Ad

Saturday, April 18, 2020

કોરોનામાંથી સાજી થયેલી સ્મૃતિ ઠક્કર રાજ્યની પહેલી પ્લાઝ્મા ડોનર બની, અન્ય પોઝિટિવ દર્દીઓને સાજા થવામાં મદદ મળશે

પેરિસથી પરત ફરેલી અમદાવાદની સ્મૃતિ ઠક્કર ખરા અર્થમાં કોરોના વોરિયર બની છે, કોરોનાને માતા આપનાર સ્મૃતિના બ્લડમાંથી પ્લાઝમા છૂટું પાડી તેને કોરોનાગ્રાસ્ત દર્દીને ચઢાવી દર્દીને સાજા કરવા અંગે રાજ્ય સરકારે તબીબોની મદદથી એક પ્રયોગ હાથ ધર્યો છે, શનિવારે પ્રથમ પ્લાઝમા ડોનર તરીકે સ્મૃતિ ઠક્કરનું નામ સામે આવ્યું છે.
આ અંગે સ્મૃતિ ઠક્કરના કાકા હરેશ ઠક્કરે જણાવ્યું કે, શનિવાર સવારે હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું કે, જે દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા હોય એવા દર્દીના શરીરમાં એન્ટિકોરોના સેલ ડેવલપ થયા હોય છે. તો આવા દર્દીના બ્લડમાંથી પ્લાઝમા લઈ જે તે ગંભીર દર્દીને ચઢાવવામાં આવે તો તે દર્દીની કોરોના સામે લડવા રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે. પરિવાર સાથે પરમાર્શ કર્યા બાદ સ્મૃતિએ મોત સામે ઝઝૂમી રહેલા દર્દીઓ માટે પ્લાઝમા આપવા તૈયારી બતાવી હતી. બીજી તરફ સ્મૃતિ ઠક્કરે પ્લાઝમા ડોનેટ કર્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સ્મૃતિએ કહ્યું કે, પેરિસથી આવ્યા બાદ 17 દિવસ સુધી એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી. શનિવારે સાંજે પાંચ કલાકે અમે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

ત્યાં મારા બ્લડ અને સ્વોબ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેનું ટેસ્ટિંગ કરાયું હતું.તમામ રિપોર્ટ નોર્મલ આવતા લગભગ 99 મિનિટ સુધી પ્રોસેસ ચાલી હતી, જેમાં મારું 400 ગ્રામ જેટલું બ્લડ લઈ તેમાંથી પ્લાઝમા છૂટું પડાયું હતું. મને ગર્વ છે કે મારું લોહી કોઈ ભારતવાસીનો જીવ બચાવવાના ઉપયોગમાં લેવાશે. મારું બ્લડ ગ્રૂપ પણ યુનિવર્સલ હોવાથી તેનો ગમે તે ગ્રૂપના દર્દીની સારવારના ઉપયોગમાં લઈ શકાશે. સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના ઇન્ચાર્જ ડૉ. નિધિ ભટનાગરે કહ્યું કે, સ્મૃતિ ઠક્કર પ્લાઝમા ડોનેટ કરનાર ગુજરાતની પ્રથમ વ્યક્તિ છે. તેમના પ્લાઝમાને બે વ્યક્તિને ચઢાવાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમદાવાદની સ્મૃતિ ઠક્કરે કોરોનાને માત આપ્યા બાદ હવે તેના પ્લાઝ્મા પોઝિટિવ દર્દીઓ માટે ડોનેટ કરવા તૈયારી બતાવી છે.


from Divya Bhaskar https://ift.tt/34Kr1hQ

No comments:

Post a Comment