Ad

Saturday, April 18, 2020

સરકાર 66 લાખ લાભાર્થીઓના ખાતામાં 1 હજાર જમા કરાવશે, ફોર્મ ભરવાની જરૂર પડશે નહીં

નેશનલ ફુડ સીકયુરીટી એકટ હેઠળ આવતા 66 લાખ પરિવારને રાજય સરકારે રેશનીંગ દુકાન મારફત અનાજની કીટ આપી હતી. આ સાથે નાણાંકીય વળતરના સ્વરૂપે રૂ. એક હજાર દરેક પરિવારને આપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. 66 લાખ પરિવારના ખાતામાં રૂ. એક હજાર આગામી સોમવાર તા. 20મી એપ્રિલ સુધીમાં સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવાશે તેમ મુખ્યમંત્રીના સચિવે કહ્યું હતું. તેંમણે કહ્યું હતું કે, રૂ. એક હજાર મેળવવા માટે કોઇ પણ પ્રકારનું ઓનલાઇન કે ઓફલાઇન ફોર્મ કે કોઇ સરકારી પ્રક્રિયા કરવાની નથી. રાજય સરકાર પાસે જે ડેટા છે તેના આધારે દરેક લાભાર્થીના બેંક ખાતામાં રૂ. 1 હજાર જમા કરાવાશે.

ઓઇલ મિલરો સાથે CMએ વાતચીત કરી
કપાસીયા અને સીંગતેલના સપ્લાયમાં અડચણ ઉભી થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના જિલ્લાઓના ઓઇલ મિલરો સાથે વાટાઘાટો કરી હતી તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.તેમણે વધુમાં કહ્યુ ંહતું કે, ઓઇલ મિલરો અને કલેકટરોને સાથે રાખીને ઓઇલ મિલના સપ્યાલ તાત્કાલિક નિયમિત થાય તે માટે વાતચીત કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સરકારે NFSA કાર્ડધારકોના બેન્ક ખાતામાં એપ્રિલ માસ પૂરતા ૧૦૦૦ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી


from Divya Bhaskar https://ift.tt/2Vk46qE

No comments:

Post a Comment