
નૌકાદળમાં પણ કોરોના વાઇરસ સંક્રમણ પ્રવેશી ગયું છે. નૌકાદળનાં સૂત્રો મુજબ મુંબઇ સ્થિત નેવીના રહેણાક પરિસર આઇએનએસ આંગ્રેમાં રહેતા 26 સૈનિકસંક્રમિત મળ્યા. નૌકાદળમાં સંક્રમણનો આ પ્રથમ મામલો છે. તેમનામાં સંક્રમણનાં લક્ષણ નહતાં. બધાને ક્વોરન્ટાઈન કરી સારવાર શરૂ કરાઇ છે. સૂત્રો મુજબતમામ એક નૌસૈનિકના સંપર્કમાં આવ્યાથી સંક્રમિત થયા છે. તે સૈનિકમાં ગત 7 એપ્રિલે સંક્રમણની પુષ્ટિ થઇ હતી. આ 26 નૌસૈનિક જે પરિસરમાં રહેતા હતાતેને સીલ કરી દેવામાં આવ્યું છે. આઇએનએસ આંગ્રે પર તહેનાત એક નૌસૈનિક પોતાના ઘરે જતો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2RJ1sZp
No comments:
Post a Comment