
દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો 18મેથી શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેની જાહેરાત કરી ચૂક્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અમુક અન્ય રાજ્યો વેપાર શરૂ કરવા મંજૂરી માગી રહ્યા છે. રેલવે, રોડ અને એર ટ્રાવેલ પણ અલગ અલગ સ્તરે શરૂ થઇ છે. વડાપ્રધાને ગત અઠવાડિયે મુખ્યમંત્રીઓ સાથે 6 કલાક સુધી વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી. તેમાં ઘણા સૂચનો મળ્યા હતા.અહીં ફેઝ-4 પર અમુક રાજ્યોની તૈયારીઓ પર નજર કરીએ. તેનાથી અંદાજ લાગી શકે છે કે ત્યાં હવે શું સંભાવનાઓ છે.
દિલ્હી
મુખ્યમંત્રી કેજરીવાલે પીએમઓને એક પ્રસ્તાવ મોકલ્યો હતો. તે પ્રમાણે નોન કન્ટેનમેન્ટ ઝોનમાં વેપારને છૂટ મળે તેવી માગ કરવામાં આવી હતી. ગુરૂવારે કેજરીવાલે મીડિયાને કહ્યું હતું - મેં લોકો પાસેથી ફીડબેક લીધો છે. નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પાબંદી ઓછી કરવી જોઇએ. રેડ ઝોન પર કડક દેખરેખ જરૂરી છે.
કેરળ
અહીં પ્રવાસન આવકનું મોટું સાધન છે. રાજ્ય સરકારે કેન્દ્રને મેટ્રો, લોકલ ટ્રેન, ડોમેસ્ટિક ફ્લાઇટ્સ, રેસ્તરાં અને હોટલ ફરી શરૂ કરવાની મંજૂરી માગી છે. ભારતમા સંક્રમણનો પહેલો કેસ આ રાજ્યમાંથી જ સામે આવ્યો હતો. અત્યાર સુધી 560 કેસ સામે આવી ચૂક્યા છે. 500 સ્વસ્થ છે. ચારના મોત થયા છે.
કર્ણાટક
અહીં પણ સરકારની માંગણી કેરળ જેવી જ છે. સરકાર રેસ્તરાં, હોટલ અને જિમ ફરી ખોલવા માગે છે. રાજ્યમાં 959 એક્ટિવ કેસ છે. ગત અઠવાડિયે પબ અને બાર ખોલવામાં આવ્યા હતા. જોકે અહીંથી ખરીદવાની જ સુવિધા છે, ગ્રાહકો અહીં બેસી નથી શકતા.
તમિલનાડુ
અહીં સરકારે કન્ટેનમેન્ટ ઝોન છોડીને બાકીના વિસ્તારોમાં બિઝનેસ એક્ટિવિટી શરૂ કરવા મંજૂરી માગી છે. ચેન્નઇની એક શાક માર્કેટથી 2 હજાર 600 લોકો સંક્રમિત થયા હતા. રાજ્ય સરકારનો દાવો છે કે તેમણે શંકાસ્પદ વિસ્તારોની ઓળખ કરી લીધી છે. અમુક સેક્ટર્સમાં કામ કરવા માટે પહેલાથી જ મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાત
રાજ્યમાં 9 હજાર 591 કેસ સામે આવી ચૂક્યા છે. ગુજરાત બિઝનેસ એક્ટિવીટી સેન્ટર છે. ખાસ કરીને શહેરો તેના કેન્દ્ર છે. અમદાવાદ, સુરત અને વડોદરા અત્યારે બંધ છે. આ ત્રણેય શહેરોમાં રાજ્યના કુલ 80 ટકા કેસ છે. અહીં પરિસ્થિતિ પડકારજનક છે.
મહારાષ્ટ્ર
અહીં એક હજારથી વધુના મોત થયા છે. મુંબઇ અને પૂણે સૌથી વધારે પ્રભાવિત છે. તેમ છતા સરકાર મુંબઇમાં અમુક સ્થળોએ રાહત આપવા જઇ રહી છે. અમુક ઓફિસ ખોલવામાં આવી છે , અમુક ખુલી શકે છે. મુંબઇમાં 16 હજાર કેસ સામે આવ્યા છે. અહીં ફરી કામકાજ શરૂ કરવું જોખમી સાબિત થઇ શકે છે.
બિહાર, ઝારખંડ, ઓડિશા
ત્રણેય રાજ્યોમાં લોકડાઉન છે અને કેસ વધી રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી પ્રવાસી મજૂરો પરત ફર્યા તો કેસ વધી ગયા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પહેલા જ કહી ચૂક્યા છે કે રાજ્યમાં લોકડાઉન 31 મે સુધી રહેશે. ઓડિશામાં 611 કેસ છે અને ત્રણના મોત થયા છે.
ઉત્તરપ્રદેશ અને પંજાબ
ઉત્તરપ્રદેશ સામે પણ મોટો પડકાર છે. અહીં 3 હજાર 902 કેસ છે અને 88ના મોત થયા છે. બે લાખથી વધુ લોકો ક્વોરેન્ટીન છે. પંજાબમાં એક હજાર 935 કેસ છે. 32ના મોત થયા છે. મુખ્યમંત્રી અમરિંદરસિંહે લોકડાઉન વધારવાની માંગ કરી છે. મોદી સાથે મીટિંગમાં કેપ્ટને કહ્યું હતું કે તેઓ કર્ફ્યૂ અંગે વિચાર કરશે.
અસમ
મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ પણ કેપ્ટન અમરિંદરની જેમ લોકડાઉન ચાલુ રાખવાનું સૂચન આપી રહ્યા છે. જોકે તેમણે કહ્યું કે તેઓ કેન્દ્રના આદેશની રાહ જોશે. તેમણે કહ્યું- માત્ર એક નિર્ણયની વાત નથી, ઘણા નિર્ણય લેવા પડશે. તેના માટે કેન્દ્રની ગાઇડલાઇન્સની રાહ જોઇશું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cAEwnn
No comments:
Post a Comment