
ડૉક્ટર કૃતિ અગ્રવાલ અમેરિકાના ન્યૂજર્સીમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહી છે. તે જણાવે છે કે અમેરિકામાં સ્થિતિ એવી થઈ છે કે લોકો બહાર નીકળતા ડરે છે. હોસ્પિટલ આવતા મોટાભાગના દર્દીઓ કોરોના પીડિત છે. તમામ સાધનો અને આધુનિક સુવિધા બાદ ઘણા લોકોના જીવ બચાવી શકાતા નથી. એવામાં ડૉક્ટર 18થી20 કલાક દર્દીઓની સેવા કરી રહ્યાં છે. જેથી લોકોના જીવ બચાવી શકાય. ડૉ. કૃતિ અનુસાર કોરોના પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. માત્ર ન્યૂજર્સીમાં રોજ 3 થી 3.5 હજાર નવા દર્દીઓ સામે આવી રહ્યાં છે. તમામ પ્રયાસ બાદ ઘણા લોકો જીવ ગુમાવી રહ્યાં છે. ડ્યૂટી પર રહેતા લોકો પર સતત જોખમ રહે છે.
તમે લોકો ભાગ્યશાળી છો કે તમે ભારતમાં રહો છો
ડૉ. કૃતિએ કહ્યું,‘તમે ભાગ્યશાળી છો કે ભારતમાં રહી રહ્યાં છો. જ્યાં સ્થિતિ હાલ નિયંત્રણમાં છે. છતાં આવી સ્થિતિમાં ઘરમાં રહો અને કોરોનાને હરાવો. સોશિયલ ડિસ્ટન્સિંગને ગંભીરતાથી લો તેનું પાલન કરો.’ જ્યારે કૃતિના પિતા મુકેશ અગ્રવાલે જણાવ્યું કે, જ્યારે દીકરી સાથે વાત થાય છે ત્યારે અમેરિકાની સ્થિતિ જોઈ ચિંતા થાય છે, પરંતુ દર વખતે દીકરી અમને બધાને પોતાનું ધ્યાન રાખવા અને ઘરની બહાર ના નીકળવા માટે સલાહ ચોક્કસ આપે છે.
અમદાવાદમાં MBBS કર્યું, ચંદીગઢમાં લગ્ન
ડૉ. કૃતિએ અમદાવાદથી એમબીબીએસ કર્યું છે. જે પછી ચંદીગઢના લવીશ અગ્રવાલ સાથે મુલાકાત થઈ. લવીશ ન્યૂજર્સીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો. 3 વર્ષ અગાઉ લગ્ન બાદ ડૉ. કૃતિ પણ ત્યાં શિફ્ટ થઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Vg3Tor
No comments:
Post a Comment