
from India Today | Top Stories https://ift.tt/3alolZn
દેશભરના પેટ્રોલપંપ પર હવે ચહેરા પર માસ્ક નહીં હોય તો ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ મળશે નહીં. કોરોના વાઈરસને કારણે ઓલ ઇન્ડિયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા પંપના કર્મચારીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશનના વડા અજય બંસલે કહ્યું કે પંપના કર્મચારી માસ્ક પહેરેલા ગ્રાહકોને જ પેટ્રોલ-ડીઝલ આપશે.
વિશ્વભરમાં દોઢ લાખથી વધુ લોકોને ભરખી જનારા કોરોના વાઇરસ અંગે એક નવો દાવો સામે આવ્યો છે. અમેરિકી ચેનલ ફોક્સ ન્યૂઝે દાવો કર્યો છે કે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં કામ કરનારી એક ઇન્ટર્નથી ભૂલમાં વાઇરસ લીક થઇ ગયો હતો. ચેનલે તે અંગે સ્પેશિયલ રિપોર્ટ પણ દેખાડ્યો. ત્યાર બાદ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આ દાવા અને તેની સાથે સંકળાયેલા મામલાની તપાસ કરાવવાની વાત કરી છે. ચેનલના રિપોર્ટરે કહ્યું કે ‘ઘણા સૂત્ર અમને કહી રહ્યા છે કે ભલે કોરોના વાઇરસ પ્રાકૃતિક હોય, પરંતુ વુહાનની વાયરોલોજી લેબથી નીકળ્યો છે. સુરક્ષા નિયમોનું પાલન નહીં કરવાને કારણે એક ઇન્ટર્ન સંક્રમિત થઇ ગઇ. તેના સંપર્કમાં આવી તેનો બોયફ્રેન્ડ સંક્રમિત થયો અને પછી આ વાઇરસ વેટ માર્કેટ પહોંચ્યું’ વાઇરસ ચામાચીડિયાથી મનુષ્યોમાં આવ્યો હોવાની વાત ફેલાઇ. પરંતુ તેનો પ્રથમ શિકાર લેબમાં કામ કરતી હતી. લેબમાં કામ કરતી ઇન્ટર્ન આ વાઇરસને લેબની બહાર ફેલાવવાના કારણે સૌથી પહેલાં પોતે સંક્રમિત થઇ ગઇ.
ચીને માર્કેટને કસૂવાર કહી
પહેલાં વુહાનની વેટ માર્કેટને વાઇરસ શરૂ થવાનું સ્થળ બતાવાયું હતું. પરંતુ ચેનલનું કહેવું છે કે આ માર્કેટમાં ક્યારેય ચામાચીડિયા વેચાયા જ નથી. લેબમાંથી વાઇરસ નીકળવાની વાત છુપાવવા માટે ચીને આ માર્કેટને કસૂરવાર ઠેરવી છે. વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી વિશ્વની મુખ્ય પી4 લેબ છે. જે વાઇરસ સંક્રમણ સ્ટ્રેન રાખવા, રિસર્ચ, પરીક્ષણની વૈશ્વિક પ્રયોગશાળા છે.
2 વર્ષ પહેલાં ચેતવણી અપાઇ હતી: વોશિંગ્ટન પોસ્ટ મુજબ વુહાન વાયરોલોજી લેબમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હોવા અંગે ચીનમાં અમેરિકી દૂતાવાસના અધિકારીઓએ બે વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી. ગૃહ વિભાગે ટ્રેઇન્ડ ટેક્નિશિયનોની અછત અંગે ચેતવણી આપી હતી.
આ ક્યાંયથી પણ આવ્યું હોય, સજા 184 દેશ ભોગવી રહ્યા છે: ટ્રમ્પ
અમેરિકા એ દાવાની વિસ્તૃત તપાસ કરાવી રહ્યું છે કે વાઇરસ ક્યાંથી લીક થયો ? ગુપ્તચર એજન્સીઓ પણ લેબ અને વાઇરસના પ્રારંભિક પ્રકોપ અંગે માહિતી મેળવી રહી છે. ટ્રમ્પે કહ્યું કે ‘ અમે એવી કોઇ સ્ટોરી સાંભળી રહ્યા છીએ. જે પણ ખતરનાક ઘટના થઇ છે, અમે તેની વિસ્તૃત તપાસ કરી રહ્યા છીએ. ઘણા લોકો આ વાત પર વિચાર કરી રહ્યા છે. લાગે છે કે તેમાં થોડી તો વાસ્તવિક્તા છે. હું માત્ર એટલું કહી શકું કે આ ક્યાંયથી પણ આવ્યું હોય, ચીનથી જે પણ સ્વરુપમાં આવ્યું હોય, તેની સજા હવે 184 દેશ ભોગવી રહ્યા છે.’ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા વુહાનમાં ચોથાસ્તરની લેબને મદદ કરશે. ઘણા સાંસદોએ સેનેટને પત્ર લખી લેબને મદદ અટકાવવાની વિનંતી કરી હતી.
લેબને મદદ કરનાર ફ્રાન્સે કહ્યું- કોઇ પુરાવા નથી
ફ્રાન્સે કહ્યું કે વુહાનમાં કોવિડ- 19 અને પી-4 રિસર્ચ લેબ વચ્ચે સંબંધના અત્યાર સુધી કોઇ તથ્યાત્મક પુરાવા મળ્યા નથી. પ્રમુખ ઇમાન્યુએલ મૈંક્રોંની ઓફિસના એક અધિકારીએ કહ્યું ‘અમે સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે વુહાન લેબ અને કોરોના અંગે અમેરિકામાંથી આવી રહેલા રિપોર્ટ વચ્ચે આજ સુધી કોઇ તથ્યાત્મક પુરાવા મળ્યા નથી’. ફ્રાન્સે 2004માં વુહાનમાં જૈવસક્રિયતા સ્તર-4 સાથે સંકળાયેલા રોગો અંગે એક રિસર્ચ લેબ સ્થાપિત કરવા માટે ચીનની સાથે એક સમજૂતિ કરી હતી. તેના અંગે ફ્રાન્સના તત્કાલિન વિદેશમંત્રી મિશેલ બાર્નિયરે હસ્તાક્ષર કર્યા હતા.
અમદાવાદમાં કોરોનાની પહેલી પોઝિટિવ આવેલી 21 વર્ષીય નિયોમી શાહને આખરે 32 દિવસ પછી એસવીપી હોસ્પિટલમાંથી શુક્રવારે રાત્રે ડિસ્ચાર્જ કરવામાં આવી. નિયોમી પછી દાખલ થયેલા દર્દીઓ પણ રિકવર થઈ ગયા હતા, પરંતુ તેને કોરોનાનાં લક્ષણો દૂર થઈ ગયા પછી પણ તેના ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવતું હોવાથી રજા આપવામાં આવી ન હતી. અંતે શુક્રવારે કરેલા રિપોર્ટનું પરિણામ નેગેટિવ આવતાં તેને રજા આપવામાં આવી હતી. 32 દિવસ પછી ઘરે પહોંચેલી નિયોમીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘કોરોનાને લઈને અત્યારે લોકો ખૂબ જ ગભરાયેલા છે, પણ હું એટલું જ કહીશ કે ગભરાયા કરતા લોકો કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરી પોતાનું ધ્યાન રાખે તે ખૂબ જ જરૂરી છે. પહેલા દિવસે જ્યારે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે હું પણ ખૂબ ગભરાયેલી હતી. મારા માટે સમય ખૂબ અઘરો હતો. હું ફિઝિકલી હેરાન નથી થઈ, પરંતુ સમય કાઢવો મારા માટે અઘરો બની રહ્યો હતો અને તેમાં પણ દિવસે ને દિવસે મારી હોસ્પિટલની જર્ની લાંબી થતી જતી હતી.’
‘માનસિક સ્થિતિ મજબૂત રાખવા સતત પ્રયત્ન કરતી’
દર બે કે ત્રણ દિવસે મારો ટેસ્ટ કરવામાં આવતો હતો અને લક્ષણો ન હોવા છતાં તે પોઝિટિવ આવતા હું ઘણી અપસેટ પણ થતી હતી. મારી સારવાર કરનારા ડોક્ટરોને પણ હું પૂછતી કે આવું કેમ થાય છે ત્યારે ડોક્ટરો તરફથી મને એક જ જવાબ મળતો હતો કે તમારે ધીરજ રાખવાની જરૂર છે. મારા પરિવારનો એક પણ સભ્ય મારી સાથે ન હતો. કોઈ મિત્ર ન હતા ત્યારે એસવીપીનો મેડિકલ સ્ટાફ જ મારા માટે પરિવાર સમાન હતો એટલે તેમની દરેક વાત હું સાંભળતી અને તેને ફોલો પણ કરતી. મારી સારવાર કરનારા ડોક્ટરો તો મારું કાઉન્સેલિંગ કરતા જ હતા, પરંતુ જે સાઇકિયાટ્રિક નિષ્ણાત ડોક્ટર્સ હતા તેઓ પણ વીડિયો કોલ કરીને મારું કાઉન્સેલિંગ કરી મને સતત પોઝિટિવ થિન્કિંગ માટે કહી મારી માનસિક સ્થિતિ મજબૂત રાખવા સતત પ્રયાસ કરતા હતા.
‘એસવીપીનો સ્ટાફ સાચા અર્થમાં સુપરહીરો છે’
જે લોકો ઘરમાં કમ્ફર્ટ ઝોનમાં પણ બોર થાય છે અને ઘરની બહાર ખોટા બહાના કાઢી નીકળી પડે છે તેમને મારે કહેવું છે કે, હોસ્પિટલમાં 32 દિવસ થઈ ગયા, હજુ તબીબોની સલાહ પ્રમાણે મારે 14 દિવસ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આ વાઈરસ માત્ર શરીરમાં ફિઝિકલી જ અસર કરતો નથી પરંતુ માનસિક સ્થિતિને પણ એટલી જ અસર કરે છે. પ્રત્યેક દિવસ મારી માટે નવી ચેલેન્જ હતી. મને ખબર હતી કે મારી નાજુક સ્થિતિ માટે હું કઈ કરી શકવાની ન હતી, પરંતુ તમે ઘરમાં સેફ રહીને પોતાના માટે ઘણું બધું કરી શકો તેટલા સક્ષમ છો. તમે કદાચ કોરોનાના લક્ષણો ધરાવતા હશો, પણ તેનો ચેપ જો કોઈને લાગે તો તેની સ્થિતિ વધુ ગંભીર બની જાય તેની ચિંતા કરવી જોઈએ. એટલે જ તમે તમારા માટે અને બીજા લોકો માટે પણ ઘરમાં રહો. ઘરે આવ્યા બાદ આઈ એમ વેરી હેપ્પી એન્ડ ફિલ રિલેક્સ. ફાઈનલી 32 દિવસ પછી ઘરનું જમવાનું જમી એનો મને ખૂબ જ આનંદ છે. એસવીપી હોસ્પિટલનો તમામ સ્ટાફ સાચા અર્થમાં સુપર હીરો છે.
નૌકાદળમાં પણ કોરોના વાઇરસ સંક્રમણ પ્રવેશી ગયું છે. નૌકાદળનાં સૂત્રો મુજબ મુંબઇ સ્થિત નેવીના રહેણાક પરિસર આઇએનએસ આંગ્રેમાં રહેતા 26 સૈનિકસંક્રમિત મળ્યા. નૌકાદળમાં સંક્રમણનો આ પ્રથમ મામલો છે. તેમનામાં સંક્રમણનાં લક્ષણ નહતાં. બધાને ક્વોરન્ટાઈન કરી સારવાર શરૂ કરાઇ છે. સૂત્રો મુજબતમામ એક નૌસૈનિકના સંપર્કમાં આવ્યાથી સંક્રમિત થયા છે. તે સૈનિકમાં ગત 7 એપ્રિલે સંક્રમણની પુષ્ટિ થઇ હતી. આ 26 નૌસૈનિક જે પરિસરમાં રહેતા હતાતેને સીલ કરી દેવામાં આવ્યું છે. આઇએનએસ આંગ્રે પર તહેનાત એક નૌસૈનિક પોતાના ઘરે જતો હતો.
જિનેવા: સ્વિસ આપ્લ્સ એટલે કે સ્વિત્ઝરલૅન્ડ અને પાસેના દેશોનાં પર્વતશિખરોમાં આવેલા મેટરહોર્ન માઉન્ટેન પણ ભારતનો તિરંગો ઝળહળી ઉઠ્યો છે. ભારત દેશ કોરોના વાઇરસની લડાઈમાં જીતી જશે તે મેસેજ આપવા પર્વત પર આ રાષ્ટ્રધ્વજની લાઈટિંગ કરવામાં આવી. પીએમ મોદીએ આ પર્વત પર રોશની આપતા તિરંગાનો ફોટો તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. આર્ટિસ્ટ ગેરી હોફ્સ્ટેટર છેલ્લા ઘણાય દિવસથી 14,690 ફૂટ ઊંચા માઉન્ટેન પર કોરોનાથી બચવાના મેસેજની લાઈટિંગ કરી રહ્યા છે. તેમણે ભારતના તિરંગાની સાથોસાથ અમેરિકા, ઇટાલી, ઇંગ્લેન્ડ અને સ્વિત્ઝરલૅન્ડના રાષ્ટ્રધ્વજની રોશની પણ મેટરહોર્ન માઉન્ટેન પર કરી છે.
The world is fighting COVID-19 together.
— Narendra Modi (@narendramodi) April 18, 2020
Humanity will surely overcome this pandemic. https://t.co/7Kgwp1TU6A
પીએમ મોદીએ ઇન્ડિયા ઇન સ્વિત્ઝરલૅન્ડનું ટ્વીટ શેર કરીને લખ્યું છે કે, કોવિડ-19 સામે આખું વિશ્વ લડી રહ્યું છે. આ વિશ્વવ્યાપી મહામારી પર માનવતા ચોક્કસ આગળ આવશે. મેટરહોર્ન માઉન્ટેન સ્વિત્ઝરલૅન્ડ અને ઇટાલીની બોર્ડરની વચ્ચે આવેલો છે.
Switzerland expresses solidarity with India in its fight against #COVID19. Swiss mountain of #Matterhorn lit in tricolour. Friendship from Himalayas to Alps 🇮🇳🏔🇨🇭
— Gurleen Kaur (@gurleenmalik) April 18, 2020
Thank you @zermatt_tourism#Together_against_Corona @IndiainSwiss @MEAIndia @IndiaUNGeneva pic.twitter.com/O84dBkPfti
બીજી તરફ IFS ઓફિસર ગુરલીન કોરે પણ મેટરહોર્ન માઉન્ટેન પર તિરંગાનો ફોટો શેર કરીને લખ્યું છે કે, હિમાલયથી આલ્પ્સની મિત્રતા. આભાર.
આર્ટિસ્ટ ગેરી કોરોના વાઇરસથી બચવાના અને જીતવાના ટોપિક પર 24 માર્ચથી પર્વત પર લાઈટિંગ કરી રહ્યા છે. તેઓ પર્વતની ઉત્તર અને પૂર્વદિશામાં 4 કિલોમીટર દૂરથી લાઈટ પ્રોજેક્શન સેટ કરે છે. શરૂઆત તેમણે ‘હોપ’, ‘સ્ટે હોમ’ જેવા મેસેજથી કરી હતી. ગેરીએ કહ્યું કે, મેટરહોર્ન માઉન્ટેન મારા માટે એક લાઈટહાઉસ સમાન છે, જેને લઈને મને લાઈટિંગથી લોકોનો આત્મવિશ્વાસ વધુ મજબૂત કરવાનો અને મેસેજ આપવાનો આઈડિયા આવ્યો. રોશની એક આશા છે. પૃથ્વી પર મનુષ્યનું અસ્તિત્વ નહોતું તે પહેલાંથી અહિ આ પર્વત અડીખમ ઊભો છે.
આર્ટિસ્ટ ગેરીએ લાઈટિંગની વાતને ઈતિહાસ સાથે જોડી છે. તેમનું માનવું છે કે, આજથી 400 વર્ષ પહેલાં પણ જ્યારે રોગચાળો ફેલાતો હતો ત્યારે આર્ટ જ લોકોમાં આશા જગાડવા અને ભેગા કરવા મદદરૂપ થતું નથી. આર્ટથી બધી વસ્તુ શક્ય છે.
સ્વિત્ઝરલૅન્ડના ઝેર્મેટ શહેરમાં આવેલી સ્કી રિસોર્ટ પરથી આ પર્વતનો નજરો ઘણો સુંદર દેખાય છે. આ શહેર 12 મહિના પ્રવાસીઓથી ભરેલું હોય છે. દુનિયાભરમાં દોઢ લાખથી વધારે લોકોએ મહામારી કોરોના વાઇરસને લીધે જીવ ગુમાવ્યો છે, તેવામાં મેટરહોર્ન માઉન્ટેનની લાઈટિંગ વિશ્વને સતત આશાનું નવું કિરણ બતાવી રહ્યું છે.
કોરોના વાઇરસ સંક્રમણથી મુક્ત 359 જિલ્લામાં સોમવારથી લૉકડાઉનમાં થોડી ઢીલ મળવાની શરૂઆત થશે. અહીં કરિયાણાની દુકાનો આખો દિવસ ખુલ્લી રહેશે. સાથે શહેરોની બહાર ફેક્ટરીઓમાં પણ કામ શરૂ થઇ જશે. પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન જેવી સેવાઓની સાથે બાંધકામની પણ મંજૂરી રહેશે. જોકે આ કામો માટે જરૂરી હાર્ડવેરની દુકાનો ખૂલવા અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. સરકારી પ્રવક્તા મુજબ આ રવિવારે તેનું સ્પષ્ટીકરણ જારી કરાશે. તેમાં વધુ ગાઇડલાઇન પણ સામેલ થઇ શકે છે. અત્યારે દેશમાં 148 જિલ્લા રેડ, 229 જિલ્લા ઓરેન્જ અને 359 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે.
20 એપ્રિલથી ધોરીમાર્ગો પર ટોલ વસૂલવામાં આવશે
દરમિયાન મંત્રીઓના જૂથે લોકોને પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા અને લૉકડાઉનમાં આંશિક છૂટ આપવાની તૈયારીની સમીક્ષા કરી. એક દિવસ પહેલાં પીએમઓએ પણ સાત પ્રમુખ મંત્રાલયોના અધિકારીઓ સાથે બેઠક કરી આંશિક ઢીલ અંગે ચર્ચા કરી હતી. જેમાં શ્રમિકોને ફેકટરીઓ સુધી લાવવા-લઇ જવાની ચર્ચાનો સમાવેશ થાય છે. મહામારીનો સામનો કરવા રિટાયર્ડ ડોક્ટરો, આરોગ્ય વ્યવસાયીઓ અને ફાઇનલ યરના મેડિકલ વિદ્યાર્થીઓની સેવા લેવાના સૂચનો પર પણ ચર્ચા કરાઇ. દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટીએ પણ 20 એપ્રિલથી ધોરી માર્ગો પર ટોલ વસુલી કરવાનો નિર્ણય લીધો છે.
ગ્રીન ઝોન ધરાવતા શહેર હોટ સ્પોટની તુલનામાં ગરીબ
47 જિલ્લામાં 28 દિવસથી કોરોનાનો નવો દર્દી નથી મળ્યો
મુંબઈમાં દર 10 લાખની વસતીએ 67 કેસ, દિલ્હીમાં 62 તો અમદાવાદમાં 115 પોઝિટિવ
અમદાવાદમાં શનિવારે સાંજ સુધીમાં 862 પોઝિટિવ કેસ થઈ ગયા. અહીંની વસતી 75 લાખ ગણીએ તો પ્રતિ 10 લાખ પર 115 પોઝિટિવ કેસ થાય.ઇંદોરમાં પ્રતિ 10 લાખની વસતીએ 236 દર્દી છે. જ્યારે મુંબઈમાં પ્રતિ 10 લાખ પર 67 અને દિલ્હીમાં 62.44 પોઝિટિવ કેસ છે.
અમેરિકામાં કોરોનાની અસર ઇટાલી, ચીન કરતા પણ વધુ ભયાનક દેખાઈ રહી છે. વિશ્વની 4 ટકા વસતી ધરાવતા અમેરિકામાં અત્યાર સુધીમાં 37 હજાર મોતથઈ ચૂક્યા છે. જ્યારે 8 લાખ લોકો સંક્રમિત છે. છેલ્લા 24 કલાકમાં જ અહીં 4500થી વધુ મોત થયા છે. દુનિયામાં થયેલા કુલ મોતમાં 26 ટકા હિસ્સો તો માત્રઅમેરિકાનો છે. સંક્રમિતોના મામલે તેની ટકાવારી 32 ટકા છે. સૌથી વધુ મોત ન્યૂયોર્કમાં થયા છે. અહીં અત્યાર સુધીમાં 14 હજાર લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.ન્યૂજર્સીમાં 3800 લોકોના મોત થયા છે. દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકામાં 65 હજારથી વધુ લોકોના મોત થઈ શકે છે.
લૉકડાઉનમાં પણ ફિલ્મ ઉદ્યોગ અટક્યું નથી. અભિનેતા સંજય દત્તથી લઇ બાહુબલી ફેમ પ્રભાસ તેમના આગામી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આઉટડોર શૂટિંગભલે ન થઇ રહ્યું હોય, પરંતુ પ્રી અને પોસ્ટ પ્રોડક્શન કામ ચાલુ છે. ઓનલાઇન ઓડિશન લેવાઇ રહ્યા છે. યુડલી ફિલ્મના એમડી સિદ્ધાર્થ આનંદકુમાર કહે છે કેઓટીટી પ્લેટફોર્મ માટે બની રહેલી કોમેડી ફિલ્મના ઓનલાઇન ઓડિશન્સ શરૂ થઇ ગયાં છે. એક પણ દિવસ કામ અટક્યું નથી. અમે તમિલ અને મરાઠી ફિલ્મોપર પણ કામ કરી રહ્યા છીએ. યુડલીને હાલમાં જ ફિલ્મ હામિદ માટે પ્રશંસા મળી હતી.
સંજય દત્ત: વીડિયો ચેટથી તૈયારી કરી રહ્યો છે
આનંદ પંડિત મોશન બેનર હેઠળ બની રહેલી ફિલ્મમાં સંજય દત્ત, અરશદ વારસી અને બોમન ઇરાની છે. મુન્નાભાઇ સીરિઝની ફિલ્મ પછી ત્રણેય પ્રથમ 1 સાથેકામ કરી રહ્યા છે. 15 એપ્રિલથી યુરોપમાં શૂટિંગ શરૂ થવાનું હતું. આનંદ પંડિત જણાવે છે કે અમે ચારેય વીડિયો ચેટ દ્વ્રારા ફિલ્મના પંચથી લઇ પ્રી પ્રોડક્શનનીવાત કરીએ છીએ.
પ્રભાસ: આગામી ફિલ્મ અંગે નિર્માતા સાથે ચર્ચા
પ્રભાસ વિદેશથી લૉકડાઉન દરમિયાન જ હૈદરાબાદ પહોંચ્યા હતા. બાહુબલી ફ્રેન્ચાઇઝીના પોતાના મિત્રો રાણા દુગાબાટી અને અનુષ્કા શેઠ્ઠી સાથે ઝૂમ એપ દ્વ્રારા વાતો કરે છે. મિત્રતાની સાથે ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. પ્રભાસના નજીકના સૂત્રોનું કહેવું છે કે તે નિર્માતા દિલ રાજુની સાથે આગામી ફિલ્મ અંગે વાત કરેછે.
મણિરત્નમ: ફિલ્મની સ્ક્રીપ્ટ પર કામ જારી
તમિલ ફિલ્મ ટ્રેડ પત્રકાર કે. રામ જણાવે છે કે ફિલ્મ ડાયરેક્ટર મણિરત્નમે લૉકડાઉન પીરિયડમાં સ્ક્રીપ્ટ પર કામ શરૂ કરી દીધું છે. તેના પર તેમની આવનારીચર્ચિત ફિલ્મ ‘પોન્નિયન સેલવન’નું શૂટિંગ પૂરું થયા બાદ કામ શરૂ થશે. અત્યારે મણિની ટીમ પોન્નિયન સેલવનના પોસ્ટ પ્રોડક્શનના કામમાં લાગી છે.
અભિષેક: ફિલ્મનું બાકી એડિટિંગ થાય છે
અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ચહેરે’ અને અભિષેકની ‘ધ બિગ બુલ’ આ વર્ષે જ રિલીઝ થશે. બિગ બુલનું એડિટિંગ બચ્યુું છે. જે ઘરમાં કરવામાં આવીરહ્યું છે. ફિલ્મ નિર્માતા આનંદ પંડિતનું કહેવું છે કે ‘ધ બિગ બુલ’ની રિલીઝ ડેટ 23 ઓક્ટોબર અને ‘ચહેરે’ની 17 જુલાઇ જ રહેશે. ફિલ્મો થિયેટરોમાં રિલીઝથશે.
પેરિસથી પરત ફરેલી અમદાવાદની સ્મૃતિ ઠક્કર ખરા અર્થમાં કોરોના વોરિયર બની છે, કોરોનાને માતા આપનાર સ્મૃતિના બ્લડમાંથી પ્લાઝમા છૂટું પાડી તેને કોરોનાગ્રાસ્ત દર્દીને ચઢાવી દર્દીને સાજા કરવા અંગે રાજ્ય સરકારે તબીબોની મદદથી એક પ્રયોગ હાથ ધર્યો છે, શનિવારે પ્રથમ પ્લાઝમા ડોનર તરીકે સ્મૃતિ ઠક્કરનું નામ સામે આવ્યું છે.
આ અંગે સ્મૃતિ ઠક્કરના કાકા હરેશ ઠક્કરે જણાવ્યું કે, શનિવાર સવારે હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું કે, જે દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા હોય એવા દર્દીના શરીરમાં એન્ટિકોરોના સેલ ડેવલપ થયા હોય છે. તો આવા દર્દીના બ્લડમાંથી પ્લાઝમા લઈ જે તે ગંભીર દર્દીને ચઢાવવામાં આવે તો તે દર્દીની કોરોના સામે લડવા રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. પરિવાર સાથે પરમાર્શ કર્યા બાદ સ્મૃતિએ મોત સામે ઝઝૂમી રહેલા દર્દીઓ માટે પ્લાઝમા આપવા તૈયારી બતાવી હતી. બીજી તરફ સ્મૃતિ ઠક્કરે પ્લાઝમા ડોનેટ કર્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સ્મૃતિએ કહ્યું કે, પેરિસથી આવ્યા બાદ 17 દિવસ સુધી એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી. શનિવારે સાંજે પાંચ કલાકે અમે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
ત્યાં મારા બ્લડ અને સ્વોબ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનું ટેસ્ટિંગ કરાયું હતું.તમામ રિપોર્ટ નોર્મલ આવતા લગભગ 99 મિનિટ સુધી પ્રોસેસ ચાલી હતી, જેમાં મારું 400 ગ્રામ જેટલું બ્લડ લઈ તેમાંથી પ્લાઝમા છૂટું પડાયું હતું. મને ગર્વ છે કે મારું લોહી કોઈ ભારતવાસીનો જીવ બચાવવાના ઉપયોગમાં લેવાશે. મારું બ્લડ ગ્રૂપ પણ યુનિવર્સલ હોવાથી તેનો ગમે તે ગ્રૂપના દર્દીની સારવારના ઉપયોગમાં લઈ શકાશે. સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના ઇન્ચાર્જ ડૉ. નિધિ ભટનાગરે કહ્યું કે, સ્મૃતિ ઠક્કર પ્લાઝમા ડોનેટ કરનાર ગુજરાતની પ્રથમ વ્યક્તિ છે. તેમના પ્લાઝમાને બે વ્યક્તિને ચઢાવાશે.
ચીનની અત્યંત લોકપ્રિય વીડિયો શેરિંગ એપ ટિકટોક ફેમિલી પેરિંગ ફીચર લૉન્ચ કરવા જઈ રહી છે. તેના થકી પેરેન્ટ્સ તેમના બાળકોની ગતિવિધિ પર નજર રાખી શકશે. તેના થકી તેઓ નજર રાખી શકશે કે, બાળકો એપ પર કેટલો સમય વીતાવી રહ્યા છે. તેનાથી એ પણ જાણી શકાશે કે, તેઓ લાઈક, કોમેન્ટ અને મેસેજ કોને કરી રહ્યા છે. આ સાથે શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટોકે 16 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે ડાયરેક્ટ મેસેજની સુવિધા પણ ડિસેબલ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં, વીડિયો અને તસવીરો મોકલવાની સુવિધા પણ નહીં મળે.
ડાયરેક્ટ મેસેજ બંધ થશે
વિશ્વભરમાં લૉકડાઉનના કારણે કંટાળો દૂર કરવા લોકો ટિકટોક પર વધુ સમય વીતાવી રહ્યા છે. તેથી હાલમાં જ આ એપે 100 કરોડ ઈન્સ્ટૉલેશનનો આંકડો પાર કરી દીધો છે. ટિકટોક યુઝર્સમાં બાળકોની સંખ્યા ઘણી વધુ છે. એટલે તેમની સાથે ઓનલાઈન દુર્વ્યવહાર અટકાવવા પણ કંપનીએ કેટલાક પગલાં ઉઠાવ્યા છે. અહેવાલો પ્રમાણે, આ ફીચર 30 એપ્રિલે ચાલુ થઈ શકે છે. જો કે, ત્યાર પછી સગીરો માટે ડાયરેક્ટ મેસેજ સુવિધા પણ બંધ થઈ જશે, જેનો નવા મિત્રો અને સંબંધ બનાવવા ઉપયોગ થાયછે. આ રીતે ટિકટોકને ખાસ કરીને ટીનએજર્સ માટે સુરક્ષિત બનાવાઈ રહી છે. હવે ફક્ત મોટી ઉંમરના યુઝર્સ જ ડાયરેક્ટ મેસેજ કરી શકશે.
બાળકોને એપનો ઉપયોગ કરવાનો સમય પેરેન્ટ્સ નક્કી કરી શકશે
પેરિંગ ફીચર થકી પેરેન્ટ્સ તેમના બાળકોના ટિકટોક એકાઉનન્ટ સાથે પોતાનું એકાઉન્ટ લિંક કરી શકશે. તેમના ડાયરેક્ટ મેસેજ પર પ્રતિબંધ મૂકી શકશે. આ ફીચરમાં મળનારા સ્ક્રીન ટાઈમ મેનેજમેન્ટની મદદથી પેરેન્ટ્સ બાળકોને એપનો ઉપયોગ કરવાનો સમય નક્કી કરી શકશે. તેમાં રિસ્ટ્રિક્ટેડ મો પણ મળશે. હાલ તેની ઉપયોગિતા વિશે જાણકારી નથી અપાઈ.
નેશનલ ફુડ સીકયુરીટી એકટ હેઠળ આવતા 66 લાખ પરિવારને રાજય સરકારે રેશનીંગ દુકાન મારફત અનાજની કીટ આપી હતી. આ સાથે નાણાંકીય વળતરના સ્વરૂપે રૂ. એક હજાર દરેક પરિવારને આપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. 66 લાખ પરિવારના ખાતામાં રૂ. એક હજાર આગામી સોમવાર તા. 20મી એપ્રિલ સુધીમાં સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવાશે તેમ મુખ્યમંત્રીના સચિવે કહ્યું હતું. તેંમણે કહ્યું હતું કે, રૂ. એક હજાર મેળવવા માટે કોઇ પણ પ્રકારનું ઓનલાઇન કે ઓફલાઇન ફોર્મ કે કોઇ સરકારી પ્રક્રિયા કરવાની નથી. રાજય સરકાર પાસે જે ડેટા છે તેના આધારે દરેક લાભાર્થીના બેંક ખાતામાં રૂ. 1 હજાર જમા કરાવાશે.
ઓઇલ મિલરો સાથે CMએ વાતચીત કરી
કપાસીયા અને સીંગતેલના સપ્લાયમાં અડચણ ઉભી થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના જિલ્લાઓના ઓઇલ મિલરો સાથે વાટાઘાટો કરી હતી તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.તેમણે વધુમાં કહ્યુ ંહતું કે, ઓઇલ મિલરો અને કલેકટરોને સાથે રાખીને ઓઇલ મિલના સપ્યાલ તાત્કાલિક નિયમિત થાય તે માટે વાતચીત કરી હતી.
ડૉક્ટર કૃતિ અગ્રવાલ અમેરિકાના ન્યૂજર્સીમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહી છે. તે જણાવે છે કે અમેરિકામાં સ્થિતિ એવી થઈ છે કે લોકો બહાર નીકળતા ડરે છે. હોસ્પિટલ આવતા મોટાભાગના દર્દીઓ કોરોના પીડિત છે. તમામ સાધનો અને આધુનિક સુવિધા બાદ ઘણા લોકોના જીવ બચાવી શકાતા નથી. એવામાં ડૉક્ટર 18થી20 કલાક દર્દીઓની સેવા કરી રહ્યાં છે. જેથી લોકોના જીવ બચાવી શકાય. ડૉ. કૃતિ અનુસાર કોરોના પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. માત્ર ન્યૂજર્સીમાં રોજ 3 થી 3.5 હજાર નવા દર્દીઓ સામે આવી રહ્યાં છે. તમામ પ્રયાસ બાદ ઘણા લોકો જીવ ગુમાવી રહ્યાં છે. ડ્યૂટી પર રહેતા લોકો પર સતત જોખમ રહે છે.
તમે લોકો ભાગ્યશાળી છો કે તમે ભારતમાં રહો છો
ડૉ. કૃતિએ કહ્યું,‘તમે ભાગ્યશાળી છો કે ભારતમાં રહી રહ્યાં છો. જ્યાં સ્થિતિ હાલ નિયંત્રણમાં છે. છતાં આવી સ્થિતિમાં ઘરમાં રહો અને કોરોનાને હરાવો. સોશિયલ ડિસ્ટન્સિંગને ગંભીરતાથી લો તેનું પાલન કરો.’ જ્યારે કૃતિના પિતા મુકેશ અગ્રવાલે જણાવ્યું કે, જ્યારે દીકરી સાથે વાત થાય છે ત્યારે અમેરિકાની સ્થિતિ જોઈ ચિંતા થાય છે, પરંતુ દર વખતે દીકરી અમને બધાને પોતાનું ધ્યાન રાખવા અને ઘરની બહાર ના નીકળવા માટે સલાહ ચોક્કસ આપે છે.
અમદાવાદમાં MBBS કર્યું, ચંદીગઢમાં લગ્ન
ડૉ. કૃતિએ અમદાવાદથી એમબીબીએસ કર્યું છે. જે પછી ચંદીગઢના લવીશ અગ્રવાલ સાથે મુલાકાત થઈ. લવીશ ન્યૂજર્સીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. 3 વર્ષ અગાઉ લગ્ન બાદ ડૉ. કૃતિ પણ ત્યાં શિફ્ટ થઈ હતી.