
કોરોના વાઇરસ સંક્રમણથી મુક્ત 359 જિલ્લામાં સોમવારથી લૉકડાઉનમાં થોડી ઢીલ મળવાની શરૂઆત થશે. અહીં કરિયાણાની દુકાનો આખો દિવસ ખુલ્લી રહેશે. સાથે શહેરોની બહાર ફેક્ટરીઓમાં પણ કામ શરૂ થઇ જશે. પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન જેવી સેવાઓની સાથે બાંધકામની પણ મંજૂરી રહેશે. જોકે આ કામો માટે જરૂરી હાર્ડવેરની દુકાનો ખૂલવા અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. સરકારી પ્રવક્તા મુજબ આ રવિવારે તેનું સ્પષ્ટીકરણ જારી કરાશે. તેમાં વધુ ગાઇડલાઇન પણ સામેલ થઇ શકે છે. અત્યારે દેશમાં 148 જિલ્લા રેડ, 229 જિલ્લા ઓરેન્જ અને 359 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે.
20 એપ્રિલથી ધોરીમાર્ગો પર ટોલ વસૂલવામાં આવશે
દરમિયાન મંત્રીઓના જૂથે લોકોને પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા અને લૉકડાઉનમાં આંશિક છૂટ આપવાની તૈયારીની સમીક્ષા કરી. એક દિવસ પહેલાં પીએમઓએ પણ સાત પ્રમુખ મંત્રાલયોના અધિકારીઓ સાથે બેઠક કરી આંશિક ઢીલ અંગે ચર્ચા કરી હતી. જેમાં શ્રમિકોને ફેકટરીઓ સુધી લાવવા-લઇ જવાની ચર્ચાનો સમાવેશ થાય છે. મહામારીનો સામનો કરવા રિટાયર્ડ ડોક્ટરો, આરોગ્ય વ્યવસાયીઓ અને ફાઇનલ યરના મેડિકલ વિદ્યાર્થીઓની સેવા લેવાના સૂચનો પર પણ ચર્ચા કરાઇ. દરમિયાન નેશનલ હાઇવે ઓથોરિટીએ પણ 20 એપ્રિલથી ધોરી માર્ગો પર ટોલ વસુલી કરવાનો નિર્ણય લીધો છે.
ગ્રીન ઝોન ધરાવતા શહેર હોટ સ્પોટની તુલનામાં ગરીબ
- શહેરી વિસ્તાર વાઈરસથી વધુ સંક્રમિત છે. મુંબઈ અને દિલ્હી સહિત 20 આર્થિક કેન્દ્ર રેડ ઝોનમાં છે. એવામાં ત્યાં લૉકડાઉનમાં આર્થિક ગતિવિધિ શરૂ નહીં થઈ શકે.
- એક વિશ્લેષણ પ્રમાણે, રેડ ઝોનમાં સામેલ 20 જિલ્લા મોટા પાયે આર્થિક ગતિવિધિના કેન્દ્ર છે. દેશમાં કોરોના સંક્રમણના 50%થી વધુ કેસ અને 67% મૃત્યુ આ જ જિલ્લામાં છે.
- તેમાં અમદાવાદ સિવાય વડોદરા, મુંબઈ, પૂણે, આગ્રા, જયપુર, ઈન્દોર, ચેન્નાઈ, કોઈમ્બતુર, હૈદરાબાદ, કોલકાતા મુખ્ય છે.
- ગ્રીન ઝોનમાં જે જિલ્લામાં આર્થિક ગતિવિધિ શરૂ થવાની છે, તે રેડ ઝોન ધરાવતા જિલ્લાની તુલનામાં અત્યંત ગરીબ છે.
47 જિલ્લામાં 28 દિવસથી કોરોનાનો નવો દર્દી નથી મળ્યો
- નવી દિલ્હી: લૉકડાઉન વચ્ચે 47 જિલ્લામાં એક પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો. અહીં 28 દિવસમાં કોઈ નવો કેસ નથી સામે આવ્યો. તેમાં બિહારના લખીસરાય, ગોપાલગંજ, ભાગલપુર, રાજસ્થાનના ધોલપુર અને ઉદયપુર, પુડુચેરીનો માહે, જમ્મુ કાશ્મીરનો પુલવામા વગેરે સામેલ છે. દેશમાં અત્યાર સુધી મળેલા સંક્રમિતોમાં 4,291 નિઝામુદ્દીન મરકજના તલલીગી જમાત સાથે જોડાયેલા છે.
- આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના કહેવા પ્રમાણે, 23 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યમાં જમાત સાથે જોડાયેલા કેસ છે. તમિલનાડુમાં 84%, દિલ્હીમાં 63%, તેલંગાણામાં 79%, ઉ. પ્રદેશમાં 59%, આંધ્રપ્રદેશમાં 61%, આસામમાં 91% અને આંદામાન નિકોબારમાં 83% સંક્રમિતો જમાત સાથે જોડાયેલા છે.
મુંબઈમાં દર 10 લાખની વસતીએ 67 કેસ, દિલ્હીમાં 62 તો અમદાવાદમાં 115 પોઝિટિવ
અમદાવાદમાં શનિવારે સાંજ સુધીમાં 862 પોઝિટિવ કેસ થઈ ગયા. અહીંની વસતી 75 લાખ ગણીએ તો પ્રતિ 10 લાખ પર 115 પોઝિટિવ કેસ થાય.ઇંદોરમાં પ્રતિ 10 લાખની વસતીએ 236 દર્દી છે. જ્યારે મુંબઈમાં પ્રતિ 10 લાખ પર 67 અને દિલ્હીમાં 62.44 પોઝિટિવ કેસ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2RLrY47
No comments:
Post a Comment