Ad

Tuesday, April 14, 2020

ગુજરાત સરકારે મંગળવારે સાંજે જાહેર કરેલા કોરાનાના 22 કેસની યાદીમાં 11 કેસ તો છેલ્લા એક સપ્તાહના જ હતા

અમદાવાદમાં કોરોના પોઝેટિવ દર્દીના નામો જાહેર કરવામાં ગંભીર બેદરકારી છતી થઈ છે. રાજ્ય સરકારે મંગળવારે સાંજે જાહેર કરેલા બુલેટિનમાં જે નવા 22 કેસ જાહેર કર્યા તેમાં 11 કેસ એવા છે કે જે તમામ છેલ્લા એક સપ્તાહમાં જાહેર થઈ ચૂકયા હતા. એ જ નામો ફરી જાહેર કરવામાં શા માટે આવ્યા તે અંગે તપાસનો વિષય બન્યો છે. સરકારની જાહેરાત પછી મ્યુનિ.એ 22 પૈકીના કયા 11 નામો રીપિટ હતા તેની યાદી જાહેર કરી હતી અને નવા માત્ર 11 જ કેસ આવ્યા હોવાનો દાવો કર્યો હતો.અર્થાત મંગળવારે સવારે 31 અને સાંજે 11 એમ કુલ મળી 42 કેસ પોઝિટિવ મળ્યા હોવાનો દાવો મ્યુનિ. હેલ્થ વિભાગે કર્યો હતો. જે 11 નામો રીપિટ કરવામાં આવ્યા છે તેમાં બે ત્રણ નામ વગદાર લોકોના પણ છે.
સરકારના કોઈ પણ જવાબદાર અધિકારી કંઈ કહેવા તૈયાર નથી
સૂત્રોના કહેવા પ્રમાણે આ છબરડાં પાછળ કયું કારણ છે તે સમજાતું નથી. આ બેદરકારી અંગે મ્યુનિ.કે સરકારના કોઈ પણ જવાબદાર અધિકારી કંઈ કહેવા તૈયાર નથી. બેમાંથી કોઈ એક પક્ષે ભૂલ થઈ છે. આટલા ગંભીર કિસ્સામાં છબરડો કઈ રીતે થયો તે સૌથી મહત્ત્વનો પ્રશ્ન બની ગયો છે.
એક તરફ ટેસ્ટિંગ કીટો રાજ્ય સરકાર પાસે ઘણી ઓછી છે અને દૈનિક 100 સેમ્પલોનું જ વેરીફિકેશન કરાઈ રહ્યું છે ત્યારે આટલી નાની સંખ્યામાં આવી બેદરકારી સામે મ્યુનિ. અને સરકાર બંન્નેમાં ગરબડ ચાલી રહી હોવાનું મનાય છે. એક સાથે 11 નામો રીપિટ કરવા પાછળ કોઈ ચોકક્સ હેતુ રહેલો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
સાંજે નોંધાયેલા 11 દર્દી

પુરુષ
ઉંમર એરિયા
24 તાપી, હરિદર્શન રોડ
45 એ-27 રહેમત ફ્લેટ, ગાંધી સ્મૃતિ
50 202, દેવડીવાલા ફ્લેટ, ખાંડશેરી, જમાલપુર
66 બી-36, સૂર્ય નારાયણ સોસાયટી, નિકોલ ગામ
66 બી-36, સૂર્ય નારાયણ સોસાયટી, નિકોલ ગામ
23 દૂધવાળી ચાલી, બહેરામપુરા
57 શાહઆલમ રેસ્ટોરાં, ભીસ્તીવાડા, રખિયાલ
29 687, હરિજન વાસ, આસ્ટોડિયા
સ્ત્રી
42 એ-27, રહેમત ફ્લેટ, ગાંધી સ્મૃતિ
23 151, સંકલિતનગર, એચ-વોર્ડ, જુહાપુરા
66 ડી-36, સૂર્યનારાયણ સોસાયટી, નિકોલ ગામ
28 ગોતા
32 8, શક્તિ સોસાયટી, દાણીલીમડા

આ 11 કેસ રીપિટ કર્યા
પુરુષ
ઉંમર એરિયા
24 તાપી, હરિદર્શન રોડ
35 કાલુપુર મસ્જિદ
32 કાલુપુર મસ્જિદ
57 301, અજમેરી, જમાદાર મહોલ્લો, દિલ્હી ચકલા
24 કાલુપુર મસ્જિદ
47 6, ગિરિવા એપાર્ટમેન્ટ, બીજો માળ, ઈશ્વરનગર,
92 4, દીપવિલા બંગલો, ઝાયડસહોસ્પિટલ રોડ, થલતેજ
68 1965, બહેચરબુરાની ખડકી, જમાલપુર
સ્ત્રી
49 13, સ્નેહ સરિતા, પુષ્પકુંજ, મણિનગર
38 કાલુપુર મસ્જિદ
46 ખુરશીદ રેસિડેન્સી, જમાલપુર
નોંધ : 22 કેસમાંથી 11 દર્દીના નામ રીપિટ જાહેર કરાયા

બેદરકારીના આ 4 પ્રશ્નો

  • મ્યુનિ.ની ફિલ્ડમાં કામ કરતી ટીમો દ્વારા અગિયાર એવા વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા જેમના રિપોર્ટ જાહેર ન થાય તે માટે રીપિટ નામો સેમ્પલની સામે પરિણામ કરીને ઓનલાઈન રાજય સરકારને યાદી મોકલી આપી.
  • જે અગિયાર નામો જાહેર કરવામાં આવ્યા તેમના ફરી વખત સેમ્પલ લઈને તેમનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હોઈ શકે છે.
  • ઓનલાઈન સેમ્પલ અને પરિણામની જે યાદી સરકારને મોકલવામાં આવે છે તેમાં કોઈ વેરીફાઈ કરવામાં ગંભીર બેદરકારી થઈ હોય શકે.
  • અગિયાર નામો છુપાવવા માટે રીપિટ નામો જાહેર કરી દેવામાં આવ્યા હોય.

ગોતામાં સેમ્પલ ન લેવાયું હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ
ગોતામાં પહેલો પોઝેટિવ કેસ મળ્યો છે. જો કે, આ વ્યકિત કઈ સોસાયટી કે ક્યા ફ્લેટમાં રહે છે તેનુ સરનામું જ નથી. આ વ્યક્તિનું સેમ્પલ પણ મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમો દ્વારા લેવામાં આવ્યુ નથી. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તે બારોબાર સિવિલમાં દાખલ થયાનું દર્શાવવામાં આવે છે. પરંતુ તેનુ સરનામું સરકારે મ્યુનિ.ને મોકલેલી યાદીમાં જ નથી ત્યારે આ કેસ સંદર્ભે પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2wElLzM

Monday, April 13, 2020

અમેરિકામાં પોઝિટિવ કેસ છ લાખની નજીક;  ટ્રમ્પે કહ્યું- દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે

વિશ્વભરમાં કોરોના વાઈરસના 19.25 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. 1.20 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 4.45 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.ચીન વિશ્વના વિવિધ દેશમાં કોરોનાનો ભોગ બનેલલા પોતાના 1464 નાગરિકોને પરત લાવ્યું છે.

અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખની નજીક
અમેરિકામાં અત્યાર સુધીમાં 5 લાખ 87 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે અને 23 હજાર 640 લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 26 હજાર 641 નવા કેસ નોંધાયા છે અને 1535 લોકોએ જીવ ગુમાવ્યો છે.


ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વ્હાઈટ હાઉસમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું કે અમેરિકામાં દરરોજ નોંધાતા કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે.


બ્રિટનમાં 24 કલાકમાં 717 લોકોના મોત
બ્રિટનના સોશિયલ કેર વિભાગના જણાવ્યા મુજબ સોમવારે 717 લોકોએ જીવ ગુમાવ્યો છે, આ સાથે અહીં મૃત્યુઆંક 11329 થયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4342 કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ સાતે કુલ પોઝિટિવ કેસ 88 હજાર 621 થયા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે બ્રિટનમાં ચાલી રહેલા લોકડાઉનને સાત મે સુધી લંબાવવામાં આવ્યું છે.


સ્પેનમાં કુલ પોઝિટિવ કેસ 1.70 લાખ થયા છે અને 17 હજાર 756 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં 1.60 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 20 હજાર 465 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીન કરતા અમેરિકા, સ્પેન, ઈટાલી, ફ્રાન્સ, જર્મની અને બ્રિટનમાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસની બાબતમાં ચીન સાતમાં નંબરે આવી ગયું છે. ભારત 22માં નંબરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
corona World Live


from Divya Bhaskar https://ift.tt/2RynAW4

મોદીના સંબોધનના 3 કલાક પહેલાં સોનિયા ગાંધીનો મેસેજ, કહ્યું- કોરોનાને હરાવીને રહીશું

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે વડાપ્રધાન મોદી દેશને સંબોધન કરે તેના 3 કલાક પહેલાં દેશના નામે પોતાનો એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો. 5 મિનિટ 45 સેકન્ડનો આ મેસેજ સવારે 7 વાગે કોંગ્રેસ ટ્વિટર એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. સોનિયાએ આ વીડિયો દ્વારા મેડિકલ સ્ટાફ અને અન્ય તે લોકોનો આભાર માન્યો છે જે કોરોના વિરુદ્ધની લડાઈમાં મહત્વની ભૂમિકા નીભાવી રહ્યા છે. તે ઉપરાંત લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા અને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 વાગે દેશને સંબોધન કરવાના છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Congress chief Sonia Gandhi thanks coronavirus warriors in video message ahead of PM Modis address to the nation


from Divya Bhaskar https://ift.tt/3cbdl1O

Operations begin at exclusive COVID-19 hospital in Odisha

Operations begin at exclusive COVID-19 hospital in Odisha




from News - Videos - The Times of India https://ift.tt/2K6drf6

UK to remain in lockdown as coronavirus deaths rise above 11,000

UK to remain in lockdown as coronavirus deaths rise above 11,000

from India Today | Top Stories https://ift.tt/2yaPlgH

Many answer Shinzo Abe’s ‘stay home’ call with reminder: They can’t

Many answer Shinzo Abe’s ‘stay home’ call with reminder: They can’t

from India Today | Top Stories https://ift.tt/2RyBFDd

Coronavirus: Worst is over, says New York Governor as US grapples with reopening

Coronavirus: Worst is over, says New York Governor as US grapples with reopening

from India Today | Top Stories https://ift.tt/3bbBbdS

Maharashtra: No takers for grape harvest during lockdown pushes farmers to dump their produce on roads

Maharashtra: No takers for grape harvest during lockdown pushes farmers to dump their produce on roads

from India Today | Top Stories https://ift.tt/2VvkYcK

Lockdown 2.0 with exceptions to restart economy: What's proposed ahead of PM Modi's address

Lockdown 2.0 with economy boosters: What to expect from PM Modi's address at 10 am

from India Today | Top Stories https://ift.tt/2V7QA9v

15 એપ્રિલથી મે સુધી 12 મુહૂર્ત, જૂનમાં ત્રણ મુહૂર્ત પર દબાણ રહેશે પછી માર્ચ 2021 સુધી 6 ફક્ત મુહૂર્ત

કોરોના વાઈરસનો આતંક લગ્નોના આયોજનો પર પણ ભારે પડી રહ્યો છે. એપ્રિલમાં 15મીથી લગ્નોના મુહૂર્તની શરૂઆત થઈ રહી છે અને આ મહિનામાં માંડ પાંચ મુહૂર્ત છે, પરંતુ લૉકડાઉનને પગલે એપ્રિલ જ નહીં, પરંતુ મે મહિનાના લગ્નો પણ રદ કરાઈ રહ્યા છે. આમ પણ આ વર્ષે લગ્નોના મુહૂર્ત ઓછાં હતા. સૌથી વધુ 12 મુહૂર્ત એપ્રિલ અને મેમાં જ છે. કડક લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગની ચિંતાને પગલે લોકો મે માસને લઈને પણ આશંકિત છે. તેના કારણે જૂનમાં ફક્ત 3 મુહૂર્ત છે. ત્યાર પછી આવતા વર્ષના માર્ચ સુધી 6 શુભ તિથિ છે. પંડિતો, હોટલ, પાર્ટી પ્લોટ સંચાલકો અને કેટરર્સનું કહેવું છે કે, અમારા બિઝનેસ માટે લગ્નોની આ સિઝન સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ છે.
પંડિતે કહ્યું: સારી સિઝન સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ
ઉજ્જૈનના પં. શ્યામ નારાયણ વ્યાસનું કહેવું છે કે, એપ્રિલ, મે અને જૂનના 45 લગ્ન બુક હતા. લૉકડાઉનના કારણે તે તમામ રદ થઈ ગયા. જ્યારે પંડિત શૈલેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે, મુહૂર્ત ઓછા હોવાથી એપ્રિલ, મેમાં 10થી વધુ યજમાનના ત્યાં જવાનું હતું, પરંતુ હવે મોટા ભાગનાએ ના પાડી દીધી છે. પં. હેમંત શાસ્ત્રીના કહેવા પ્રમાણે કોરોનાના કારણે અનેક લોકોએ આયોજનો રદ કર્યા છે અને નજીકના ભવિષ્યમાં મુહૂર્ત નથી. એટલે આખી લગ્નની સિઝન બરબાદ થઈ ગઈ.
2020માં લગ્નના મુહૂર્ત
એપ્રિલ:
15, 20, 25, 26, 27
મે: 1, 2, 4, 6, 17, 18, 19
જૂન: 13, 15, 30 તારીખે 1 જુલાઈથી 24 નવેમ્બર સુધી શુભ મુહૂર્ત નથી.
નવેમ્બર: 25, 30
ડિસેમ્બર: 7, 9
2021: જાન્યુઆરી, માર્ચમાં મુહૂર્ત નથી
જાન્યુઆરી:
કોઈ મુહૂર્ત નહીં
ફેબ્રુઆરી: 15, 16
માર્ચ: કોઈ મુહૂર્ત નહીં
આ વર્ષે ક્યારે લગ્નના મુહૂર્ત નથી

  • 29 મેથી 12 જૂન સુધી શુક્ર અસ્ત થવાથી લગ્નો નહીં થાય.
  • 1 જુલાઈએ દેવશયની એકાદશીથી 24 નવેમ્બર સુધી.
  • 15 ડિસે.થી 14 જાન્યુ. 2021 સુધી ધનુ સંક્રાંતિના કારણે.
  • 19 જાન્યુ.થી 11 ફેબ્રુ. 2021 સુધી ગુરુ અસ્ત થવાથી.
  • 21 ફેબ્રુ.થી 12 એપ્રિલ. 2021 સુધી શુક્ર અસ્ત થવાથી.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona effect on marriage function


from Divya Bhaskar https://ift.tt/34AFNaN

INS's SOS to govt to save newspaper industry



from Times of India https://ift.tt/2yQKIIW

At 10am today, PM Modi will give a clearer view of way forward

The Prime Minister is expected to spell out details of the next phase of the national lockdown to combat the Covid-19 pandemic where enforcement of social distancing will be balanced by steps to reopen the economy in a calibrated way and take more measures to help the poor. Sources said proposals include a plan to expand the provision of free foodgrains beyond PDS beneficiaries and irrespective of their location.

from Times of India https://ift.tt/3a1l5lG

અમદાવાદમાં સૌથી મોટું કોરોના હોટસ્પોટ પણ મૃત્યુદર સૌથી વધુ સુરતમાં, દર 10મા પોઝિટિવનું મૃત્યુ થાય છે

કોરોના પોઝિટિવના દર્દીઓની દૃષ્ટિએ અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું હોટસ્પોટ બની ગયું છે પણ અહીં મૃત્યુદરનો આંકડો એટલો ચિંતાજનક નથી. અમદાવાદમાં સૌથી વધુ 295 કેસ નોંધાયા છે છતાં મૃત્યુદર ફક્ત 4.41 ટકા રહ્યો છે. જોકે સુરતમાં ફક્ત 33 પોઝિટિવ કેસ નોંધાવા છતાં અત્યાર સુધી ગુજરાતનો મૃત્યુદર સૌથી વધુ 12.12 ટકા અહીં જ જોવા મળ્યો છે. સુરતમાં ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 8 સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. અહીં રિકવરી રેટ 24.24 ટકા રહ્યો છે. સૂરતમાં જે ચાર મૃત્યુ થયા તેમાં ત્રણ વૃદ્ધ અને એક 52 વર્ષીય વ્યક્તિ હતી. બધાને પહેલાંથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કિડનીનો રોગ હતો. બધાની પહેલાંથી જ સારવાર ચાલી રહી હતી. સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના ડૉ.મુકેશ રાઠોડ કહે છે કે ડાયાબિટીસ, કેન્સર, બ્લડ પ્રેશર, કિડની રોગ, નબળી ઈમ્યૂનિટી, વધુ વય, એચઆઈવી, ટીબી, અસ્થમા, દમો, લંબાઈ અનુસાર ઓછું વજન અને ફૂડ માસ ઈન્ડેક્સ ઠીક ન ધરાવતા દર્દીઓને જો કોરોના થાય તો મોર્ટિલિટી 50 ટકા થાય છે. તે ઉપરાંત 5થી 10 ટકા જ મોર્ટેલિટી રહે છે.

સુરતથી નજીકના નવસારી સહિત 13 જિલ્લામાં એક પણ કેસ
અમરેલી, અરવલ્લી, બોટાદ, ડાંગ, દ્વારકા, જૂનાગઢ, ખેડા, મહિસાગર, નર્મદા, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં એક પણ કેસ આવ્યો નથી. બનાસકાંઠામાં 2, છોટા ઉદેપુરમાં 3, દાહોદમાં 1, કચ્છમાં 4, મહેસાણામાં 2, પોરબંદરમાં 3 કેસ નોંધાયા છે.

સુરતમાં દરેક 74 તપાસમાં 1 પોઝિટિવ
65 લાખની વસતી ધરાવતા સુરતમાં 2969 તપાસમાં 40 પોઝિટિવ, 74 તપાસે 1 તથા 70 લાખની વસતી ધરાવતા 5943 તપાસમાં 320 કેસ એટલે કે 19 કેસ દીઠ 1 કેસ આવી રહ્યો છે.

રાજ્યમાં... મૃત્યુદરમાં સુરત પહેલું, રિકવરીમાં પાંચમું

જિલ્લો કેસ મોત ટકાવારી ડિસ્ચાર્જ ટકાવારી તપાસ
અમદાવાદ 320 13 4.06 11 3.43 5943
ગાંધીનગર 15 01 6.67 07 46.67 135
સુરત 40 04 10 8 20 2969
વડોદરા 107 03 2.80 07 6.54 944
રાજકોટ 18 00 00 08 44.44 552
ભાવનગર 23 02 8.70 05 21.74 861
પાટણ 14 01 7.14 04 28.57 132
આણંદ 09 00 00 00 00 196
ભરુચ 11 00 00 00 00 183
  • સર્વાધિક મૃત્યુદર: સુરત પછી ક્રમશ: ભાવનગર, પાટણ અને ગાંધીનગરનો ક્રમ
  • આમને વધુ ખતરો: ક્રોનિક બીમારીમાં મૃત્યુદર 50%ની નજીક, સામાન્યમાં 5થી 10%
  • ગનીમત છે કે ગુજરાતનું મોટું શહેર હોવા છતાં સુરતનામાં હાલત હજુ ખતરનાક નથી.
  • તેમાં 27 પુરુષ એટલે કે 67.5% દર્દી અને 13 મહિલા એટલે કે 32.5% દર્દી

દેશમાં...સૌથી વધુ મોત મપ્રમાં,ગુજરાત ચોથું

રાજ્ય કેસ મૃત્યુ ટકાવારી ડિસ્ચાર્જ ટકાવારી
ગુજરાત 572 26 4.55 54 9.40
મહારાષ્ટ્ર 2064 150 7.27 217 10.51
મધ્યપ્રદેશ 616 50 8.14 51 8.31
યુપી 483 05 1.04 45 9.32
દિલ્હી 1154 24 2.08 28 2.43
પંજાબ 176 12 6.82 25 14.20
તેલંગાણા 531 16 3.01 103 19.40
રાજસ્થાન 847 11 1.30 121 14.29
કેરળ 378 02 0.53 198 52.38

રિકવરીમાં અમદાવાદ સુરતથી પણ પાછળ
દર્દીની રિકવરીમાં અમદાવાદ સુરતથી પણ પાછળ છે. અમદાવાદમાં રિકવરી દર 3.43 તો સૌથી વધુ ગાંધીનગરમાં 53.33 ટકા છે. ત્યારપછી રાજકોટ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુરતનો ડ્રોન વ્યૂ - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2VsRITU

લૉકડાઉન હટાવવામાં દેશો ઉતાવળ કરશે તો કોરોનાના કેસોમાં જુવાળ આવશે

કોરોના વાઈરસના કારણે વિશ્વભરમાં અત્યાર સુધી 1.14 લાખ લોકોના જીવ ગયા છે. જ્યારે 18 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ગયા છે ત્યારે દુનિયાના ઘણા દેશોમાં ચાલુ લૉકડાઉન કેટલાક દેશો લંબાવી રહ્યા છે તો કેટલાક દેશો તેને હટાવવાની તૈયારીમાં છે. કેટલાક દેશો એવા પણ છે, જ્યાં લૉકડાઉન સંપૂર્ણપણે લાગુ ન કરી થોડાં રાજ્યો કે પ્રાંતો સુધી સીમિત રાખ્યું છે. લેન્સેટ જર્નલના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં લોકડાઉન હટાવવાનો વિચાર કરનારા દેશોને ચેતવણી આપવામાં આવી છે કે રસી આવવા સુધી લોકડાઉન હટાવવું ન જોઇએ. તેમાં કહેવામાં આવ્યું છે કે કોઇ તૈયારી વિના પ્રતિબંધ હટાવવાથી સંક્રમણમાં જુવાળ આવી શકે છે.
ઘણા દેશોમાં લોકડાઉન સફળ, 70 ટકા સુધી સંક્રમણ ઘટાડવામાં સફળતા મળી

  • લેન્સેટના જણાવ્યા મુજબ લૉકડાઉન વિનાની સ્થિતિમાં એક સંક્રમિત વ્યક્તિ સરેરાશ 3 લોકોને સંક્રમિત કરશે. લૉકડાઉનને કારણે આ દરમાં 60-70 ટકા ઘટાડો થઇ રહ્યો છે.
  • રિસર્ચમાં કહેવાયું છે કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ ખતમ કરીએ છીએ તો વાઈરસનું સંક્રમણ રોકવા માટે અન્ય કોઇ ઉપાય કરવા પડશે.
  • ઘણા દેશોમાં લૉકડાઉનનો પ્રયોગ સફળ રહ્યો છે. 70 ટકાથી વધુ સંક્રમણ રોકવામાં સફળતા મળી છે.
  • ચીનના શોધકર્તાઓ મુજબ લૉકડાઉન હટાવતા ઇન્ફેક્શન માટે વધુ સતર્ક રહેવું પડશે અને રસી ન આવવા સુધી ઘણા વિસ્તારોને નિયંત્રણમાં રાખવા પડશે.
  • હોંગકોંગના શોધકર્તાઓનું માનવું છે કે ચીનની કડકાઇથી સંક્રમણની પ્રથમ ચેનને તો કાબૂ કરી લેવાઇ હવે બીજી ચેનનું જોખમ ઊભું થયું છે.
  • WHOએ પણ કહ્યું છે કે પ્રતિબંધો હટાવવાની ઉતાવળનાં પરિણામ ઘાતક હોઇ શકે છે.

લૉકડાઉન હટાવ્યું તો.. ચીને વુહાનમાં લૉકડાઉન ખતમ કરી દીધું પણ ત્યાં હાલમાં કોરોનાના 108 નવા કેસ આવ્યા. હુબેઇ પ્રાંતમાં 2 મોત થયાં. લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના ડૉ. એડમ કુચાર્સકીનું કહેવું છે કે કોરોના સામેની લડાઇ લાંબી ચાલશે.
લૉકડાઉન લગાવ્યું તો... ભારતમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં લૉકડાઉન ન હોત તો 8 લાખથી વધુ લોકો સંક્રમિત થયા હોત, હાલમાં તેની સંખ્યા 10 હજારથી ઓછી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લૉકડાઉન દરમિયાન અમદાવાદના સૂમસામ રસ્તાઓ.


from Divya Bhaskar https://ift.tt/3c9BkhY

સ્પેનમાં કારખાનાં અને કન્સ્ટ્રક્શન શરૂ, ઇટાલીમાં આજથી નાની દુકાનો ખૂલશે

સ્પેનમાં સોમવારે લૉકડાઉન આંશિક રીતે ખોલી દેવાયું. કન્સ્ટ્રક્શન, મેન્યુફેક્ચરિંગ અને કેટલાંક સર્વિસ સેક્ટર્સમાં લોકો સુરક્ષાના ચુસ્ત પગલાં વચ્ચે કામ પર પહોંચ્યા. રાષ્ટ્રીય નીતિ હેઠળ મેટ્રો, બસ અને રેલવે સ્ટેશનો પર ફેસમાસ્ક વહેંચાયાં. જોકે, સ્ટેશનો પર ભીડ સાવ ઓછી હતી, કેમ કે 27 માર્ચથી જારી લૉકડાઉન 25 એપ્રિલ સુધી અમલી રહેશે. આ દરમિયાન બાર, દુકાનો અને જાહેર સ્થળો બંધ રહેશે. અત્યાર સુધીમાં અહીં કોરોનાના 1.66 લાખથી વધુ કેસ નોંધાયા છે. જોકે, છેલ્લા કેટલાક દિવસથી મોતનું અને નવા કેસનું પ્રમાણ ઘટ્યું છે. કેટલીક હોસ્પિટલોમાં આઇસીયુમાં જગ્યા દેખાવા લાગી છે. જોકે, મેડિકલ ઉપકરણોની હજુ પણ અછત છે. લૉકડાઉનમાં અહીં બેરોજગારોની સંખ્યા 3,02,265 થઇ ગઇ, જે ફેબ્રુઆરીની તુલનાએ 9.31% વધુ છે. 4.5 કરોડની વસતીવાળા સ્પેન માટે આ બહુ મોટો આંકડો છે.
સ્પેન: 26 માર્ચે સૌથી વધુ નવા કેસ, 2 એપ્રિલે સૌથી વધુ મોત
સ્પેનમાં એક દિવસમાં સૌથી વધુ 8271 કેસ 26 માર્ચે નોંધાયા હતા. તે પછી 29 માર્ચ સુધી કેસ ઘટતા રહ્યા પણ 30 માર્ચે આંકડો પાછો વધ્યો. 1 એપ્રિલે 8195 નવા કેસ નોંધાયા. તે પછી આંકડો પાછો ઘટવા લાગ્યો. સોમવારે 2,665 કેસ નોંધાયા. 2 એપ્રિલે અહીં સૌથી વધુ 961 મોત થયાં હતાં. તે પછી થોડા ઉતાર-ચઢાવ સાથે આંકડો ઘટતો રહ્યો. 11 એપ્રિલે 525 મોત થયાં પણ 12 એપ્રિલે 603 મોત થયાં. કોરોનાના કુલ કેસની દ્રષ્ટિએ સ્પેન વિશ્વમાં બીજા ક્રમનો દેશ છે. અમેરિકામાં સૌથી વધુ 5,60,433 કેસ છે જ્યારે ત્રીજા ક્રમે રહેલા ઇટાલીમાં 1,56,363 કેસ છે.
ઇટાલી: 3 મે સુધી લૉકડાઉન, કારખાનાં હજુય બંધ જ રહેશે
ઇટાલીમાં બુક્સ, સ્ટેશનરી અને બાળકોનાં કપડાંની દુકાનો મંગળવારથી ખૂલી જશે. જોકે, લૉકડાઉન 3 મે સુધી લાગુ રહેશે. કારખાના ખોલવાની હજુ મંજૂરી નથી અપાઇ. અહીં એક દિવસમાં સૌથી વધુ મોતનો આંકડો 19 માર્ચ પછી સતત ઘટી રહ્યો છે. રવિવારે 431 મોત થયાં. 9 માર્ચે સખત લૉકડાઉન લાગુ કરાયું હતું, જેમાં માત્ર કરિયાણા અને દવાની દુકાનો ખુલ્લી રાખવા મંજૂરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સ્પેનમાં મેટ્રો સર્વિસ શરૂ.


from Divya Bhaskar https://ift.tt/34ArjrF

Fire raging near Ukraine's Chernobyl poses radiation risk, say activists

Fire raging near Ukraine's Chernobyl poses radiation risk, say activists

from India Today | Top Stories https://ift.tt/34JEl6p

Donald Trump's disdain for Obamacare could hamper coronavirus response

Donald Trump's disdain for Obamacare could hamper coronavirus response

from India Today | Top Stories https://ift.tt/34FRI7y

Coronavirus lockdown: Many without ration cards suffer in Delhi

Coronavirus lockdown: Many without ration cards suffer in Delhi

from India Today | Top Stories https://ift.tt/2KeBTeJ

Without lockdown, Delhi would have reported 50,000-1 lakh cases: Satyendar Jain

Without lockdown, Delhi would have reported 50,000-1 lakh cases: Satyendar Jain

from India Today | Top Stories https://ift.tt/3b814LE

No new case in 25 affected districts across 14 states in fortnight: Health ministry

No new case in 25 affected districts across 14 states in fortnight: Health ministry

from India Today | Top Stories https://ift.tt/2VuuUDD

Cops dealt strictly with misbehaving Tablighi Jamaat members: Delhi top cop

Cops dealt strictly with misbehaving Tablighi Jamaat members: Delhi top cop

from India Today | Top Stories https://ift.tt/3a5zxct

Coronavirus: For wheat farmers, it's a dull Baisakhi

Coronavirus: For wheat farmers, it's a dull Baisakhi

from India Today | Top Stories https://ift.tt/2xhPNtG

Coronavirus: Kerala is fighting Covid-19, and how

Coronavirus: Kerala is fighting Covid-19, and how

from India Today | Top Stories https://ift.tt/34xqpw5

મણિનગર, બાપુનગર, નરોડા, નિકોલ સહિત 7 વિસ્તારમાં રોજ ફ્રૂટ વેચવા જતાં યુવકને કોરોના

અમદાવાદમાં સોમવારે નવા 38 કેસ આવ્યા છે તેમાં સૌથી ચિંતાજનક કેસ શાહપુરની ચાલીમાં રહેતા 38 વર્ષીય યુવકનો છે. શાકભાજી અને ફ્રૂટ વેચવા નીકળતો આ યુવક લૉકડાઉન થયું ત્યારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં રોજે ફેરી કરે છે. પેડલ રિક્ષામાં તેણે અત્યાર સુધી શહેરના 7 વિસ્તારમાં ફ્રૂટનું વેચાણ કર્યું છે. હોટસ્પોટ કાલુપુરમાં પણ તે રેગ્યુલર જતો હતો. 11 એપ્રિલે તાવ અને માથાના દુઃખાવાની તકલીફ સાથે એસવીપીમાં દાખલ કરાયો હતો અને સોમવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ફેરિયાના મોબાઈલ નંબરના આધારે લોકેશન ચેક કરીનેહિસ્ટ્રી મેળવવા પ્રયાસ
મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમે તેની હિસ્ટ્રી જોઈ ત્યારે તેઓ પણ ચિંતામાં મૂકાયા. કેમ કે, અત્યારસુધી તે બાપુનગર, નિકોલ, કાલુપુર, સરસપુર, મણિનગર અને નરોડામાં પેડલ રિક્ષા લઈને ફરતો હતો. તેને કયાંથી ચેપ લાગ્યો તે જાણી શકાયું નથી પરંતુ શાકભાજી અને ફ્રૂટ વેચાણ માટે જતા તે સંખ્યાબંધ લોકોના સંપર્કમાં આવ્યો હોવાની શંકા છે. તેની પાસેથી કોણે કોણે શાકભાજી અને ફ્રૂટ લીધું તેની માહિતી મેળવવા હેલ્થ વિભાગની ટીમો કામે લાગી છે. પરંતુ યુવકને માત્ર આ વિસ્તારો યાદ છે પણ તે કઈ કઈ સોસાયટી કે ફ્લેટમાં લારી લઈને ગયો હતો તે યાદ નથી. અમદાવાદમાં ફેરી કરનારાને ચેપનો આ પહેલો કિસ્સો છે. તેના મોબાઈલ નંબરના આધારે લોકેશન ચેક કરીને પણ હિસ્ટ્રી મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું મ્યુનિ.સૂત્રોનું કહેવું છે. રોજબરોજ તે હોલસેલમાં શાકભાજી અને ફ્રૂટ લઈને પોતાની પેડલ રિક્ષા લઈને અલગ અલગ વિસ્તારોમાં તે જતો હોવાનું જાણવા મળ્યું છે.
ફૂડપેકેટ લેવા રોજ કાલુપુર જતો હતો
છૂટક ફેરી કરતો યુવક અને તેની પત્ની દરરોજ કાલુપુરના હનુમાન મંદિર ખાતે ફૂડપેકેટ લેવા જતા હતા. અહીં અલગ અલગ સંસ્થાના લોકો ફૂડ પેકેટના વિતરણ માટે આવતા હતા. તેને તાવ આવતા તેના ભાઈને બોલાવ્યો હતો. તેના ભાઈને પણ કવોરન્ટાઈન કરી દેવામાં આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2xpe00U

Sunday, April 12, 2020

Despite pandemic disruptions, UN carries on by video conference

Despite pandemic disruptions, UN carries on by video conference

from India Today | Top Stories https://ift.tt/3c5ANh8

Coronavirus: CII demands economic package, says industries should be opened in staggered manner

Coronavirus: CII demands economic package, says industries should be opened in staggered manner

from India Today | Top Stories https://ift.tt/2K2bK2k

UK cancels order for simple ventilators, needs more complex ones: Report

UK cancels order for simple ventilators, needs more complex ones: Report

from India Today | Top Stories https://ift.tt/2Xy4seK

African ambassadors complain to China over discrimination in Guangzhou

African ambassadors complain to China over discrimination in Guangzhou

from India Today | Top Stories https://ift.tt/2V3Ho5Z

OPEC, Russia approve biggest-ever oil cut to support prices amid coronavirus pandemic

OPEC, Russia approve biggest-ever oil cut to support prices amid coronavirus pandemic

from India Today | Top Stories https://ift.tt/34CFtIL

Google Doodle honours doctors, nurses working on the frontlines during the Covid-19 pandemic

Google Doodle honours doctors, nurses working on the frontlines during the Covid-19 pandemic




from News - Videos - The Times of India https://ift.tt/3chOCsH

Covid-19 in India: Railways pitch with old train coaches converted into isolation wards

Covid-19 in India: Railways pitch with old train coaches converted into isolation wards




from News - Videos - The Times of India https://ift.tt/3ek3ZTl

Coronavirus pandemic: Italy, France report lowest virus death toll; all that's happening in world

Coronavirus pandemic: Italy, France report lowest virus death toll; all that's happening in world

from India Today | Top Stories https://ift.tt/2JZ9n0v

Alcohol remains a huge draw during the lockdown, even as liquor shops stay closed

Alcohol remains a huge draw during the lockdown, even as liquor shops stay closed




from News - Videos - The Times of India https://ift.tt/2K2vrY1

Corona: Masks must in Guj, Haryana, Bengal



from Times of India https://ift.tt/2Rsc0fl

Of Covidiots & other barriers to social distancing

A crisis like Coronavirus brings to the fore many heroes, people going out of their way to help others selflessly. It also brings to the surface many people who choose not to act in the...

from Times of India Opinion https://ift.tt/2XuQR81

Corona Warriors: IAS officer returns to work, joins fight against Covid-19 with 1-month-old baby

Corona Warriors: IAS officer returns to work, joins fight against Covid-19 with 1-month-old baby

from India Today | Top Stories https://ift.tt/34tBkXC

પટિયાલામાં નિહંગોએ ASIનો હાથ કાપ્યો, ડૉક્ટરોએ 7 કલાકમાં જોડ્યો, પોલીસે 11 નિહંગોની ધરપકડ કરી

લોકડાઉનનું પાલન કરાવવામાં લાગેલા સુરક્ષા કર્મીઓ પર હુમલા વધી રહ્યા છે. તાજી ઘટના પંજાબની છે. પટિયાલામાં એક શાક માર્કેટની બહાર કરફ્યૂ પાસ માગવામાં આવતા 5 હથિયારધારી નિહંગોએ પોલીસ પર તિક્ષણ હથિયારોથી હુમલો કરી દીધો. એએસઆઇ હરજીત સિંહનું હાથ કાપી નાંખ્યું. હુમલામાં અન્ય 6 લોકો પણ ગંભીર ઘાયલ થયા છે. ઘટના બાદ આરોપી ભાગીને 25 કિમીના અંતરે એક ગુરુદ્વ્રારામાં છુપાઇ ગયા હતા. તેમને પકડવા માટે 50 કમાન્ડોની એક ટીમ બનાવાઇ. જ્યારે આ ટીમ ગુરુદ્વ્રારા પાસે પહોંચી તો નિહંગોએ સરેન્ડર કરવાને બદલે પોલીસ પર ફાઇરિંગ શરૂ કરી દીધું. કમાન્ડોના વળતા જવાબમાં એક આરોપી ઘાયલ થઇ ગયો. 4 કલાકની કાર્યવાહી બાદ પોલીસે એક મહિલા સહિત 11 લોકોની ધરપકડ કરી. નિહંગોના બીજા હુમલામાં એસએસપી મંદીપ સિંઘ સિદ્ધુ પણ ઘાયલ થયા. મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે કહ્યું કે 7 કલાકની સર્જરી પછી એએસઆઇનો હાથ ફરી જોડી દેવાયો છે. તેમણે કહ્યું કે લોકડાઉન તોડનારા સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. પટિયાલામાં પોલીસ પર હુમલો કરનારાને છોડવામાં નહીં આવે.

નિહંગો પોલીસ કર્મીઓને 10 મિનિટ સુધી દોડાવતા રહ્યા
આઇજી પોલીસ પટિયાલા જતિન્દર સિંઘ ઔલખે જણાવ્યું કે હુમલાખોરો કરફ્યૂ દરમિયાન સનૌર શાક માર્કેટમાં ખરીદી કરવા આવ્યા હતા. કરફ્યૂ પાસ માંગવામાં આવતા તેમણે હુમલો કરી દીધો. તેઓ હથિયારના જોરે ત્યાં હાજર પોલીસ કર્મીઓને 10 મિનિટ સુધી દોડાવતા રહ્યા. પછીથી તેમના બનાવાયેલા ગુરુદ્વ્રારામાંથી પાંચ બોરી ચૂરાપોસ્ટ, રોકડ, પેટ્રોલ બોમ્બ, બે પિસ્તોલ, બંદૂકો, તલવારો અને તિક્ષણ હથિયાર જપ્ત કરાયા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પીજીઆઈ ચંડીગઢમાં ભરતી ASIની સ્થિતિ હજુ ગંભીર છે


from Divya Bhaskar https://ift.tt/2VtPLHc

ચીનથી ખફા અમેરિકન-જાપાન સરકારનો ગુજરાત સરકારે સંપર્ક કર્યો, ચીનમાંથી રોકાણ ગુજરાતમાં ખસેડવા આમંત્રણ આપ્યું

ચીનના વુહાનથી લઇને હવે જ્યારે આખા વિશ્વમાં કોરોના વાઇરસ પ્રસરી ગયો છે અને અમેરિકામાં પણ તેના ખૂબ ખરાબ પરિણામ મળ્યાં છે, ત્યારે અમેરિકન અને જાપાનીસ સરકાર કોરોના વાઇરસના વૈશ્વિક પ્રસાર માટે ચીનને જવાબદાર ગણી રહી છે. આ જ કારણોસર આ બન્ને સરકારોએ પોતાના ઉદ્યોગકારોને ચીનમાંથી રોકાણ ખસેડી લેવાની સૂચના આપી છે. આ તકનો લાભ લઇને ગુજરાત સરકારે અમેરિકા અને જાપાનની સરકારો તથા કંપનીઓનો સંપર્ક કરવાનું શરુ કર્યું છે. ગુજરાત સરકારે રાજ્યમાં રહેલી રોકાણની તકો ઉપરાંત ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કર પ્રણાલી અને અન્ય સુવિધાઓની બાંહેધરી આપી, આ કંપનીઓને ચીનમાંથી રોકાણ ખસેડી દક્ષિણ એશિયાઇ પ્રદેશમાં ભારત અને તેમાંય ગુજરાત શ્રેષ્ઠ સ્થળ રહેશે તેવી સમજ આપતાં પ્રેઝન્ટેશન અને પત્રો મોકલ્યાં છે.

20 કરોડ ડોલરના પેકેજની જાહેરાત કરી
ચીન અને અમેરિકા વચ્ચે ચાલતાં ટ્રેડવોરને લઇને જ ગુજરાત સરકારે આ પ્રયત્નો શરૂ કર્યાં હતાં, પણ હવે તેમાં વેગ મળ્યો છે. અત્યાર સુધી ટ્રેડ વોર છતાં અમેરિકન કંપનીઓ અન્ય પ્રતિસ્પર્ધીઓના ડરે ખસી રહી નહોતી, પરંતુ હવે તેઓ અહીંથી ખસીને કે આંશિક રીતે પોતાનું રોકાણ અન્ય દેશમાં વાળીને પોતાની હાજરી અથવા નિર્ભરતા ચીન પરથી ઓછી કરી શકે છે અને તે માટે જ ગુજરાત સરકારે આ પ્રયત્નો શરૂ કરી દીધાં છે. જાપાને તો ચીનમાંથી પોતાના રોકાણકારોને અન્ય દેશોમાં પોતાનું રોકાણ ખસેડવા માટે 20 કરોડ ડોલરના પેકેજની જાહેરાત પણ કરી દીધી છે, જ્યારે જાપાનમાં ખસેડવા માટે 200 કરોડ ડોલરની સહાય નક્કી કરી છે. ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશ્નર તરફથી અમેરિકા ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, જાપાનની જાઇકા ઉપરાંત સરકારના પ્રતિનિધીઓ અને ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધીઓને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં આમંત્રણ પાઠવવાની સાથે આ સંદેશ પહોંચાડતો પત્ર વ્યવહાર કરાયો છે.

એપલ, HP, ગૂગલ સિહતની કંપની આવી શકે છે
અમેરિકાની એપલ, હ્યુલેટ પેકોર્ડ, ગૂગલથી માંડીને ઘણી બધી સોફ્ટવેર અને હાર્ડવેર કંપની ઉપરાંત નાઇકી, એડિડાસ, એબરક્રોમ્બી એન્ડ ફિચ કાર્ટર્સ ઉપરાંત હેસ્બ્રો જેવી રમકડાં બનાવનારી કંપની ઉપરાંત જાપાનની ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બેંકિંગ એન્ડ ફાઇનાન્સ, ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ ક્ષેત્રમાં કામ કરનારી કંપનીઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે. આ કંપનીઓ પોતાના પ્રોડક્શન ગુજરાતમાં કરે તેવી ધારણા છે.

PMO પણ સહાય કરશે
મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત PMO તરફથી ગુજરાતને સહકાર મળી રહેશે. ગુજરાતને જે-તે દેશના રાજદ્વારી ઉપરાંત વાણિજ્યિક મંત્રાલયના અને ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધીઓનો સંપર્ક કરાવી આપવામાં મદદ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2VmJCfM

કોરોનાની અસરને કારણે ચાલુ વર્ષે ભારતનો GDP 1.5થી 2.8 ટકા રહેવાનું અનુમાન: વર્લ્ડ બેન્ક

ભારત સહિત દક્ષિણ એશિયન દેશોમાં 40 વર્ષ બાદ સૌથી ઓછો આર્થિક વિકાસ દર નોંધાઇ શકે છે. આ દેશોમાં મહત્તમ જીડીપી 2.8 ટકા સુધી રહી શકે છે. કોરોના વાઈરસ સંકટ વચ્ચે વિશ્વ બેન્કના રવિવારે જારી રિપોર્ટમાં આ અનુમાન વ્યક્ત કરાયું. વિશ્વ બેન્કે ‘દક્ષિણ એશિયાના અર્થતંત્ર પર લેટેસ્ટ અનુમાન- કોવિડ-19ની અસર’ રિપોર્ટ રજૂ કર્યો. તેમાં દક્ષિણ એશિયન ક્ષેત્રના 8 દેશ ભારત, પાકિસ્તાન, બંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, ભૂતાન, માલદીવ્સ અને અફઘાનિસ્તાનને સામેલ કરી અભ્યાસ કરાયો છે. રિપોર્ટમાં આ અનુમાન જણાયું છે કે તમામ 8 દેશોનું અર્થતંત્ર 1.8 ટકાથી લઇ 2.8 ટકાના દરે વધશે. જ્યારે 6 મહિના પહેલાં જ વિશ્વ બેન્કે 6.3 ટકાનું અનુમાન લગાવ્યું હતું. વિશ્વ બેન્કે ભારત અંગે ચાલુ નાણા વર્ષમાં વિકાસ દર 1.5 ટકાથી 2.8 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. જો કે 31 માર્ચ 2020ના રોજ પુરા થતાં નાણા વર્ષ 2019-20માં 4.8થી 5 ટકાનો અર્થિક વિકાસ દર રહેવાનું અનુમાન જણાવ્યું હતું. રિપોર્ટમાં કહેવાયું છે કે 2019ના અંતમાં જે સારા સંકેત દેખાતા હતા તેને કોરોનાની નકારાત્મક અસરોએ ખતમ કરી દીધા.

સપ્લાય ચેઇનને અસર, નાના વેપારી તબાહ
કોરાના વાઈરસનો ફેલાવો રોકવાના ઉપાયોના કારણે સમગ્ર દક્ષિણ એશિયન ક્ષેત્રમાં સપ્લાય ચેઇનને અસર થઇ છે. માત્ર ભારતમાં લૉકડાઉનને કારણે 1.3 અબજ લોકો ઘરોમાં બંધ છે, લાખો લોકો કામ વિહોણા છે. જ્યારે મોટા અને નાના બિઝનેસને અસર તો કરી છે. લાખો પ્રવાસી મજૂરો પોતાના ગામોમાં પરત થઇ ગયા છે. અલબત્ત દક્ષિણ એશિયામાં આશરે 13000 કેસ જોવા મળ્યા, જે વિશ્વના અન્ય દેશો કરતા ઓછો છે.

પ્રવાસી મજૂરોને આર્થિક મદદ, વેપારીઓને લોન આપવા સુચન
વિશ્વ બેન્કે આર્થિક મુશ્કેલીઓ ઓછી કરવા માટે કેટલાક સુચનો પણ કર્યા છે, જેમાં સરકારોએ બેરોજગાર પ્રવાસી મજૂરોને આર્થિક મદદ કરવા, વેપારીઓને અને વ્યક્તિગત લોન આપવાનો સમાવેશ થાય છે. જો કે ભારતે 1.70 હજાર કરોડ રૂપિયાનું આર્થિક પ્લાન રજૂ કર્યું છે અને લાખો લોકોના બેન્ક ખાતામાં મદદ પહોંચાડી છે.

5 દેશોમાં ઝડપી ઘટાડો, ત્રણ દેશમાં મંદી
વિશ્વ બેન્કે 7 એપ્રિલ સુધી તમામ દેશોના ડેટાથી આ રિપોર્ટ તૈયાર કર્યો. જે મુજબ ભારત ઉપરાંત શ્રીલંકા, નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશના આર્થિક વિકાસ દરમાં ઝડપી ઘટાડો જોવા મળશે. જ્યારે અન્ય ત્રણ દેશ પાકિસ્તાન, અફઘનિસ્તાન અને માલદીવમાં મંદી જોવા મળી શકે છે. જો લૉકડાઉન લંબાશે તો સંપૂર્ણ ક્ષેત્રમાં આર્થિક દબાણની ચેતવણી પણ આપવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2RwqAm4

જરૂરી ચીજો લઈ જતી ટ્રકોને ના રોકો: ગૃહ સચિવ, તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર લખી અપીલ કરી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રવિવારે રાજ્ય સરકારોને અપીલ કરી હતી કે, હાલના સંજોગોમાં તમામ રાજ્યો જીવન જરૂરિયાતની કે એ સિવાયની ચીજવસ્તુઓને લઈ જતી ટ્રકો અને અન્ય વાહનોને ના રોકે. તમામ રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખીને ગૃહ સચિવ અજય ભલ્લાએ જણાવ્યું છે કે, જો આ પ્રકારના વાહનોને રોકવામાં આવશે તો લૉકડાઉનની સ્થિતિમાં જરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાઈ શકે છે. લૉકડાઉન વખતે આવા અનેક વાહનો પાસે સત્તાવાર પાસ ન હતા, જેથી પોલીસે આ વાહનો જપ્ત કર્યા હતા.

ડ્રાઇવર સાથે એક વ્યક્તિને મંજૂરી
આ પત્રમાં ભલ્લાએ સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં અને આંતરરાજ્ય માલ પરિવહન સેવા આપતા ડ્રાઈવરોની સાથે બીજી પણ એક વ્યક્તિને સરકાર વાહનમાં જવાની મંજૂરી આપે છે. જોકે, એ માટે ડ્રાઈવર પાસે કાયદેસરનું ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. ગૃહમંત્રાલયની આ સ્પષ્ટતા પછી દેશમાં આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો જળવાઈ રહેશે તેમ મનાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2ydCeLy

બિલિમોરાના ટેલર કોરોના માટે 40,000 PPE સૂટ બનાવશે, તંત્ર પાસે હાલમાં માત્ર 868 શૂટ છે

સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીના ભરડામાં સપડાયું છે, ત્યારે દર્દીઓના સંક્રમણથી તબીબો અને આરોગ્ય સ્ટાફને સુરક્ષિત રાખવા પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ (પી.પી.ઇ.) કીટ આશીર્વાદરૂપ સાબિત થઇ છે. આ કીટ બનાવવાની જોબવર્કની કામગીરી નવસારી જિલ્લાના બિલિમોરાના પ્રશાંતભાઈ ટેલરને મળી છે. તેમને એક માસમાં 40 હજાર કીટ બનાવવાનો ઓર્ડર મળ્યો છે.

સિંગલ લેયર સૂટ આખુ શરીર કવર કરે છે
હાલ અમને 40 હજાર સૂટનો ઓર્ડર મળ્યો છે. જે અમે નહી નફા, નહી નુકશાનના ધોરણે કરી રહ્યા છીએ. આ ઓર્ડર એક માસમાં પૂર્ણ કરવાનો છે. દરરોજ 16થી 17 કારીગર 200થી 250 સૂટ બનાવી રહ્યાં છે. આ સૂટ કોરોના સંક્રમિત દર્દીઓ, તેની સારવાર કરનાર ડોક્ટર્સ, નર્સ તેમના સંપર્કમાં આવતા તમામ લોકોને પહેરવો પડે છે. સિંગલ લેયર સૂટ છે. જે પંજા, આંખ, પગના પંજા સિવાય આખી બોડી કવર કરે છે. - પ્રશાંતભાઈ ટેલર, પીપીઈ સૂટ બનાવનાર

હાલ નવસારીમાં 868 કિટ
કોરોનાની સારવારમાં હાલ સૌથી વધુ જરૂર પર્સનલ પ્રોટેકશન ઈક્વિપમેન્ટ ( પીપીઈ ) કિટની પડી રહી છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસની સ્થિતિ ગંભીર બની રહી છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના સીધા સંપર્કમાં આવતા ડોક્ટર અને નર્સને પણ સ્વરક્ષણ માટે પર્સનલ પ્રોટેકશન ઈક્વિપમેન્ટ સૂટની ખૂબ જરૂરિયાત ઉભી થઇ છે. નવસારી આરોગ્ય તંત્રના આંકડા અનુસાર તેમની પાસે માત્ર 868 જેટલા જ પીપીઈ સૂટ હાલ સ્ટોકમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
PPE શૂટ પહેરીને કામ કરી રહેલા કર્મચારી - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2y8v23C