શું કરી શકીએ? સરકારો તેમને ચાલતા નહીં નીકળવાનો ફક્ત આગ્રહ કરી શકે, બળપ્રયોગ ના કરી શકે. બાદમાં કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળીને અરજી ફગાવી દીધી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર- મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 16 શ્રમિકો પાટા પર મૃત્યુ થયા હતા.


from Divya Bhaskar https://ift.tt/36faPpT

ઓક્સફર્ડની રસીથી વાંદરામાં 28 દિવસમાં એન્ટિબોડી વિકસિત થયું, ફેફસાંમાં ચેપ પણ અટક્યો, હ્યુમન ટ્રાયલનું પરિણામ ચાલુ મહિને

કોરોના વાઈરસની રસી બનાવવામાં વ્યસ્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એક ઉત્સાહજનક સમાચાર આપ્યા છે. સંશોધકોએ કહ્યું કે છ વાંદરા પર આ રસીની ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ રહી છે. વાંદરાઓને કોરોના વાઈરસનો એક મોટો ડોઝ આપતાં પહેલાં આ રસી અપાઈ હતી. સંશોધકોને જણાવ્યું કે કેટલાક વાંદરાના શરીરમાં આ રસીથી 14 દિવસમાં એન્ટીબોડી વિકસિત થયું અને કેટલાકમાં 28 દિવસ લાગ્યા. હાલ આ રસીનું માણસમાં પરિક્ષણ ચાલી રહ્યું છે. તેના ત્રણ તબક્કા હશે. એક હજાર લોકો પર કરાઈ રહેલા પરિક્ષણના પ્રથમ તબક્કાનો રિપોર્ટ ચાલુ મહિને આવશે. સંશોધકોનું કહેવું છે કે જો માનવ પરિક્ષણના પરિણામ પોઝિટિવ મળશે તો રસી ટૂંક સમયમાં બજારમાં આવી જશે. ઓક્સફર્ડ વેક્સિન ગ્રૂપ અને ઝેનર ઈન્સ્ટિટ્યૂટ સંયુક્ત રીતે કોરોના વાઈરસની રસીનું નિર્માણ કરી રહ્યા છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ આ સંશોધનમાં ભાગીદાર છે. સિરમ વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે.
ઘણી રસી વાંદર પર સફળ, માનવનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય છે
સંશોધકોએ ગુરુવારે કહ્યું કે કોરોના વાઈરસના સંપર્કમાં આવ્યા પછી આ રસીએ વાંદરાના ફેફસાંને નુકસાન થતા પણ બચાવ્યા અને વાઈરસને શરીરમાં પોતાની કોપી બનાવવામાં અને વધવામાં અટકાવ્યા. આ સિલસિલામાં લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપીકલ મેડિસિનના પ્રો. ડૉ. સ્ટિફન ઈવાન્સ કહે છે કે વાસ્તવમાં આ સારા સમાચાર છે. ઓક્સફર્ડ વેક્સિને એક મોટી અડચણ પાર કરી છે. વાંદરા પર પરિક્ષણની સફળતા મહત્ત્વપૂર્ણ હોય છે. પરંતુ ઘણી રસી લેબમાં તો વાંદરાનું રક્ષણ કરી લે છે પણ માનવનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય છે. જે રસી કામ નથી કરતી તે સુરક્ષા આપવાના બદલે ઘણીવાર બીમારીને વધુ વકરાવે છે. પરંતુ આ સંશોધનમાં કોઈપણ નકારાત્મક પરિણામ મળ્યું નથી એ ઉત્સાહજનક છે. તજજ્ઞો કહે છે કે એક રસને વિકસિત કરવામાં 10 વર્ષ સુધીનો સમય લાગી શકે છે. પરંતુ મોટા સંશોધકો આ રસીને ઝડપથી વિકસાવવા પ્રયત્ન કરી રહ્યા છે. પૂણે સ્થિત સિરમ ઈન્સ્ટિટ્યૂટના એક અધિકારીએ કહ્યું કે અમે ઓક્સફર્ડ-ઝેનર ઈન્સ્ટિટ્યૂટના સંપર્કમાં છીએ. આગામી મહિના સુધીમાં હ્યુમન ટ્રાયલના પ્રથમ તબક્કાના પરિણામ આવી જશે. જો બધું યોગ્ય રહેશે તો સપ્ટેમ્બર સુધીમાં રસી બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે.
ચીનનો દાવો- અમે પાંચ રસીનું હ્યુમન ટ્રાયલ કરી રહ્યા છીએ
ચીનનો દાવો છે કે તેની પાંચ રસીની હ્યુમન ટ્રાયલ બીજા તબક્કામાં ચાલી રહી છે અને કેટલાકને આગામી મહિને મંજૂરી આપી દેવાશે. નેશનલ હેલ્થ કમિશનના ઉપમંત્રી જેંગ યિસિંગે કહ્યું કે બીજા તબક્કામાં આ પાંચ રસીની 2000 લોકો પર ટ્રાયલ થઈ ચૂકી છે અને જુલાઈ સુધીમાં પરિણામ મળી જશે. ટ્રાયલ દરમિયાન અત્યાર સુધીમાં કોઈપણ દર્દીને કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ મળી નથી. અમેરિકા, બ્રિટન સહિત અનેક દેશોમાં કોરોના રસીની હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2LtGPNk

વતન પરત જઇ રહેલા શ્રમિકે  કહ્યું-ગુજરાતે અમને બધું જ આપ્યું છે, અમે પાછા આવીશું

કોરોનાના સંક્રમણના પગલે લૉકડાઉનનો અમલ કરાયો.... અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા છે ત્યારે અમરાઈવાડી રહેતા ક્રિષ્ના દેવી અને તેમનો પરિવાર કર્મભૂમિ અમદાવાદને પગે લાગી ટ્રેનમાં બેઠો હતો.
અમારુ વતન ભલે રાયબરેલી છે, પણ ગુજરાત જ અમારુ સર્વસ્વ છે
અમદાવાદના અમરાઈવાડીમાં રબારી વસાહત ખાતે રહેતા મૂળ રાયબરેલીના વતની ક્રિશ્નાવતી કહે છે કે, ‘અમે અહીં જ રહીએ છીએ.. નાનુ મોટું કામ કરીએ છીએ... અમારુ વતન ભલે રાયબરેલી છે, પણ ગુજરાત જ અમારુ સર્વસ્વ છે. ગુજરાતે અમને ઘણુ આપ્યું છે....જો કે આવી પરિસ્થિતિમાં ઘર યાદ આવે છે એટલે જ જઈએ છીએ...જિલ્લા તંત્રએ અમને વતન જવા માટેની તમામ વ્યવસ્થા કરી છે...અમે તેનાથી સંતુષ્ટ છીએ... પણ હું એટલું ચોક્કસ કહીશ કે, અમે ગુજરાત પાછા આવીશુ જ...’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમરાઈવાડી રહેતા ક્રિષ્ના દેવી અને તેમનો પરિવાર કર્મભૂમિ અમદાવાદને પગે લાગી ટ્રેનમાં બેઠો.


from Divya Bhaskar https://ift.tt/2LyCus4

2026માં બેઝોસ વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની જશે, મુકેશ અંબાણી 2033માં

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 6 વર્ષ પછી વિશ્વના પ્રથમ ટ્રિલિયોનેર બની જશે. 2026માં 62 વર્ષની વયે તેઓ 1 લાખ કરોડ ડૉલર એટલે કે 75 લાખ કરોડથી વધુ સંપત્તિના માલિક હશે. કમ્પેરિઝન નામની એક કંપનીએ કરેલા અભ્યાસ મુજબ મુકેશ અંબાણી 2033માં ટ્રિલિયોનેર બની શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ.


from Divya Bhaskar https://ift.tt/2ZjUIpB

સિવિલમાં દાખલ પોઝિટિવ વૃદ્ધનો મૃતદેહ દાણીલીમડા ‌BRTS સ્ટેન્ડમાંથી મળ્યો

દાણીલીમડામાં એક વૃદ્ધને શ્વાસની લકલીફ થતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના બીજા જ દિવસે શુક્રવારે તેમનો મૃતદેહ રહસ્યમય રીતે દાણીલીમડા બીઆરટીએસ બસ સ્ટેશન પાસે મળી આવતા ચકચાર મચી ગઈ છે.
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર ચાલી રહી હતી
દાણીલીમડામાં રહેતા વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર ચાલી રહી હતી.પરંતુ શુક્રવારે દાણીલીમડાના બીઆરટીએસ બસ સ્ટેશન પાસે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. વીએસના પોસ્ટમોર્ટમ વિભાગ દ્વારા તેમના પરિવારને આ અંગેની જાણ કરાતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
‌BRTS સ્ટેન્ડમાંથી પોઝિટિવ વૃદ્ધનો મૃતદેહ મળ્યો.


from Divya Bhaskar https://ift.tt/2ySLDt3

સોમવારથી લોકડાઉનનો વધુ એક તબક્કો શરૂ થશે, મોટાભાગના રાજ્યો આર્થિક ગતિવિધિઓ શરૂ કરશે

દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો 18મેથી શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની જાહેરાત કરી ચૂક્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અમુક અન્ય રાજ્યો વેપાર શરૂ કરવા મંજૂરી માગી રહ્યા છે. રેલવે, રોડ અને એર ટ્રાવેલ પણ અલગ અલગ સ્તરે શરૂ થઇ છે. વડાપ્રધાને ગત અઠવાડિયે મુખ્યમંત્રીઓ સાથે 6 કલાક સુધી વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી. તેમાં ઘણા સૂચનો મળ્યા હતા.અહીં ફેઝ-4 પર અમુક રાજ્યોની તૈયારીઓ પર નજર કરીએ. તેનાથી અંદાજ લાગી શકે છે કે ત્યાં હવે શું સંભાવનાઓ છે.

દિલ્હી
મુખ્યમંત્રી કેજરીવાલે પીએમઓને એક પ્રસ્તાવ મોકલ્યો હતો. તે પ્રમાણે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં વેપારને છૂટ મળે તેવી માગ કરવામાં આવી હતી. ગુરૂવારે કેજરીવાલે મીડિયાને કહ્યું હતું - મેં લોકો પાસેથી ફીડબેક લીધો છે. નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પાબંદી ઓછી કરવી જોઇએ. રેડ ઝોન પર કડક દેખરેખ જરૂરી છે.

કેરળ
અહીં પ્રવાસન આવકનું મોટું સાધન છે. રાજ્ય સરકારે કેન્દ્રને મેટ્રો, લોકલ ટ્રેન, ડોમેસ્ટિક ફ્લાઇટ્સ, રેસ્તરાં અને હોટલ ફરી શરૂ કરવાની મંજૂરી માગી છે. ભારતમા સંક્રમણનો પહેલો કેસ આ રાજ્યમાંથી જ સામે આવ્યો હતો. અત્યાર સુધી 560 કેસ સામે આવી ચૂક્યા છે. 500 સ્વસ્થ છે. ચારના મોત થયા છે.

કર્ણાટક
અહીં પણ સરકારની માંગણી કેરળ જેવી જ છે. સરકાર રેસ્તરાં, હોટલ અને જિમ ફરી ખોલવા માગે છે. રાજ્યમાં 959 એક્ટિવ કેસ છે. ગત અઠવાડિયે પબ અને બાર ખોલવામાં આવ્યા હતા. જોકે અહીંથી ખરીદવાની જ સુવિધા છે, ગ્રાહકો અહીં બેસી નથી શકતા.

તમિલનાડુ
અહીં સરકારે કન્ટેનમેન્ટ ઝોન છોડીને બાકીના વિસ્તારોમાં બિઝનેસ એક્ટિવિટી શરૂ કરવા મંજૂરી માગી છે. ચેન્નઇની એક શાક માર્કેટથી 2 હજાર 600 લોકો સંક્રમિત થયા હતા. રાજ્ય સરકારનો દાવો છે કે તેમણે શંકાસ્પદ વિસ્તારોની ઓળખ કરી લીધી છે. અમુક સેક્ટર્સમાં કામ કરવા માટે પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાત
રાજ્યમાં 9 હજાર 591 કેસ સામે આવી ચૂક્યા છે. ગુજરાત બિઝનેસ એક્ટિવીટી સેન્ટર છે. ખાસ કરીને શહેરો તેના કેન્દ્ર છે. અમદાવાદ, સુરત અને વડોદરા અત્યારે બંધ છે. આ ત્રણેય શહેરોમાં રાજ્યના કુલ 80 ટકા કેસ છે. અહીં પરિસ્થિતિ પડકારજનક છે.

મહારાષ્ટ્ર
અહીં એક હજારથી વધુના મોત થયા છે. મુંબઇ અને પૂણે સૌથી વધારે પ્રભાવિત છે. તેમ છતા સરકાર મુંબઇમાં અમુક સ્થળોએ રાહત આપવા જઇ રહી છે. અમુક ઓફિસ ખોલવામાં આવી છે , અમુક ખુલી શકે છે. મુંબઇમાં 16 હજાર કેસ સામે આવ્યા છે. અહીં ફરી કામકાજ શરૂ કરવું જોખમી સાબિત થઇ શકે છે.

બિહાર, ઝારખંડ, ઓડિશા
ત્રણેય રાજ્યોમાં લોકડાઉન છે અને કેસ વધી રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી પ્રવાસી મજૂરો પરત ફર્યા તો કેસ વધી ગયા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પહેલા જ કહી ચૂક્યા છે કે રાજ્યમાં લોકડાઉન 31 મે સુધી રહેશે. ઓડિશામાં 611 કેસ છે અને ત્રણના મોત થયા છે.

ઉત્તરપ્રદેશ અને પંજાબ
ઉત્તરપ્રદેશ સામે પણ મોટો પડકાર છે. અહીં 3 હજાર 902 કેસ છે અને 88ના મોત થયા છે. બે લાખથી વધુ લોકો ક્વોરેન્ટીન છે. પંજાબમાં એક હજાર 935 કેસ છે. 32ના મોત થયા છે. મુખ્યમંત્રી અમરિંદરસિંહે લોકડાઉન વધારવાની માંગ કરી છે. મોદી સાથે મીટિંગમાં કેપ્ટને કહ્યું હતું કે તેઓ કર્ફ્યૂ અંગે વિચાર કરશે.

અસમ
મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ પણ કેપ્ટન અમરિંદરની જેમ લોકડાઉન ચાલુ રાખવાનું સૂચન આપી રહ્યા છે. જોકે તેમણે કહ્યું કે તેઓ કેન્દ્રના આદેશની રાહ જોશે. તેમણે કહ્યું- માત્ર એક નિર્ણયની વાત નથી, ઘણા નિર્ણય લેવા પડશે. તેના માટે કેન્દ્રની ગાઇડલાઇન્સની રાહ જોઇશું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
One more phase of the lockdown will begin from Monday, with most states starting economic activities


from Divya Bhaskar https://ift.tt/3cAEwnn

Migrant worker on way to Odisha collapses due to scorching heat, dies

Migrant worker on way to Odisha collapses due to scorching heat, dies

from India Today | Top Stories https://ift.tt/2T8skTp

Coronavirus chaos to worsen water crisis in Delhi

Coronavirus chaos to worsen water crisis in Delhi

from India Today | Top Stories https://ift.tt/3cDxKgD

Thursday, May 14, 2020

A new normal beckons courts when they open

A week or so ago I read a thoughtful letter by a lawyer to the Allahabad high court chief justice on instituting a standard operating protocol for e-filing of cases. In the coming days, the...

from Times of India Opinion https://ift.tt/35ZLMqw

Lockdown 3.0: Indore locals distribute 8,000 food packets to the needy during lockdown

Lockdown 3.0: Indore locals distribute 8,000 food packets to the needy during lockdown




from News - Videos - The Times of India https://ift.tt/2zEg2uW

MPS Awareness Day_15th May 2020

MPS Awareness Day is Internationally celebrated on 15th day of May every year. MPS stands for Mucopolysaccrharidosis. It aims to raise awareness among the people regarding this life threatening rare diseases.  There are Nine types...

from Times of India Opinion https://ift.tt/2yNgKpP

E-com firms grappling with policy issues

As we head towards Lockdown 4.0, e-commerce companies are still grappling with policy flip-flops, resulting in supply disruptions in a number of places and inconvenience for end-consumers. On the night of March 24, when Prime...

from Times of India Opinion https://ift.tt/3dNFeOA

Olive Ridley turtles hatch in Odisha, hundreds get stuck in forest department fishing nets

Olive Ridley turtles hatch in Odisha, hundreds get stuck in forest department fishing nets




from News - Videos - The Times of India https://ift.tt/2LwfIB2

છેલ્લા 9 દિવસમાં ટેસ્ટની સંખ્યા 3147 ઘટાડી પણ કેસોની સંખ્યા ઘટી માત્ર 56

છેલ્લા 9 દિવસમાં સરકારે રાજ્યમાં થતા કોરોનાના ટેસ્ટની સંખ્યા સતત ઘટાડી દીધી છે. 6ઠ્ઠી મેએ રાજ્યમાં 5559 ટેસ્ટ થયા હતા. જેની સામે 380 પોઝિટિવ કેસ હતા. જ્યારે 14મી મેએ આખા રાજ્યમાં માત્ર 2412 ટેસ્ટ થયા હતા. જેની સામે 324 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ છેલ્લા 9 દિવસમાં ટેસ્ટની સંખ્યા 56 ટકા કરતાં વધુ ઘટાડી દેવાઈ છે. પરંતુ પોઝિટિવ કેસની સંખ્યામાં માત્ર નજીવો ઘટાડો થયો છે. ટેસ્ટ ઘટાડીને ટેસ્ટ ઓછા બતાવવાનો રાજ્ય સરકારનો આ કારસો પણ નિષ્ફળ નીવડ્યો છે.
14 દિવસને બદલે માત્ર 10 દિવસમાં જ ટેસ્ટ કર્યા વગર રજા આપી
બીજી તરફ રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ હજુ પણ એવું કહી રહ્યા છે કે, આ માત્ર ‘નાનો-મોટો’ ફેરફાર છે. ટેસ્ટ ઓછા થયા એ એક ભ્રમ છે, માત્ર નાના-મોટા ફેરફાર સંખ્યામાં થાય છે. અત્યાર સુધીમાં ગુજરાતે દર દસ લાખ લોકોએ કરેલાં ટેસ્ટ અન્ય રાજ્યોની સરખામણીએ વધુ છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, દર્દીઓની સંખ્યા ઓછી બતાવવાના ઈરાદાથી કોરોના ટેસ્ટની સંખ્યા વધારવાને બદલે ઘટાડી દેવાઈ છે. તથા દર્દીઓને 14 દિવસને બદલે માત્ર 10 દિવસમાં જ ટેસ્ટ કર્યા વગર રજા આપી દેવાનો ભાજપ સરકારનો નિર્ણય રાજ્યની આમપ્રજા માટે ઘાતક નીવડે એવી સંભાવના છે.
સતત ઘટતી ટેસ્ટની સંખ્યા

દિવસ ટેસ્ટ પોઝિટિવ ટકાવારી
14 મે 2,412 324 13.43
13 મે 2761 364 13.23
12 મે 3066 362 11.80
11 મે 2978 347 11.65
10 મે 3843 398 10.35
9 મે 4263 394 9.24
8 મે 4835 390 8.06
7 મે 5362 388 7.23
6 મે 5559 380 6.83

દર 10 લાખે ટેસ્ટ

1 દિલ્હી 6043
2 આંધ્રપ્રદેશ 4030
3 તામિલનાડુ 3850
4 રાજસ્થાન 2520
5 ચંદીગઢ 2125
6 ગુજરાત 1859
7 કર્ણાટક 1791
8 મહારાષ્ટ્ર 1745
9 કેરળ 1066
10 મધ્યપ્રદેશ 1012

ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરવા પર પ્રતિબંધ મુકાયો
ખાનગી લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ કરવા ઉપર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ આઇસીએમઆરની ગાઇડલાઇન મુજબ ગુજરાતમાં પાંચ ખાનગી લેબોરેટરીને કોરોના માટેના ટેસ્ટ કરવા મંજૂરી આપી જેથી રાજ્યની સરકારી તંત્રની મર્યાદાને પહોંચી વળી મહત્તમ ટેસ્ટ કરી શકાય. પરંતુ જો કોઈનો ટેસ્ટ પોઝિટિવ આવે તો સરકારની મંજૂરી વિના જાહેર ન કરી શકાય તેવા નિયંત્રણો મુકાયા હતા. ખાનગી લેબોરેટરીઓ પર મુકાયેલા આ પ્રતિબંધનો બચાવ કરતા આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, અમને એવું પણ જાણવા મળ્યું છે કે આ લેબ ખૂબ વધુ પ્રમાણમાં ટેસ્ટનો ચાર્જ કરે છે જ્યારે સરકારી લેબમાં તે નિ:શુલ્ક થાય છે. તેથી જરૂર હોય તેવા દર્દીઓનો ટેસ્ટ હવે સરકારી લેબમાં જ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2Z4ufMh

કોરોના પોઝિટિવ કેસ મામલે 24 દિવસ પછી ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને, મહારાષ્ટ્ર પ્રથમ અને તામિલનાડુ બીજા સ્થાને

ગુજરાતમાં હાલ સાજા થઇને જઇ રહેલાં દર્દીઓની સંખ્યા વધી રહી છે તેથી સરેરાશ રિકવરી રેટ ખૂબ ઊંચો આવ્યો છે. આ તરફ ગુરુવારે સાંજે પાંચ વાગ્યે પૂરા થયેલાં 24 કલાક દરમિયાન રાજ્માં કુલ નવા 324 કેસ નોંધાતા કુલ આંકડો 9,592 પર પહોંચ્યો છે. પરંતુ તામિલનાડુમાં પણ હાલ પોઝિટિવ કેસની સંખ્યા વધતાં હવે સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દી ધરાવતા રાજ્યોની સ્થિતિએ ગુજરાત હવે બીજેથી ખસીને ત્રીજે આવ્યું છે. જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા જોઇએ તો હાલ ગુજરાત સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હી બાદ ચોથા ક્રમે છે. ગુજરાતનો રિકવરી રેટ 38.43 ટકા છે જે દેશમાં અગિયારમાં સ્થાને છે. ગુરુવારે રાજ્યમાં કુલ 191 લોકોને ડિસ્ચાર્જ અપાયા અને અત્યાર સુધીમાં તે આંક 3,753 થયો છે. આ ઉપરાંત વધુ વીસ લોકોના મૃત્યુ સાથે હવે કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીનો આંકડો 586 પર પહોંચ્યો છે જે સમગ્ર દેશમાં બીજા સ્થાને છે તથા તેનો દર 6.11 ટકાનો છે.
હાલ ગુજરાતમાં કુલ 5,253 દર્દીઓ એક્ટિવ છે એટલે કે વિવિધ સ્થળોએ સારવાર હેઠળ છે. તે પૈકી કુલ 5,210 દર્દીઓની સ્થિતિ સ્થિર છે જ્યારે 43 દર્દીઓ વેન્ટિલેટર પર છે. ઘણાં વખતથી પોરબંદરમાં દર્દીઓ સાજા થતાં જિલ્લો કોરોના મુક્ત થઇ ગયો હતો, પરંતુ આજે એક નવો કેસ નોંધાયો હતો.
અગાઉ 21 એપ્રિલે ગુજરાત બીજા સ્થાને પહોંચ્યુ હતું
અગાઉ ગઇ 21 એપ્રિલે ગુજરાત 2,178 પોઝિટિવ કેસ સાથે સમગ્ર દેશમાં બીજા સ્થાને સૌથી વધુ કેસ ધરાવતું રાજ્ય બન્યું હતું. તે પૂર્વે 19 એપ્રિલે ગુજરાત ત્રીજા સ્થાને પહોંચ્યું હતું અને તે દિવસે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 હતી. આમ 24 દિવસ બાદ ફરી ગુજરાત સમગ્ર દેશમાં ફરી ત્રીજા સ્થાને આવ્યું છે.
કોરોનામીટર: ભાવનગરમાં 100, સુરતમાં 1000 દર્દી

શહેર નવા કુલ ડિસ્ચાર્જ
અમદાવાદ 265 6910 2247
આણંદ 2 82 70
બનાસકાંઠા 1 83 41
ભાવનગર 3 103 46
છોટા ઉદેપુર 4 21 14
ગાંધીનગર 4 146 61
ગીર સોમનાથ 4 22 3
મહેસાણા 6 73 37
પંચમહાલ 2 68 37
પાટણ 3 34 22
પોરબંદર 1 4 3
સુરત 14 1021 631
વડોદરા 13 605 363


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Gujarat ranks third in the country after 24 days in Corona positive case, Maharashtra first and Tamil Nadu second


from Divya Bhaskar https://ift.tt/362WU5O

ખાનગી હોસ્પિટલ દ્વારા કોરોનાની સારવાર માટે લાખોની ફી વસૂલાત સામે ગુજરાત હાઇકોર્ટનું અલ્ટીમેટમ

કોરોનાના કહેરને પગલે ગુજરાત હાઇકોર્ટે લીધેલી સુઓમોટો અરજીમાં સરકારને અને ખાનગી હોસ્પિટલોને અલ્ટીમેટમ આપ્યુ છે. ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાની સારવારને નામે વસુલાતી લાખો રૂપિયાની ફીને સરકાર દ્વારા તાત્કાલિક અસરથી નિયંત્રિત કરવા આદેશ કરવામા આવ્યો છે. જો હાઇકોર્ટના આદેશનુ પાલન કરવામા નહી આવે તો આકરા પરિણામો ભોગવવા તૈયાર રહેવાનો આદેશ કરવામા આવ્યો છે.
હાઇકોર્ટનો 3 સવાલોના જવાબ 22 મે સુધીમાં રજૂ કરવા આદેશ

  • કોરોનાના દર્દીનાં સીરમ પોટેશિયમ લેવલ ટેસ્ટ કરવામાં આવે છે? પોટેશિયમનું હાઇ અને લૉ લેવલ બન્ને જોખમી છે.
  • ડોક્ટર અને નર્સને આપવામા આવતી PPE કિટની ગુણવત્તા ચકાસવામાં આવે છે? કિટને બ્લડ પેનેટ્રેશન રેઝઇસન્ટ ટેસ્ટ દ્વારા પ્રમાણિત કરાઇ છે?
  • ICU wardમાં 24 કલાક સિનિયર એનેસ્થેટીસ્ટ ફરજ પર હોય છે કે નહી? કેમકે દર્દીને શ્વાસ સંબંધિત ફરીયાદ વધુ રહે છે.

પરપ્રાંતીયો માટે બધી વ્યવસ્થા કરો : હાઇકોર્ટ
હાઇકોર્ટે સરકારને એવી ટકોર કરી છે કે પરપ્રાંતીયોને અત્યારે સોશિયલ ડીસ્ટન્સનું જ્ઞાન આપવાનો સમય નથી. તેમને કોરોના વાઇરસની ગંભીરતા ન સમજાય તેમને અત્યારે ભૂખની ચિંતા વધુ હોય. સરકારે તેમને વતન પહોચાડવાની અને જમવાની વ્યવસ્થા કરવા આદેશ કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3bAntAw

રાજસ્થાન લઈ જવાના રૂ. 40 હજાર માગ્યા, 3 દિવસ બાઈક મોડિફાઈ કરી, રૂ. 1300નું પેટ્રોલ ભરાવી 9 લોકો રવાના થયા

આત્મનિર્ભર ભારત અભિયાનનું આનાથી બીજુ શ્રેષ્ઠ ઉદાહરણ શું હોઈ શકે. ! મૂળ રાજસ્થાનના પાલીનો આ શ્રમિક પરિવાર રાજકોટમાં રહીને મૂર્તિ બનાવવાનું કામ કરતો હતો. લૉકડાઉનના પગલે ધંધા રોજગાર બંધ થતા વતન જવા માટે પરિવારે લક્ઝરી બસના સંચાલકોનો સંપર્ક કર્યો તો તેમણે વતન લઈ જવાના રૂ.40 હજાર કહ્યા. ખિસ્સામાં માત્ર 2 હજાર રૂપિયા અને પરિવારમાં 9 સભ્યો. કેવી રીતે વતન પહોંચીશું? આ સવાલ લઈને હાથ પર હાથ રાખીને બેસી રહેવાની બદલે પરિવારના મોભી સોમાભાઈએ 3 દિવસમાં પોતાના બાઈકને મોડીફાઈ કરી પાછલ ટ્રોલી લગાવી વતન માટે નીકળી પડ્યા.
રસ્તામાં 3 વખત બાઈકનું એક્સેલ તૂટી જતા તે રિપેર કરાવ્યું
રાજકોટથી 350 કિલોમીટરનું અંતર કાપી પહોંચેલા સોમાભાઈએ જણાવ્યું હતું કે, હવે 360 કિલોમીટરનું અંતર બાકી છે. રૂ. 1300ના પેટ્રોલમાં અમે અમારા વતન પહોંચી જશું. રસ્તામાં 3 વખત બાઈકનું એક્સેલ તૂટી જતા તે રિપેર કરાવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બાઈકને મોડીફાઈ કરી પાછલ ટ્રોલી લગાવી વતન જવા નિકળ્યા.


from Divya Bhaskar https://ift.tt/2WxCfUv

ભારતમાં ચીન જેટલા કોરોનાનાં દર્દી થયા, વિશ્વમાં કોરોનાથી કુલ મોત 3 લાખને પાર

ચીનમાં 60 દિવસમાં નવા દર્દી 100થી વધુ થયા નથી. જ્યારે બીજી તરફ ભારતમાં 28 માર્ચે પહેલીવાર 100નો આંકડો પાર થયો હતો અને હવે રોજ 3 હજાર દર્દી મળે છે. શુક્રવારે ભારત ચીનને પાછળ છોડી 1100થી પ્રભાવિત દેશોમાં સામેલ થશે.
ચીનમાં 78 હજાર દર્દી થતા 176 દિવસ લાગ્યા હતા, ભારતમાં માત્ર 106 દિવસ

  • ચીનમાં 17 નવેમ્બર 2019ના રોજ પ્રથમ દર્દી મળ્યો હતો. મહિના સુધી ખ્યાલ આવ્યો ન હતો.
  • ભારતમાં 30 જાન્યુ.એ પ્રથમ દર્દી મળ્યો હતો. 14 મેના રોજ આંકડો 78 હજારને પાર થઈ ગયો.

મહત્ત્વની વાત એ છે કે ચીને ચેપનો ફેલાવો અટકાવ્યો હતો. 72 હજાર દર્દી માત્ર હુવેઈ પ્રાંતમાં હતા. વુહાન શહેર તેનું કેન્દ્ર હતું. આ બાજુ ભારતના 5 રાજ્યોમાં 5 હજારથી વધુ દર્દી છે. મહારાષ્ટ્રમાં 25 હજારથી વધુ છે.

ચીનમાં માત્ર એક પ્રાંત કેન્દ્રમાં રહ્યો, ભારતના તમામ મોટા રાજ્ય પ્રભાવિત

  • ચીનમાં કોરોનાનું કેન્દ્ર રહેલા હુવેઈ પ્રાંતની બહાર માત્ર બે પ્રાંતમાં 100થી વધુ લોકોને ચેપ લાગ્યો હતો
  • ભારતના 27 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના ફેલાયો. 13.9 દિવસમાં દર્દી બમણાં થયા.

ચીનમાં સક્રિય દર્દીની સંખ્યા 14 એપ્રિલે 1 હજારથી નીચે આવી ગઈ છે. આ બાજુ ભારતમાં 14 એપ્રિલે સક્રિય દર્દી 10 હજાર થયા હતા. એટલે કે 1 મહિનામાં ચીનમાં 9894 દર્દી ઓછા થયા જ્યારે ભારતમાં 39 હજાર વધ્યા.

ચીનમાં હવે માત્ર 104 એક્ટિવ કેસ છે, અહીં ભારતમાં 49918

  • ચીનમાં 16 ફેબ્રુઆરીએ સૌથી વધુ 57907 એક્ટિવ દર્દી હતા. ત્યારપછી ઘટવા લાગ્યા.
  • ભારતમાં હવે એક્ટિવ દર્દીની સંખ્યા સતત વધી રહી છે. રિકવરી રેટ 32 ટકા પહોંચ્યો છે.

ચીનમાં 21 દિવસ પછી દર્દી ઘટ્યા, ભારતમાં 51 દિવસ પછી વધે છે

  • ચીનમાં 23 જાન્યુઆરીએ લૉકડાઉન અમલમાં આવ્યું. ત્યારપછી 12 ફેબ્રુઆરીએ 1 દિવસમાં સૌથી વધુ 14 હજાર દર્દી મળ્યા. પરંતુ ત્યારપછી નવા દર્દીની સંખ્યા સતત ઘટવા માંડી. આથી 8 એપ્રિલે 77 દિવસ પછી ચીનમાં લૉકડાઉન હટાવી દેવાયું.
  • અહીં ભારતમાં 25 માર્ચે લૉકડાઉન લાગુ થયું. 51 દિવસ પછી પણ દર્દી ઘટવાના શરૂ થયા નથી. તજજ્ઞો કહે છે કે જૂનના અંતે દર્દી ચરમસીમાએ હોઈ શકે છે. જોકે લૉકડાઉનમાં ધીરે-ધીરે છૂટ વધી રહી છે.
  • તજજ્ઞ કહે છે કે ચીને કડક લૉકડાઉન દ્વારા વાઈરસને વુહાનની બહાર નીકળવા દીધો નહીં. ચીનનો 70 ટકા વિસ્તાર સુરક્ષિત રહ્યો. પરંતુ ભારતમાં માત્ર પૂર્વોત્તર રાજ્યોના 3 રાજ્યો સિવાય કોઈપણ વિસ્તાર વાઈરસથી બચી શક્યો નહીં.

ભારતમાં ચીનથી ઓછા લોકોના મોત થયા, પરંતુ જોખમ યથાવત્ છે

  • ચીનમાં 5.59 ટકા દર્દીના મોત થયા. ભારતમાં આ દર 3.16 ટકા છે. એટલે કે ભારતમાં મૃત્યુદર ચીનથી સારો છે. કારણકે ભારતમાં હજી એક્ટિવ દર્દી 49918 છે. આથી આ દર વધી શકે છે.
  • ચિંતાજનક બાબત એ છે કે, વિશ્વમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુઆંક 3 લાખને પાર થઈ ગયો છે. ભારતમાં દર્દીનો મૃત્યુદર વિશ્વમાં રશિયા અને પેરુ પછી સૌથી ઓછો છે. અમેરિકામાં અત્યારે મૃત્યુદર 5.96 ટકા છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2Lt4NIt

ગુજરાતમાં 21 લાખ પરપ્રાંતીય શ્રમિકો, 6 લાખ લોકોનું પલાયન

કોરોના વાઈરસના સંક્રમણને પગલે દેશભરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લૉકડાઉનને કારણે કામધંધો બંધ થઇ જતા દેશભરના શ્રમિકો પોતાના વતન જવા માટે નીકળી પડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રો સાથે સંકલનથી મેળવેલી સંખ્યા પ્રમાણે ગુજરાતમાં 20.95 લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો છે. તંત્ર પહોંચી શક્યું ન હોય અથવા જેઓ હજુ પણ ગુજરાતમાં રહેવા માંગતા હોય તેવા અન્ય 5થી 7 લાખ જેટલા શ્રમિકો હોવાનો અંદાજ છે. શ્રમિકો વતન પાછા રવાના થઈ રહ્યા હોવાથી આગામી દિવસોમાં ઉદ્યોગોની સ્થિતિ કફોડી બનવાનો અંદાજ છે.
ટેક્સટાઇલ, ગોલ્ડ, કન્સ્ટ્રક્શન સહિતના ક્ષેત્રોમાં ગંભીર અસર થશે
ઉદ્યોગજગતના જણાવ્યા પ્રમાણે 65% શ્રમિકોએ પાછા નહીં આવે તો પણ 55 % ઇન્ડરસ્ટ્રીઝનું કામ અટકી જશે. સુરત ક્રેડાઈના પ્રમુખ રવજી પટેલે જણાવ્યું હતું કે કારીગરોની અછના લીધે વિવિધ ક્ષેત્રો પર ગંભીર અસર થશે. ટેક્સટાઇલ, ગોલ્ડ, કન્સ્ટ્રક્શન સહિતના ક્ષેત્રોમાં મોટાભાગના પરપ્રાંતીય શ્રમિકો પરત આવે એવી ઓછી શક્યતા છે. રાજ્ય સરકાર કેન્દ્રની ગાઇડલાઇન મુજબ 20.95 લાખ શ્રમિકોને તેમના વતનમાં પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે 14મીની મધરાત સુધીમાં 351 ટ્રેન મારફતે 4.75 લાખ શ્રમિકોને વિવિધ રાજ્યોમાં આવેલા તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે. બાકીના લોકો માટે પણ વ્યવસ્થા થઇ રહી છે. સૂત્રો મુજબ લૉકડાઉનના ત્રણ તબક્કા દરમિયાન અંદાજે 5 લાખથી વધુ શ્રમિકો તંત્રની વ્યવસ્થાની રાહ જોયા વિના પગપાળા, પોતાના વાહનમાં કે જે વાહન મળ્યું તેમાં પોતાના વતન પહોંચ્યા છે.
ગુજરાતમાં સૌથી વધુ કયા રાજ્યના શ્રમિકો

રાજ્ય શ્રમિક
ઉત્તર પ્રદેશ 5,46,975
મધ્ય પ્રદેશ 2,96,141
રાજસ્થાન 1,91,834
ઓડિશા 3,46,703
બિહાર 3,83,620
મહારાષ્ટ્ર 94,402
પ.બંગાળ 51,943
ઝારખંડ 42,414
ઉત્તરાખંડ 27,740
છત્તીસગઢ 27,276


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પલાયન થઇ રહેલા પરપ્રાંતિયો.


from Divya Bhaskar https://ift.tt/2WWjGZc

પદ્મનાભ મંદિરમાં અગાઉ મહિને 3 કરોડનું દાન, હવે 25 હજાર; દેશના પાંચ સૌથી વધુ આવક ધરાવતા મંદિરોનો રિપોર્ટ

22 માર્ચથી શરૂ થયેલા લૉકડાઉન પછી દેશના તમામ મોટા મંદિરોમાં શ્રદ્ધાળુઓ દ્વારા અપાતું દાન લગભગ બંધ છે. એવામાં મંદિરોએ પોતાની મૂડીના સહારે સંચાલન કરવું પડી રહ્યું છે. દેશમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા કેરળના પદ્મનાભ સ્વામી મંદિરમાં દર મહિને 3 કરોડ રૂપિયાનું દાન આવતું હતું. પરંતુ લૉકડાઉનમાં માત્ર 25 હજાર રૂપિયાનું જ દાન આવ્યું. વૈષ્ણોવદેવી મંદિર ઓનલાઈન દાન લેવાના વિકલ્પ અંગે વિચારી રહ્યું છે. તો સાંઈબાબા ટ્રસ્ટ પાસે પોતાની એફડી તોડવા સિવાય વિકલ્પ નથી.
દાન દ્વારા વધુ આવક મેળવતા મંદિરોનો રિપોર્ટ...
જમા રકમના વ્યાજમાંથી વેતન, 6 કરોડનું નુકસાન:પદ્મનાભ સ્વામી, કેરળ

કેરળનું તિરુઅનંતપુરમનું પદ્મનાભ સ્વામી મંદિર દેશમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતું મંદિર છે. લૉકડાઉનથી મંદિરને લગભગ 6 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. મંદિરને મહિને સરેરાશ અઢીથી ત્રણ કરોડ રૂપિયાની આવક થાય છે. મંદિરના 307 કર્મચારીઓને દર મહિને 1.1 કરોડ રૂપિયા વેતન તરીકે અપાય છે. ગયા મહિને બેન્કમાં ભેગી થયેલી રકમ અને આ મહિને એફડી પર મળનારા વ્યાજમાંથી વેતન અપાયું હતું. ઓનલાઈન દાન દ્વારા રોજના લગભગ 25 હજાર રૂપિયા જ મળે છે.
ઓનલાઈન દાનવાળો વિકલ્પ હોવા છતાં આવક ઘટી:સિદ્ધિવિનાયક, મુંબઈ
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં છેલ્લા બે મહિનામાં દાનની આવક 90 ટકા સુધી ઘટી છે. મંદિરની વેબસાઈટ પર દર્શાવેલા આંકડા અને છેલ્લા વર્ષનું સરવૈયું જોતાં મંદિરમાં 150 કર્મચારી છે. તેમના વેતન અને સારસંભાળ પાછળ લગભગ 6-7 કરોડ રૂપિયાનો માસિક ખર્ચ થાય છે. મંદિરની વાર્ષિક આવક 410 કરોડ રૂપિયા છે. આ એ હિસાબ સરેરાશ 21-22 લાખ શ્રદ્ધાળુ મંદિરમાં આવ્યા નહીં અને મંદિરને લગભગ 60-65 કરોડ રૂપિયાનું દાન મળી શક્યું નહીં.
એફડી તોડી 15 કરોડનું વેતન આપ્યું, મળ્યા માત્ર અઢી કરોડ: સાંઈબાબા ટ્રસ્ટ, શિરડી, મહારાષ્ટ્ર
શિરડીના સાંઈબાબા ટ્રસ્ટની વાર્ષિક આવક લગભગ 700 કરોડ રૂપિયા છે. છેલ્લા બે મહિનામાં લગભગ અઢી કરોડનું ઓનલાઈન દાન મળ્યું. જ્યારે દાનપેટીમાં આ દરમિયાન લગભગ 100 કરોડ રૂપિયા આવ્યા નહીં. મંદિરના 6 હજાર કર્મચારીને એપ્રિલનું વેતન આપવા એફડી તોડાવવી પડી. મંદિર પાસે લગભગ 2500 કરોડ રૂપિયાની એફડી છે. લૉકડાઉન પૂરું થઈ ગયા પછી દર્શનાર્થીઓની સંખ્યા ત્રીજા ભાગની કરાશે.
FD-જમા સોનાના વપરાશના બદલે નવા વિકલ્પ શોધશે: તિરૂપતિ બાલાજી, આંધ્રપ્રદેશ
રોજ સૌથી વધુ દાન મેળવનારા તિરૂપતિના વેંકટેશ્વર બાલાજી દેવસ્થાનમને દર મહિને લગભગ 200 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડે છે. છેલ્લા બે મહિનામાં 400 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. મંદિરના લગભગ 22 હજાર કર્મચારીઓના વેતન, સારસંભાળ અને સુરક્ષા પાછળ દર મહિને 110 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. સમિતિના જણાવ્યા મુજબ મેનું વેતન તો આપીશું પણ જૂનથી નવા સાધનો શોધવા પડશે.
હવે ઓનલાઈન દાન-પ્રસાદનો વિકલ્પ અજમાવવો પડશે: માતા વૈષ્ણોદેવી, કટરા, જમ્મુ
કટરા સ્થિત માતા વૈષ્ણોદેવી મંદિરમાં દર મહિને 25થી 30 કરોડ રૂપિયાનું દાન આવે છે. લૉકડાઉનને કારણે લગભગ 60 કરોડ રૂપિયાની આવક ઘટી છે. મંદિરના 3 હજાર કર્મચારીઓનું વેતન 13 કરોડ જેટલું છે. સારસંભાળ અને અન્ય ખર્ચ પાછળ 4-5 કરોડ ખર્ચાય છે. શ્રાઈન બોર્ડ બે મહિનાથી વેતન અને અન્ય ખર્ચા જમા રકમમાંથી આપી રહ્યું છે પણ હવે રોકડ નહીં હોવાથી મુશ્કેલી આવી શકે છે. આથી ઓનલાઈન દાન-પ્રસાદનો વિકલ્પ અજમાવાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પદ્મનાભ મંદિરની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/367ZmIA

વાતચીત દરમિયાન નીકળતા ડ્રોપલેટ 8 મિનિટ સુધી હવામાં રહે છે, તેનાથી પણ કોરોના વાઈરસ ફેલાઇ શકે 

સામાન્ય વાતચીત દરમિયાન પણ શ્વાસ સાથે નીકળતા સૂક્ષ્મ ટીપાં (રેસ્પિરેટરી ડ્રોપલેટ) હવામાં 8 મિનિટ કે તેથી પણ વધુ સમય સુધી રહી શકે છે. કોરોના વાઇરસ ફેલાવાનું એક મોટું કારણ આ પણ હોઇ શકે છે.
મોઢામાંથી નીકળતા ડ્રોપલેટ પર લેસર લાઇટનો ઉપયોગ કરાયો
આનાથી એ સમજવામાં મદદ મળી છે કે હોસ્પિટલો, ઘરો, આયોજનો અને ક્રૂઝ જેવી મર્યાદિત હવાવાળી જગ્યાએ ચેપ વધુ કેમ ફેલાયો? અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડાયાબિટીસ એન્ડ ડાઇજેસ્ટિવ એન્ડ કિડની ડિસીસ તથા પેન્સિલવેનિયા યુનિ.ના સંશોધકોએ સ્ટડીમાં આ દાવો કર્યો છે. આ સ્ટડી પ્રોસીડિંગ્સ ઑફ ધ નેશનલ એકેડમી ઑફ સાયન્સીસમાં પ્રકાશિત થયો છે. સ્ટડી એક પ્રયોગ પર આધારિત છે, જેમાં આપણે બોલીએ ત્યારે મોઢામાંથી નીકળતા ડ્રોપલેટ પર લેસર લાઇટનો ઉપયોગ કરાયો હતો. સ્ટડીમાં જણાવાયું છે કે લેસર લાઇટના ઓબ્ઝર્વેશનથી માલૂમ પડ્યું કે જોરથી બોલવાથી દર સેકન્ડે હજારો ફ્લૂઇડ ડ્રોપલેટ નીકળી શકે છે.
ભીડવાળા આયોજનોના કારણે વાઇરસ નાના ડ્રોપલેટથી ફેલાઇ શકે
પાછલા રિસર્ચમાં માલૂમ પડ્યું હતું કે દ.કોરિયાના કૉલ સેન્ટરમાં કોરોનાથી વધુ લોકો ચેપગ્રસ્ત થયા હતા. ચીનની ભીડવાળી રેસ્ટોરન્ટ્સની પણ તેવી જ સ્થિતિ હતી. કેટલાક નિષ્ણાતોને શંકા ગઇ કે આવી જગ્યાઓ અને ભીડવાળા આયોજનોના કારણે વાઇરસ નાના ડ્રોપલેટથી ફેલાઇ શકે છે. સ્ટડીમાં કોરોના કે બીજા કોઇ વાઇરસને સામેલ નહોતો કરાયો પણ એ જોવામાં આવ્યું કે લોકો બોલતી વખતે ડ્રોપલેટ કેવી રીતે પેદા કરે છે? સંશોધકોનું ધ્યાન સૌથી નાના ડ્રોપલેટ પર હતું. તારણ એવું નીકળ્યું કે આ ડ્રોપલેટમાં ચેપના ફેલાવા માટે પૂરતા કણ હોઇ શકે છે.
માસ્ક નથી પહેરતા લોકોને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધુ
સંશોધકોનું માનવું છે કે પ્રત્યક્ષ રીતે તો એમ ન કહી શકાય કે ડ્રોપલેટના કારણે જ કોરોના ફેલાઇ રહ્યો છે. સ્ટડીમાં જણાવાયું છે કે આ કારણથી જ જે લોકો માસ્ક નથી પહેરતા તેઓ ચેપગ્રસ્ત થવાની શક્યતા વધુ છે, કેમ કે રેસ્પિરેટરી ડ્રોપલેટના કારણે કોરોના ફેલાઇ શકે છે તે વાતને પણ નજરઅંદાજ ન કરી શકાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Droplets released during a conversation stay in the air for up to 8 minutes, which can also spread the corona virus


from Divya Bhaskar https://ift.tt/2T8ZJNB

ગોવામાં 40 દિવસ બાદ ફરી વાર કોરોનાના કેસ, લૉકડાઉનમાં ઢીલ, પરંતુ બજાર-બીચ વેરાન

ગોવામાં ફરી એક વાર કોરોનાએ ટકોર કરી છે. જ્યારે આ રાજ્ય પહેલાં કોરોનામુક્ત જાહેર થઇ ગયું હતું. ગોવામાં બુધવારે રાત્રે કોરોનાના 7 નવા દર્દી મળ્યા. અગાઉ અહીં આશરે 40 દિવસ પહેલાં એટલે 3 એપ્રિલે કોરોનાનો છેલ્લો દર્દી મળ્યો હતો. તે પહેલાં તમામ 7 દર્દી સાજા થયા બાદ ગોવાને 17 એપ્રિલે કોરોનામુક્ત રાજ્ય જાહેર કરાયું હતું. નવા દર્દીઓમાં 5 એક જ પરિવારના છે. લોકડાઉનમાં ઢીલ બાદ આ પરિવાર મહારાષ્ટ્રથી ગોવા ફર્યો હતો. તે ઉપરાંત બે અન્ય પોઝિટીવ દર્દી ડ્રાઇવર છે.
લોકડાઉન દરમિયાન વિદેશ થઈ આવેલા આશરે 6500 પ્રવાસી પરત થઇ ગયા છે. આ પ્રવાસી જર્મની, ઇટાલી, પોલેન્ડ, સિંગાપોર, દ. આફ્રિકા અને સ્વિત્ઝર્લેન્ડના હતા. જેમને તેમના દેશોએ વિશેષ ફ્લાઇટ મોકલી પરત બોલાવી લીધા. અત્યારે આશરે એક હજાર વિદેશી પ્રવાસી અહીં ફસાયેલા છે. જ્યારે નવા કોવિડ નિયમો હેઠળ ગોવાની બજાર ખુલી ગઇ છે. પણજી બજાર સંપૂર્ણપણે ખુલી ગઇ. પરંતુ રાજ્યની આર્થિક વ્યવસ્થાને બહુ આંચકો લાગ્યો છે. પાટા પર આવતા હજુ સમય લાગશે.
ગોવામાં 4000 હોટલ અને ગેસ્ટહાઉસ છે, જે એકદમ ખાલી છે
રાજ્યનો આર્થિક આધાર મુખ્યત્વે ત્રણ ઇન્ડસ્ટ્રીઝ ટૂરિઝ્મ, માઇનિંગ અને ફાર્માસ્યુટિકલ પર આધારિત છે. તેમાં કોવિડ-19 અને લોકડાઉનને કારણે ડૂરિઝ્મ સંપૂર્ણપણે ઠપ છે. ટ્રાવેલ અને ટૂરિઝ્મ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અજીત સુખીજા જણાવે છે કે લોકડાઉનને કારણે ટૂરિઝ્મ ઉદ્યોગને આશરે 1200 કરોડ રૂપિયાનો નુકસાન થયું છે. તમામ હોટલ, ગેસ્ટ હાઉસ અને રેસ્ટોરન્ટ બંધ છે. ગોવામાં 4000 હોટલ અને ગેસ્ટહાઉસ છે. જે એકદમ ખાલી છે. અત્યારે વરસાદની સીઝન શરૂ તવાની છે, તેથી લોકડાઉન ખુલવા છતાં ટૂરિસ્ટ આવ્યા નથી. ગોવામાં ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સને બસો ચલાવવા માટે પણ કહી દેવાયું છે. જો કે અહીના મોટા ટ્રાન્સપોર્ટ દામોદર માંદરેકર કહે છે કે મારી પાસે 14 બસો છે. પરમિશન મળી ગઇ છે. પરંતુ ખાલી બસો લઇને જઉં ક્યાં? કારણ કે ટૂરિસ્ટ તો છે જ નહીં. પહેલાં મારી પાસે મોટા-મોટા ગ્રુપ ભોપાલ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ચંડીગઢથી આવતા હતા. હવે રાજ્યમાં ટેક્સી સેવા પણ શરૂ થઇ ગઇ છે. ગોવામાં નાના-મોટા કુલ 48 બીચ છે. નોર્થ ગોવાના બીચ બાઘા, અંજુના, કલંગુટ વગેરે પર સામાન્ય દિવસોમાં ભારે ભીડ જોવા મળે છે. પરંતુ અત્યારે તે ખાલી છે. અહીં સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ અટકી ગઇ છે. સાઉથ ગોવા મોંઘુ છે, ત્યાં મોટાભાગે વિદેશી પ્રવાસી કે પૈસાદાર લોકો આવે છે. દરેક બીચ પર આશરે 100 રિટેઇલ દુકાનો છે, જે બિલકુલ બંધ છે. ગોવામાં કાજૂ, રસબેરી, નારિયેળ અને લોકલ વાઇનનું વેચાણ પણ ટૂરીસ્ટોને કારણે વધુ થાય છે, તે પણ અત્યારે બંધ છે.
ગોવામાં એક વર્ષમાં 3 લાખ વિદેશી, 17 લાખ ભારતીય પ્રવાસી પહોંચે છે
અજીત સુખીજાનું કહેવું છે કે તેઓ સરકાર પર ટૂરિઝ્મ શરૂ કરવા અંગે દબાણ એટલા માટે નથી કરી શકતા કારણ કે કોઇ પ્રવાસી રેડ ઝોનમાંથી અહીં આવે છે તો ગોવા ફરી મુશ્કેલીમાં આવી જશે. નોધનીય છે કે ગોવામાં એક વર્ષમાં 3 લાખ વિદેશી, 17 લાખ ભારતીય પ્રવાસી પહોંચે છે. ગોવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ સંકલ્પ અમોનકર કહે છે કે માઇનિંગ ઉપરાંત ગોવાની પાસે આર્થિક સ્થિતિ સુધારવાના હાલ તો કોઇ વિકલ્પ દેખાતો નથી. દિલ્હીથી ગોવા માટે ટ્રેન શરૂ કરાઇ છે. તેનાથી ગોવામાં ફરી કોરોનાના કેસ આવી શકે છે. ગોવા ભાજપના પ્રભારી અવિનાશ રાય ખન્નાનું કહેવું છે કે કોરોના માટે ગોવામાં પણ દેશના અન્ય ભાગ જેવા જ નિયમો લાગુ હતા. ગોવાની જનતાએ લોકડાઉનનું કડકપણે અમલ કર્યું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મીરામાર બીચ પર સન્નાટો.


from Divya Bhaskar https://ift.tt/2Z6MbpI

લોકડાઉનમાં ગીર સોમનાથ પોલીસ ખરા અર્થમાં સિંઘમ બની, નવજાત શીશુને ગાડીમાં હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવ્યો 

કોરોનાની મહામારી વચ્ચે ગીર સોમનાથના પ્રભાસ પાટણ પોલીસ કોરોના વોરિયર બનીને એક નવજાત બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પહોંચાડી તેનો જીવ બચાવ્યો છે. સમગ્ર રૂટ દરમિયાન નર્સ નવજાત બાળકીને અમ્બુ બેગથી ઓક્સિજન આપતી રહી હતી.
પેટ્રોલીંગમાં નિકળેલી પોલીસ મદદે આવી
પ્રાપ્ત વિગત અનુસાર પ્રભાસ પાટણની સરકારી હોસ્પિટલ ખાતે એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકને વધુ સારવાર જરૂર હોય ખાનગી હોસ્પિટલમાં ખસેડવી પડે તેમ હતી. પરંતુ ઇમરજન્સીમાં કોઇ એંબ્યુલન્સ હાજર ન હોવાથી. કોરોના મહામારીને કારણે અન્ય વાહન પણ ન મળી શકે તેમ ન હતું. ત્યારે કોરોનો વોરિયર પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ મનસુખભાઇ અને ડ્રાઇવર રાહુલગીરી કાન્તીગીરી આ વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા. તેઓને આ અંગે જાણ થતાં તેઓ એંબ્યુલન્સની રાહ જોયા વિના નવજાત શીશુને વેરાવળ ખાતે એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. સમગ્ર રૂટ દરમિયાન નર્સ નવજાત બાળકીને અમ્બુ બેગ દ્વારા ઓક્સિજન આપતી રહી હતી અને તેને હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. જેથી આ કપરા સમયમાં બાળકીને મળેલી સારવારને કારણે તેનો જીવ બચી જતાં બાળકની માતા અને પરિવાજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી અને કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મદદે આવેલ પોલીસ અને નવજાતને ઓક્સિજન આપી રહેલ નર્સ.


from Divya Bhaskar https://ift.tt/2LvwEYp

Donald Trump confirms pulling out US pension fund from China investments

Donald Trump confirms pulling out US pension fund from China investments

from India Today | Top Stories https://ift.tt/35Z6PJX

Arthur Road Jail infested with rats: Nirav Modi's lawyer tells UK court in bid to stall extradition

Arthur Road Jail infested with rats: Nirav Modi's lawyer tells UK court in bid to stall extradition

from India Today | Top Stories https://ift.tt/3cC1rPs

Dehradun-based scientist develops ‘No Contact’ hand sanitizer machine

Dehradun-based scientist develops ‘No Contact’ hand sanitizer machine




from News - Videos - The Times of India https://ift.tt/2y2EBBk

Rail minister, Mamata spar over return of migrants



from Times of India https://ift.tt/35Z7f2I

Nearly 2 lakh buy tickets to return home



from Times of India https://ift.tt/3cKNy1v

Free ration for 8 crore migrants for 2 months



from Times of India https://ift.tt/3cy1jAt

Covid-19: Donald Trump threatens to cut off whole relationship with China

Covid-19: Donald Trump threatens to cut off whole relationship with China

from India Today | Top Stories https://ift.tt/2T7ARpp

Rajasthan: Inflated electricity bills add to woes of people already reeling under lockdown

Rajasthan: Inflated electricity bills add to woes of people already reeling under lockdown

from India Today | Top Stories https://ift.tt/3bEWq7v

Wednesday, May 13, 2020

Just like HIV, coronavirus may never go away: WHO

Just like HIV, coronavirus may never go away: WHO

from India Today | Top Stories https://ift.tt/2X7PJph

Gujarat Congress urges Speaker to declare Dholka seat vacant

Gujarat Congress urges Speaker to declare Dholka seat vacant

from India Today | Top Stories https://ift.tt/35Z2BlC

Judges, lawyers shouldn’t wear coat, gown as they make it easier to catch virus: CJI

Judges, lawyers shouldn’t wear coat, gown as they make it easier to catch virus: CJI

from India Today | Top Stories https://ift.tt/2xYO1xF