Ad

Friday, May 15, 2020

વતન પરત જઇ રહેલા શ્રમિકે  કહ્યું-ગુજરાતે અમને બધું જ આપ્યું છે, અમે પાછા આવીશું

કોરોનાના સંક્રમણના પગલે લૉકડાઉનનો અમલ કરાયો.... અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા છે ત્યારે અમરાઈવાડી રહેતા ક્રિષ્ના દેવી અને તેમનો પરિવાર કર્મભૂમિ અમદાવાદને પગે લાગી ટ્રેનમાં બેઠો હતો.
અમારુ વતન ભલે રાયબરેલી છે, પણ ગુજરાત જ અમારુ સર્વસ્વ છે
અમદાવાદના અમરાઈવાડીમાં રબારી વસાહત ખાતે રહેતા મૂળ રાયબરેલીના વતની ક્રિશ્નાવતી કહે છે કે, ‘અમે અહીં જ રહીએ છીએ.. નાનુ મોટું કામ કરીએ છીએ... અમારુ વતન ભલે રાયબરેલી છે, પણ ગુજરાત જ અમારુ સર્વસ્વ છે. ગુજરાતે અમને ઘણુ આપ્યું છે....જો કે આવી પરિસ્થિતિમાં ઘર યાદ આવે છે એટલે જ જઈએ છીએ...જિલ્લા તંત્રએ અમને વતન જવા માટેની તમામ વ્યવસ્થા કરી છે...અમે તેનાથી સંતુષ્ટ છીએ... પણ હું એટલું ચોક્કસ કહીશ કે, અમે ગુજરાત પાછા આવીશુ જ...’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમરાઈવાડી રહેતા ક્રિષ્ના દેવી અને તેમનો પરિવાર કર્મભૂમિ અમદાવાદને પગે લાગી ટ્રેનમાં બેઠો.


from Divya Bhaskar https://ift.tt/2LyCus4

No comments:

Post a Comment