Ad

Sunday, April 12, 2020

પટિયાલામાં નિહંગોએ ASIનો હાથ કાપ્યો, ડૉક્ટરોએ 7 કલાકમાં જોડ્યો, પોલીસે 11 નિહંગોની ધરપકડ કરી

લોકડાઉનનું પાલન કરાવવામાં લાગેલા સુરક્ષા કર્મીઓ પર હુમલા વધી રહ્યા છે. તાજી ઘટના પંજાબની છે. પટિયાલામાં એક શાક માર્કેટની બહાર કરફ્યૂ પાસ માગવામાં આવતા 5 હથિયારધારી નિહંગોએ પોલીસ પર તિક્ષણ હથિયારોથી હુમલો કરી દીધો. એએસઆઇ હરજીત સિંહનું હાથ કાપી નાંખ્યું. હુમલામાં અન્ય 6 લોકો પણ ગંભીર ઘાયલ થયા છે. ઘટના બાદ આરોપી ભાગીને 25 કિમીના અંતરે એક ગુરુદ્વ્રારામાં છુપાઇ ગયા હતા. તેમને પકડવા માટે 50 કમાન્ડોની એક ટીમ બનાવાઇ. જ્યારે આ ટીમ ગુરુદ્વ્રારા પાસે પહોંચી તો નિહંગોએ સરેન્ડર કરવાને બદલે પોલીસ પર ફાઇરિંગ શરૂ કરી દીધું. કમાન્ડોના વળતા જવાબમાં એક આરોપી ઘાયલ થઇ ગયો. 4 કલાકની કાર્યવાહી બાદ પોલીસે એક મહિલા સહિત 11 લોકોની ધરપકડ કરી. નિહંગોના બીજા હુમલામાં એસએસપી મંદીપ સિંઘ સિદ્ધુ પણ ઘાયલ થયા. મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે કહ્યું કે 7 કલાકની સર્જરી પછી એએસઆઇનો હાથ ફરી જોડી દેવાયો છે. તેમણે કહ્યું કે લોકડાઉન તોડનારા સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. પટિયાલામાં પોલીસ પર હુમલો કરનારાને છોડવામાં નહીં આવે.

નિહંગો પોલીસ કર્મીઓને 10 મિનિટ સુધી દોડાવતા રહ્યા
આઇજી પોલીસ પટિયાલા જતિન્દર સિંઘ ઔલખે જણાવ્યું કે હુમલાખોરો કરફ્યૂ દરમિયાન સનૌર શાક માર્કેટમાં ખરીદી કરવા આવ્યા હતા. કરફ્યૂ પાસ માંગવામાં આવતા તેમણે હુમલો કરી દીધો. તેઓ હથિયારના જોરે ત્યાં હાજર પોલીસ કર્મીઓને 10 મિનિટ સુધી દોડાવતા રહ્યા. પછીથી તેમના બનાવાયેલા ગુરુદ્વ્રારામાંથી પાંચ બોરી ચૂરાપોસ્ટ, રોકડ, પેટ્રોલ બોમ્બ, બે પિસ્તોલ, બંદૂકો, તલવારો અને તિક્ષણ હથિયાર જપ્ત કરાયા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પીજીઆઈ ચંડીગઢમાં ભરતી ASIની સ્થિતિ હજુ ગંભીર છે


from Divya Bhaskar https://ift.tt/2VtPLHc

No comments:

Post a Comment