
નાણાકીય વર્ષ 2019-20 પૂરું થયા પહેલાં જ કોરોનાના કારણે લૉકડાઉન જાહેર કરી દેવાયું હતું, જેના કારણે 31 માર્ચ સુધીમાં થતું ફાઈનાન્સિયલ પ્લાનિંગ ખોરવાઇ ગયું. લૉકડાઉન એપ્રિલ-મે સુધી લંબાતાં માસિક જીએસટી રિટર્નને પણ અસર થઇ છે. તેને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારે જીએસટી અને આવકવેરા અંગેના ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. તેથી જો તમે હજુ સુધી ટેક્સ પ્લાનિંગ ન કર્યું હોય તો હજુ પણ તક છે. જીએસટી અને આવકવેરા સંબંધી ફેરફારો વિશે જાણીએ...
જીએસટી: નીલ રિટર્નની જાણ SMSથી કરી શકાશે
ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 2020 જીએસટીઆર-3 બી 9% વ્યાજ સાથે ટેબલમાં અપાયેલા સ્લેબ અનુસાર રેગ્યુલર વેપારી 30 જૂન સુધી લેટ ફી વિના જમા કરાવી શકે છે. કમ્પોઝિટ ડીલર માર્ચ ક્વાર્ટર માટે જીએસટી સીએમપી 08 ફોર્મ 7 જુલાઇ સુધી ભરી શકે છે જ્યારે જીએસટીઆર-4 ફોર્મ 15 જુલાઇ સુધી ભરી શકાય છે. ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધી ઇનપુટ ટેક્સ જે અગાઉ GST 2Aમાં ઉપલબ્ધ ક્રેડિટના 10% વધુ લઇ શકતા હતા તેમને આઇટીસીના ક્લેમમાં રાહત અપાઇ છે. હવે સપ્ટેમ્બર, 2020 સુધી ઉપલબ્ધ બિલના આધારે ઇનપુટના ક્લેમ લઇ શકાય છે. 2018-19નું જીએસટી વાર્ષિક રિટર્ન 30 સપ્ટેમ્બર સુધી જમા થઇ શકશે. 20 માર્ચથી 15 એપ્રિલ માટે જારી ઇ-વે બિલ પણ 31 મે સુધી માન્ય રહેશે. જીએસટી 3બીના વેરિફિકેશન માટે કંપનીઓ 21 એપ્રિલથી 30 જૂન સુધી ડિજિટલ સિગ્નેચરના બદલે ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડનો ઉપયોગ કરી શકે છે. આ જ રીતે જીએસટીઆર-3બીમાં નિલ રિટર્નની એસએમએસ દ્વારા જણ શક્ય બનશે.
ઇન્કમ ટેક્સ - ટીડીએસ મોડો જમા કરાવવા બદલ 18ના બદલે 9% વ્યાજ
નાણાકીય વર્ષ 2019-20માં ઇન્કમ ટેક્સથી છૂટ મેળવવા મેડિક્લેમ, લાઇફ ઇન્શ્યોરન્સ, દાન વગેરેમાં રોકાણ કરવાની તારીખ 30 જૂન સુધી લંબાવાઇ છે. મતલબ કે તમે ટેક્સ છૂટ માટે મે મહિનામાં કોઇ નવી વીમા પોલિસી લો તો તેને નાણાકીય વર્ષ 2019-20માં બતાવી શકો છો. તદુપરાંત, આઇટી એક્ટની કલમ 54થી 54જીબી અંતર્ગત કેપિટલ ગેઇન વગેરેનો લાભ 30 જૂન સુધી લઇ શકો છો. નિલ ડિડક્શન સર્ટિ. અને ટીડીએસ રિટર્નની તારીખ લંબાઇને 30 જૂન થઇ ગઇ છે. 2018-19નું ઇન્કમ ટેક્સ રિટર્ન જમા કરાવવાની તારીખ 30 જૂન કરી દેવાઇ છે. સાથે જ વિલંબ પર લાગતું 18 ટકા વ્યાજ ઘટાડીને 9 ટકા કરાયું છે. PAN સાથે આધાર 30 જૂન સુધી લિન્ક થઇ શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Ayf7ga
No comments:
Post a Comment